CIA ALERT

દિલેરી સુરતીઓના લોહીમાં વહે છે : રૂપિયા, સંપતિ, માનવ અંગો અને હવે પ્લાઝમા, દાન આપવામાં સુરતીઓને પહેલા નંબર સિવાય કશું ખપતું નથી

Share On :

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દાનવીર સુરતીઓએ વધુ એક વખત એ વાતની પ્રતીતી કરાવી છે કે આપવામાં તેમનો કોઇ જોટો જડે તેમ નથી. જોય ઓફ ગીવીંગ સુરતીઓને પામવો છે અને એટલે જ લોક સેવામાં રૂપિયા, સંપતિ, માનવ અંગો (ઓર્ગન ડોનેશન) અને હવે કોવીડ-19ના ક્રિટીકલ દર્દીઓ માટે પ્લાઝમા આપવામાં સુરતીઓ થોડા દિવસમાં જ ગુજરાતમાં અવ્વલ સ્થાને પહોંચ્યા છે એટલું જ નહીં પણ સમગ્ર ભારત અને વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

કોરોનાના ક્રિટીકલ દર્દીઓની સારવાર માટે પ્લાઝમા થેરાપીનો વિકલ્પ

કોવીડ-19 માટે હજુ અસરકારક દવા કે વેક્સિન બની નથી. અનેક પદ્ધતિઓથી દુનિયાભરમાં, દેશમાં, રાજ્યમાં, સુરતમાં કોરોનાના દર્દીઓની સારવાર થઇ રહી છે. આ સારવાર પદ્ધતિમાં એક સારવાર પદ્ધતિ છે તેનું નામ પ્લાઝમા થેરાપી. પ્લાઝમા થેરાપીની સામાન્ય સમજ એ છે કે જે દર્દીઓ કોરોનામાંથી રિકવર થઇ ચૂક્યા છે, તેમના લોહીમાં કોરોના સામે લડવા માટેના એન્ટીબોડીઝ ડેવલપ થઇ ચૂક્યા હોય છે. આથી કોરોનાથી સાજા થયેલા દર્દીઓના લોહીમાં ખાસ તત્વ હોય છે જે કોરોનાને ફાઇટ આપી શકે છે. આ તત્વને પ્લાઝમા કહેવાય છે અને સાજા થયેલા દર્દીઓના પ્લાઝમા સાથે મેચ થતા કોરોનાના એક્ટીવ ક્રિટીકલ દર્દીઓને એ પ્લાઝમા આપીને તેમને નવજીવન આપી શકાય તેમ છે.

પ્લાઝમા ડોનેશનની હાકલ પડી ને દોડી ગયા સુરતીઓ

નિમ્નદર્શિત ચાર્ટમાં જોઇ શકાશે કે રાજ્યમાં સૌથી વધુ કેસો ધરાવતા બે મોટા શહેરોમાં કોવીડ-19ના કેસો વધુ હતા અને ત્યાં રિકવર દર્દીઓની સંખ્યા પણ વધુ હતી. અમદાવાદ અને સુરતમાં પ્લાઝમા ડોનેશનની તા.10મી ઓગસ્ટની સ્થિતિ એ બાબતને સ્વયંસ્પષ્ટ કરે છે કે પ્લાઝમા ડોનેશનમાં પણ સુરતીઓનો જોટો જડે તેમ નથી.

સુરતને જુલાઇ 2020ના પહેલા સપ્તાહમાં પ્લાઝમા ડોનેશન એકત્રીતક કરવાની મંજૂરી મળી અને બહુ ઓછા સમયમાં 35 દિવસના સમયગાળામાં 455 જેટલા સુરતીઓ કે જેઓ પોતે કોરોનામાંથી સાજા થયા હતા અને તેઓ પ્લાઝમા ડોનેટ કરવા માટે સ્વયંભુ ઉમટી પડ્યા. ફક્ત તેમને માહિતી આપવાની જરૂર હતી કે તમે પ્લાઝમા ડોનેટ કરીને કોઇકને નવજીવન આપી શકો. અમદાવાદમાં રાજ્યમાં સૌથી પહેલા પ્લાઝમા ડોનેશનની મંજૂરી મળી હતી. એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહમાં અમદાવાદને પ્લાઝમા ડોનેશનની મંજૂરી મળી હતી. ત્યાં ગઇ તા.10મી સુધીમાં ફક્ત 232 કોરોના રિકવર્ડ પેશન્ટોએ તેમનું પ્લાઝમા દાન કર્યું. અમદાવાદમાં કોરોના રિકવર્ડ દર્દીઓની સંખ્યા પણ 21 હજાર ઉપરાંત છે. તેની સામે સુરતની સરખામણી કરીએ તો સુરતીઓએ પ્લાઝમા ડોનેશનમાં ફક્ત ગુજરાતમાં જ નહીં બલ્કે સમગ્ર દેશમાં ટકાવારીની દ્રષ્ટીએ સારામાં સારું ઉમદા કાર્ય કર્યું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :