CIA ALERT

વુમન્સ વર્લ્ડ Archives - Page 5 of 21 - CIA Live

March 15, 2022
hijab.jpg
1min500

કર્ણાટક હાઈકોર્ટની ફુલ બેન્ચે હિજાબ વિવાદ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે હિજાબ ઈસ્લામનો ભાગ નથી. આ આદેશ સાથે હાઇકોર્ટે વિદ્યાર્થિનીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબને લઈને હાઈકોર્ટમાં પહોંચેલી ફુલ બેન્ચે 15 દિવસથી વધુ સમય સુધી સુનાવણી કરી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગયા અઠવાડિયે નિર્ણય અનામત રાખ્યો હતો. અહીં મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીન રાજ્ય સરકારે કર્ણાટકના જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી છે. જે વિસ્તારો અતિસંવેદનશીલ છે ત્યાંની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દક્ષિણ કન્નડના ડેપ્યુટી કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કે.વી.એ જણાવ્યું કે મંગળવારે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે એક્સટર્નલ પરીક્ષાઓ સમયપત્રક મુજબ જ લેવામાં આવશે પરંતુ મંગળવારે જે ઇન્ટરનલ પરીક્ષાઓ યોજાવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે. ઉડુપીના ડીએમ કુરમા રાવ એમએ પણ મંગળવારે તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

પોલીસ ફોર્સ તૈનાત
શિવમોગા જિલ્લામાં શાળા કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. અહીં 21 માર્ચ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. એસપી બીએમ લક્ષ્મી પ્રસાદે જણાવ્યું કે KSRPની 8 કંપનીઓ, ડિસ્ટ્રિક્ટ આર્મ્ડ રિઝર્વની 6 કંપનીઓ અને RPFની 6 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. કલબુર્ગી પ્રશાસને કલમ 144 પણ લગાવી છે.

ઉડુપીની કોલેજથી શરૂ થયો હતો વિવાદ
ઉડુપીની એક કોલેજમાંથી હિજાબનો વિવાદ ઉભો થયો હતો. ગવર્નમેન્ટ પ્રી કોલેજમાં છોકરીઓને સ્કૂલમાં હિજાબ પહેરવાની છૂટ હતી પરંતુ ક્લાસની અંદર હિજાબ પર પ્રતિબંધ હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં કોલેજના છ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને ક્લાસરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તેમને અટકાવવામાં આવ્યા હતા પરંતુ છોકરીઓ મક્કમ હતી. જે બાદ તે કોલેજની બહાર ધરણા પર બેસી ગઈ હતી અને ત્યારબાદ વિવાદ વધુ ગરમાયો હતો. કોલેજની અંદરનું આ પ્રદર્શન દેશના અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાં ફેલાઈ ગયું.

ખંડપીઠે નિર્ણય અનામત રાખ્યો હતો
કર્ણાટક હાઈકોર્ટે ગયા મહિને હિજાબ વિવાદની સુનાવણી પૂર્ણ કરી હતી. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ જેએમ ખાજી અને જસ્ટિસ કૃષ્ણા એમ દીક્ષિતની બનેલી ફુલ બેન્ચે કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટમાં કર્ણાટક સરકાર વતી દલીલ કરવામાં આવી હતી કે હિજાબ જરૂરી ધાર્મિક પરંપરા નથી અને ધાર્મિક સૂચનાઓને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવી જોઈએ.

હાઇકોર્ટે વચગાળાનો સ્ટે લગાવ્યો હતો
કર્ણાટક સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર પ્રભુલિંગ નવદગીએ કહ્યું હતું કે બંધારણની કલમ 25 હેઠળ માત્ર આવશ્યક ધાર્મિક પ્રથાઓ જ સુરક્ષિત છે, જે નાગરિકોને તેમની પસંદગીના ધર્મનું પાલન કરવાની ખાતરી આપે છે. કર્ણાટક હાઈકોર્ટે હાલમાં કોઈપણ ધાર્મિક પ્રતીક પહેરીને શાળાએ જવા પર વચગાળાનો પ્રતિબંધ લગાવી દીધો છે!

હિજાબ વિવાદ કેસમાં સુનાવણીના કેટલાક તથ્યો
– ફેબ્રુઆરીમાં મેરેથોન સુનાવણી પછી, કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
– મોટાભાગની અરજીઓ ઉડુપી અને કુંડાપુરા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવી. બે પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી હતી.
– અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે હિજાબ પહેરવું ફરજિયાત છે અને રાજ્ય સરકારની કાર્યવાહી ધર્મના આધારે પ્રતિકૂળ ભેદભાવ સમાન છે.
– અરજદારોએ વધુમાં દલીલ કરી હતી કે મુસ્લિમ છોકરીઓ ઓછી શિક્ષિત હોય છે અને વર્ગોમાં તેનું પ્રતિનિધિત્વ ઓછું હોય છે અને જો તેઓને આ રીતે બંધ કરવામાં આવશે તો તેની અસર તેમના શિક્ષણ પર પડશે.
– રાજ્ય સરકારે દલીલ કરી હતી કે હિજાબ પહેરવું એ જરૂરી ધાર્મિક પ્રથા નથી. સરકારે એમ પણ કહ્યું હતું કે ડ્રેસ કોડ સંબંધિત તેનો 5 ફેબ્રુઆરી, 2022નો પરિપત્ર – જેને કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો – તે અરજદારોના અધિકારોમાં દખલ કરતું નથી.

March 8, 2022
nari.jpg
5min768

આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહિલાઓનાં સશક્તિકરણ માટે અસાધારણ કાર્ય કરનાર ૨૯ મહિલાઓ અને સંસ્થાઓને વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ માટેનો ‘નારી શક્તિ’ પુરસ્કાર આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઍવૉર્ડ વિજેતા મહિલાઓ સાથે વાતચીત કરશે. વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧ પ્રત્યેકના ૧૪ ઍવૉર્ડ કુલ ૨૯ મહિલાને આપવામાં આવશે. 

ખાસ કરીને સમાજના વંચિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગની મહિલાઓનાં સશક્તિકરણ માટે તેમણે કરેલાં કાર્યો બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવશે. સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં ઉદ્દીપકની ભૂમિકા ભજવનાર મહિલાઓને આ પુરસ્કારથી નવાજવામાં આવશે.

સમાજમાં સમાનતા લાવવા અને મહિલાઓને પ્રોત્સાહન આપવા આ પુરસ્કાર આપવામાં આવશે. 

Nari Shakti Puruskar 2020

Sl. NoNameState/ UTDomain
 Anita GuptaBiharSocial Entrepreneur
 Ushaben Dineshbhai VasavaGujaratOrganic farmer & Tribal Activist
 Nasira AkhterJammu & KashmirInnovator – Environmental Conservation
 Sandhya DharJammu & KashmirSocial Worker
 Nivruti RaiKarnatakaCountry Head, Intel India
 Tiffany BrarKeralaSocial Worker – Working for Blind people
 Padma YangchanLadakhRevived the lost cuisine & clothing in Leh region
 Jodhaiya Bai BaigaMadhya PradeshTribal Baiga Art Painter
 Saylee Nandkishor AgavaneMaharashtraDown syndrome affected Kathak Dancer
 Vanita Jagdeo BoradeMaharashtraFirst Women Snake Rescuer
 Meera ThakurPunjabSikki Grass Artist
 Jaya Muthu, Tejamma  (Jointly)Tamil NaduArtisans – Toda embroidery
 Ela Lodh (Posthumous)TripuraObstetrician & Gynecologist
 Arti RanaUttar PradeshHandloom Weaver & Teacher
 Nari Shakti Puruskar 2021 
 Sathupati Prasanna SreeAndhra PradeshLinguist – preserving minority tribal languages
 Tage Rita TakheArunachal PradeshEntrepreneur
 Madhulika RamtekeChhattisgarhSocial Worker
 Niranjanaben Mukulbhai KalarthiGujaratAuthor & Educationist
 Pooja SharmaHaryanaFarmer & Entrepreneur
 Anshul MalhotraHimachal PradeshWeaver
 Shobha GastiKarnatakaSocial Activist – Working for ending Devadasi system
 Radhika MenonKeralaCaptain Merchant Navy – First woman to receive award for Exceptional Bravery at Sea from IMO
 Kamal KumbharMaharashtraSocial Entrepreneur
 Sruti MohapatraOdishaDisability Rights Activist
 Batool BegamRajasthanMaand & Bhajan Folk Singer
 Thara RangaswamyTamil NaduPsychiatrist & Researcher
 Neerja MadhavUttar PradeshHindi Author – working for rights for transgenders and Tibetan refugees
 Neena GuptaWest BengalMathematician
February 26, 2022
suman_cs.jpg
1min684

40 વર્ષીય ગૃહિણી અને બે બાળકોના માતાએ આ વાતને ખોટી સાબિત કરી છે. તેમણે CS (Company Secretaries)ની પરીક્ષા પાસ તો કરી ઉપરાંત ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) પણ મેળવ્યો. ઘરના કામકાજ અને અભ્યાસના સમય વચ્ચે સંતુલન જાળવીને આ ગૃહિણીએ પ્રોફેશનલ પ્રોગ્રામ (જૂનો અભ્યાસક્રમ)માં AIR 4 મેળવ્યો છે. પરિણામ શુક્રવારે જાહેર થયું છે. દેશના ટોપ 10ની યાદીમાં દક્ષિણ ગુજરાતના કુલ ત્રણ વિદ્યાર્થીઓ છે. દક્ષિણ ગુજરાતના બે અન્ય વિદ્યાર્થીઓમાંથી એકે પ્રોફેશનલ પ્રોગ્રામ (નવો અભ્યાસક્રમ)માં AIR 3 અને બીજા વિદ્યાર્થીએ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ (નવો અભ્યાસક્રમ)માં AIR 9 મેળવ્યો છે.

900માંથી 453 માર્ક્સ મેળવનારાં સુમન સૌરભે જણાવ્યું કે તેઓ આ સિદ્ધિથી ખૂબ ખુશ છે. “શરૂઆતમાં હું CS મિતેશ દેસાઈ પાસે શીખવા જતી હતી પરંતુ ઘરની જવાબદારીઓ અને મહામારીના કારણે મેં ઓનલાઈન ક્લાસ ભરવાનું શરૂ કર્યું હતું. કેટલાક લોકોને શંકા હતી કે હું આ પરીક્ષા પાસ કરી શકીશ કે કેમ? શંકા દાખવવાનું તેમનું પાસે કારણ પણ હતું કારણકે હું 2016થી પરીક્ષા આપી રહી હતી પરંતુ સફળ નહોતી થઈ. જોકે, આ વખતે મેં દ્રઢ નિર્ણય કર્યો કે હું પરીક્ષા પાસ કરીશ અને એક જ વારમાં કાયમ માટે ટીકાખોરોનું મોં બંધ કરી દઈશ. મેં પરીક્ષાની તૈયારી શરૂ કરી અને પરિવારે પણ મને બનતી બધી જ મદદ કરી હતી”, તેમ વલસાડમાં રહેતાં અને આર્ટ્સમાં ગ્રેજ્યુએટ થયેલા સુમન સૌરભે ઉમેર્યું.

જીએસટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં પતિ, બેંગાલુરુમાં ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ કરતો દીકરો અને ધોરણ 11માં અભ્યાસ કરતી દીકરીએ પણ આખી જર્નીમાં સુમનબેનનો સપોર્ટ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું, “સીએસના વિદ્યાર્થીઓની આગામી પેઢીને મારી સલાહ છે કે એકવાર અભ્યાસક્રમ પૂરો થઈ જાય પછી રિવિઝન કરવું ખૂબ જરૂરી છે અને તે પસંદગીના મુદ્દાઓનું થવું જોઈએ.”

February 10, 2022
breaking-1280x1035.jpg
1min1284

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આજે સી.એ. ફાઇનલ્સ પરીક્ષાનું પરીણામ ઘોષિત કરવામાં આવ્યું હતું. પરીણામ જાહેર થતાં જ સુરત શહેરનું નામ સમગ્ર દેશમાં ગૂંજવા માંડ્યું હતું. કેમકે સુરતની રાધિકા બેરીવાલ નામની યુવતિએ સી.એ. ફાઇનલ્સ પરીક્ષામાં સમગ્ર ભારતમાં પહેલા ક્રમે પાસ થવાની સિદ્ધિ હાંસલ કરી છે. સી.એ.ના પરીણામો પર દેશની બેંકોથી લઇને ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટ્યુટ્સથી લઇને ફાઇનાન્સ મિનિસ્ટ્રી સુધીના અધિકારીઓની નજર રહેતી હોય છે એવા સમયમાં સી.એ. ઓલ ઇન્ડિયા ફર્સ્ટ તરીકે સુરતની રાધિકાએ મેદાન મારતા આજે સુરત શહેરનું નામ સમગ્ર રાષ્ટ્રીય સ્તરે ગૂંજતું થઇ ગયું છે.

સી.એ. ફાઇનલ્સ ડિસેમ્બર 2021માં લેવાયેલી પરીક્ષામાં ઓલ ઇન્ડિયા ફર્સ્ટ આવેલી રાધિકાની પરિવાર સાથેની એક ફાઇલ તસ્વીર.

સમગ્ર ભારતમાં સી.એ. કોંચિંગ માટે વખણાતા સુરતના જાણિતા રવિ છાવછરીયાએ જણાવ્યું હતું કે સી.એ.ના પરીણામમાં આ વખતે અગાઉના વર્ષના લગભગ દરેક રેકોર્ડ તૂટી ગયા છે. દરેક સબ્જેક્ટ વાઇઝ જોરદાર પરફોર્મન્સ રાધિકા બેરીવાલાએ હાંસલ કર્યું છે. તેમણે કહ્યું કે અગાઉ રાધિકા બેરીવાલા આઇ.પી.સી.સી.ની પરીક્ષામાં પણ સમગ્ર ભારતમાં સેકન્ડ રેંક હાંસલ કરવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

January 26, 2022
Flight-Lieutenant-Shivangi-Singh-Rafale-Jet.jpg
1min653

દેશના પ્રથમ મહિલા રાફેલ જેટ પાયલોટ ફ્લાઈટ લેફ્ટિનેન્ટ શિવાંગી સિંહે બુધવારે ગણતંત્ર દિવસના પ્રસંગે ભારતીય વાયુ સેના(IAF)ની ઝાંખીમાં હિસ્સો લીધો હતો. તેઓ ભારતીય વાયુસેનાની ઝાંખીનો હિસ્સો બનનારા બીજા મહિલા ફાઈટર જેટ પાયલોટ છે. ગત વર્ષે ફ્લાઈટ લેફ્ટિનેન્ટ ભાવના કંઠ IAFની ઝાંખીનો હિસ્સો બનનારા પ્રથમ મહિલા ફાઈટર જેટ પાયલોટ બન્યા હતા. શિવાંહી સિંહ બનારસના છે. તેઓ 2017માં IAFમાં સામેલ થયા હતા. રાફેલ ઉડાડવાની પહેલા તેઓ મિગ-21 બાઈસન વિમાન ઉડાડી ચુક્યા છે. 

શિવાંગી સિંહ પંજાબના અંબાલા સ્થિત IAFના ગોલ્ડન એરો સ્ક્વોડ્રનનો હિસ્સો છે. તેઓ ફુલવરિયા વિસ્તારમાં રહેતા કારોબારી કુમારેશ્વર સિંહના દીકરી છે. વિજ્ઞાનમાં સ્નાતક કરતી વખતે જ તેઓ એર એનસીસીમાં જોડાયા હતા. સૌથી પહેલા તેમણે બીએચયુ ખાતે વિમાન ઉડાડવાની ટ્રેઈનિંગ લીધી હતી. તેમના નાના પણ ભારતીય સેનામાં હતા. શિવાંગીને તેમના પાસેથી જ પ્રેરણા મળી હતી અને તેઓ પણ દેશની સેવા કરવા માટે વાયુસેનામાં ભરતી થયા હતા. 

December 18, 2021
tapasya-parihar.jpg
1min829

મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના જોબા ગામ ખાતે એક મહિલા આઈએએસ (IAS) ઓફિસર અને આઈએફએસ (IFS) અધિકારીના લગ્ન થયા તે ખૂબ જ ચર્ચામાં છે. આઈએએસ તપસ્યા પરિહારે યુપીએસસીની પરીક્ષામાં 23મી રેન્ક મેળવી હતી. તેમણે આઈએફએસ અધિકારી ગર્વિત ગંગવાર સાથે લગ્ન કર્યા હતા. તપસ્યાના લગ્ન એટલા માટે ચર્ચામાં છે કારણ કે, તેમણે કન્યાદાન કરાવવાની ના પાડી દીધી હતી. તપસ્યાએ પોતાના પિતાને કહ્યું હતું કે, હું દાનની વસ્તુ નથી, તમારી દીકરી છું. તેમણે લગ્નમાં કન્યાદાનના રિવાજનું પાલન નહોતું કર્યું. ગુરૂવારે જોબા ગામ ખાતે રિસેપ્શન યોજાયું હતું જેમાં બંને પક્ષના સંબંધીઓ અને પરિચિતો સામેલ થયા હતા. 

હિંદુ સંસ્કૃતિમાં કન્યાદાનનું વિશેષ મહત્વ છે પરંતુ નરસિંહપુર જિલ્લા ખાતે જન્મેલી તપસ્યા પરિહારે તમામ બંધનો તોડીને પોતાના લગ્નમાં કન્યાદાનની વિધિ ન થવા દીધી. આઈએએસ અધિકારી તપસ્યાના કહેવા પ્રમાણે બાળપણથી જ તેમના મનમાં સમાજની આ વિચારધારાને લઈ લાગતું હતું કે, કોઈ કઈ રીતે મારૂ કન્યાદાન કરી શકે, તે પણ મારી ઈચ્છા વગર. ધીમે ધીમે મેં મારા પરિવારજનો સાથે આ વાતની ચર્ચા કરી અને મારા પરિવારજનો પણ માની ગયા. ત્યાર બાદ વર પક્ષને પણ આ માટે રાજી કરવામાં આવ્યો અને કન્યાદાન વગર જ લગ્ન થઈ ગયા. 

December 17, 2021
kagzi.jpeg
1min508

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા ગુરૂવાર, તા. ૧૬ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ડાયટ ટુ ફાઇટ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયટિશન અમાનત કાગઝી દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને રોજિંદા જીવનશૈલીને તેમજ આરોગ્યને યોગ્ય રીતે જાળવી રાખવા માટે કયા પ્રકારનો આહાર લેવો જોઇએ ? તે દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ખાણીપીણીની કુટેવોને કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે અને તેને કારણે જે વિવિધ સમસ્યાઓ ઉભી થાય છે તે બધી સમસ્યાનું નિરાકરણ રસોડું જ છે : ડાયટિશન અમાનત કાગઝી

ડાયટિશન અમાનત કાગઝીએ જણાવ્યું હતું કે, હાલના વ્યસ્ત જીવનમાં ખાણીપીણીની જુદી–જુદી કુટેવોને કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે અને તેને કારણે જે વિવિધ સમસ્યાઓ ઉભી થાય છે તે બધી સમસ્યાનું નિરાકરણ રસોડું જ છે. લોકો બહારનું ખાવાનું ટાળે અને માત્ર ઘરના રસોડામાં બનેલી આરોગ્યપ્રદ ચીજવસ્તુઓ આરોગે તો મોટાભાગના લોકોને આરોગ્યની વિવિધ સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય તેમ છે. બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુઓના સેવનથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, પેટની બિમારી, કેન્સર અને હૃદયની બિમારીઓનો સામનો કરવો પડે છે. આથી કિચનમાં પણ સંતુલિત આહાર બનાવવામાં ગૃહિણીઓએ કઇ – કઇ કાળજી રાખવી જોઇએ તેના વિશે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.

તેમણે ફૂડ પ્લાનિંગ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દિવસ દરમ્યાન વ્યકિતની ભોજન પચાવવાની પાચનશકિત વધારે સક્રીય હોય છે, જે સાંજ બાદ ઘટતી જાય છે. આથી સવારે આઠ કલાકે પેટ ભરીને નાસ્તો લેવો જોઇએ. ત્યારબાદ સવારે સાડા દસ કલાકે ખાવાની ઇચ્છા થાય તો આરોગ્યપ્રદ વસ્તુઓ ખાઇ શકાય છે અને બપોરે એક કલાક સુધીમાં બપોરનું ભોજન લઇ લેવું જોઇએ. ત્યારબાદ સાંજે ચાર કલાકે નાસ્તો લઇ શકાય અને રાત્રે આઠ કલાકે હલકું ભોજન લેવું જોઇએ. રેડીમેડ ફૂડ પેકેટ્‌સ ખરીદતી વખતે પણ શું કાળજી રાખવી જોઇએ ? તેની વિસ્તૃત ચર્ચા તેમણે કરી હતી.

ઉપરોકત સેમિનારમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડીયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ડો. અમિ યાજ્ઞિકે સેમિનારનું સંચાલન કર્યુ હતું. જ્યારે વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતી શેઠવાલાએ વકતાનો પરિચય આપ્યો હતો. અંતે લેડીઝ વીંગના કો–ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યુ હતું.

December 14, 2021
schoolgirlsoldiers.jpg
1min591

સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ પહેલી વખત નેશનલ ડિફેન્સ એકેડમી દ્વારા એનડીએ પરીક્ષા માટે મહિલા ઉમેદવારોને પણ ફોર્મ ભરવા માટે મંજૂરી આપી હતી.

સેનામાં ભરતી માટેની એનડીએ પરીક્ષા માટે કુલ 5.75 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને તેમાં મહિલા કેન્ડિડેટ્સની સંખ્યા 1.77 લાખ છે.આમ ફોર્મ ભરનારા ઉમેદવારોમાં મહિલાઓની સંખ્યા 30 ટકા કરતા પણ વધારે છે.આ બાબતની જાણકારી સંસદમાં આપવામાં આવી છે.

સંરક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અજય ભટ્ટે એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, મહિલા કેન્ડીડેટસની સંખ્યા પર કોઈ પ્રકારના નિયંત્રણ મુકવામાં આવ્યા નહોતા.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સેનાએ 577 મહિલા ઓફિસરોને સ્થાયી કમિશન આપ્યુ છે અને એનડીએની પરીક્ષા પાસ કર્યા બાદ મહિલાઓ આર્મી, નેવી કે એરફોર્સમાં સીધી જોડાઈ શકશે.

December 13, 2021
harnaz.jpg
1min787

હરનાઝ સંધુને ‘મિસ યુનિવર્સ 2021’નો તાજ પહેરાવાયો, સુષ્મિતા સેન અને લારા દત્તા પછી ત્રીજા ભારતીય

ભારતની હરનાઝ સંધુને મિસ યુનિવર્સ 2021નો તાજ પહેરાવવામાં આવ્યો છે. 2000માં લારા દત્તાએ ખિતાબ જીત્યાના 21 વર્ષ પછી ઇઝરાયેલના ઇલાતમાં આયોજિત 70મી મિસ યુનિવર્સ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરતી પંજાબની 21 વર્ષીય યુવતી મિસ યુનિવર્સનું તાજ ઘરે લઈ આવી છે. સંધુએ તાજ જીતવા માટે પેરાગ્વે અને દક્ષિણ આફ્રિકાના સ્પર્ધકોને હરાવ્યા હતા. સંધુને વૈશ્વિક સ્તરે લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવેલી ઇવેન્ટમાં મેક્સિકોની ભૂતપૂર્વ મિસ યુનિવર્સ 2020 એન્ડ્રીયા મેઝા દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો.

