CIA ALERT

યંગિસ્તાન Archives - Page 10 of 37 - CIA Live

June 11, 2021
CIA_Live_Logo_New2.jpg
1min1126

ગોધરા ખાતે તા.૫ થી ૨૨મી ઓગસ્ટ દરમિયાન લશ્કરની વિવિધ ૭ કેટેગરીમાં લશ્કરી ભરતી રેલીનું આયોજન

Indian Army recruitment racket: Kingpin questioned over links with  Pakistan's ISI - The Economic Times

લશ્કરી ભરતી કચેરી,અમદાવાદ દ્વારા ગુજરાતનાં ૨૦ જિલ્લાઓ અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉમેદવારો આવરી લેતા આર્મી ભરતી કેમ્પનું આયોજન હાથ ધર્યું છે.

આગામી તા:૦૫ થી તા:૨૨ ઓગસ્ટ દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત કનેલાવ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, કનેલાવ ખાતે લશ્કરી ભરતી યોજાશે.

લશ્કરની વિવિધ સાત કેટેગરીમાં યોજાનાર આ રેલીમાં

  • સોલ્જર જનરલ ડ્યુટી, 
  • સોલ્જર ટ્રેડસમેન, 
  • સોલ્જર ટેક્નિકલ (એવિએશન/કમ્યુનિકેશન એકઝામિનર), 
  • સોલ્જર નર્સિંગ આસિસટન્ટ/નર્સિંગ વેટરનરી અને
  • સોલ્જર ક્લાર્ક/ સ્ટોરકીપર/ ટેક્નિકલ ઇન્વેન્ટરી મેનેજમેન્ટની જગ્યાઓનો સમાવેશ થાય છે.

જેમાં ધો.૮ પાસથી લઇ ધો.૧૨/ડિપ્લોમા/ડિગ્રીધારક અપરિણિત યુવાનો વિવિધ જગ્યાઓને અનુરૂપ વયમર્યાદાને ધ્યાને રાખી આર્મી ભરતી રેલીમાં ભાગ લઇ શકશે. આ ભરતીમાં પંચમહાલ, આણંદ, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, સાબરકાંઠા, વડોદરા, મહેસાણા, સુરત, બનાસકાંઠા, નર્મદા, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, છોટાઉદેપુર, ભરૂચ, ખેડા, દાહોદ, દમણ, દાદરા અને નગર હવેલીનો જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે.                

આ લશ્કરી ભરતીમાં ભાગ લેવા ઇચ્છતા સુરત જિલ્લાના ઉમેદવારોએ

વેબસાઈટ www.joinindianarmy.nic.in પર મૂકાયેલા નોટિફિકેશનનો અભ્યાસ કરી તા:૨૦ જુલાઈ ૨૦૨૧ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વધુ વિગત માટે લશ્કરી ભરતી કચેરી,અમદાવાદમાં હેલ્પલાઇન નં. ૦૭૯-૨૨૮૬૧૩૩૮ અથવા ૯૯૯૮૫૫૩૯૨૪ ઉપર સંપર્ક કરવો. આ ઉપરાંત રોજગાર સેતુ નં. ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર કોલ કરી આપના જિલ્લાની રોજગાર કચેરીઓનો સંપર્ક કરી શકાશે.

June 9, 2021
gseb-1280x720.jpg
1min582

સરકારે ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરવાની જાહેરાત કર્યા બાદ તેમના પરિણામ તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી.

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યા બાદ તેમના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)માં માસ પ્રમોશનથી પાસ લખવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર કરી તેમના તાબાની સ્કૂલોને આ અંગે સૂચના આપવા તાકીદ કરાઈ છે.

વિદ્યાર્થીઓના ઓનલાઈન ગુણ મોકલવામાં બેદરકારી દાખવનારા શાળાના આચાર્ય સામે કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવાયો છે. આ વર્ષે બોર્ડ દ્વારા ગુણ ચકાસણી કરવામાં આવનાર ના હોવાથી શાળાઓને ગુણ મોકલવામાં ખાસ તકેદારી રાખવાનું જણાવાયું છે.

સ્કૂલોને માર્ક મોકલવા માટેની સૂચના આપવામાં આવી છે કે સ્કૂલોએ માસ પ્રમોશનની ફોર્મ્યુલા પ્રમાણે, ગુણપત્રક તૈયાર કરી વિદ્યાર્થીના નામ, એપ્લિકેશન નંબરની સામે 80+20 ગુણ બોર્ડ કક્ષાના વિષયમાં દર્શાવાના રહેશે. દ્યારે શાળા કક્ષાના વિષયમાં 50+50+20 ગુણ અપલોડ કરવાના રહેશે.

