CIA ALERT

દરેક ધર્મના પોતાના ત્રાસવાદી હોય છે: કમલ હસન

Share On :

હિન્દુ આતંકવાદની ટિપ્પણી કરવાને મામલે વિવાદના કેન્દ્રમાં આવી ગયેલા અભિનેતા-રાજકારણી કમલ હસને શુક્રવારે કહ્યું હતું કે પ્રત્યેક ધર્મના પોતાના અંતિમવાદી છે અને કોઈ પવિત્ર હોવાનો ડોળ કરી શકે એમ નથી.

મક્કલ નિધિ મિયામ-એમએનએમના વડા કમલ હસને કહ્યું હતું કે હું ધરપકડથી નથી ગભરાતો અને ચેતવણી આપી હતી કે એવું કોઈપણ પગલું તણાવ વધારશે. તમિળનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી સત્યવ્રત સાહૂએ કહ્યું હતું કે કરુરસ્થિત અરાવાકુરિચી ખાતે હિન્દુ આતંકવાદ અંગેના કમલ હસને કરેલા નિવેદન અંગે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે અહેવાલ મગાવવામાં આવ્યો છે. અરાવાકુરિચી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન રવિવારે કરવામાં આવેલું નિવેદન પહેલીવારનું નથી એમ જણાવી કમલ હસને ભારપૂર્વક કહ્યું હતું કે પ્રત્યેક ધર્મનો પોતાનો અંતિમવાદી છે. કરુરસ્થિત અરાવાકુરિચી ખાતે હિન્દુ આતંકવાદ અંગેના કમલ હસને કરેલા નિવેદનને મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ વચગાળાના જામીનની અરજી કરનાર કમલ હસને કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ મેં આ જ પ્રકારનું નિવેદન કર્યું હતું, પરંતુ મારા આ નિવેદનની હવે એ લોકોએ નોંધ લીધી જે જેમનો આત્મવિશ્ર્વાસ ડગી ગયો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :