RBI ગવર્નર ઉર્જિત પટેલનું રાજીનામું, 11મી ડિસેમ્બરે શેર માર્કેટ લોહીલૂહાણ થવાના ભણકારા
RBIના ગવર્નર ઉર્જિત પટેલે અચાનક જ રાજીનામું આપી દીધું છે. જેની પાછળ ઉર્જિત પટેલે અંગત કારણોને જવાબદાર ગણાવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે ઉર્જિત પટેલ અને કેંદ્ર સરકાર વચ્ચે અનેક મુદ્દાઓ પર તણાવ અને મતભેદ ચાલી રહ્યા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસો RBIની બોર્ડની બેઠક બાદ અહેવાલો આવ્યા હતા કે સરકાર અને ઉર્જિત પટેલ વચ્ચે બધું ઠીક થઈ ગયું છે. જો કે તે વચ્ચે આજે તા.10મી ડિસેમ્બર 2018ના રોજ સાંજે આર.બી.આઇ.ના ગવર્નર ઉર્જિત પટેલે અચાનક રાજીનામું આપી દીધું હતું.

“કેટલાક અંગત કારણોના લીધે મે મારા વર્તમાન હોદ્દા પરથી રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈંડિયા છે વર્ષો સુધી અલગ અલગ હોદ્દા પર કામ કરવા મળ્યું તે મારા માટે ગૌરવની વાત છે. RBIના તમામ કર્મચારીઓ, અધિકારીઓ અને મેનેજમેન્ટના સહયોગથી બેંકે આ વર્ષોમાં ઘણી સિદ્ધીઓ મેળવી છે. હું મારા સહકર્મચારીઓ અને RBIના સેંટ્રલ બોર્ડના ડિરેક્ટરનો આભાર માનું છું, અને હું તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ આપું છું”
આવતીકાલ તા.11મી ડિસેમ્બર 2018નો દિવસ ભારતના અર્થતંત્ર માટે નઠારો બની રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. શેરબજાર પર ઉર્જિત પટેલના રાજીનામાની ઘેરી અસર પડવાની શક્યતાઓ નકારી શકાતી નથી તો બીજી તરફ પાંચ રાજ્યોની ચૂંટણીના પરીણામો પણ ભારતીય અર્થતંત્રને મોટી અસર કરે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