RMAS સંચાલિત શાળાઓમાં વ્યવસાયલક્ષી વિષય ભણાવવામાં આવતો હોય તો 30+20 પ્રમાણે ગુણાંકન કરવાનું રહેશે અને 80+20 મુજબ ઓનલાઈન ભરવાનું રહેશે. ઓનલાઈન ગુણ અપલોડ કરવાની તમામ જવાબદારી શાળાના આચાર્યની રહેશે. જો કોઈ વિદ્યાર્થીના ગુણ ભરવામાં બેદરકારી ધ્યાનમાં આવશે કે બેદરકારીભર્યું ગુણાંકન કરવામાં આવશે તો તેની સામે શિસ્ત વિષયક કાર્યવાહી બોર્ડ દ્વારા કરાશે, તેમ જણાવાયું છે. શાળા દ્વારા ઓનલાઈન મૂકવામાં આવેલા ગુણ અને ગુણપત્રકમાં પ્રિન્ટ થયેલા ગુણ બાબતે કોઈ વિસંગતતા જણાય તો સ્કૂલે બોર્ડમાં રજૂઆત કરવાની રહેશે.

રજૂઆત કરતા ઓનલાઈન ભરેલા ગુણની પ્રિન્ટ, શાળા ગુણાંકન સંબંધિત તમામ દસ્તાવેજો અને વિદ્યાર્થીના ઓનલાઈન ભરાયેલા આવેદનપત્રની નકલ રજૂ કરવાની રહેશે. આ વર્ષે શાળા દ્વારા ગુણાંકન કરવામાં આવનાર હોવાથી ગુણ ચકાસણીની પ્રક્રિયા થશે નહીં.

ચાલુ વર્ષે ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં રિમાર્ક્સના ખાનામાં ધોરણ 10ની પરીક્ષા માસ પ્રમોશનથી પાસ જાહેર થયેલા તેમ લખવાનું રહેશે. આમ, ધોરણ 10ના માસ પ્રમોશનથી પાસ થયેલા વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશન પાસ નહીં લખાય પરંતુ LCમાં માસ પ્રમોશન પાસ લખાઈને આવશે. ઉપરાંત પરીક્ષામાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીનું મૃત્યુ કે ઉમેદવાર સ્કૂલ છોડીને લિવિંગ સર્ટિફિકેટ લઈ ગયા હોય તો તે વિદ્યાર્થીનું આવેદનપત્ર રદ કરવા પાત્ર થશે. તેવા આવેદનપત્રની યાદી બનાવી તેમજ અસલ પ્રવેશિકા પર લાલ સહીથી રિમાર્ક કરી બોર્ડની કચેરીએ મોકલવાની રહેશે તેવી સૂચના પણ બોર્ડ દ્વારા અપાઈ છે.

June 8, 2021
KN_chavda.jpg
1min451

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ ધો.12ના વિદ્યાર્થીઓ તથા વાલીઓને રાહત થાય એવી એક અગત્યની જાહેરાત કરતા જણાવ્યું છે કે ધો.12 પછી વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોઇપણ અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્યવાહી તા.21મી જૂન પછી શરૂ થશે. હાલ કોઇપણ પ્રકારની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ શરૂ કરેલી પ્રવેશ કાર્યવાહીને કારણે ધો.12ના વાલીઓ વિદ્યાર્થીઓમાં પ્રર્વતેલી ગેરસમજ અંગે સ્પષ્ટતા કરતા વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા

વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો. ચાવડાએ કહ્યું કે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખોટી અફવાથી ગેરમાર્ગે દોરાય નહીં. વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ કાર્યવાહી માટે હાલ સિસ્ટમ ગોઠવવામાં આવી રહી છે. હજુ ધો.12ના પરીણામ અંગે કોઇ ક્લેરિટી નથી. આથી તા.21 જૂન 2021 પછી પ્રવેશ કાર્યવાહી અંગે જાહેરાત કરીને ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવા અંગે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શુલભ હોય તેવા તમામ માધ્યમથી માહિતગાર કરવામાં આવશે. કોઇ વિદ્યાર્થી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન વગર રહી નહીં જાય.

હાલમાં કોઇપણ પ્રકારની પ્રવેશ કાર્યવાહી વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવી નથી.

તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ વીર નર્મદ યુનિવર્સિટીની વેબસાઇટ જોતા રહેવું.

June 4, 2021
gseb-1280x720.jpg
3min410

ધો.10ના પરીણામ અંગે ગુજરાત બોર્ડના સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરવા નીચેની લિંક ક્લીક કરો

https://www.gsebeservice.com/assets/news/1089%20DEO%20Letter.pdf

માસ પ્રમોશન બાદ ધોરણ દસની માર્કશીટ કઈ રીતે તૈયાર થશે?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડે સમિતિની ભલામણને આધારે ધોરણ 10નું પરિણામ તૈયાર કરવાની માર્ગદર્શિકા જાહેર કરી છે. 80માંથી આ રીતે અપાશે ગુણ.

  • ધો. 9 અને 10ની શાળા કક્ષાએ લેવાયેલી પરીક્ષાને આધારે તૈયાર થશે પરિણામ.
  • ધોરણ 9ના 40 અને ધોરણ 10ના 40 એમ કુલ 80 ગુણમાંથી અપાશે માર્ક્સ.
  • બે ભાગમાં થશે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડે સમિતિની ભલામણને આધારે ધોરણ 10નું પરિણામ તૈયાર કરવાની માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ ધોરણ 10નું પરિણામ ધોરણ 9 અને 10ની શાળા કક્ષાએ લેવાયેલી પરીક્ષાને આધારે તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. ધોરણ 9ની પરીક્ષાના 40 ગુણ અને ધોરણ 10ની પરીક્ષાના 40 ગુણ તેમજ ધોરણ 10ના શાળાકીય આંતરિક મૂલ્યાંકનના 20 ગુણના આધારે ધોરણ 10નું પરિણામ તૈયાર કરવામાં આવશે. પરીક્ષામાં કોઈપણ વિદ્યાર્થીને નાપાસ કરવામાં નહીં આવે. પાસ થવા માટે જેટલા ગુણ ખૂટતા હશે તેટલા ગુણ આપી પાસ કરી દેવાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા લેવાના બદલે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત થઈ હતી. જે બાદ પરિણામ તૈયાર કરવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જેમાં ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે ભાગમાં કરવામાં આવશે. પ્રથમ ભાગમાં શાળાકીય આંતરિક મૂલ્યાંકન અને બીજા ભાગમાં શાળાકીય કસોટીના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે.

શાળાકીય આંતરિક મૂલ્યાંકનના કુલ 20 ગુણ નક્કી કરાયા છે. જેમાં ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓનું આંતરિક મૂલ્યાંકન થશે. શાળા દ્વારા નિયમિત વિદ્યાર્થીઓને તેમણે પસંદ કરેલા વિષયોમાં બોર્ડ દ્વારા નિયત કરેલા ધારાધોરણ મુજબ 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન કરવાનું રહેશે. શાળાકીય આંતરિક મૂલ્યાંકનના વિષયવાર 20 ગુણમાંથી મેળવેલા ગુણને બોર્ડ દ્વારા તૈયાર કરાયેલી ઓનલાઈન એપ્લિકેશનમાં ભરવાના રહેશે.



માસ પ્રમોશનના કારણે બોર્ડ દ્વારા યોજાતી 80 ગુણની પરીક્ષા લેવાઈ શકી નથી. જેથી તેના બદલે માધ્યમિક કક્ષાએ લેવામાં આવેલી કસોટીના આધારે ગુણાંકન કરવાનું રહેશે. તે માટે બોર્ડ દ્વારા પદ્ધતિ જાહેર કરવામાં આવી છે. જેમાં ધોરણ 9ની પરીક્ષાના 40 ગુણ અને ધોરણ 10ની પરીક્ષાના 40 ગુણ મળીને કુલ 80 ગુણના આધારે પરિણામ તૈયાર કરાશે.


વિદ્યાર્થીએ ધોરણ 9ની પ્રથમ સામાયિક કસોટીના કુલ 50 માર્કસમાંથી મેળવેલા માર્કસને 40 %માં રૂપાંતરિત કરવાની રહેશે. જેના મહત્તમ 20 ગુણ રહેશે. ધોરણ 9ની બીજી સામાયિક કસોટીના કુલ 50 માર્કસમાંથી મેળવેલા માર્કસને 40%માં રૂપાંતરિત કરેલા માર્કસ આપવાના રહેશે અને તે પણ મહત્તમ 20 માર્ક્સ હશે. જ્યારે ધોરણ 10ની 19 માર્ચ 2021થી 27 માર્ચ 2021 દરમિયાન ઓનલાઈન કે ઓફલાઈન યોજાયેલી પ્રથમ સામાયિક કસોટીના કુલ 80 માર્કસમાંથી મેળવેલા માર્કસને 37.5%માં રૂપાંતરિત કરેલા માર્કસમાંથી આપવાના રહેશે. આમાંથી મહત્તમ 30 માર્ક્સ આપી શકાશે. વિદ્યાર્થીના ધોરણ 10ની એકમ કસોટી (કુલ 25 માર્કસ)માંથી મેળવેલા માર્કસને 40%માં રૂપાંતરિત કરીને માર્ક્સ આપવાના રહેશે. આમાંથી મહત્તમ 10 ગુણ આપી શકાશે. આમ, ધોરણ 9 અને 10ના મળીને કુલ 80માંથી માર્ક્સ અપાશે.



ખૂટતા ગુણ માટે શું?

વિદ્યાર્થીને માસ પ્રમોશનના કારણે પાસ થવામાં ખૂટતા ગુણની તૂટ બોર્ડ દ્વારા પરિણામમાં દર્શાવીને ગુણ તૂટ ક્ષમ્ય ગણવામાં આવશે. વિદ્યાર્થીને પાસ થવામાં જેટલા ગુણ જોઈતા હશે તેટલા ગુણની તૂટ માફ કરીને પરિણામ પાસ જાહેર કરાશે. આવા ઉમેદવારના પરિણામ પત્રકમાં ડી-ગ્રેડ દર્શાવાશે. ધોરણ 10ની પરીક્ષામાં દરેક વિષયમાં 80માંથી 26 માર્ક્સ અને આંતરિક મૂલ્યાંકનના 20માંથી 7 માર્ક્સ મેળવી ના શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને માસ પ્રમોશનના કારણે પાસ જાહેર કરાશે.

