Surat : વરાછા-કતારગામ વિસ્તારના પાનના ગલ્લા 7 દિવસ ફરજિયાત બંધ

સુરતમાં બેકાબુ કોરોનાને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેવામાં આજે સુરત મ્યુનિસિપલ કમિશનરે બંછાનિધિ પાનીએ ગુજરાત રાજ્ય એપેડેમિક ડીસીઝ એક્ટ 1897ની કલમ 2-3-4ના આધારે સુરત મહાનગરપાલિકાના નોર્થ ઝોન (કતારગામ), ઈસ્ટ ઝોન (વરાછા-A) અને ઈસ્ટ ઝોન (સરથાણા-B)માં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તમામ પાનના લારી/ગલ્લા તથા પાનની દુકાનો 7 દિવસ માટે બંધ રાખવા નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, અન્ય વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા, દુકાનો અને લારીઓ પર 4થી વધારે લોકોની ભીડ ન કરવા અને જાહેરમાં થૂંકવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.
સુરતમાં આવેલા તમામ પાનના ગલ્લા/ લારી તથા પાનની દુકાનમાં લોકોની ભીડ થાય છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવતું નથી. ઘરથી બહાર નીકળતા લોકો જાહેરમાં માસ્કનો ઉપયોગ કરવાનું પણ ટાળી રહ્યા છે. આ ઉપરાંત પાન મસાલા ખાઈને લોકો જાહેરમાં જ થૂંકતા નજરે પડે છે. જેથી કોરોનાનું સંક્રમણ ભયનજક રીતે ફેલાઈ રહ્યું છે. જેથી શહેરના મ્યુનિસિપલ કમિશનરે ઉપરોક્ત વિસ્તારોમાં પાનના ગલ્લા, દુકાનો અને લારીઓ 7 દિવસ બંધ રાખવા નિર્ણય કર્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


