United Nations : ભારતને મળી સુરક્ષા પરિષદની અસ્થાયી સભ્યતા
સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશો બુધવારે સુરક્ષા પરિષદમાં પાંચ અસ્થાયી સભ્યો માટે મતદાન કરશે. ખાસ બાબત એ છે કે, એશિયાઇ પ્રશાંત સમૂહના સર્વસંમત સમર્થનથી ભારતની જીત થઇ છે. આજે તા.18મી જુનના રોજ ભારતને સુરક્ષા પરિષદની અસ્થાયી મેમ્બરશીપ આપવામાં આવી છે.
મતદાન બુધવારે ભારતીય સમયાનુસાર સાંજે 6.30 કલાકે (ન્યૂયોર્ક સમયાનુસાર સવારે 9 કલાકે) શરુ થયું હતું. ભારત આતંકવાદ વિરુદ્ધ લડવા અને બહુપક્ષવાદ તથા સમાનતા આધારિત આંતરરાષ્ટ્રીય પ્રણાલી માટે પ્રતિબદ્ધતા સાથે ચૂંટણી અભિયાન ચલાવી રહ્યુ છે. પોતાના અભિયાન દસ્તાવેજમાં ભારતે 5-એસ દ્રષ્ટિકોણઃ સન્માન, સંવાદ, શાંતિ અને સમૃદ્ધિને રજૂ કર્યા છે.
સભ્ય તરીકે ચૂંટાયા પછી ભારત પહેલી જાન્યુઆરીથી સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થાનો બે વર્ષનો કાર્યકાળ શરુ કરશે, જેમાં બે અસ્થાયી એશિયાઇ સભ્યોમાંથી એક વિયતનામ સામેલ હશે. વિયતનામ, ઇન્ડોનેશિયાનુ સ્થાન લેશે. ભારત માટે ચૂંટણી પ્રક્રિયા એવા સમયે થઇ રહી છે જ્યારે ભારત પરિષદના વીટો અધિકાર પ્રાપ્ત સ્થાયી સભ્ય ચીન સાથે સંઘર્ષમાં છે, ચીન આ પરિષદમાં પાકિસ્તાનના રક્ષક તરીકે સાબિત થયુ છે.
ભારતે અહીં સીરિયાઇ ગૃહ યુદ્ધ, રશિયા સાથે યૂક્રેનનો વિવાદ, અમેરિકાનો ઇરાન માટે વલણ અને યમનના યુદ્ધ જેવા મુદ્દાઓ સામે લડવાનુ રહેશે, પરંતુ સકારાત્મક બાબત એ રહેશે કે ચીન પરિષદમાં કાશ્મીર મુદ્દો ઉઠાવે છે તો એ સમયે ભારત હાજર રહેશે. આ આઠમી વખત થઇ રહ્યુ છે જ્યાં ભારત સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યું છે.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


