CIA ALERT
30. April 2024

મિલકત ભેગી કરી નથી, વિદેશી બૅંકમાં ખાતાં નથી: મોદી

Share On :
Print Friendly, PDF & Email

પોતે મિલકત ભેગી કરી હોય અથવા વિદેશી બૅંકમાં નાણાં મૂક્યાં હોય તેવું સાબિત કરી બતાવવા વડા પ્રધાન મોદીએ વિપક્ષોને પડકાર ફેંક્યો હતો. પૂર્વી ઉત્તર પ્રદેશના બલિયામાં એક ચૂંટણી પ્રચારસભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે “મહામિલાવટીઓને હું પડકાર ફેંકું છું, મારી પાસે કોઈ બેનામી મિલકત અથવા ફાર્મહાઉસ, શોપિંગ કોમ્પ્લેક્સ હોય અથવા વિદેશી બૅંકોમાં નાણું મૂક્યું હોય અથવા વિદેશમાં મિલકત લીધી હોય તો સાબિત કરી બતાવે. તેમણે કહ્યું કે તેમણે ધનવાન બનવાની ઈચ્છા રાખી નથી અથવા ગરીબોનું નાણું લૂંટવાનું પાપ કર્યું નથી. “અમે ગરીબોનું કલ્યાણ, માતૃભૂમિનું ગૌરવ અને સુરક્ષાને ટોચની પ્રાથમિકતા આપીએ છે. આ જ કારણથી પાકિસ્તાનની અને તેમના ત્રાસવાદીઓની હેકડી (ઘમંડ) હવે જોવા નથી મળતી. પાકિસ્તાનમાં ખુલ્લેઆમ શસ્ત્રો લઈને ફરતા ત્રાસવાદીઓ ભૂગર્ભમાં છુપાઈ ગયા છે અને મોદીને હટાવવા પ્રાર્થના કરી રહ્યા છે. કોઈવાર તેઓ જંગલમાં, કોઈવાર આકાશમાં, કોઈવાર સાગરમાં તાકી રહ્યા છે. તેઓ બેચેન થઈ ગયા છે અને તેમની ઊંઘ ઊડી ગઈ છે. આ દેશના બહાદુર સૈનિકોને મેં છૂટ્ટો દોર આપ્યો હતો. આથી પહેલા સર્જિકલ સ્ટ્રાઈક થઈ અને પછી એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ત્રાસવાદ સામેની લડત આપણે સરહદને પાર લઈ ગયા છીએ

બહુજન સમાજ પક્ષ અને સમાજવાદી પક્ષને લક્ષ્ય બનાવતા તેમણે કહ્યું હતું કે, “આ મહામિલાવટી લોકોએ તમને કેવી રીતે છેતર્યા છે, કેટલું લૂંટ્યા છે, તમને બરાબર ખબર છે. જાતિના રાજકારણના નામમાં તેમણે સગાંઓ માટે બંગલા, મહેલો બનાવ્યા છે. બેનામી મિલકત ખરીદી છે… જે પક્ષો એકબીજા સામે લડતા હતા તેઓ ‘મહામિલાવટ’ જોડાણ કરવા લાચાર થયા છે.

તેમણે કહ્યું કે “હું માતાઓ, બહેનો, પુત્રીઓના સન્માન માટે મેદાનમાં છું. હું ગરીબોનો આત્મવિશ્ર્વાસ વધારવા ઊભો છું. સમાજના છેવાડાના માનવીને સુખી કરવા હું પ્રયત્નશીલ છું.

હું ઘણી ચૂંટણી લડ્યો છું અને અન્યોને પણ લડાવી છે, પણ કોઈ દિવસ મારી જાતિ પર આધાર નથી રાખ્યો. મેં ગરીબી અને પછાતપણું શું છે તેનો જાતઅનુભવ કર્યો છે. મારી ગરીબી દૂર કરવા માટે હું નથી આવ્યો, હું તમારે માટે જીવું છું. તમારે માટે હું પરિશ્રમ કરું છું અને મને ખાતરી છે કે આ પરિસ્થિતિમાં સંપૂર્ણ બદલાવ લાવવામાં આપણે સફળ થઈશું, તેવું તેમણે કહ્યું હતું.

તેમણે સ્થાનિક પરિબળને ધ્યાનમાં લઈ કહ્યું હતું કે જે રીતે બલિયાએ વિદેશી શાસન સામે લડત આપી હતી તે રીતે મોદી ગરીબી સામે લડત આપી રહ્યો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :