મહારાષ્ટ્રમાં આચારસંહિતા ભંગના 15,000થી વધુ કેસ નોંધાયા
દસમી માર્ચના લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પછીના સમયગાળાથી અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગ બદલ મહારાષ્ટ્ર રાજ્યમાં 15,000થી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે 118.20 કરોડ રૂપિયાની માલમતા જપ્ત કરવામાં આવી હોવાનું અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્યની પોલીસ, ઈન્કમ ટેક્સ સહિત એન્ફોર્સિંગ ડિપાર્ટમેન્ટ તરફથી રૂ. 45.47 કરોડના મૂલ્યની સોનાના દાગીના સહિતની અન્ય મૂલ્યવાન ચીજવસ્તુ જપ્ત કરી હતી, જ્યારે 22.05 કરોડનો દારૂ તથા રૂ. 6.30 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હોવાનું અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું. અલબત્ત, ચૂંટણીની આચારસંહિતાના ઉલ્લંઘન બદલ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ 15,095 વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં સૌથી વધારે કેસ ગેરકાયદે દારૂના સંગ્રહ તથા હથિયાર રાખવાના કેસ હતા, એવું એડિશનલ ચીફ ઈલેક્ટ્રોલ ઑફિસર દિલીપ શિંદેએ જણાવ્યું હતું.
ગેરકાયદે વસ્તુઓ જપ્ત કરવામાં આવ્યા પછી આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જો આ બધી વસ્તુ કાયદેસર હશે તો તેના મૂળ માલિકને પરત કરવામાં આવશે, નહીં તો તેમની સામે કેસ નોંધવામાં આવશે, એવું તેમણે જણાવ્યું હતું. મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે દારૂના વિતરણ તથા દારૂ રાખવાના 13,702થી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે હથિયાર રાખવાના 602 જેટલા કેસ નોંધાયા હતા. એ સિવાયના બાકી કેસ ડ્રગ્સ તથા સોનું-રોકડના કેસ નોંધાયા હોવાનું વધુમાં જણાવ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


