CIA ALERT
14. May 2024

Related Articles



અમરનાથ યાત્રા માટે જડબેસલાક સુરક્ષા  વ્યવસ્થા

Share On :
Print Friendly, PDF & Email

બે વર્ષના સમયગાળા બાદ ૩૦ જૂનથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ડ્રોન કૅમેરા, અર્ધલશ્કરી દળના ૧૨,૦૦૦ કરતા વધુ જવાનો અને સેંકડો પોલીસ કર્મચારીઓને ગોઠવી દેવામાં આવ્યા છે, એમ અધિકારીઓએ કહ્યું હતું. 
દક્ષિણ કાશ્મીરમાં ૩,૮૮૮ મીટરની ઊંચાઈએ આવેલી પવિત્ર અમરનાથ ગુફાની યાત્રાની સુરક્ષાવ્યવસ્થાની કેન્દ્રના ગૃહ ખાતાના સચિવ અજય ભલ્લાએ શુક્રવારે સમીક્ષા કરી હતી. 

કોરોનાની મહામારીને કારણે વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧માં અમરનાથ યાત્રા શરૂ નહોતી કરી શકાઈ તો વર્ષ ૨૦૧૯માં બંધારણની ૩૭૦મી કલમ રદ કરતા અગાઉ અમરનાથ યાત્રા ટૂંકાવી નાખવામાં આવી હતી. 

તાજેતરના અઠવાડિયાઓમાં જમ્મુ-કાશ્મીરમાં ચોક્કસ વ્યક્તિને નિશાન બનાવી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતી હત્યાની ઘટનામાં થયેલા વધારાને કારણે અમરનાથ યાત્રા માટે મોટો પડકાર ઊભો થયો છે.  આ વરસે અમરનાથ યાત્રા ૧૧ ઑગસ્ટે પૂરી થશે અને અંદાજે ત્રણ લાખ શ્રદ્ધાળુઓ તેમાં ભાગ લે તેવી શક્યતા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :