સુરતમાં હીરા ઉદ્યોગમાં કામ કરતા 11 રત્નકલાકારોને કોરોના પોઝીટીવ
જેના થકી સુરતની ચમક છે અને જે કારીગરોની મહેનતથી સુરતનો હીરો દુનિયાભરમાં ચમકે છે તે કારીગરો પર કોરોનાએ પોતાનો પંજો કસ્યો છે. તા. 10મીથી કતારગામના હીરાના કારખાનામાં કામ કરતાં કારીગરો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા હોવાનું બહાર આવ્યું હતું અને આજરોજ તા. 11મીને ગુરુવારના રોજ કતારગામ વિસ્તારમાંથી સાંજના 6 વાગ્યા સુધીમાં મળી આવેલા કુલ 26 કોરોના પોઝિટીવ કેસમાંથી 11 કેસ ડાયમંડ વકર્સના છે.
સુરતનો ડાયમંડ ઉદ્યોગમાં કોરોનાએ પગપેસારો કરતાં મ્યુનિ. કમિશનર દ્વારા હવે એવું જાહેર કરવામાં આવ્યું કે જે પણ ડાયમંડ યુનિટમાં એક કરતાં વધારે કેસ દેખાશે તેને 14 દિવસ માટે સીલ કરવામાં આવશે. ઉપરાંત હવેથી કતારગામ ઝોનમાં પણ આઈલેન્ડ સ્ટ્રેટેજી મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
તા. 11મી જૂનને ગુરુવારે સાંજે 6 કલાક સુધીમાં સુરતમાં કુલ 56 પોઝિટીવ કેસ સામે આવ્યાં છે, જે પૈકી 26 કેસ કતારગામના જ છે અને તેમાંથી 11 કેસ ડાયમંડમાં કામ કરતાં કારીગરોનાં હોવાથી આ સ્થિતિમાં તમામ ડાયમંડ યુનિટમાં સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ થવો જોઈએ તેવું મ્યુનિ. કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું. જો નિયમોનું પાલન કરવામાં નહિં આવે તો સખત પગલાં લેવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