મૂલ્યાંકન માટે પસંદ કરવાના ધારા-ધોરણો પ્રમાણે કોવિડ-19ની પરિસ્થિતિ પહેલાના શૈક્ષણિક વર્ષોમાં કોઈ ઉમેદવારની બાબતમાં નિયત કરેલા એક અથવા એકથી વધુ ધારા-ધોરણોના માપદંડોમાં ઉમેદવાર ઉપસ્થિત ના હોય તેવું કદાચ બની શકે. આવા કિસ્સામાં માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાના હોઈ બોર્ડ દ્વારા ખૂટતા ગુણની તૂટ ક્ષમ્ય કરીને પાસ જાહેર કરાશે. મૂલ્યાંકન માટે નિયત કરેલા માપદંડમાંથી કોઈ એક માપદંડમાં એક કરતાં વધુ માપદંડમાં ઉમેદવાર ગેરહાજર હોય તો તેવા કિસ્સામાં શૂન્ય ગુણ દર્શાવાના રહેશે.


શાળા પરિણામ સમિતિ રચાશે

ધોરણ 10ના પરિણામ તૈયાર કરવા માટે દરેક શાળાના આચાર્યની અધ્યક્ષતામાં માધ્યમિક શાળાના વિષય શિક્ષકોની એક સમિતિની રચના કરવાની રહેશે. પરિણામ તૈયાર થયા બાદ સમિતિએ તે માટે ઉપયોગમાં લીધેલા તમામ આધારો પર સહી કરીને તારીખ લખવાની રહેશે. શાળા પરિણામ સમિતિ માટે આ પરિણામ માટે જવાબદાર રહેશે.

જુલાઈના બીજા અઠવાડિયે આવશે માર્કશીટ

બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થીઓના પરિણામનું શાળાઓએ 4 જૂનથી લઈને 10 જૂન સુધીમાં આખરીકરણ કરવાનું રહેશે. ત્યારબાદ શાળા દ્વારા તૈયાર કરેલા પરિણામ બોર્ડની વેબસાઈટ પર 8 જૂનથી 17 જૂન સુધી અપલોડ કરવાના રહેશે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન પરિણામની જાહેરાત જૂનના અંતિમ અઠવાડિયામાં કરાશે. જ્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું માર્કશીટ વિતરણ જુલાઈના બીજા અઠવાડિયાથી કરાશે.

June 2, 2021
cbse1.jpg
1min450

દેશભરમાં કોરોનાની મહામારીને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીબીએસઈ બૉર્ડની બારમા ધોરણની પરીક્ષા રદ કરવાનો સરકારે મંગળવારે નિર્ણય લીધો હતો.

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીઆઈએસસીઈ બોર્ડે પણ બારમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હોવાનું બોર્ડના સેક્રેટરી ગેરી અરથાનુ કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને તેમ જ વિદ્યાર્થીઓ અને વાલીઓની બેચેનીનો અંત આણવા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સીબીએસઈ બૉર્ડ નિર્ધારિત સમયમર્યાદામાં પરિણામ તૈયાર કરવા પગલાં લે એવો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો હતો.

અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં થયેલા વધારા અને ભવિષ્યમાં આરોગ્ય સંબંધિત સમસ્યા ઊભી થવાની આશંકા વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવતાં મોદીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓનું આરોગ્ય અને તેમની સુરક્ષા સર્વોપરી છે અને તેની સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં મોદીને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની બેચેનીનો અંત આણવો જોઈએ અને આવી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની ફરજ ન પાડવી જોઈએ.

મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે સંબંધિત લોકોએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે સંવેદનશીલતા દર્શાવવી જોઈએ.

સમીક્ષા બેઠકમાં અધિકારીઓએ રાજ્ય સરકાર સહિત, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા અભિપ્રાય અને કરવામાં આવેલી વ્યાપક ચર્ચાવિચારણાની વિગતો રજૂ કરી હતી.

આ વિગતોની સમીક્ષા કર્યા બાદ સીબીએસઈ બૉર્ડની બારમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાની મહામારીએ શૈક્ષણિક વર્ષ પર વિપરીત અસર કરી હોવાનું જણાવતાં મોદીએ કહ્યું હતું કે બૉર્ડની પરીક્ષાએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં તીવ્ર બેચેની ઊભી કરી હતી જેનો અંત આણવાની જરૂર હતી.

આ પરિસ્થિતિમાં સ્વાભાવિક રીતે જ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો આરોગ્ય અંગે ચિંતિત હતા એમ જણાવતાં મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે આવી તણાવપૂર્ણ સ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની ફરજ ન પાડવી જોઈએ.

May 31, 2021
breaking_CIA-1280x831.jpg
1min737

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ICMAI ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાની જૂન 2021માં નિર્ધારિત કરાયેલી ફાઉન્ડેશન, ઇન્ટરમિડીએટ અને ફાઇનલ્સની પરીક્ષાઓને મુલતવી રાખી દેવાનું નોટીફિકેશન આજરોજ તા.31મી મે 2021ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં વધુમાં જણાવાયું છે કે મુલતવી રાખવામાં આવેલી પરીક્ષાઓનું નવું સમયપત્રક સમયસર વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે.

