ભાજપના સાત નેતાઓ આચારસંહિતાના ભંગ બદલ અટકમાં: ઉમેદવારને નોટિસ
મધ્ય પ્રદેશમાં ચૂંટણીને લગતી આચારસંહિતાનો કથિત ભંગ કરવા બદલ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલ અને શહેરના મેયર સ્વાતિ ગોડબોલે સહિત ભાજપના સાત નેતાઓને અટકમાં લેવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું.
એ ઉપરાંત, ભાજપના જબલપુર લોકસભા મતદારક્ષેત્રના ઉમેદવાર રાકેશ સિંહને પણ આચારસંહિતાના ભંગ બદલ કારણદર્શક નોટિસ મોકલવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટર તથા રિટર્નિંગ ઑફિસર છાવી ભારદ્વાજે જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે નિયમ મુજબ ઉમેદવારીપત્ર ભરવામાં આવે ત્યારે રિટર્નિંગ ઑફિસરના કાર્યાલયમાં પક્ષના ઉમેદવાર સહિત માત્ર પાંચ જણને પ્રવેશવાની છૂટ હોય છે, પરંતુ રાકેશ સિંહે સોમવારે ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે પાંચથી વધુ વ્યક્તિઓ તેમની ઑફિસમાં પ્રવેશી હતી.આ ઇલેક્શન ઑફિસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ સોમવારે રાત્રે ઑમ્ટી પોલીસ સ્ટેશન ખાતે પટેલ, ગોડબોલે, ભૂતપૂર્વ પ્રધાનો અજય વિશ્નોઇ તથા શરદ જૈન, વિધાનસભ્યો સુશીલ તિવારી અને અશોક રોહાની તેમ જ ભારતીય યુવા મોરચાના રાજ્ય-પ્રમુખ અખિલેશ પાન્ડે વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યા હતા.ઉ
પટેલ મધ્ય પ્રદેશમાં દામોહા ખાતેની બેઠકના ભાજપના સંસદસભ્ય છે. રિટર્નિંગ ઑફિસરે સમગ્ર વિસ્તારમાં સલામતી પૂરી પાડવાની જવાબદારી સંભાળતા ઑમ્ટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, સિટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ અને હોમગાર્ડ્સ ડિસ્ટ્રિક્ટ કમાન્ડન્ટને ફરજની ઉપેક્ષા કરવા બદલ સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
