જૂનાગઢના 9 જેટલા ખાદ્યતેલોના વેપારીઓએ આચર્યું કરોડોનું કૌભાંડ: ગોંડલ બાદ બીજો બનાવ
જીએસટી વિભાગે નવા નાણાકિય વર્ષના આરંભ સાથે જ બોગસ બિલીંગ વડે છેતરપીંડી આચરનારા તત્વો સામે કાર્યવાહી આદરી છે. અગાઉ ગોંડલમાં ખાદ્યતેલોના વેપારના ખોટા બિલો વડે કૌભાંડ રચાયા પછી આજે જૂનાગઢના ખાદ્યતેલના કુલ નવ વેપારીઓને ઝપટમાં લઇને 227.80 કરોડના બોગસ બિલો બનાવવાના વ્યવહારોને પકડી પાડવામાં આવ્યા હતા. જૂનાગઢના આ વેપારીઓએ બોગસ ઇ વે બિલ બનાવીને માલ મોકલાતો હોવાનું બતાવ્યું હતુ.
જીએસટી વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે સવારથી જ અધિકારીઓનો કાફલો જૂનાગઢના તેલિબિયાંના વેપારીઓ અને તેની સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં ત્રાટક્યો હતો. તપાસમાં ફક્ત ઇ વે બિલ જનરેટ કરતા હોવાનું સામે આવ્યું હતુ. પેઢીના જે માલિકો દર્શાવવામાં આવ્યા છે તેના પાન નંબરનો દુરુપયોગ કરીને જીએસટી નંબર પણ અન્ય વ્યક્તિઓ દ્વારા મેળવાયા હોવાની માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી હતી.
જીએસટી વિભાગે કહ્યું હતુ કે, જૂનાગઢની નોબલ એન્ટરપ્રાઇઝ દ્વારા સૌથી વધુ 42.50 કરોડની રકમના બોગસ ઇ વેબિલ જનરેટ કરવામાં આવ્યા હતા. એ સિવાય રિલાયેબલ એન્ટરપ્રાઇઝના 42.36 કરોડ, વેદાંતના 34.50 કરોડ, પરિમલ એન્ટરપ્રાઇઝના 5.68 કરોડ, પેરેડાઇઝ એન્ટરપ્રાઇઝના 22.80 કરોડ, ક્લાસિક ટ્રેડર્સના 25.10 કરોડ, આલ્ફા ટ્રેડિંગના31.52 કરોડ, પૂજા ટ્રેડિંગના 7.59 કરોડ અને સમર્થ એન્ટરપ્રાઇઝના 15.76 કરોડના બોગસ ઇ વેબિલ જનરેટ કરવામાં આવ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