કોવીડ-19 પેન્ડેમિકને કારણે દેશના અનેક રાજ્યોમાં હજુ લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી હોઇ, અનેક જિલ્લાઓમાં પરીક્ષા લઇ શકાય તેવી સ્થિતિ નથી. આથી જૂન 2021ની ICMAIના ત્રણેય સ્તર ફાઉન્ડેશ, ઇન્ટરમિડિએટ અને ફાઇનલ્સની પરીક્ષાઓ મૌકુફ રાખી દેવામાં આવી છે.

May 30, 2021
coronavictims.jpg
3min542

ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર બીજી મુદતનું બીજું વરસ પૂરી કરી રહી હોવાની પૂર્વસંધ્યાએ એટલે કે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાને કારણે માતાપિતા ગુમાવનાર બાળકોના કલ્યાણ માટે અનેક પગલાંઓની જાહેરાત કરી હતી જેમાં તેમને શિક્ષણ આપવા સહિત તેઓ ૧૮ વર્ષના થાય ત્યારે તેમને રૂ. ૧૦ લાખનું કૉર્પસ આપવાનો પણ સમાવેશ થાય છે. કોરોનાને કારણે માતાપિતાને ગુમાવનાર બાળકોને મદદરૂપ થવા લેવામાં આવનારાં સંભવિત પંગલાંઓ અંગે ચર્ચા કરવા યોજાયેલી બેઠકનું અધ્યક્ષપદ સંભાળતા મોદીએ કહ્યું હતું કે ‘પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન’ યોજના અંતર્ગત આવા બાળકોને મદદ કરવામાં આવશે. પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસ (પીએમઓ) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આવા બાળકોના નામે ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) ખોલવામાં આવશે.

વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી યોજના અંતર્ગત પીએમ કેર્સ ફંડ મારફતે યોગદાન આપી આવું પ્રત્યેક બાળક જ્યારે ૧૮ વર્ષનું થશે ત્યારે તેના માટે રૂ. ૧૦ લાખનું કૉર્પસ ઊભું કરવામાં આવશે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આ કૉર્પસનો ઉપયોગ બાળક ૧૮ વર્ષનું થાય ત્યાર બાદ ઉચ્ચ અભ્યાસના સમયગાળા દરમિયાન તેની અંગત જરૂરિયાત પૂરી કરવા માટે પાંચ વર્ષ સુધી તેને માસિક આર્થિક સહાય કે સ્ટાયપન્ડ આપવા ઉપયોગમાં લેવામાં આવશે.

બાળક ૨૩ વર્ષનું થયા બાદ અંગત કે વ્યાવસાયિક ઉપયોગ માટે આ કૉર્પસની રકમ તેને આપવામાં આવશે.

આ જાહેરાત કરતી વખતે મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે બાળકો દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે.

સરકાર તેમની સુરક્ષા અને સહાય માટે બનતું બધું જ કરશે જેથી કરીને આ બાળકો દેશના સશક્ત નાગરિકો બને અને તેમનું ભવિષ્ય ઉજળું રહે, એમ તેમણે કહ્યું હતું.

મોદીએ કહ્યું હતું કે કટોકટીના આવા સમયમાં એક સમાજ તરીકે બાળકોની કાળજી લઈ તેમનામાં ઉજળા ભવિષ્યની આશાનું નિરુપણ કરવું એ આપણી ફરજ છે.

તમામ બાળકો જેમણે કોરોનાને કારણે માતાપિતા કે તેમને દત્તક લેનાર પાલક માતાપિતા બંને ગુમાવ્યા હોય તેમને આ યોજના હેઠળ સહાય આપવામાં આવશે એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આવા બાળકોના શિક્ષણ અંગે લેવામાં આવનારાં પગલાં પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે ૧૦ વર્ષથી નાના બાળકોને નજીકના કેન્દ્રીય વિદ્યાલય કે ખાનગી શાળામાં ઍડમિશન આપવામાં આવશે.

૧૧થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને સૈનિક સ્કૂલ, નવોદયા વિદ્યાલય જેવી કેન્દ્ર સરકારની કોઈપણ શાળામાં ઍડમિશન આપવામાં આવશે.

જો બાળકને ખાનગી સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો હશે તો રાઈટ ટૂ ઍજ્યૂકેશન ઍક્ટની જોગવાઈ મુજબ તેની ફી, સ્કૂલ યુનિફોર્મ, પુસ્તકો અને નૉટબુકનો ખર્ચ પીએમ કૅર ફંડમાંથી આપવામાં આવશે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

હાલના નિયમાનુસાર ઉચ્ચ શિક્ષણ માટે આવા બાળકોને ભારતમાં પ્રોફેશનલ કૉર્સ કે ઉચ્ચ શિક્ષણ માટે ઍજ્યૂકેશન લૉન મેળવવામાં પણ મદદ કરવામાં આવશે અને તેનું વ્યાજ પીએમ કેર ફંડમાંથી ભરવામાં આવશે.

વિકલ્પરૂપે આવા બાળકોને કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજના હેઠળ વૉકેશનલ કૉર્સ કે અન્ડર ગ્રૅજ્યૂએટ કૉર્સની ટ્યૂશન ફીના પ્રમાણમાં સ્કૉલરશિપ આપવામાં આવશે.

આવા તમામ બાળકોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના તેમ જ આયુષમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને તેમને પાંચ લાખ રૂપિયાનું વીમાકવચ પણ આપવામાં આવશે.

આ બાળકો ૧૮ વર્ષના થાય ત્યાં સુધી વીમાનું પ્રીમિયમ પીએમ કેર ફડમાંથી ભરવામાં આવશે.

કોરોનાને કારણે અત્યાર સુધીમાં દેશમાં ૫૭૭ બાળક અનાથ થયા છે, એમ મહિલા અને બાળવિકાસ ખાતાનાં પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું. (એજન્સી)

આશ્રિતોને પૅન્શન અપાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ને લીધે મરણ પામેલાના આશ્રિતોને પૅન્શન આપવા સહિત જે કુટુંબની કમાતી વ્યક્તિનું મરણ કોરોનાને કારણે થયું હોય એવા કુટુંબોને મદદરૂપ થાય એવા અનેક પગલાંની જાહેરાત શનિવારે કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ફૅમિલી પૅન્શનની ઉપરાંત ઍમપ્લોયી ડિપોઝિટ-લિંક્ડ ઇન્સ્યુરન્સ (ઇડીએલઆઇ) યોજનાને વધુ ઉદાર અને વિસ્તારીત કરાઇ છે. આ પગલાં એવા કુટુંબોની નાણાકીય સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થશે. મોદીએ જણાવ્યું હતું કે મારી સરકાર આવા કુટુંબોની સહાયતા માટે એમની પડખે ઊભી છે. આવા કુટુંબો ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ માટે ઇએસઆઇસી પૅન્શન યોજનાને કોવિડને કારણે મરણ પામેલી વ્યક્તિઓ માટે પણ વિસ્તારીત કરાઇ હોવાની વાત પીએમઓ કાર્યાલયે જણાવી હતી.

આવી વ્યક્તિના આશ્રિતો સરેરાશ મેળવતા દૈનિક વેતનના ૯૦ ટકા જેટલું પૅન્શન મેળવી શકશે. આ યોજનાનો લાભ ૨૪મી માર્ચ ૨૦૨૦થી ૨૪મી માર્ચ ૨૦૨૨ સુધીના આવા બધા જ કેસ માટે અમલમાં રહેશે.

ઇડીએલઆઇ વીમાના લાભ વધારવાનો લાભ કોરોનાને લીધે મરણ પામેલા કર્મચારીઓના કુટુંબીઓને મળશે. વીમાના મહત્તમ લાભની રકમ છ લાખ રૂપિયાથી વધારીને સાત લાખ રૂપિયા કરવામાં આવી છે અને ઓછામાં ઓછી રકમ અઢી લાખ રૂપિયા ૧૫મી ફેબ્રુઆરી ૨૦૨૦થી ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે.

પીએમઓ કાર્યાલયે વધુમાં જણાવ્યું હતું કે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આ વિશેની વિસ્તૃત માહિતી જાહેર કરશે. (પીટીઆઇ)

ડેટા અપલોડ થશે

નવી દિલ્હી: નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર)એ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાની મહામારીમાં માતાપિતા બંને અથવા માતાપિતામાંથી એક જણ ગુમાવનાર બાળકોનો ડેટા એમના પોર્ટલ પર અપલોડ કરવા જણાવ્યું છે.

મહિલા અને બાળકલ્યાણ ખાતાના પ્રધાન સ્મૃતિ ઇરાનીએ મંગળવારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગત એક એપ્રિલથી પચીસ માર્ચ સુધીના રિપોર્ટના આધારે જણાવ્યું હતું કે દેશભરમાં ૫૭૭ બાળકો અનાથ થયા હતા. સુપ્રીમ કોર્ટે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા

અધિકારીઓને બાળ સ્વરાજ પોર્ટલ પર કોવિડ કેર લિંક હેઠળ ૨૪ કલાકની અંદર અનાથ બાળકોનો ડેટા ભરવાનો આદેશ આપ્યાના એક દિવસ બાદ સર્વોચ્ચ બાળ અધિકાર સંસ્થા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

બાળ સ્વરાજ એ એનસીપીસીઆરનું ઓનલાઇન ટ્રેકીંગ પોર્ટલ છે જે સુરક્ષા અને સંભાળની જરૂરિયાતવાળા બાળકો પર ધ્યાન આપે છે. (પીટીઆઇ)

તમિળનાડુ સરકાર

₹ પાંચ લાખ આપશે

ચેન્નઇ: તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને કોરોનાને કારણે માતા-પિતા ગુમાવનારા બાળકો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની શનિવારે જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર ગ્રેજ્યુએશન સુધી તેમના શિક્ષણ અને છાત્રાલયનો ખર્ચ ઉઠાવશે. માતા અને પિતામાંથી એક ગુમાવનારા બાળકોને ત્રણ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. એમ. કે. સ્ટાલિનની એઅધ્યક્ષતાવાળી બેઠકમાં

બાળકોના ખાતામાં પાંચ લાખ રૂપિયા જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે તેમને આજીવિકા માટે મદદરૂપ થશે. બાળકો ૧૮ વર્ષના થાય ત્યાર પછી જમા કરેલી રકમ વ્યાજની રકમ સાથે બાળકને આપવામાં આવશે. સરકારી મકાનોમાં આ બાળકોને પ્રાધાન્ય આપવામાં આવશે.

