નીટ-2020નું પરીણામ ગઇ તા.16મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થયા બાદ 15 ટકા ઓલઇન્ડિયા ક્વોટા માટે પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ છે. ગુજરાતમાં પ્રવેશ કાર્યવાહી તા.2 નવેમ્બરથી શરૂ થશે.
સી.આઇ.એ. લાઇવ સાથે શિક્ષણ સર્વદાએ અહીં નીટ-2020ના પરીણામનું એવું એનાલિસીસ રજૂ કર્યું છે કે જેને યોગ્ય રીતે એસેસ કરવામાં આવે તો ઉમેદવાર ખુદ જાણી શકશે કે આ વખતે તેમને મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ મળશે કે નહીં.
નીટ-2020માં વ્યક્તિગત ટોપ સ્કોર ધરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અધધ એટલે કે જંગી પ્રમાણમાં વધી છે. નીટ 2020માં કુલ 97,093 વિદ્યાર્થીઓએ 500 પ્લસ સ્કોર હાંસલ કર્યો છે. 2019 નીટમાં 500 પ્લસ સ્કોર કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 49,581 હતી. આમ ગયા વર્ષ 2019માં નીટમાં 500 પ્લસ સ્કોર ધરાવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કરતા આ વખતે 2020માં 37,512 વધુ વિદ્યાર્થીઓ 500 પ્લસ સ્કોર ધરાવે છે. આ જ સૂચવે છે કે નીટ-2020માં મેડીકલ કોલેજોના કટઓફ અકલ્પ્ય રીતે ઉંચા જશે.
આઇસીએઆઇ (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા) દ્વારા સીએના ફાઉન્ડેશન કોર્સ માટે નવી વ્યવસ્થાને મંજૂરી આપી હોવાથી વિદ્યાર્થીઓ હવે ૧૦મા ધોરણ બાદ સીએના ફાઉન્ડેશન કોર્સ માટે અરજી કરી શકશે. અગાઉ બારમું પાસ કરનારા વિદ્યાર્થીઓને જ ફાઉન્ડેશન કોર્સમાં પ્રવેશ આપવામાં આવતો હતો.
વૈશ્ર્વિક બજારને વધુ સુસંગત બનાવવા આઇસીએઆઇ સમય અનુસાર તેની શૈક્ષણિક પદ્ધતિની સમીક્ષા કરીને વારંવાર ફેરફાર કરતું હોય છે. દસમા ધોરણ બાદ સીએના ફાઉન્ડેશન કોર્સ માટે વારંવાર કરવામાં આવતી માગણી પર વિચારણા કર્યા બાદ સંસ્થાએ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ રેગ્યુલેશન, ૧૯૮૮ ઍક્ટના નિયમોમાં સરકારને એડ્મિશનમાં જરૂરત પડ્યે ફેરફાર કરવા બાબતે એક પ્રસ્તાવ મોકલ્યો હતો. આઇસીએઆઇ અધ્યક્ષે મંગળવારે જણાવ્યાનુસાર, નિયમોમાં ફેરફાર કરવા માટે સરકારની મંજૂરી મળી ગઇ હોવાથી દસમું પાસ કરનારા વિદ્યાર્થીઓ સીએના ફાઉન્ડેશન કોર્સને પાત્ર છે. જોકે, બારમાની પરીક્ષા બાદ ફાઉન્ડેશન કોર્સ માટે તેમના પ્રવેશને નિયમિત કરવામાં આવશે.
મેડીકલ અને ડેન્ટલના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની ભારતની સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ-2020નું પરીણામ જાહેર થઇ ગયા બાદ થોડા જ દિવસોમાં ગુજરાતમાં નીટ- સ્કોરથી પ્રવેશ મળે એ મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી કોર્સમાં પ્રવેશ માટેની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ધો.12 બાયોલોજી પાસ વિદ્યાર્થીઓ જો ઉપરોક્ત અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો તેમણે કયા ડોક્યુમેન્ટસ હાથ પર રાખવાના છે એની વિગતો ખુદ એડમિશન કમિટીએ જાહેર કરી છે જે અત્રે પ્રસ્તુત છે.
એડમિશન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશ તેમજ અન્ય માહિતી માટે એડમિશન કમિટીની આ વેબસાઇટ સતત જોતા રહો
દેશના ર3 રાજયો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો (યૂટી) માં સરકારી નોકરીઓમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરી દેવાઈ છે. સરકારી નોકરીમાં પસંદગીનો આધાર લેખિત પરીક્ષાને બનાવવામાં આવ્યો છે. કાર્મિક બાબતોના કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે શનિવારે કહ્યું ર016 બાદથી કેન્દ્ર સરકારમાં ગ્રુપ-બી (નોન ગેઝેટેડ) તથા ગ્રુપ-સી પદો માટે ઈન્ટરવ્યૂ બંધ કરી દેવામાં આવ્યા છે.
વર્ષ 2015 સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી નોકરીઓમાં ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરવા સૂચન કરી લેખિત પરીક્ષાને આધારે પસંદગી કરવા પર ભાર મૂકયો હતો. જેને ધ્યાને લઈ પર્સોનેલ અને ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટે વ્યાપક કવાયત હાથ ધરી ત્રણ મહિનામાં 1 જાન્યુઆરી, 2016 થી કેન્દ્ર સરકારમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથાને બંધ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી.
જીતેન્દ્રસિંહે ઉમેર્યુ કે આ મામલે મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજયો નિયમને લાગુ કરવા તત્પર હતા તો કેટલાક રાજયો ઈચ્છુક ન હતા.રાજય સરકારો સાથે સમજાવટ અને વારંવાર રિમાઈન્ડરને પગલે જમ્મુ કાશ્મીર અને લદાખ સહિત ભારતના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો અને દેશના ર8માંથી ર3 રાજયોમાં સરકારી ભરતીમાં ઈન્ટરવ્યૂ પ્રજા બંધ કરાઈ છે. ભરતીમાં લેખિત પરીક્ષાને આધાર બનાવવાથી દરેક ઉમેદવારને સમાન તકો ઉપલબ્ધ થાય છે. પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા વધતાં સરકારી તિજોરીને આર્થિક લાભ થયાનું અનેક રાજયોએ કહ્યું છે.
કોરોના પેન્ડેમિકની પરિસ્થિતિમાં 2020-21ના શૈક્ષણિક વર્ષનું પહેલું સત્ર સાવ જ ધોવાય જતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12માં 30 ટકા જેટલો અભ્યાસક્રમ ચાલુ શૈક્ષણિક વર્ષમાંથી કાઢી નાંખવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે.
કોરોના પેન્ડેમિકને કારણે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બિલકુલ સંભવી ન શકવાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્યના દિવસો અને અભ્યાસક્રમમાં ઘટાડો કરવા માટે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને 27 જૂલાઈ, 20 ઓગસ્ટ અને 11 સપ્ટેમ્બરે બેઠક યોજાઈ હતી જેમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ વિદો અને અધિકારીઓની ચર્ચાના નિષ્કર્ષ રૂપે કોર્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાંથી ઘટાડેલા મુદ્દાઓ પરીક્ષાના હેતુંથી ઘટાડવામાં આવ્યા છે અને તે પરીક્ષામાં પૂછાશે નહીં. જોકે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં શિક્ષકોએ તે મુદ્દાઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. આ અંગે વિગતવાર પરિપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. કયા મુદ્દાઓ અને પ્રકરણ અભ્યાસક્રમમાંથી રદ્દ કરવામાં આવશે તેની માહિત જિલ્લા શિક્ષણ અધિકારીઓના માધ્યમથી તમામ શાળાઓને મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત બોર્ડની વેબસાઈટ પર પણ તેને મૂકવામાં આવશે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અભ્યાસક્રમમાં ઘટાડો કરવાના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા જે દર વર્ષે માર્ચ મહિનામાં લેવામાં આવે છે તે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ વર્ષે મે મહિનામાં લેવાઈ શકે છે. આ ઉપરાંત ધોરણ 9 અને 11ની પરીક્ષા જૂનમાં યોજાઈ શકે છે જેથી કરીને સ્કૂલોમાં અભ્યાસક્રમ પૂરો થઈ શકે, તેમ શિક્ષણ મંત્રીએ કમલમ ભાજપની ઓફિસ ખાતે જણાવ્યું હતું.
ગુજરાતનાં નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હિલર-થ્રી વ્હિલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરી છે.
આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-૯થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હિલર ખરીદવા સરકાર ૧ર હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી ૧૦ હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. એટલું જ નહિ, વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હિલર ખરીદીમાં પણ ૪૮ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે. સાથોસાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા ૫૦ લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે.
