CBSE પરીક્ષાની માર્ગદર્શિકા જાહેર
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેક્ધડરી એજ્યૂકેશન (સીબીએસઇ)એ પોતાના હેઠળની સ્કૂલોને આદેશ આપ્યો છે કે તમે ૯ અને ૧૧ વર્ગના વિદ્યાર્થીઓ વિશેનો લર્નિંગ ગૅપ (વિદ્યાર્થીઓ શું શીખ્યા અને તેમણે કેટલું શીખવું જોઈતું હતું) શોધી કાઢજો અને પછી એને લગતી સમસ્યાઓનું નિરાકરણ લાવ્યા બાદ જ કોવિડ-૧૯ને લગતા સલામતીના નિયમોના કડક પાલન સાથે આ બે વર્ગોની પરીક્ષા રાખજો. બોર્ડ દ્વારા માર્ગદર્શિકામાં એવી પણ ભલામણ કરાઈ છે કે નવું શૈક્ષણિક સત્ર પહેલી એપ્રિલે શરૂ થશે.
આ જાણકારી સીબીએસઇના ક્ધટ્રોલર ઑફ એક્ઝામિનેશન સંયમ ભારદ્વાજે સ્કૂલોના પ્રિન્સીપાલોને પત્રમાં આપી હતી. સ્કૂલોને નવું સત્ર વધુ સુવ્યવસ્થિત બનાવવાની સૂચના પણ અપાઈ છે. ગયા વર્ષે માર્ચમાં કોરોના વાઇરસનો ફેલાવો શરૂ થતાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી. લૉકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ ઑનલાઇન ક્લાસીસ તરફ વળ્યા હતા. જોકે, જૂન મહિનાથી નિયંત્રણો ધીમે-ધીમે દૂર થતાં અમુક રાજ્યોમાં સ્કૂલો આંશિક રીતે ફરી ખૂલવા લાગી હતી. સીબીએસઇએ આ મહિનાની શરૂઆતમાં ૧૦ તથા ૧૨મીના વર્ગો માટેની બોર્ડની પરીક્ષાનું સમયપત્રક જાહેર કર્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


