રદ નહીં થાય પવિત્ર અમરનાથ યાત્રા : 23મી જુનથી શરૂ થશે યાત્રા
કેન્દ્ર સરકારે સરકારે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. ચાલુ વર્ષે 2020માં હવે અમરનાથ યાત્રા પૂર્વવત રીતે યોજાશે, પવિત્ર અમરનાથ યાત્રા 23 જૂનથી શરુ થશે.

આ પહેલા કોરોના મહામારીના પ્રકોપને લીધે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના ચેરમન અને ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મુએ 38મી બોર્ડ મિટીંગનુ નેતૃત્વ કરતા જમ્મુના ભવનમાં પવિત્ર યાત્રા રદ કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.
આ બેઠક પછી જાહેરાત કરવામાં આવી હતી કે કાશ્મીરમાં 77 રેડ ઝોન છે આ કારણસર પવિત્ર અમરનાથ યાત્રા રદ કરી દેવી જોઇએ. પવિત્ર અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓ આજ રુટ્ પરથી યાત્રાના અંતિમ પડાવ સુધી દોરી જવાય છે. મહામારીને કારણે શ્રદ્ધાળુઓ માટે કેમ્પ લગાવવા, મેડિકલ ફેસિલિટીઝ, લંગર અને બરફ હટાવવા જેવા જરુરી કામ અશક્ય છે.
ઉપરાજ્યપાલે કહ્યુ હતું કે ભારત સરકારે લોકડાઉનને 3 મે સુધી લંબાવ્યુ છે અને આગામી સમય માટે સ્થિતિ સ્પષ્ટ નથી. એવામાં પવિત્ર અમરનાથ યાત્રાની મંજૂરી આપવી યોગ્ય નથી, અમારા માટે તમામ શ્રદ્ધાળુઓની સુરક્ષા પ્રથમ સ્થાને છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