તમિળનાડુ સરકારે માતાપિતા ગુમાવનારા બાળકોની દેખરેખ માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે.

આસામ સરકાર નાણાકીય સહાયતા કરશે: સીએમ

ગુવાહાટી: કોવિડ-૧૯ને લીધે અનાથ થયેલા દરેક બાળકોના શિક્ષણ અને અન્ય ખર્ચ માટે આસામ સરકાર એમનાં વાલીઓને દર મહિને બાળકદીઠ રૂ. ૩૫૦૦ની નાણાકીય સહાયતા કરશે.

આસામના મુખ્ય પ્રધાન હિમંતા સર્માએ આ જાહેરાત કરવા સાથે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જે બાળકોનું કોઇ સગું નહીં હોય એમને આશ્રમશાળા

અથવા એવી સંસ્થામાં મોકલવામાં આવશે અને એમનો બધો ખર્ચ સરકાર ઉઠાવશે.

કોરોનાના રોગચાળાને લીધે જે બાળકોએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે, એ બધા આગળ જઇને પગભર થઇ શકે એ માટે એમને કુશળતા કેળવી શકાય એવા તાલીમ આપવામાં આવશે.

આ માટે રવિવારે મુખ્ય પ્રધાનની શીશુ સેવા યોજના અભિયાનની શરૂઆત કરવામાં આવશે.

May 25, 2021
jipmat-2021.jpg
3min2040

Jayesh Brahmbhatt 98253 44944

દેશમાં આવેલી પાંચ IIM ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ ઇન્દોર, રાંચી, રોહતક, બૌધગયા અને જમ્મુ ખાતે ધો.12 (કોઇપણ પ્રવાહ પછી પ્રવેશપાત્ર) પછી પાંચ વર્ષના મેનેજમેન્ટ (ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ) ચાલી રહ્યા છે.

IIM પ્રવેશ માટે 2 જુદી જુદી પ્રવેશ પરીક્ષાઓનું રજિસ્ટ્રેશન તા.31 મે 2021 સુધી ચાલશે

  • 1. આઇઆઇએમ ઇન્દોરની આઇપીએમ એટી ટેસ્ટ (IIM ઇન્દોર, રાંચી અને નિરમા યુનિ. માટે) અહીં રજિસ્ટ્રેશન માટે આ લિંક ક્લીક કરો https://www.iimidr.ac.in/announcement/important-announcement-for-ipm-at-2021/
  • 2. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાતી JIPMAT ( IIM જમ્મુ અને બોધગયા માટે)

આ પૈકી બે IIM બૌધગયા (બિહાર) અને રાંચી (ઝારખંડ) ખાતે પ્રવેશ માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષાનું નામ JIPMAT Joint Integrated Program in Management Admission Test છે. આ પ્રવેશ પરીક્ષામાં નોંધણી કરાવવાની અંતિમ તારીખ 31મી મે 2021 છે. આ પ્રવેશ પરીક્ષા સંપૂર્ણપણે ઓનલાઇન લેવામાં આવશે.

ધો.12 સાયન્સ, કોમર્સ કે આર્ટસ પૈકી કોઇપણ સ્ટ્રીમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર છે.

Candidate can apply for IIM Bodh Gaya and IIM Jammu Joint Integrated Programme in Management Admission Test (JIPMAT) 2021 through “Online” mode only. The Application Form in any other mode will not be accepted.

JIPMET Joint Integrated Program in Management Entrance Testની તારીખ 20 જુન 2021 છે

નીચેની વેબસાઇટ પ્રવેશ પરીક્ષાની સત્તાવાર વેબસાઇટ છે અહીં રજિસ્ટ્રેશન કરાવી શકો

jipmat.nta.ac.in

પરીક્ષા કેવી રીતે કયા વિષયની લેવાશે?

May 24, 2021
board_exams.jpg
1min411

કેન્દ્રના રક્ષા પ્રધાન રાજનાથ સિંહની આગેવાનીમાં બારમીની પરીક્ષાને લઈને ગ્રુપ ઑફ મિનિસ્ટરની જે મીટિંગ યોજાઈ હતી એમાં સીબીએસઈ (સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન)ની પરીક્ષા લેવાનું સૂચન કરવામાં આવ્યું હતું, પણ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી નહોતી.

