ઈદે મિલાદના તહેવાર નિમિત્તે રવિવારે સૂરતના કેટલાક રસ્તા બંધ રહેશે
માહિતી બ્યૂરો, ગુજરાત સરકાર, સૂરત તરફથી
સુરત શહેરમાં ઈદે મિલાદનો ધાર્મિક પર્વ મુસ્લીમ બિરાદરો તરફથી હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ પર્વ દરમિયાન શહેર મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લીમ બીરાદરો જોડાતા હોવાથી મુખ્ય માર્ગ ઉપર વાહનોની અવર-જવરના કારણે ટ્રાફીક નિયમન સરળતાથી થઈ શકે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિત જળવાઈ રહે તે માટે સુરત શહેરના પો.કમિશનરશ્રી આર.બી.બ્રહ્મભટ્ટે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
જાહેરનામા અનુસાર કમિશ્નરેટ વિસ્તારમાં શહેરના મુખ્ય રાજમાર્ગ દિલ્હીગેટ થી ભાગળ, લાલગેટ, ચોક બજાર ચાર રસ્તા, ગાંધીજીની પ્રતિમાંથી વિવેકાનંદ સર્કલ સુધી અને ત્યાંથી ગાંધીજીની પ્રતિમા થઈ સાગર હોટલ, બડેખા ચકલા ખ્વાજાદાના દરગાહ સુધીનો રોડ તથા પખાલીવાડથી બડેખા ચોકી સુધી અને હિઝડાવાડ સર્કલથી બડેખા ચોકી થઈ મોમનાવાડ, ગોપીપુરા હનુમાન ચાર રસ્તા થઈ સગરામપુરા ચોકી બાલાપીર દરગાહ સુધીના રસ્તા પર તા.૧૦/૧૧/૨૦૧૯ના બપોરના ૧૨.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
વિકલ્પરૂપે આ તારીખ અને સમય દરમિયાન સ્ટેશન તરફથી આવતા વાહનો દિલ્હીગેટ થઈ રીંગરોડ તરફ જઈ શકશે. તેમજ હોપપુલ તરફથી આવતા વાહનો મુગલીસરા થઈને જઈ શકશે. તેમજ મક્કાઈપુલ તરફથી ચોકબજાર તરફ જતા વાહનો મકાઈપુલથી ટર્ન લઈ નાનપુરા માછીવાડ નવો રોડ તથા ટીમલીયાવાડ તરફ જઈ શકશે. પોલીસ વાહનો, એમ્યુલન્સ તથા ફાયર બ્રિગેડના વાહોને મુકિત આપવામાં આવી છે. હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now