CIA ALERT
26. April 2024
December 17, 20191min2970

Related Articles



જીવીશ ત્યાં સુધી CAAનો અમલ કરવા દઈશ નહીં: મમતા બેનર્જી

Share On :
Print Friendly, PDF & Email

પશ્ર્ચિમ બંગાળની સરકારને બરખાસ્ત કરવા કેન્દ્રને પડકાર ફેંકતાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આક્રમક સૂરમાં કહ્યું હતું કે, એન. આર. સી. અને નાગરિકત્વ સુધારા ધારાનો અમલ રાજ્યમાં કરાશે નહીં અને જો કરવો હશે તો મારી લાશ પરથી પસાર થઈને કરી શકશે.

મમતાએ કોલકતામાં સોમવારે મોટી રેલી યોજી હતી અને આક્ષેપ કર્યો હતો કે જૂજ લોકોને પૈસા આપીને ભાજપની કઠપૂતલી રાજ્યમાં હિંસા ફેલાવે છે.

મુસ્લિમ સમાજના મિત્ર બનીને રાજ્ય બહારનાં તત્ત્વો તોફાન કરે છે, એવો આક્ષેપ કર્યો હતો.

ટીએમસીના કાર્યકરોએ એનઆરસી અને સીએએ નહીં લખેલા બોર્ડ સાથે રેલી કાઢી હતી.

અસાઉદ્દીન ઓવૈસી સાથે મમતાનું શાબ્દિક યુદ્ધ ચાલે છે. તેમનો સીધો ઉલ્લેખ કર્યા

વિના કહ્યું હતું કે, લઘુમતીના મિત્ર બનીને બહારનાં તત્ત્વો હિંસા ફેલાવે છે તેના ટ્રેપમાં નહીં ફસાવા જનતાને કહ્યું હતું.

હું જીવીશ ત્યાં સુધી એનઆરસી અને સીએએનો અમલ રાજ્યમાં કરવા દઈશ નહીં એવી ધમકી આપી હતી. રાજ્ય સરકારને બરખાસ્ત કરો અથવા મને જેલના સળિયા પાછળ ધકેલશે તો પણ કાળો કાયદો અમલી બનાવીશ નહીં.

કેન્દ્ર જો અમલ કરાવશે તો મારી ડેડબોડી પરથી જ કરી શકશે. રાજ્યમાંથી કોઈને બહાર કરાશે નહીં. કાર્યકરોને શાંતિથી વિરોધ પ્રદર્શન કરવા કહ્યું છે.

અમુક ટ્રેન બાળવાની ઘટના બન્યા બાદ કેન્દ્રે રાજ્યની ઘણી ટ્રેન સેવા સ્થાગિત કરી છે. કાર્યકરોને લોહીથી પત્ર લખીને રાષ્ટ્રપતિને મોકલવા વિનંતી કરાઈ છે.

પ. બંગાળના રાજ્યપાલે મમતાની રેલીને ગેરબંધારણીય અને ઉશ્કેરણીજનક ગણાવી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :