CIA ALERT

યંગિસ્તાન Archives - Page 17 of 37 - CIA Live

May 12, 2020
cbse_logo.jpeg
2min5530

ગુજરાત બોર્ડે બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણીનું કામ લગભગ પૂરૂં કરી દીધું હોવાના અહેવાલો વચ્ચે સેન્ટ્રલ બોર્ડ દ્વારા હજુ હવે વિદ્યાર્થીઓની આન્સરશીટ ચકાસવાનું ભગીરથ કાર્ય હાથ ધરવા જઇ રહી છે. સેન્ટ્રલ બોર્ડે જાહેર કર્યું છે કે ઉત્તરવહીઓ પરીક્ષકોના ઘરે મોકલવાવવામાં આવશે. સિક્યુરિટી તેમજ પ્રાઇવેશી જળવાય રહે એ માટે ખાસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવશે અને સર્ટિફાઇડ પરીક્ષકોને ત્યાં દોઢ કરોડ જેટલી ઉત્તરવહીઓ પહોંચાડીને તેની ચકાસણીનું કામ હાથ ધરવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડના સૂત્રોન જણાવ્યા અનુસાર સેન્ટ્રલ બોર્ડની સ્કુલોના ધો.10 અને ધો.12ના પરીક્ષાર્થીઓની અંદાજે દોઢ કરોડ ઉત્તરવહીઓની ચકાસણીનું કામ પાર પાડતા અંદાજે 50 દિવસ જેટલો સમય નીકળી જાય તેમ છે. સીધી ગણતરી એવી પણ છે કે સેન્ટ્રલ બોર્ડના પરીણામો જાહેર કરવામાં આ વર્ષે જુલાઇ મહિનો આવી જશે.

With taking the new route of ‘ from home’ amid the lockdown, there may be several concerns about the handling of answers sheets. To address this, board will soon issue security and privacy guidelines to to avoid any mishandling of the answersheets, a CBSE official told .

The board is set to roll out the evaluation process following the approval given by the Ministry of Home Affair to the MHRD. Answersheets will be moved from 3,000 designated schools to the residences of qualified evaluators who will correct it at their homes. The process is expected to be completed in 50 days as 1.5 crore answersheets in 173 subjects needs to be evaluated.

“The guidelines on transportation and security are being formulated and it will be released soon,” said the official.

The permission for evaluation has been granted for all areas except the containment zones.

May 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6470

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તા.11મી મે 2020ના રોજ એક જાહેર નોટિસ બહાર પાડીને આગામી તા.26મી જુલાઇના રોજ નીટ પરીક્ષા આપનારા દેશભરના તમામ પરીક્ષાર્થીઓને જણાવ્યું છે કે હાલમાં એવી વિગતો ધ્યાને આવી છે કે કેટલાક લેભાગુ અને બોગસ તત્વો દ્વારા નીટ પરીક્ષાર્થીઓ પાસેથી એપ્લિકેશન નંબર, એપ્લિકેશન ડિટેઇલ્સ તેમજ પર્સનલ ઇન્ફર્મેશન એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના નામે માગવામાં આવી રહી છે.

એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) એ સૂચિત કર્યું છે કે એન.ટી.એ. દ્વારા આ પ્રકારે કોઇપણ પરીક્ષાર્થી પાસે કોઇપણ પ્રકારની માહિતી ફોન કોલથી, ઇમેલથી કે મેસેજથી માગવામાં આવી નથી કે ભવિષ્યમાં પણ આવી માહિતી મગાશે નહીં. આ પ્રકારે નીટના પરીક્ષાર્થીઓ પાસેથી તેમની એપ્લિકેશન સંબંધિત માહિતી માગનારા તત્વો બોગસ અને અનધિકૃત છે. પરીક્ષાર્થીઓ આ પ્રકારે કોઇને પણ માહિતી આપે નહીં.

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આ મુજબની સૂચના જારી કરી છે

ઉપરની ફાઇલ પીડીએફમાં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો

http://data.nta.ac.in/Download/Notice/Notice_20200511063520.pdf

એન.ટી.એ. આવી માહિતી માગનારા સામે કાર્યવાહી કરી રહી છે

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જણાવ્યું છે કે નીટના પરીક્ષાર્થીઓ પાસેથી એનટીએના નામે બોગસ રીતે માહિતી માગનારા ફેક તત્વોની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. જો વિદ્યાર્થીઓએ આ પ્રકારે કોઇપણ ફરીયાદ હોય તો તેમણે ઉપરોક્ત નોટીસમાં જણાવેલા સંપર્ક નંબરો પર કોલ કરીને જાણ કરવી.

May 11, 2020
ugc.jpeg
1min5610

કોઇપણ કોલેજીયન પોતાના પ્રશ્નો 011-23236374 અથવા covid19help.ugc@gmail.com રજૂ કરીને નિવારણ મેળવી શકે

હાલમાં કોવીડ-19 અને તેને પગલે ઉદભવેલી લૉકડાઉનની સ્થિતિમાં દેશની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અનેક દ્વિધા, પ્રશ્નો, સમસ્યાઓ ઉદભવી છે. કોલેજીયન્સ પોતાના પ્રશ્નો અંગે સોશ્યલ મિડીયામાં પોસ્ટસ મૂકી રહ્યા છે પરંતુ, તેનાથી કોઇ ઉકેલ મળતો નથી. આવી સ્થિતિમાં દેશના શિક્ષણમંત્રી ડો. રમેશચંદ્ર પોખરીયાલે દરેક યુનિવર્સિટીને હાલના સંજોગોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો, સમસ્યાઓ, મૂંઝવણો દૂર કરવા માટે એક અલાયદું સેલ શરૂ કરવા માટે જણાવ્યું છે.

બીજી તરફ, જો કોલેજ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કોઇ પ્રશ્નો કે સમસ્યા નડતી હોય તો તેના માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસીએ ગ્રીવન્સીસ સેલ શરૂ કર્યું છે. આ સેલનો હેલ્પલાઇન નંબર, ઇમેલ આઇ.ડી. તેમજ વેબસાઇટ એડ્રેસ જાહેર કરવામાં આવ્યા છે જ્યાં વિદ્યાર્થી પોતાના પ્રશ્નો રજૂ કરીને સમાધાન મેળવી શકે છે.

શિક્ષણ મંત્રીએ શું કહ્યું

યુજીસીએ પણ સેલ શરૂ કર્યું, દેશના કોઇપણ વિદ્યાર્થી પોતાની ક્વેરીઝ અહીં પાઠવીને સમાધાન મેળવી શકે

May 8, 2020
CIA_Live_Logo_New2.jpg
1min7840

દેશના શિક્ષણ મંત્રી ડૉ.રમેશચંદ્ર પોખરીયાલે આજે જાહેરાત કરી હતી કે સેન્ટ્રલ બોર્ડમાં અભ્યાસ કરતા દેશભરના ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓની બાકી રહેલી પરીક્ષાઓ તા.1લી જુલાઇથી તા.15 જુલાઇ વચ્ચે લેવામાં આવશે. તેમણે સેન્ટ્રલ બોર્ડની સ્કુલો તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા અંગેની આ તારીખોની નોંધ લઇને એ મુજબ કામગીરી આરંભી દેવા જણાવ્યું હતું.

દેશના શિક્ષણ મંત્રીએ ટ્વીટ તરીને માહિતી આપી

CBSE 2020 Board Exams for pending papers of CBSE 12th & 10th will be conducted from 1st To 15th July 2020, tweeted HRD Minister Ramesh Pokhroyal ‘Nishank’.  He recently announced exam dates for JEE Advanced 2020 (August 23), NEET 2020 (26 July) & JEE Main 2020 (18 July to 23 July). 


May 7, 2020
CIA_Live_Logo_New2.jpg
1min19660

Click the link for Question Bank for NEET, JEE Main & GUJCET by Gujarat Board

ગુજરાત બોર્ડે નીટ, જેઇઇ મેઇન્સ અને ગુજકેટ જેવી પ્રવેશ પરીક્ષાઓની તૈયારી માટે ગુજરાતી મિડીયમ તેમજ અંગ્રેજી મિડીયમના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નબેંક તૈયાર કરીને તેને લોંચ કરી છે.

ધો.12 ગુજરાત સાયન્સ એ ગ્રુપ અને બી ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્ન બેંક અનેક રીતે ઉપયોગી સાબિત થઇ શકશે.

હાલ ચાલી રહેલા લૉકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ સ્વતૈયારી કરી શકે એ માટે આ પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી છે.

ગુજરાતી મિડીયમ માટે

http://gujarat-education.gov.in/TextBook/QuestionBank/index.html

For English Medium

http://gujarat-education.gov.in/TextBook/QuestionBankEnglish/indexeng.html

May 5, 2020
aicte_logo.png
2min17790

ભારતમાં AICTE એ 49 ઓનલાઇન કોર્સ શરૂ કર્યા : કોલેજીયન, હાઉસવાઇફ, ધંધાર્થી કોઇપણ વ્યક્તિ માટે લૉકડાઉનમાં સૌથી પ્રોડક્ટીવ કામ નિવડશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલમાં લૉકડાઉન 3.0 સમગ્ર ભારતીયો માટે કંટાળાજનક પુરવાર થઇ રહ્યું છે. કોલેજીયનથી લઇને હાઉસવાઇફ તેમજ ધંધાર્થીઓ તમામ માટે સમય કેવી રીતે પસાર કરવો એ કામ હવે મહામુશ્કેલ બન્યું છે. એવા સંજોગોમાં ભારતમાં ટેકનિકલ અભ્યાસક્રમોનું સંચાલન કરતી ભારત સરકારની ઓટોનોમસ સંસ્થા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE દ્વારા લૉકડાઉનમાં મોડે મોડે પણ 49 ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ 49 કોર્સ એક એકથી ચઢીયાતા છે.

કરીયર કાઉન્સિલર હોવાના નાતે લેખકે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઇન ફ્રી કોર્સનું લિસ્ટ તેમજ સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યો છે અને આ કોર્સ હાલના લૉકડાઉનમાં સૌથી પ્રોડક્ટીવ કામ બની રહે એવા શક્તિશાળી અને સ્કીલ ડેવલપમેન્ટ કરે એવા છે.

કોલેજીયન, હાઉસવાઇફ, નોકરીયાત, ધંધાર્થી કોઇપણ જોડાઇ શકે એવા પણ કોર્સ

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE ના ઓનલાઇન કોર્સની યાદીમાં એવા પણ કોર્સ છે જેમાં કોઇપણ વ્યક્તિ જોડાઇ શકે છે. જેમકે હાલ ડિજીટલ માર્કેટિંગનો જમાનો છે અને ડિજિટલ માર્કેટિંગ ઘરે બેઠા કે મોબાઇલ ફોનથી પણ થઇ શકે છે. કેટલીક ટેકનિકલ ટીપ્સ મળી જાય એટલે કોઇપણ વ્યક્તિ પદ્ધતિસર આ કામ કરી શકે છે. આના સમેત મશીન લર્નિંગ વગેરે કોર્સ એટલા પાવરફુલ છે કે જો રસ પડી જાય તો જીવનભર આ કોર્સ રૂપિયા રળી આપે એવી સ્કીલનું આરોપણ કરી શકે તેમ છે.

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE જાહેર કરેલા કોર્સની યાદી માટે નીચેની લિંક ક્લીક કરો

https://www.aicte-india.org/sites/default/files/Free%20ELIS%20Products%20Poster.pdf.pdf

May 4, 2020
CIA_Live_Logo_New2.jpg
2min8650

Fresh dates for JEE, NEET might be announced on May 5

દેશના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે રવિવાર તા.3 મે ના રોજ આપેલી માહિતી મુજબ દેશના શિક્ષણ મંત્રી શ્રી રમેશચંદ્ર પોખરીયાલ તા.5મી મે 2020ના રોજ બપોરે 12 વાગ્યે વિદ્યાર્થીઓ સાથે નિશંક પ્રોગ્રામ અન્વયે લાઇવ સન્મુખ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કોવીડ-19ના કારણે મુલતવી રાખવામાં આવેલી મેડીકલ પ્રવેશ પરીક્ષા નીટ તેમજ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઇઇ મેઇન્સ વગેરેની નવી તારીખોની ઘોષણા પણ આવતીકાલ તા.5મી મે ને મંગળવારે નિશંક લાઇવ પ્રોગ્રામમાં થઇ શકશે.

આ લાઇવ પ્રોગ્રામમાં દેશમાંથી કોઇપણ વિદ્યાર્થીઓ પોતાને મૂંઝવતા પ્રશ્નો પણ દેશના શિક્ષણ મંત્રીને પૂછીને તેમની સમસ્યાનું નિરાકરણ શોધી શકશે.

Attention Engineering and medical aspirants,

The HRD ministry on Sunday said fresh dates for competitive exams –JEE and NEET– will be announced on May 5.

The exams were postponed due to nationwide lockdown announced to contain the Covid-19 spread.

“The fresh dates will be announced by HRD Minsiter Ramesh Pokhriyal ‘Nishank’ on May 5. This will put an end to uncertainty for the aspirants. The minister will also interact with students online the same day,” a senior ministry official said.

While Joint Entrance Exam-Mains (JEE-MAINS) is conducted for admission to engineering colleges across the country, the National Eligibility cum Entrance Test (NEET) is conducted for medical colleges.

April 29, 2020
cbse_logo.jpeg
2min10000

બાકી રહેલી પરીક્ષા જ્યારે પણ લેવાશે તેના 10 દિવસ અગાઉ લાગતાવળગતા તમામને જાણ કરાશે

CBSE દ્વારા આજરોજ તા.29મી માર્ચે ફરીથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સીબીએસઇ બોર્ડ દ્વારા કોઇપણ પ્રકારની પરીક્ષા રદ કરવામાં આવી નથી. હાલના સંજોગોને કારણે પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. દેશભરમાં જ્યારે કોવીડ-19ની સ્થિતિ સુધરશે એ પછીના 10 દિવસમાં સીબીએસઇ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓથી લઇને પરીક્ષા સાથે સંકળાયેલા તમામ લોકો, ઓથોરિટી સમેત લાગતા વળગતા સૌને સીબીએસઇની પરીક્ષા લેવાના 10 દિવસ અગાઉથી જાણકારી આપવામાં આવશે.

સીબીએસઇ દ્વારા સત્તાવાર રીતે એવું કહેવામાં આવ્યું કે ગઇ તા.1લી એપ્રિલ 2020ના રોજ જે માર્ગદર્શનક સૂચનાઓ જારી કરવામાં આવી છે એ સૂચનાઓ અનુસાર હાલનું પણ સ્ટેટસ માનવું. કોઇપણ પ્રકારની ગેરસમજ કે અફવાઓથી દોરાવું નહીં.

CBSE એ ટ્વીટ કરીને માહિતી આપી

તા.1લી એપ્રિલ 2020ના રોજ જાહેર કરેલી માર્ગદર્શક સૂચનાઓ ડાઉનલોડ કરવા નીચેની લિંક ક્લીક કરો

http://cbse.nic.in/newsite/attach/PRESS%20RELEASE%2001.04.20.pdf

April 28, 2020
gseb-1280x720.jpg
2min10190

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવામાં આવેલી ધો.12 સાયન્સની મુખ્ય વિષયની ઓબ્જેક્ટીવ ટાઇપ પરીક્ષાની પ્રોવીઝનલ આન્સર કી વેબસાઇટ પર રિલીઝ કરી છે. નીચે મુજબના વિષયોની આન્સર કી રીલીઝ કરવામાં આવી છે.

