CIA ALERT
26. April 2024
March 24, 20202min4500

Related Articles



કોઇએ વપરાયેલું માસ્ક વળગાડી દીધું તો લેવાના દેવા પડી શકે, આડેધડ માસ્ક ખરીદતા લોકો સાવચેત રહે

Share On :
Print Friendly, PDF & Email

સ્વસ્થ વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી નથી : માસ્ક માટે પડાપડી કરતા લોકો જાગૃત બને

હાલ કોરોના વાઇરસના ફફડાટથી ગુજરાત સમેત આખા દેશમાં એવા લોકો માસ્ક લેવા માટે પડાપડી કરી રહ્યા છે જેમને કોઇપણ પ્રકારનું ઇન્ફેકશન થયું નથી. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ, અધિકારીઓ કહી રહ્યા છે કે સામાન્ય રીતે સ્વસ્થ વ્યકિત્એ માસ્ક પહેરવું જરૂરી નથી. માસ્ક કોણે કોણે કેવા સંજોગોમાં પહેરવું જોઇએ એ અંગે ગુજરાત સરકારે ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી છે.

વપરાયેલા માસ્કનો યોગ્ય નિકાલ કરવા ગુજરાતના આરોગ્ય ખાતાની ટ્વીટ

ગુજરાતના આરોગ્ય ખાતાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે વપરાયેલા માસ્કનો મિસયુઝ કે ડુપ્લિકેશન ટાળવા માટે તેનો યોગ્ય રીતે નિકાલ કરવાનો રહેશે.

માસ્ક કોના માટે જરૂરી

  • જેમને શર્દી, ખાંસી, ઉધરસ હોય
  • શંકાસ્પદ કોરોનાના દર્દી હોય
  • કોરોનાના કન્ફર્મ દર્દી હોય
  • દર્દીઓની સેવા, ચાકરી, ટ્રીટમેન્ટ કરતા મેડીકલ પેરામેડીકલ સ્ટાફ
  • જાહેર માર્ગ પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફ
  • ઘરે ઘરે જઇને સરવેની કામગીરી કે અન્ય જાહેર કામગીરી કરતા સ્ટાફ
  • સફાઇ કામદારો
  • મોટા સમૂહમાં જતા હોય તેવા લોકો

સામાન્ય લોકોએ બહાર નીકળવાનું જ નથી તો માસ્કની જરૂરિયાત શું

વાંચો ગુજરાત સરકારની આ વિજ્ઞપ્તિ

આજે તા.24મી માર્ચ 2020ને મંગળવારે સૂરતની સંદેશ દૈનિક આવૃતિના ત્રીજા પાને ગુજરાત સરકારની આ જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.

કોઇએ વપરાયેલું માસ્ક વળગાડી દીધું તો લેવાના દેવા પડી શકે

હાલમાં સમગ્ર દેશમાં એવા લોકોની પણ કમી નથી કે જેઓ રૂપિયા રળવા માટે ડુપ્લિકેટ સેનીટાઇઝર તેમજ માસ્ક બનાવી રહ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, કશ્મીર વગેરેથી એવા પણ હજારો માસ્ક જપ્ત કરવામાં આવ્યા છે જે અગાઉ વપરાઇ ચૂક્યા છે. જો કોઇ ધુતારા રૂપિયા કમાવા માટે આવા વપરાયેલા માસ્ક વેચતા હોય અને કદાચ એ તમારા હાથમાં આવી જાય તો શું હાલત થાય એ કદી વિચાર્યું છે.

ગુજરાતના આરોગ્ય વિભાગે તેના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે વપરાયેલા માસ્કમાં ઇન્ફેકશન ફેલાવા માટેની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જે માસ્ક કોરોના પિડીત દર્દીઓ, તેની સારવાર કરતા મેડીકલ પેરામેડીકલ સ્ટાફના સભ્યો, દર્દીઓ કે શંકાસ્પદ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોએ ઉપયોગ કર્યા હોય તેવા માસ્કને ક્યાં તો સંપૂર્ણ પણે બાળી દઇને અગર તો જમીનમાં ખૂબ ઉંડે સુધી દાટી દઇને તેનો નિકાલ કરવો જરૂરી છે.

વપરાયેલા માસ્કનો નિકાલ આ રીતે કરવો

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :