IITs, NITs, IIITs માં પ્રવેશ માટે ધો.12માં ફક્ત પાસ થવું જરૂરી (ફક્ત આ વર્ષ માટેનો લાયકાતનો નિયમ)

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલોજી (એનઆઈટી) જેઈઈ ઍડવાન્સ (જૉઈન્ટ ઍન્ટ્રન્સ ઍક્ઝામ-ઍડવાન્સ)ના આધારે વિદ્યાર્થીઓને ઍડમિશન આપશે અને વિદ્યાર્થીઓએ બારમા ધોરણમાં માત્ર પાસ થવાની જ જરૂર હશે. કોરોના વાઈરસને કારણે ફાટી નીકળેલી મહામારી વચ્ચે સેન્ટ્રલ સીટ ઍલોકેશન બૉર્ડ (સીએસએબી)એ ગુરુવારે એનઆઈટી તેમ જ સેન્ટ્રલી ફંડેડ ટૅક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ (સીએફટીઆઈ)માં ઍડમિશન માટેના નિયમો હળવાં કર્યાં હતાં.
મેરીટની ગણતરી યથાવત IITs માટે એડવાન્સ્ડ અને NITs, IIITs મેઇન્સના માર્કસના આધારે પ્રવેશ
એનઆઈટી સ્નાતક ન થયેલા વિદ્યાર્થીઓને જેઈઈ ઍડવાન્સના માર્ક્સને આધારે ઍડમિશન આપશે અને બારમા ધોરણમાં મેળવેલા માર્ક્સ ગણતરીમાં નહીં લે એમ જણાવતાં માનવસંસાધન અને વિકાસ ખાતાએ ગુરુવારે કહ્યું હતું કે વિદ્યાર્થી બારમા ધોરણમાં પાસ થયેલો હશે એ બાબત ઍડમિશન માટે પૂરતી હશે.
જેઈઈ મૅઈન ૨૦૨૦માં પાત્ર ઠરેલા ઉમેદવારે હવે માત્ર બારમા ધોરણનું પાસિંગ સર્ટિફિકેટ મેળવેલું હોય તે જરૂરી હશે, એમ માનવસંસાધન અને વિકાસ ખાતાના પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલે કહ્યું હતું.
અગાઉ, એનઆઈટીમાં ઍડમિશન માટે વિદ્યાર્થીએ જેઈઈ-ઍડવાન્સમાં કરેલા દેખાવની સાથે સાથે બૉર્ડની પરીક્ષામાં તેણે ૭૫ કે તેથી વધુ ટકા મેળવ્યા હોય કે પછી જે તે બૉર્ડમાં ટોચના ૨૦ પર્સન્ટાઈલમાં સ્થાન મેળવ્યું હોય તે જરૂરી હતું.
અગાઉ, ઈન્ડિયન ઈન્સ્ટિીટ્યૂટ ઑફ ટૅક્નોલોજી (આઈઆઈટી)એ પણ કહ્યું હતું કે જેઈઈ-ઍડવાન્સમાં કરેલા દેખાવને આધારે તેઓ વિદ્યાર્થીઓને ઍડમિશન આપશે. આ વરસે આઈઆઈટીમાં ઍડમિશન મેળવવા માટે બારમા ધોરણના માર્ક્સ જરૂરી નહીં હોય, એમ તેમણે કહ્યું હતું.
કોરોનાને કારણે અનેક બૉર્ડની બારમા ધોરણની અમુક પરીક્ષાઓ રદ થઈ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