16/9/20 મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખૂલે. કેન્દ્ર સરકારે અનલોક 4માં ધોરણ 9થી 12ના વર્ગો શરુ કરવા મંજૂરી આપી છે. જોકે, તે ફરજિયાત નહીં પરંતુ મરજિયાત છે. તેવામાં ગુજરાત સરકારે કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા સ્કૂલો બંધ જ રાખવાનું નક્કી કર્યું છે. કેબિનેટે એવું પણ નક્કી કર્યું છે કે ભવિષ્યમાં રાજ્યમાં કોરોનાના કેસો ઘટે ત્યારે જ સ્કૂલો ખોલવા અંગે નિર્ણય લેવાશે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર 9થી 12ના વર્ગો શરુ કરવા મરજિયાત છે. તેવામાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે સ્કૂલો બંધ જ રાખવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સામાન્ય રીતે 15 જૂનથી સ્કૂલો ખૂલી જતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે હજુ સુધી સ્કૂલો નથી ખૂલી અને વિદ્યાર્થીઓને ઓનલાઈન જ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
સુરતમાં અંબાણી સ્કુલની જગ્યાએ રેડીયન્ટ પીપલોદ ખાતે પરીક્ષા લેવાશે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરત શહેર જિલ્લા કે દક્ષિણ ગુજરાતમાંથી નીટ 2020 પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સુધી એ વાત પહોંચાડવી જરૂરી છે કે જે બાળકોની હોલ ટિકિટમાં પરીક્ષાનું કેન્દ્ર સુરત શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલી જે.એચ. અંબાણી સ્કુલનું કેન્દ્ર દર્શાવવામાં આવ્યું છે એ પરીક્ષા કેન્દ્ર છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યું છે. હવે જે.એચ.અંબાણી સ્કુલની જગ્યાએ પરીક્ષા કેન્દ્ર રેડીયન્ટ ઇંગ્લિશ એકેડેમી, રાજહંસ સિનેમા સામે, પીપલોદ, સુરત ખાતે બદલવામાં આવ્યું છે.
જે વિદ્યાર્થીઓની હોલટિકીટમાં જે.એચ. અંબાણી સ્કુલનો પરીક્ષાકેન્દ્ર તરીકે ઉલ્લેખ છે તેમણે પરીક્ષા આપવા માટે રેડીયન્ટ ઇંગ્લિશ એકેડેમી, રાજહંસ સિનેમા સામે, પીપલોદ, સુરત ખાતે જવાનું હોવાની જાહેરાત અખબારોમાં પણ આપવામાં આવી છે.
ઉપરોક્ત જાહેરાત તા.12મી સપ્ટેમ્બર 2020ના દિવ્યભાસ્કર દૈનિક, સુરત આવૃતિના પાના નં.9 પર પ્રકાશિત કરવામાં આવી છે
સૂચના મુજબના કપડા નહીં પહેરીને જશો તો કાઢી પણ મૂકી શકે, નીટ કેન્દ્રો પર ખૂબ કડકાઇ હોય છે, સહેજેય ઓવરકોન્ફીડન્સમાં ન રહેતા
ઉપરોક્ત સૂચનાઓ સત્તાવાર રીતે ગુજરાતીમાં જાહેર કરવામાં આવેલા નીટ-2020 પરીક્ષાના નોટિફિકેશનના પેજ નં.29 પર ઉપલબ્ધ છે. એ પેજની જેપીજી ઇમેજ અહીં રજૂ કરવામાં આવી છે.
નીટ પરીક્ષા 2020નું ગુજરાતી ભાષામાં સત્તાવાર નોટિફિકેશન પીડીએફ ફાઇલમાં જોઇતું હોય તો 98253 44944 પર નીટ શબ્દ વ્હોટસએપ કરવો
The candidates should to follow the following dress code while appearing for NEET (UG) – 2020
a) Light clothes with long sleeves are not permitted. However in case, candidates come in cultural/customary dress at the Examination Centre, they should report at least an hour before the last reporting time i.e. 12.30 pm so that there is enough time for proper frisking without any inconvenience to the candidate while maintaining the sanctity of the examination.
b) Slippers, sandals with low heels are permitted. Shoes are not permitted.
c) In case of any deviation required due to unavoidable (medical, etc.) circumstances, specific approval of NTA must be taken before the Admit Cards are issued.
