CIA ALERT
06. May 2024

સીએએ Archives - CIA Live

May 7, 2022
Amit-Shah.jpg
1min320

દેશમા CAA લાગૂ કરવાના નિવેદન પર કેન્દ્રીય મંત્રી અમિત શાહે પશ્વિમ બંગાળમાં કહ્યું હતુ કે, દેશમાં કોરોના પુરો થતાની સાથે જ CAA કાનૂન લાગૂ કરવામાં આવશે. અમિત શાહના આ નિવેદન બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મુદ્દાને લઇને પોતાની દિલચસ્પ પ્રતિક્રિયા આપી છે.

નીતિશ કુમારે પોતાના અંદાજમાં જવાબ આપતા કહ્યું કે,” દેશમાં તો કોરોના ફેલાઇ રહ્યો છે, જે પણ કેન્દ્રનો નિર્ણય હશે, હવે કોરોનાના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો છે, મારી ચિંતા લોકોની રક્ષા કરવામાં છે. કોઇ પૉલિસીની વાત હશે તો, અમે તેને અલગથી જોઇશુ.”   

મહત્વનું છે કે, બિહારમાં જનતા દળ યૂનાઇટેડ શરુઆતથી જ CAA લાગૂ કરવાના વિરોધમાં જ રહ્યાં છે, પરંતૂ અમિત શાહના કહ્યાં બાદ બિહારના ઘણા મંત્રીઓ અને નેતાઓ બિહારમાં CAA લાગૂ કરવાની વાત કરી રહ્યાં છે.

બીજેપી મંત્રી જનક રામે શુક્રવારે CAA ના નિર્ણયને લઇને કહ્યું કે, CAA BJP નો એજન્ડા છે, જેથી તેને બિહારમાં પણ લાગૂ કરવામાં આવશે. તો બીજી તરફ બિહારના બીજા એક નેતા પ્રમોદ કુમારે પણ સુરમાં સુર પુરાવ્યો હતો અને કહ્યું કે, જો બંગાળમાં નાગરિકતા કાનૂન લાગૂ પડશે તો એવુ નથી કે, બિહારમાં લાગૂ નહી થાય. અમે ઇચ્છીએ છીએ કે આ કાનૂન બિહારમાં પણ લાગૂ થાય.