સૌરાષ્ટ્રના ખંભાળીયામાં દેમાર વરસાદ ઝીકાયો

: NDRF ટીમ રેસ્ક્યુ માટે ઉતારાઇ
ગુજરાતના સૌરાષ્ટ્રના ખંભાળીયામાં શનિવારથી શરૂ થયેલા સાંબેલાધાર વરસાદે રવિવારે તો ફક્ત 2 કલાકમાં જ 12 ઇંચ પાણી નાંખી દેતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ જવા પામી છે. રાજ્ય સરકારે એન.ડી.આર.એફ.ની ટીમોને ખંભાળીયા, દ્વારકામાં ઉતારીને બચાવ રાહતની કામગીરી હાથ ધરી છે.
ખંભાળિયામાં રવિવાર તા.5 જુલાઇના રોજ આભ ફાટવા જેવી સ્થિતિમાં થયેલા ઝીકાયેલા ભારે વરસાદે ભારે ખાનાખરાબી સર્જી છે. આવામાં ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકામાં ઘણાં ઠેકાણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આવામાં ભારે વરસાદની સ્થિતિમાં જીવનું જોખમ ઉભું થાય તે પહેલાથી લોકોની મદદ માટે NDRFના જવાનો તૈનાત કરાયા છે.
આ સાથે આગામી સમયમાં પણ ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે જેના કારણે ઘણી ટીમોને સ્ટેન્ડબાય પણ રાખવામાં આવી છે.
રિપોર્ટ્સ મુજબ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને પોરબંદરમાં NDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે. જેથી જો આગામી સમયમાં સ્થિતિ વિકટ બને તો આ ટીમો મદદમાં જોડાઈ શકે છે. આ ટીમમાં 21 સભ્યો છે. આ ટીમ સંપૂર્ણ રીતે સજ્જ થઈને ગુજરાત પોહોંચી છે. ટીમ પાસે બોટ, લાઈફ જેકેટ સહિતની વસ્તુઓ છે જે આપત્તિના સમયમાં લોકોની મદદ કરવામાં મહત્વની સાબિત થતી હોય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
