સૂરતના સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવા અને લિંબાયતમાં 17થી 22 એપ્રિલ સુધી કરફ્યુ

સુરતમાં છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસોમાં ઉછાળો આવતા હોટસ્પોટ વિસ્તારોમાં કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, સુરતના 5 વિસ્તારો જેમાં સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવા અને લિંબાયતમાં આજે મઘરાતની કરફ્યુ લાગુ કરવામાં આવશે. જેનો 22 એપ્રિલ 2020 સુધી અમલ કરવાનો રહેશે.
કરફ્યુ દરમિયાન બપોરે 1થી 4 દરમિયાન માત્ર મહિલાઓ જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બહાર નીકળી શકશે. વિડીયો કોન્ફરન્સ બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આજે મધરાતેથી 22 એપ્રિલ 2020 સુધી સુરત શહેરમાં 4 પોલીસ સ્ટેશન અને એક પોલીસ ચોકી વિસ્તારમાં કરફયુનો અમલ કરવાનો રહેશે. જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફયુનો અમલ થવાનો છે તેમાં સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવા અને લિંબાયતના કમરૂનગર પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. સૌથી વધુ કેસ સામે આવ્યા છે તેવા 5 વિસ્તારમાં 22 એપ્રિલ સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે.
એ પૂર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરત શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણની સ્થિતી અંગે મુખ્ય સચિવ અનિલ મુકિમ, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, ACS સંગીતા સિંહ, સુરતના પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લોકડાઉનને વધુ સખ્ત બનાવવા અંગે પણ આ વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