It is desired that the candidates follow instructions issued by the NTA strictly. This will help NTA in the fair conduct of examination.
NEET 2020 in Brief
The National Testing Agency (NTA) is all set to conduct the National Eligibility Cum Entrance Test Undergraduate (NEET-UG), 2020 on Sunday, September 13, 2020.
Apart from following the Standard Operating Procedure (SOP) for the examination, candidates are required to follow the dress code on the examination day. NEET (UG) – 2020 is a Pen & Paper-based test, to be answered on the specially designed machine gradable sheet using Ball Point Pen.
An All India Merit List of the qualified candidates shall be prepared on the basis of All India Rank in the Merit List of the NEET (UG) – 2020 and candidates shall be admitted to Undergraduate Medical Courses from the said list only, with existing reservation policy.
NTA will only provide All India Rank to candidates, while Admitting Authorities will invite applications for Counselling and merit list shall be drawn based on All India Rank by the Admitting Authorities. Admission to Undergraduate Medical Courses within the respective categories shall be based solely on All India Rank as per merit list of NEET (UG) – 2020.
Admission to AIIMS/JIPMER/Deemed Universities/Central Universities/ESIC including Delhi University (DU), BHU & AMU will be conducted by DGHS/MoA/AACCC and reservation policy will be as per rules and regulations of the concerned University or Institutions.
Candidates should register on MCC website for admission to Deemed /Central University/ ESIC and AFMC for MBBS/BDS courses and AACCC website for admission to Deemed Universities/Central Universities/National Institutes for Undergraduate Medical Courses.
Admission to AFMC, Pune shall be subject to the norms prescribed by the Directorate General of Armed Forces Medical Services, Ministry of Defence, Government of India. Candidates who apply for NEET (UG) – 2020 and/or for seeking admission in AFMC also need to apply to AFMC on www.afmc.nic.in/www.afmcdg1d.gov.in.
નવી પેઢીના બાળકોના શિક્ષણ માટે ‘ઍન્ગેજ, ઍક્સપ્લોર, ઍક્સપ્રેસ ઍન્ડ ઍક્સલ’ નવો મંત્ર છે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવનારો નવો અભ્યાસક્રમ નવી શિક્ષણ નીતિને અનુરૂપ હશે.
વર્ષ ૨૦૨૨માં દેશ જ્યારે સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરશે ત્યાં સુધીમાં નવા અભ્યાસ્રમને નવી શિક્ષણ નીતિને અનુરૂપ બનાવવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
માર્કશિટ વિદ્યાર્થીઓ તેમ જ તેમના પરિવારજનો માટે પ્રેશરશિટ અને પ્રેસ્ટિજશિટ બની ગઈ હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો આશય આ પ્રેશર દૂર કરવાનો છે.
નવી શિક્ષણ નીતિ અભ્યાસક્રમ ઘટાડશે તેમ જ શિક્ષણને મનોરંજન અને સંપૂર્ણ અનુભવ આધારિત બનાવશે, એમ તેમણે કહ્યું હતું.
શિક્ષણ ખાતા દ્વારા આયોજન કરવામાં આવેલી ‘સ્કૂલ ઍજ્યૂકેશન કૉન્ક્લેવ’ને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે અભ્યાસક્રમનું માળખુ વિકસાવવામાં આવશે અને વર્ષ ૨૦૨૨માં દેશ સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરશે ત્યાર સુધીમાં તે તૈયાર થઈ જશે.
નવો અભ્યાસક્રમ વૈજ્ઞાનિક ઢબનો હોવા ઉપરાંત વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરશે.
નવી શિક્ષણ નીતિના અમલ અગાઉ માય ગવર્નમેન્ટ પૉર્ટલ મારફતે એક જ અઠવાડિયામાં ૧૫ લાખ કરતા પણ વધુ સૂચનો આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરતા તેમણે કહ્યું હતું કે ભાષા માત્ર અભ્યાસ કરવાનું માધ્યમ છે, પરંતુ ભાષા પોતે અભ્યાસ નથી.
વડા પ્રધાને શિક્ષકોને કોરોના વાઈરસની માર્ગદર્શિકાનું ભારપૂર્વક પાલન કરવા જણાવ્યું હતું.
તેમણે શિક્ષકોને માસ્કથી મોઢું ઢાંકવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને સ્વચ્છતા જાળવવા કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી દેશમાં માર્ક અને માર્કશિટ આધારિત શિક્ષણ હતું.
