દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી થઇ રહી હતી ત્યારે ઉજવણી માટેના મુખ્ય શહેરો પૈકીના એક મથુરાના જગપ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં ભાગદોડની કમનસીબ ઘટના બની હતી.
મથુરા સ્થિત વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં તા.19મી ઓગસ્ટને જન્માષ્ટમી, શુક્રવારની રાતે મંગળા આરતી દરમિયાન ભાગદોડ મચી હતી. આ ભાગદોડમાં શ્વાસ રુંધાઈ જવાને કારણે બે શ્રદ્ધાળુઓનાં મૃત્યુ થયા હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી. મૃતકોમાં એક મહિલા નોઈડાના રહેવાસી હતા.
આ ઘટનામાં અનેક લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હોવાના અહેવાલો મળ્યા હતા. ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.