2022ની આરંભે અમંગળ : માતા વૈષ્ણોદેવી મંદિરમાં મચેલી નાસભાગમાં 12નાં મોત

Share On :

દર વર્ષે નવા વર્ષ નિમિત્તે હજારોની સંખ્યામાં ભક્તો માતા વૈષ્ણો દેવીના મંદિરે પહોંચે છે. એ દરમિયાન શનિવારની વહેલી પરોઢીએ દર્શન માટે ઉમડેલી હજારો લોકોની ભીડમાં કોઇક અગમ્ય કારણોસર નાસભાગ મચી જવા પામી હતી.

જમ્મુ-કાશ્મીરમાં કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાતે લગભગ 2.45 વાગ્યે ભાગદોડ મચી હતી, જેમાં 12 લોકોનાં મોત થયાં છે અને 14થી વધારે લોકો ઘાયલ થયા છે, એમાં 3 લોકોની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને સ્થાનિક નારાયણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

વૈષ્ણોદેવી ભવનમાં થયેલી નાસભાગમાં અત્યાર સુધી 12 લોકોનાં મૃત્યુ થયા છે અને 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

હેલ્પ લાઇન નંબરો

સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. હેલ્પલાઇન નંબરો- 01991-234804, 01991-234804; PCR રિયાસી – 9622856295, DC ઓફિસ રિયાસી કંટ્રોલ રૂમ નંબર – 01991-245763, 9419839557 પર ફોન કરીને મૃતકો અને ઘાયલોની માહિતી મેળવી શકાશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :