દુબઇમાં ધોનીની CSK ટીમના ત્રણેક ક્રુ મેમ્બરને કોરોના ડિટેક્ટ થયો

ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ માટે યુનાઇટેડ આરબ અમિરાત પહોંચેલી ભારતની આઠ ટીમો પૈકી દુબઇ ખાતે 7 દિવસનો ફરજિયાત કોરન્ટાઇન પિરીયડ પૂરી કરી રહેલી ચેન્નઇ સુપર કિંગ્સના ત્રણેક સભ્યોને કોરોના થયો હોવાની પુષ્ટી થતાં જ આઇ.પી.એલ. ઇવેન્ટ સામે મોટું જોખમ ઉભું થયું છે. ચેન્નઇ ક્રિકેટ ટીમના કયા સભ્યોને કોરોના થયો એ સત્તાવાર ઘોષિત થયું નથી પરંતુ, ફાસ્ટ બોલર ચહર તેમજ અન્ય ક્રુ મેમ્બર્સને કોરન્ટાઇન પીરીયડ પૂરો થવાના છેલ્લા દિવસે જ કોરોના હોવાનું ટેસ્ટિંગમાં જણાયું છે.
મળતી માહિતી મુજબ હવે ચેન્નઇ ક્રિકેટ ટીમના તમામે તમામ મેમ્બર્સ, સપોર્ટ સ્ટાફ તમામનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. હાલ ચેન્નઇ સુપરકિંગ્સ ટીમના તમામને વધુ 7 દિવસ ફરજિયાત કોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.
ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ 21 ઓગસ્ટે દુબઈ પહોંચી હતી. ટીમે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા બનાવવામાં નિયમો અંતર્ગત છ દિવસનો ફરજીયાત ક્વોરેન્ટીન સમય પૂરો કરી દીધો હતો. આઈપીએલનો પ્રારંભ 19 સપ્ટેમ્બરથી થવાનો છે.
આઇપીએલ શરૂ થવા પહેલા જ જોખમ
યુએઈમાં રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સિઝનની શરૂઆત પહેલા જ લીગને કોરોના વાયરસે મોટું જોખમ ઉભું કરી દીધું છે. કોરોના વાયરસના કારણે લીગ શરૂ થવામાં વિલંબ થયો છે અને તેને ભારતની બહાર રમાડવાની ફરજ પડી છે. જોકે, હવે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ચેન્નઈ ટીમ માટે આ મોટો ફટકો છે કેમ કે ટીમ આજે તા.27મી ઓગસ્ટને શુક્રવારથી દુબઈમાં પ્રેક્ટિસ શરૂ કરવાની હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


