નાણામંત્રી નીતિનભાઇ પટેલે અંદાજપત્રમાં નવી ‘સમાધાન યોજના’ની જાહેરાત કરી છે. જીએસટી માળખાના અમલીકરણ પૂર્વે રાજ્યમાં ચાલી રહેલા વિવિધ ટેક્સના વિવાદો મોટી સંખ્યામાં પડેલા છે. તેનો નિકાલ આવે, સરકારના નાણાં છૂટા થાય અને વેપારીઓનો બોજ ઘટે તે માટે આ યોજના 15 ઓગસ્ટથી છ માસ માટે અમલમાં મૂકવામાં આવનાર છે.
નાણામંત્રીએ કહ્યું હતુ કે દેશમાં જીએસટી આવ્યા પહેલા સેલ્સ ટેક્સ, વેટ, મોટર સ્પીરીટ ટેક્સ, સીએસટી, એન્ટ્રી ટેક્સ, સુગર કેન પર્ચેઝ ટેક્સ વગેરે જેવા વેરા અમલમાં હતા. તમામ વેપારી વર્ગના આ ટેક્સને લગતા 20 હજારથી વધારે વિવાદિત કેસ પડતર છે. આ કેસનો નિકાલ કરવા માટે’ ગુજરાત ચેમ્બર સહિતના અસંખ્ય વેપારી સંગઠનોએ સરકારમાં રજૂઆત કરી હતી.
આમ આવા પડતર કેસના નિકાલ માટે સરકાર સક્રિય થઇ છે. તેના અસરકારક નિકાલ માટે આગામી 15 ઓગસ્ટના દિવસથી છ માસ માટે આ સમાધાન યોજના અમલમાં આવનાર છે. આ યોજના દરમિયાન બાકી રહેલો વેરો ભરપાઇ કરવામાં આવશે તો સરકાર વ્યાજ અને દંડની રકમમાં રાહત આપવાની છે. જે કરદાતાના મૂળ માંગણાની રકમ રૂ. 100 કરોડ કરતા ઓછી હોય તો તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેવાનો છે. વેપાર-ઉદ્યોગ આલમે આ જાહેરાતને આવકારી છે.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now