  • Maths-050 Provisional Key (GHE – all Medium)
  • Chemistry-052 Provisional Key (GHE – all Medium)
  • Physics-054 Provisional Key (GHE – all Medium)
  • Biology-056 Provisional Key (Gujarati Medium)

How to check GSEB HSC Science Answer Key 2020

Candidates can follow the steps given below to check and download the answer key.
1. Go to the official website of GSEB —gsebeservice.com
2. On the homepage click on the link which reads “HSC Science Examination March 2020 Provisional Answer key”
3. It will direct to a new page of the GSEB website
4. Your GSEB HSC Science Answer Key 2020 will be displayed on the screen
5. Download and take a print out of GSEB HSC Science Answer Key 2020 for future reference

વધુ સૂચનાઓ માટે નીચેની લિંક ક્લીક કરો

https://www.gsebeservice.com/assets/news/science%20key.pdf

March 26, 2020
neet.jpg
3min12590

NEET UGની હાલની 3જી મે ની તારીખ બદલાય તેવી શક્યતા

નેશનલ ટેસ્ટિંગ એજન્સીના આધારભૂત સૂત્રોએ આપેલી માહિતી મુજબ આગામી તા.3જી મે 2020ના રોજ લેવામાં આવનારી મેડીકલ અને ડેન્ટલ અન્ડર ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટેની એક માત્ર સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજી 2020ના એડમિટ કાર્ડ તા.27મી માર્ચે જાહેર કરવાનું સમયપત્રક છે. પરંતુ, દેશમાં પ્રવર્તમાન કોરોના આઉટબ્રેક તેમજ લૉકડાઉનની સ્થિતિને જોતા નીટ યુજી 2020 પરીક્ષાના એડમિટ કાર્ડ તા.27મી માર્ચે ઓનલાઇન રિલિઝ નહીં થાય.

નીટ યુજી 2020 અંગે મહત્વની મિટીંગ નેશનલ ટેસ્ટિંગ એજન્સી તેમજ કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે તા.14મી એપ્રિલે યોજાનારી છે. નીટ યુજી જે હાલમાં 3જી મે 2020ના રોજ લેવાની છે, એને મુલતવી રાખીને નવી તારીખ લૉકડાઉન પિરિયડમાં એટલે કે નજીકના ભવિષ્યમાં જાહેર કરવામાં આવશે. નીટ અંગેની મહત્વની ઘોષણા તા.26 થી 28 દરમિયાન કરવામાં આવે તેવી શક્યતા છે.

NTA Clarification

As a Precaution against COVID – 19, our helpdesk is operating with limited resources. For exam related queries text us on the given numbers. For all other queries, please check the website regularly.

HELPLINE (OPERATIONAL DURING 09:30 AM TO 05:30 PM)

All helpline numbers are of Delhi.

Jee Mains 2 મુલતવી રાખી દેવામાં આવી છે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જેઇઇ મેઇન્સ 2 પરીક્ષા જે એપ્રિલ 2020માં લેવાનું આયોજન હતું એ 21 દિવસના લૉકડાઉનની જાહેરાત પહેલા જ મુલતવી રાખી દેવામાં આવી છે.

News in English

The examination date for the National Eligibility cum Entrance Test-Under Graduate (NEET UG) 2020 is likely to be postponed. The National Testing Agency (NTA) will not be issuing the admit cards from Friday as scheduled.

According to a senior NTA official, “We will not be issuing the admit cards on March 27, 2020 as scheduled. The new date for downloading of admit cards will be issued later following a review on April 14, 2020”

The ministry of human resource development and the ministry of health and family welfare are reviewing the matter on postponement of the exams scheduled for May 3, 2020. With all the remaining CBSE, NIOS and CISCE Board exams postponed after March 20, the competitive exams to be conducted thereafter are also going to be affected. After announcement of the 21-day lockdown across the country on March 24 the JEE (main) exam too stands postponed.

According to a senior HRD official, “The new dates will be announced only after the lock down period is over. The ministry is in talks with the health ministry over the matter and new dates will be announce by NTA post the lockdown period.”