ભારતમાં કોરોનાના દૈનિક સૌથી વધુ 29,429 કેસ 14 જુલાઇએ નોંધાયા
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સૌથી વધુ 29,429 નવા કેસ સામે આવ્યા છે આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 9,36,181 થઈ ગઈ છે. જેમાંથી 3,19,840 એક્ટિવ કેસ છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 63% થયો છે તો ભારતમાં 10 લાખની વસ્તીએ 17.2 મોત અને 657 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 28,498 નવા કેસ સામે આવ્યા છે અને 553 લોકોના મોત થયાં છે. ભારતના કુલ કેસના 86% કોરોના કેસ માત્ર 10 રાજ્યો સુધી જ સીમિત છે. જેમાં મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં દેશના અડધા કેસ નોંધાયા છે.
દેશમાં 24 કલાકમાં કોરોનાને કારણે 582 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ સાથે જ મૃત્યુઆંક વધીને 24,309 પર પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધી 5,92,032 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે.
આગામી દિવસોમાં બેંગલુરુ અને પૂણે સહિત અનેક શહેરો ફરીથી લોકડાઉનની તૈયારીઓ ચાલી રહી છે. આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને બિહાર જેવા રાજ્યોએ લોકાડઉનની જાહેરાત કરી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