ભારતની હરનાઝ સંધુ 70મી મિસ યુનિવર્સ બની ગઈ છે. ઇઝરાયેલના ઇલાતમાં યોજાયેલા ફાઈનલ ઈવેન્ટમાં સંધુને આ ખિતાબથી નવાજવામાં આવી હતી. મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર તે ત્રીજી ભારતીય મહિલા છે. તેના પહેલા સુષ્મિતા સેન 1994માં અને લારા દત્તા 2000માં મિસ યુનિવર્સ તરીકે બની હતી.

આજના યુવાનો પર સૌથી મોટું દબાણ પોતાનામાં વિશ્વાસ રાખવાનું છે. તમે અનન્ય છો એ જાણવું એ તમને સુંદર બનાવે છે. તમારી જાતને અન્ય લોકો સાથે સરખાવવાનું બંધ કરો અને વિશ્વભરમાં થઈ રહેલી વધુ મહત્વપૂર્ણ બાબતો વિશે વાત કરીએ. મને લાગે છે કે તમારે આ સમજવાની જરૂર છે. બહાર નીકળો, તમારા મનની વાત કરો કારણ કે તમે તમારી જિંદગીના લિડર તમે છે. તમે ખુદ પોતાનો અવાજ છો. મને મારી જાત પર વિશ્વાસ હતો અને તેના કારણે આજે હું અહીં ઉભી છું.

December 3, 2021
gita_gopinath.jpg
1min476

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથને પ્રમોશન અપાયુ છે અને તે હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર બની ગયા છે.સંગઠનમાં આ બીજા નંબરનુ પદ છે.

ભારતીય મૂળની કોઈ વ્યક્તિ આ પદ પર પહેલી વકત પહોંચી છે.ગીતા ગોપીનાથ તો ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ છોડવા માંગતા હતા.તેમનો વિચાર આગામી વર્ષથી ફરી હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવવાનો હતો પણ હવે તેઓ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે જ જોડાયેલા રહેશે.

ગીતા ગોપીનાથ અમેરિકાના સિટિઝન છે.જોકે તેમનો જન્મ ભારતમાં થયો હતો.નાનપણમાં તેઓ તેજસ્વી સ્ટુડન્ટ નહોતા.એક ઈન્ટરવ્યૂમાં તે્મણે કહ્યુ હતુ કે, ધો.7માં મારા 45 ટકા આવ્યા હતા પણ તે પછી મેં ભણવામાં વધારે ધ્યાન આપવાનુ શરુ કર્યુ હતુ.બાદમાં તેમણે મૈસૂરની કોલેજ જોઈન કરીને સાયન્સનો અભ્યાસ કર્યો હતો.જોકે એ પછી તેમણે ઈકોનોમિક્સ વિષય સાથે બીએની ડિગ્રી મેળવી હતી.

દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાં તેમણે ઈકોનોમિક્સમાં ઓનર્સની ડિગ્રી પણ મેળવી હતી.એ પછી દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઈકોનોમિક્સની માસ્ટર ડિગ્રી મેળવી હતી.1994માં તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટી જોઈન કરી હતી.1996 થી 2001 સુધી તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સમાં પીએચડી કરી હતી.

આ દરમિયાન તેમની મુલાકાત ઈકબાલ સાથે થઈ હતી.બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.તેમને 18 વર્ષનો એક પુત્ર છે.જેનુ નામ રાહિલ છે.2001 થી 2005 સુધી તેઓ શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપક હતા અને બાદમાં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસરની નોકરી સ્વીકારી હતી.ગીતા ગોપીનાથે ઈકોનોમિક્સ અને નાણાકીય બાબતો પર 40 રિસર્ચ પેપર પણ લખ્યા છે.

ગયા વર્ષે એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ હતુ કે, ગ્લોબલ ગ્રોથનુ જે અનુમાન છે તેમાં 80 ટકા ઘટાડો થયો છે અને તે માટે ભારત જવાબદાર છે.તેમણે મોદી સરકારના નોટબંધીના નિર્ણયને પણ નકારાત્મક ગણાવ્યો હતો.જોકે મોદી સરકારના કૃષિ કાયદાના તેમણે વખાણ કર્યા હતા.