નિર્ભયાના દોષિતોને આ મહિનામાં ફાંસી, તિહારની જેલ નંબર-3માં અપાશે ફાંસી
તિહાર જેલમાં સજા કાપી રહેલા દિલ્હીની નિર્ભયા રેપ કેસના ચારેય નરાધમ હરામખોર અપરાધીઓને આગામી તા. 16મી ડિસેમ્બરના દિવસે અથવા તો 29મી ડિસેમ્બરના દિવસે ફાંસી પર લટકાવવામાં આવી શકે છે. તિહારમાં ફાંસીનો તખતો જેલ નંબર -3માં રાખવામાં આવ્યો છે.
ફાંસી આપવા સાથે સંબંધિત દયાની અરજી પર હજુ સુધી રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ તરફથી કોઇ અંતિમ ફેંસલો આવ્યો નથી. તેમના ફેંસલાની રાહ જોવામાં આવી રહી છે. આમ છતાં, તિહાર જેલમાં ફાંસીવાળા રૂમ અને અન્ય ચીજોની તૈયારી કરવામાં આવી ચૂકી છે. તિહાર જેલમાં નંબર-3માં તમામને ફાંસી આપવામાં આવનાર છે.
એક અહેવાલ પ્રમાણે દોષિતોને ફાંસી આપવા માટે મેરઠથી જલ્લાદ આવશે. આ માટે યુપી જેલના ડીજીને પત્ર લખી ભલામણ કરવામાં આવી છે.
નિર્ભયાના ચારે દોષિત પણ શાંત ભાવમાં દેખાઈ રહ્યા છે. એમ માનવામાં આવે છે કે જેમાં સંસદના હુમલાના દોષિત ત્રાસવાદી અફઝલને રાખવામાં આવ્યો હતો. બીજી બાજુ અપરાધી નર્વસ થવા લાગી ગયા છે. હાલમાં તો સામાન્ય રીતે અપરાધી ભોજન કરી રહ્યા છે. જો કે તેમના ચહેરા પર ચિંતાના ભાવને જોઈ શકાય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now