અડાજણના શિવ ગ્રુપે ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવનો વિચાર વહેતો મૂક્યો
અડાજણના શિવ ગ્રુપ આયોજિત પાંચમા ગણેશ ઉત્સવને તાપી શુદ્ધિકરણ કન્સેપ્ટ સાથે સાંકળીને સમાજને એક રચનાત્મક વિચાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
શિવ ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવમાં તાપી શુદ્ધિકરણ ભાગરૂપે છેલ્લા પાંચ વર્ષથી ફક્ત અને ફક્ત બે ફૂટની માટીની મૂર્તિ સ્થાપન કરી સમાજ તેમજ હિન્દુ તહેવારોમાં જે તહેવાર રંગેચંગે આનંદ ઉલ્લાસ થી ઉજવવામાં આવે છે એક તહેવાર પાછળ એકતાનું પ્રતિક માનવામાં આવે છે.
શિવ ગ્રુપના આયોજક વિજય પટેલ મોનાર્ક પટેલ અલ્પેશ પટેલ દર્શન પટેલ મેહુલ પટેલ મનીષ પટેલ પિયુષ પટેલ મીકુ દ્વારા સુરતની જીવાદોરી સમાન તાપી માતામાં ગણેશ વિસર્જન દરમિયાન લાખો ટન કેમિકલયુક્ત ઝેર ઠલવાતું હોવાથી પાણીની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે હાનિકારક જણાતા સ્થાનિક આયોજકોએ નાની મૂર્તિ ની સ્થાપના કરી પોતાના મંડળ તેમજ પોતાના આંગણામાં જ વિસર્જનની શરૂઆત કરી હતી.
તાપી શુદ્ધિકરણ નો મેસેજ સમાજમાં તેમજ સુરત શહેરમા વહેતો મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર ગામમાં ૨૮ જેટલી સ્થાપિત મૂર્તિઓનું વિસર્જન ફક્ત પોતાના મહોલ્લામાં કરવામાં આવ્યું હતું એવું આયોજન દ્વારા જણાવવામાં આવ્યું હતું
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now