- રોહિત શર્મા (કેપ્ટન)
- કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન)
- વિરાટ કોહલી
- સૂર્યકુમાર યાદવ
- દીપક હુડા
- ઋષભ પંત
- દિનેશ કાર્તિક
- હાર્દિક પંડ્યા
- આર. અશ્વિન
- યુઝવેન્દ્ર ચહલ
- અક્ષર પટેલ
- જસપ્રિત બુમરાહ
- ભુવનેશ્વર કુમાર
- હર્ષલ પટેલ
- અર્શદીપ સિંહ
BCCI દ્વારા જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમ સિવાય ચાર ખેલાડીઓ મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ અને દીપક ચહરને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે.
લાંબા સમયથી દેશના કરોડો ક્રિકેટ પ્રેમીઓ, ચાહકો અને મીડિયાની ઉત્સુકતાનો અંત આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં થવા જઇ રહેલી T 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.
વિશ્વ કપની ટીમમાં મોટાભાગના સભ્યો એવા છે જેઓ તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપમાં રમ્યા હતા. અને આ ટીમમાં આવો કોઈ ચોંકાવનારો નિર્ણય આવ્યો નથી, જે 2019 વર્લ્ડ કપમાં જોવા મળ્યો હતો, જ્યારે અંબાતી રાયડુની જગ્યાએ વિજય શંકરને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.