કાશ્મીરમાં મહત્ત્વના અને સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વધારાઇ
જમ્મુ અને કાશ્મીરમાં ઊભી થયેલી તંગદિલીને પગલે મહત્ત્વના અને સંવેદનશીલ સ્થળોએ સલામતી વ્યવસ્થા વધારી દેવાઇ છે.
અગાઉ, જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રે અમરનાથયાત્રામાં ભાગ લઇ રહેલા લોકોને તેઓની યાત્રા અટકાવીને પાછા ફરવાની સલાહ આપી હતી.
પર્યટકોને પણ સલામતી સામેના જોખમને ધ્યાનમાં રાખીને પાછા જતાં રહેવાની સલાહ અપાઇ હતી.
જમ્મુ એન્ડ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશને ભારતીય ટીમના ઓલ-રાઉન્ડર ઇરફાન પઠાણ સહિત અંદાજે ૧૦૦ ક્રિકેટરને કાશ્મીર છોડી જવાની સૂચના આપી હતી.
આ ઉપરાંત, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને હૉસ્ટેલમાંના વિદ્યાર્થીઓને પણ પરત જવાની સૂચના અપાઇ હતી.
કાશ્મીરના ખીણવિસ્તારમાં ગયા અઠવાડિયે આવી પહોંચેલા વધારાના લશ્કરી દળો ગોઠવાઇ ગયા છે.
ઉનાળા વખતના જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરના સીમાડે અને અન્ય મહત્ત્વના રસ્તા પર બેરિકેડ્સ ઊભા કરાયા હતા. સુરક્ષા દળોએ રમખાણ રોકવા માટેના વાહનો પણ તૈયાર રાખ્યા છે.
કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રવિવારે બોલાવેલી બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ, કેન્દ્રના ગૃહસચિવ રાજીવ ગૌબા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ભારતીય લશ્કરે પાકિસ્તાનના સૈન્યના મારા ‘બેટ’ના સાત સૈનિકને શનિવારે હણી નાખ્યા હતા.
જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ એસ. પી. મલિકે જનતાને અફવા પર ધ્યાન નહિ આપવાની સલાહ આપી હતી.
જમ્મુ અને કાશ્મીરમાંથી પર્યટકો, અમરનાથયાત્રીઓ, અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને બીજા લોકો પાછા ફરી રહ્યા હોવાથી અનેક એરવેઝે ભાડાં વધારી દીધા હોવાનો આક્ષેપ કરાય છે. ટેક્સીવાળાઓ દ્વારા પણ પ્રવાસીઓ પાસેથી બેફામ ભાડાં લેવાતા હોવાનું કહેવાય છે.
નેશનલ કોન્ફરન્સની રાજકીય બાબતોને લગતી સમિતિએ રાજ્યમાંની પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now