પ્રધાન મંત્રી બંને વીમા યોજના હેઠળ ૨૧.૩૮ કરોડ લોકોની નોંધણી
પ્રધાન મંત્રી જીવન જયોતિ વીમા યોજના હેઠળ પ.૯૧ કરોડ લોકોએ નોંધણી કરી છે. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ૧૫.૪૭ કરોડ લોકોએ નોંધણી કરાવી છે. બંને સામાજિક સુરક્ષા સ્કીમ ૨૦૧૫માં શરૂ કરાઈ હતી. બંને યોજના મળીને ૨૧.૩૮ કરોડ લોકોએ નોંધણી કરી છે, એમ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં સોમવારે જણાવ્યું હતું.
તમામ ભારતીયો માટે સમાન સામાજિક સુરક્ષા સિસ્ટમ ઊભી કરવા માટે વડા પ્રધાન મોદીએ ૯ મે, ૨૦૧૫ના વીમાની બે યોજના શરૂ કરાવી હતી. બૅન્કો તરફથી મળેલી માહિતી પ્રમાણે ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ બંને યોજનામાં અનુક્રમે ૫.૯૧ કરોડ અને ૧૫.૪૭ કરોડની નોંધણી થઈ હતી. પ્રધાન મંત્રી જીવન જયોતિ વીમા યોજના હેઠળ ૧૮થી ૫૦ વર્ષના વયજૂથની વ્યક્તિનું કોઈપણ કારણસર મૃત્યુ થાય તો બે લાખનું વીમા કવચ મળે છે જેનું બૅન્ક અથવા પોસ્ટ ઑફિસ એકાઉન્ટ હોવું જરૂરી છે. વર્ષે રૂ. ૩૩૦નું પ્રીમિયમ ઓટો-ડેબિટ થઈ જાય તે માટે ગ્રાહકની મંજૂરી જરૂરી છે.
પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ અકસ્માત મૃત્યુ અથવા કાયમી અપંગતા માટે રૂ. બે લાખનું વીમા કવચ મળે છે. આંશિક અપંગતા માટે રૂ. એક લાખની ઓફર થાય છે. ૧૮ થી ૭૦ વર્ષના વયજૂથની વ્યક્તિને આ યોજના લાગુ પડે છે. આમાં વર્ષે ફકત રૂ. ૧૨નું પ્રીમિયમ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now