મીટિંગમાં સીબીએસઈ બોર્ડ તરફથી બે ઑપ્શન આપવામાં આવ્યા હતા, જેમાં પહેલા વિકલ્પમાં પાંચ મેઇન વિષયની રાબેતા મુજબ પરીક્ષા લઈને બાકીના વિષયના માર્ક આ પાંચ વિષયમાં આવ્યા હોય એની ઍવરેજ મુજબ આપવાની વાત હતી અને બીજા વિકલ્પમાં ત્રણને બદલે દોઢ કલાકની જ એમસીક્યુ (મલ્ટિપલ ચૉઇસ ક્વેશ્ચન) એક્ઝામ લઈને મુખ્ય વિષયને બાદ કરતાં બીજા બધા વિષયમાં ઇન્ટર્નલ અસેસમેન્ટના આધારે માર્ક્સ આપવા. જોકે આ આખી પ્રોસેસ પૂરી કરતાં સપ્ટેમ્બર મહિનો આવવાની શક્યતા સીબીએસઈએ વ્યક્ત કરી છે.

સીબીએસઈની મીટિંગમાં બે તબક્કામાં પરીક્ષા લેવાની વાત કરી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ૧૫ જુલાઈની આસપાસ અને ત્યાર બાદ ૧થી ૧૩ ઑગસ્ટ વચ્ચે બીજા તબક્કામાં પરીક્ષા લેવાની તેમણે તૈયારી બતાવી છે.

ધો. 12ની પરીક્ષા અને એન્ટ્રેસ પરીક્ષા માટે યોજાયેલી ડિજીટલ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારે બે પ્રસ્તાવ રાખ્યા હતા, સીબીએસઈએ ધો.12ની પરીક્ષા માટે બે વિકલ્પો આપ્યા હતા. સીબીએસઈએ જણાવ્યું કે રાજ્યોના શિક્ષણ બોર્ડને તેમનો નિર્ણય લેવાની મંજૂરી છે.

સીબીએસઈએ પ્રથમ ઓપ્શન આપ્યો કે, ધો. 12ના ફક્ત મુખ્ય વિષયોની પરીક્ષા જુદા જુદા કેન્દ્રોમાં યોજવામાં આવે. સીબીએસઈ 174 વિષયમાં પરીક્ષાનું આયોજન કરે છે જે પૈકી લગભગ 20 વિષયો મહત્વના માનવામાં આવે છે. બીજા વિકલ્પ હેઠળ પરીક્ષાના આયોજનમાં 45 દિવસ લાગશે. સીબીએસઈના ધો. 12ના વિદ્યાર્થીઓ મહત્વપૂર્ણ વિષયની પરીક્ષા પોતાની જ શાળામાં (સેલ્ફ સેન્ટર)માં આપી શકે અને પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરી 1.5 કલાકનો ગાળો કરવામાં આવે.

સીબીએસઈ બોર્ડની પાંચ સપ્ટેમ્બરે રિઝલ્ટ જાહેર કરવાની ઇચ્છા છે.

કોરોના કાળમાં ધો. 12ની પરીક્ષા તેમજ ત્યારબાદ પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ પરીક્ષા યોજવા અંગે કેન્દ્રિય મંત્રીઓ અને રાજ્યોના શિક્ષણમંત્રીઓ તેમજ અધિકારીઓ વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યોને 25 મે સુધીમાં લેખિત સુચન આપવા જણાવ્યું છે. સીબીએસઈ બોર્ડના ધો. 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ આગામી 1લી જૂને જાહેર થઈ શકે છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરીને જણાવ્યું કે, તમામ રાજ્યો પાસેથી લેખિતમાં સુચનો મંગાવાયા છે. પ્રવર્તમાન વિકટ પરિસ્થિતિમાં પરીક્ષા યોજવા માટેની આજરોજ મળેલી હાઈ લેવલ મીટિંગ ઉપયોગી રહી છે અને આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

May 22, 2021
university.jpg
1min405

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર ગ્રુપની બેઠકમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં સ્નાતક કક્ષાના મેડિકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે.’

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચુડાસમાએ કોર કમિટીના આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારે આ વર્ષે કોવિડ-19 કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતિમાં શાળા-કોલેજોમાં શિક્ષણકાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે.’

રાજ્ય સરકારે કરેલા આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનના નિર્ણયનો લાભ સરકારી અને ખાનગી યુનિવર્સિટી તથા કોલેજોના મેડિકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર ર, 4 અને જ્યાં સેમેસ્ટર 6 પણ ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે. આવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અંદાજે 9.50 લાખ જેટલી થવા જાય છે એમ તેમણે ઉમેર્યુ હતું’

ચૂડાસમાએ ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને અપાનારા મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનની પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપતાં જણાવ્યું કે, આ હેતુસર માર્કસની ગણતરી માટે પ0 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના પ0 ટકા ગુણ તૂરતના અગાઉના-પ્રિવીયસ-સેમિસ્ટરના આધારે આપવામાં આવશે. જોકે સાથે તેમણે’ પણ સ્પષ્ટતા કરી હતી કે જો યુનિવર્સિટી-કોલેજો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવી નહી હોય તો ત્યાં પ0 ટકા ગુણ આંતરિક મુલ્યાંકનના આધારે અને બાકીના પ0 ટકા ગુણ તુરતના’ અગાઉના પ્રિવીયસ સેમેસ્ટરના આધારે ગણાશે. જે કિસ્સાઓમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હશે તેવા કિસ્સામાં પરીક્ષામાં મેળવેલ ખરેખર ગુણ ધ્યાને લેવાશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.