માર્કશિટ વિદ્યાર્થીઓ માટે પ્રેસરશિટ અને પરિવારજનો માટે પ્રેસ્ટિજશિટ બની ગઈ હતી.
નવી શિક્ષણ નીતિ બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરતી હોવા ઉપરાંત મનોરંજન, શોધ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, એમ તેમણે કહ્યું હતું.
નવી પેઢીના બાળકોના શિક્ષણ માટે ‘ઍન્ગેજ, ઍક્સપ્લોર, ઍક્સપ્રેસ ઍન્ડ ઍક્સલ’ નવો મંત્ર છે, એમ તેમણે કહ્યું હતું.
અમારું કામ હજુ તો શરૂ થયું છે એ જણાવતાં મોદીએ કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો સમાનતા અને અસરકારક રીતે અમલ કરવામાં આવશે.
નવી શિક્ષણ નીતિ નવા યુગના આરંભનું બીજ વાવશે અને તે ૨૧મી સદીના ભારતને નવી દિશા આપશે, એમ તેમણે કહ્યું હતું.
ઇન્સ્ટીટ્યુટ ઓફ બેંકિંગ પર્સોનેલ સિલેક્શન The Institute of Banking Personnel Selection (IBPS) દ્વારા દેશની નામાંકિત 11 નેશનલાઇઝ્ડ બેંકોમાં ખાલી પડેલી ક્લેરીકલ કેડરની કુલ 1558 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા આજરોજ તા.2 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી શરુ કરવામાં આવી છે.
કોઇપણ ફેકલ્ટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઇ શકે છે
રસ ધરાવતા ઉમેદવારોએ official website of IBPS — ibps.in પરથી ઓનલાઇન એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે.
આ બેંકોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરાશે
Bank of Baroda,
Canara Bank,
Indian Overseas Bank,
UCO Bank,
Bank of India,
Central Bank of India,
Punjab National Bank,
Union Bank of India,
Bank of Maharashtra,
Indian Bank Punjab &
Sind Bank
રસ ધરાવતા ઉમેદવારો માટે અગત્યની તારીખો
Activity
Tentative Dates
On-line registration
02.09.2020 to 23.09.2020
Payment of Application Fees
02.09.2020 to 23.09.2020
Download of call letters for Pre- Exam
17.11.2020 onwards
Conduct of Pre-Exam Training
23.11.2020 to 28.11.2020
Download of call letters for Online
examination
Preliminary 18.11.2020
Online Examination – Preliminary
05.12.2020, 12.12.2020 and 13.12.2020
Result of Online exam – Preliminary
31.12.2020
Download of Call letter for Online exam –
Main
12.01.2021
Online Examination – Main
24.01.2021
Provisional Allotment
01.04.2021
પરીક્ષા દ્વી સ્તરીય
આ પરીક્ષા પ્રીલીમનરી અને મેઇન એમ બે તબક્કામાં લેવામાં આવશે. પ્રીલીમનરી પરીક્ષા 5મી ડિસેમ્બર, 12 ડિસેમ્બર અને 13મી જાન્યુઆરીએ લેવાશે. મેઇન એક્ઝામ તા.24મી જાન્યુઆરીએ લેવામાં આવશે.
In English
The Institute of Banking Personnel Selection (IBPS) has invited online applications for the next Common Recruitment Process for selection of personnel for Clerical cadre Posts in the Participating Organisations.
The interested candidates can submit their online applications for the IBPS Clerk 2020 recruitment through the official website of IBPS — ibps.in — from today, i.e., September 2, 2020. The last date to submit online applications for the IBPS Clerk post is September 23. Candidates can make application fee payments between September 2 to 23.
IBPS is conducting this recruitment drive to fill up 1558 Clerical vacancies. The recruitment process will include online preliminary exam and online main examination.
The notification reads “Depending on the vacancies to be filled in during the financial year 2021-22 based on the business needs of the Participating Organisations and as reported to IBPS, candidates shortlisted will be provisionally allotted to one of the Participating Organisations keeping in view the spirit of Govt. Guidelines on reservation policy, administrative convenience, etc. The validity for CRP Clerks-X will automatically expire at the close of business on 31.03.2022 with or without giving any notice.”
ભરતી પ્રક્રિયાનું સત્તાવાર નોટિફિકેશન પીડીએફ ફાઇલમાં મેળવવા માટે 98253 44944 પર IBPS sms કરો
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.