સરકારે ભારે વિરોધ બાદ આખરે સ્કૂલોમાં નવરાત્રિનું વેકેશન રદ્દ કર્યું
નવરાત્રિ વેકેશનના મામલે ગુજરાતની ભાજપા સરકારે વણજોઇતી બદનામી વ્હોરી લીધી છે. અગાઉ ગુજરાત બોર્ડે નવરાત્રિ વેકેશનને રદ કરવાનો ઠરાવ કરતા રાજ્યની ભાજપા સરકારનો અહમ ઘવાયો હતો. ગુજરાત બોર્ડના ઠરાવની ઉપરવટ જઇને સરકારે નવરાત્રિ વેકેશ ચાલુ રાખવાની ઘોષણા કરી દીધી હતી.
વણજોઇતા વેકેશનને પગલે રાજ્યભરની સ્કુલોએ હોબાળો મચાવતા કેટલાક ભાજપાના નેતાઓની શાન ઠેકાણે આવી હતી અને ભાજપા સરકારની ઇમેજને હાની પહોંચે એ પહેલા સરકારે વણજોઇતા નવરાત્રિ વેકેશનને ફરીથી રદ કરવાની જાહેરાત આજરોજ તા.6 જુન 2019ના રોજ કરી છે.
ગુરુવારે બપોરે આખરે નવરાત્રિના વણજોઇતા વેકેશનને રદ્દ કરવાની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે સ્કૂલોમાં સરકાર નવરાત્રિમાં વેકેશન નહીં આપે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now