India : સતત ત્રીજા દિવસે કોરોના Cases 11,000 ને પાર
સતત છેલ્લા ત્રણ દિવસથી દેશમાં 24 કલાકમાં નોંધાતા કોરોના સંક્રમિતોની સંખ્યા 11,000ના આંકડાને પાર કરી જાય છ. સોમવાર સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 11,502 નવા કેસ નોંધાયા છે અને 325 દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના 3,32,424 કન્ફર્મ કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોરોનાના હવે 1,53,106 એક્ટિવ કેસ છે. કોરોના વાયરસથી અત્યાર સુધી દેશભરમાં 9,520 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે બીજી તરફ 1,69,797 લોકો સાજા પણ થઈ ગયા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 3,390 કેસ નોંધાયા હતા અને 120 લોકોનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,07,958 કેસ છે. જેમાંથી 53,030 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 50,978 લોકો સારવાર બાદ સાજા થયા છે અને 3,950 લોકો મૃત્યુ પામ્યા છે.
ગુજરાત રાજ્યમાં રવિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં કોરોનાના વધુ 511 કેસ નોંધાયા હતા અને 29 દર્દીઓના મોત થયા હતા. 442 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 23,590 અને મૃત્યુઆંક 1478 પર પહોંચ્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


