દૈનિક 15,523 ટ્રેનો દોડાવે છે વિશ્વનું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક ભારતીય રેલ
167 વર્ષે પહેલી વાર બન્યું : સ્થાપના દિને એકેય ટ્રેન દોડાવી શક્યું નહીં રેલવે
ગઇ તા.16મી એપ્રિલ વિશ્વના સૌથી મોટા રેલવે તંત્ર ગણાતા ભારતીય રેલવેનો સ્થાપના દિન હતો. 167 વર્ષનો ઇતિહાસ ધરાવતા ભારતીય રેલવે તંત્રના સ્થાપના દિવસે કમનસીબે હાલ ચાલી રહેલા લૉકડાઉનને કારણે એક પણ ટ્રેન દોડાવી શક્યું નહીં કે પોતાનો સ્થાપના દિન ઉજવી શક્યું નહી. દૈનિક કરોડો લોકોને પોતાના મુકામ પર પહોંચાડતા ભારતીય રેલનું નેટવર્ક વિશ્વમાં સૌથી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માનવામાં આવે છે.
કોરોના વાઈરસની મહામારીને કારણે રેલવેએ ૨૫ માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી એક પણ ટ્રેન નહીં દોડાવવાનો નિર્ણય લીધો હતો. બાદમાં લૉકડાઉન 2.0 ને પગલે હવે તા.3જી મે સુધી તમામ ટ્રેન રદ કરી દેવામાં આવી છે. રેલવે દૈનિક ધોરણે ૧૫,૫૨૩ ટ્રેન દોડાવે છે, જેમાં ૩૦૦૦ મેલ-એક્સ્પ્રેસ તથા ૯૦૦૦ જેટલી પેસેન્જર ટ્રેન તથા અન્ય ટ્રેનોનો સમાવેશ થાય છે.

કોરોના વાઈરસના વધતા ચેપને કારણે કેન્દ્ર સરકારે લૉકડાઉન 2.0ની ઘોષણા કરતા વધુ ૨૧ દિવસ એટલે કે તા.3જી મે સુધી તમામ ટ્રેનો રેલવે દ્વારા રદ કરી દેવાની ઘોષણા કરવામાં આવી છે. લૉકડાઉન 2.0માં ગત ગુરુવારે (૧૬ એપ્રિલના) ભારતીય રેલવેનો જનમદિવસ હતો, પરંતુ ૧૬૭ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એક પણ પેસેન્જર ટ્રેન દોડાવાઈ નહોતી. ૧૬ એપ્રિલ ૧૮૫૩ના રોજ મુંબઈ(એ જમાનામાં બોરીબંદરથી તાના વચ્ચે)થી થાણે વચ્ચે સૌથી પહેલી ટ્રેન દોડાવાઈ હતી, એવું અધિકારીએ જણાવ્યું હતું.
રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું. ગુરુવારે ભારતીય રેલવેમાં સૌથી પહેલી ટ્રેન દોડાવવામાં આવી એના જન્મદિવસ નિમિત્તે રેલવે શુભેચ્છા તો વ્યક્ત કરી હતી, પરંતુ અફસોસ વ્યક્ત કરતા પણ જણાવ્યું હતું કે ભારતીય રેલવેના ૧૬૭ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એક પણ ટ્રેન દોડાવી શક્યા નથી. એ પણ લોકોના હિત અને રક્ષણ માટે, તેથી સૌને ઘરમાં સુરક્ષિત રહેવાની પણ અપીલ કરી હતી
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


