સુરતમાં ટેક્સટાઇલ માર્કેટો નવી ગાઈડલાઈન સાથે ખૂલશે : એકથી વધુ કેસ મળશે તો સમગ્ર માર્કેટ 7 દિવસ બંધ

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટો શરૂ રાખવાના વેપારીઓના નિર્ણય બાદ સોમવાર તા.6 જુલાઇ 2020ના રોજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે જો કોઇ ટેક્સટાઇલ માર્કેટમાં એક કરતા વધુ કેસો મળી આવશે તો તેને 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવશે.
એ પૂર્વે રવિવારે સુરતમાં સાંસદ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને ટેક્સટાઇલ વ્યાપારીઓની બેઠક યોજાઇ હતી.
જેમાં લોકડાઉન બાદ શરૂ થયેલ ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગો છેલ્લા છ દિવસથી બંધ કરવામાં આવ્યા છે પરંતુ કોરોના પોઝિટિવ કેસમાં ચોંકાવાનારો વધારો જોવા મળતા હવે સોમવારે સાતમા દિવસે આ ઉદ્યોગો ચાલુ થશે તો પણ નવી ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાની શરતને પાળવી પડશે. જોકે કારખાનદાર કે એકમમાં ગાઇડલાઇનું પાલન નહીં થાય તો તેને તાત્કાલીક બંધ કરી દેવાની ચીમકી તંત્ર દ્વારા અપાઇ ચૂકી છે. સુરતમાં કામદારોમાં કોરોનાના કેસ વધી રહ્યા હતા. શનિવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સુરતની મુલાકાત કરી હતી. જેના બાદ આજે ડાયમંડ અને કાપડ ઉદ્યોગોના અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. કોરોનાની વિકટ બનતી સ્થિતિ વચ્ચે ઉદ્યોગો શરૂ રાખવા કે બંધ તે અંગે નિર્ણય લેવા ચર્ચા વિચારણા કરાઈ હતી. હીરા અગ્રણીઓ મીટિંગમાં કોરોના મહામારી વચ્ચે કઈ રીતે ઉદ્યોગ ચાલુ રાખી શકાય તે અંગે વાતચીત કરી હતી. સાત દિવસ પૂર્ણ થાય છે. તેઓએ જણાવ્યું હતુ કે, હીરા ઉદ્યોગ નવી ગાઈડલાઇન સાથે શરૂ થશે. આ ગાઈડલાઇનનું કડકપણે પાલન કરવું પડશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
