
કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો તા. ૧પથી ૧૭ મે ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને બેઝીક કેમિકલ્સ, કોસ્મેટિકસ એન્ડ ડાઇઝ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (CHEMEXCIL) દ્વારા સંયુક્તપણે ગુરૂવાર, તા. ર૬ માર્ચ, ર૦ર૬ના રોજ સાંજે ૪:૦૦ કલાકે અમોરે, ડુમસ રોડ, સુરત ખાતે ‘કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો ર૦ર૬’ માટે કર્ટન રેઇઝર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર હંમેશા ઉદ્યોગ અને વેપારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહ્યું છે અને વિવિધ એકિઝબિશન્સ, સેમિનાર તથા નેટવર્કિંગ પ્લેટફોર્મ દ્વારા ઉદ્યોગકારોને નવી તકો ઉપલબ્ધ કરાવી રહ્યું છે. કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો તથા વેલ્થ એક્ષ્પો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો, રોકાણ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
તેમણે જણાવ્યું હતું કે, કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો ર૦ર૬ દ્વારા કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સાહસિકોને ડાયનેમિક બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ એક્ષ્પો ખાસ કરીને મેન્યુફેકચરર્સ, ટેકનોલોજી પ્રોવાઇડર્સ, રિસર્ચર્સ તથા ઉદ્યોગના અગ્રણીઓને એક જ મંચ પર લાવશે. જેથી કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં નવી તકો સર્જાશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ બંને એક્ષ્પો દ્વારા સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સ્તરે ઉદ્યોગકારોને જોડાવાનો અને વ્યવસાયને વિસ્તૃત કરવાની ઉત્તમ તક મળી રહેશે.
ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સસ્ટેનેબિલિટી, પ્રીસિઝન મેન્યુફેકચરિંગ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આ એક્ષ્પો વ્યવસાયિકોને ટેકનોલોજી વિશે જાણકારી મેળવવા, વ્યાપારિક નેટવર્ક વધારવા અને નવા બજાર શોધવા માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ પૂરું પાડશે.
ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી રાકેશ જૈને ‘કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો ર૦ર૬’ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ એક્ષ્પો તા. ૧પ, ૧૬ અને ૧૭ મે, ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આ એક્ષ્પો કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે નવી વ્યવસાયિક તકો ઉભી કરશે તેમજ ઉદ્યોગકારોને એકબીજા સાથે જોડશે.
આ પ્રસંગે ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદી, ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને CHEMEXCILના હોદ્દેદારો તથા કમિટી સભ્યોના શુભહસ્તે કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો ર૦ર૬ના કર્ટન રેઇઝરને વિધિવત લોન્ચ કરવામાં આવ્યું હતું.
સમારોહ દરમ્યાન ઓપન ફોરમમાં ઉપસ્થિત ચેમ્બરના સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી કમલેશ ગજેરાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
