M.P. બનેલા ભાજપાના 4 M.L.A. એ આપ્યા રાજીનામા
લોકસભા ચૂંટણી 2019 માં વિજયી થનારા ભાજપના ચાર ધારાસભ્યોએ આજરોજ તા.6 જુન 2019ના રોજ ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલીના મેમ્બર પદેથી પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ ને સુપરત કર્યું છે. ધારાસભ્ય અને સંસદ સભ્ય પૈકી કોઇ એક સભ્ય તરીકે રહી શકાય એવા નિયમ અંતર્ગત ધારાસભ્ય પદેથી ભાજપના ચારેય નેતાએ રાજીનામું આપી દેતા હવે ગુજરાત વિધાનસભામાં ભાજપાનું સંખ્યાબળ 100નું થયું છે.
રતનસિંહ ચૌહાણ પંચમહાલ બેઠક પરથી, હસમુખ પટેલ અમદાવાદ પશ્ચિમ, પરબત પટેલ બનાસકાંઠા અને ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી વિજય બનતા તેમણે પોતાની વિધાનસભા બેઠકો ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા ભાજપાના નેતાઓમાં પરબત પટેલ, હસમુખ પટેલ, રતનસિંહ રાઠોડ અને ભરતસિંહ ડાભીનો સમાવેશ થાય છે.
હવે ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે અને એ પછી રાજ્યસભાના સાંસદની બેઠક માટેની ચૂંટણીઓ યોજાશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now