CIA ALERT

WE Archives - Page 60 of 63 - CIA Live

August 7, 2018
7.jpg
1min6180

સુરત મહાનગરપાલિકાની ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરપર્સન શ્રીમતી હેમાલી બોઘાવાલાએ આજે આનંદ મહલ રોડ થી પાલ આર.ટી.ઓ સુધીના #BRTS રૂટ પર બસમાં મુસાફરી કરીને જાત નિરીક્ષણ કર્યું હતું.

 

 

તેમણે વિઝીટ દરમિયાન બસ ટર્મિનલ ઉપરની સુવિધાઓ ચકાસી સાથે મુસાફરો સાથે સંવાદ કરી તેમના અભિપ્રાય જાણ્યા હતા. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરપર્સન તરીકે તેમણે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી બસ સેવાઓને વધુ સુદ્રઢ તેમજ વધુ લોકાભિમુખ કેવી રીતે બનાવી શકાય તે જાણવા માટે પ્રયાસો કર્યા હતા. તેમના અા અભિગમને મુસાફરોએ વધાવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે સુરતીઓને શ્રેષ્ઠ પરિવહન સુવિધા પુરી પાડવા સુરત મહાનગરપાલિકા સંકલ્પિત છે.

 

 

 

August 6, 2018
abhay.jpg
2min12830

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત ની મહિલાઓ માતાઓ બહેનો ઝડપી અને સચોટ તત્કાલ મદદ સેવા માટેની અભિનવ પહેલ 181 અભયમ મોબાઈલ એપ નું લોન્ચિંગ કર્યું છે.
રાજ્યમાં ક્યાંય પણ કોઇ પણ મુસીબત માં મહિલાઓ ને ગણતરી ની પળો માં જ મદદ પુરી પાડવા માં આ એપ્લિકેશન સહાયક બનશે.
આ એપ સ્માર્ટ ફોન માં ગૂગલ પ્લેસ્ટોરમાંથી તેમજ એપલ આઇ ઓ એસ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
રાજ્ય સરકાર ના મહિલા બાળ કલ્યાણ વિભાગ ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ 181 અભયમ મોબાઈલ એપ જીવીકે ઈ એમ આર આઈ ના સહયોગ થી વિકસાવવામાં આવી છે.

Image may contain: 3 people, people standing

Image may contain: 4 people, people standing and indoor
Image may contain: 11 people, people standing and indoor
Image may contain: 1 person, sitting, table and indoor
August 6, 2018
rakhi1.jpg
1min16760

ભારત દેશ પોતાની સંસ્કૃતિ તેમ જ અહીં ઊજવવામાં આવતા તહેવારો માટે જગતભરમાં પ્રખ્યાત છે.

rakhi

જોકે ભારતના બધા તહેવારોને આખી દુનિયાના લોકો ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ઊજવે છે, પરંતુ બહુ ઓછા લોકો એવા છે જેઓ આ તહેવાર ઊજવવા પાછળનાં રહસ્યો અથવા એની અંદર છુપાયેલા ગુહ્ય જ્ઞાન વિશે જાણતા હોય. શ્રાવણ સુદ પૂનમ એટલે કે નાળિયેરી પૂનમના દિવસે ઊજવાતો રક્ષાબંધનનો તહેવાર એવો જ એક વિશિક્ટ તહેવાર છે જે યુગોથી ઊજવાય તો છે, પરંતુ એની પાછળ છુપાયેલા આધ્યાત્મિક રહસ્યને કોઈ નથી જાણતું. એ પહેલાં કે આપણે રક્ષાના આ મહાપવર્માં છુપાયેલા રહસ્ય વિશે સમજીએ, આપણા માટે એ જાણવું અતિઆવશ્યક છે કે મનુષ્યનું બધા પ્રકારે રક્ષણ કઈ રીતે અને કોના દ્વારા થઈ શકે છે અને બહેનો પોતાના ભાઈઓ તરફથી કયા પ્રકારનું રક્ષણ ઇચ્છે છે. વ્યાવહારિક દૃષ્ટિએ જોવા જઈએ તો હાલમાં દરેક મનુષ્ય પાંચ પ્રકારની રક્ષા ઇચ્છે છે – તનની રક્ષા, ધર્મની રક્ષા, સતીત્વ અથવા પવિત્રતાની રક્ષા, કાલથી રક્ષા અને સાંસારિક આપત્તિઓ તેમ જ માયાનાં વિઘ્નોથી રક્ષા. હવે પ્રશ્ન એવો ઊભો થાય છે કે શું કોઈ પણ મનુષ્ય અન્ય મનુષ્યોની આ પાંચ પ્રકારે રક્ષા કરવા માટે સક્ષમ છે?

આપણે સૌ પોતાના તનની રક્ષા માટે આખી જિંદગી કંઈકેટલાય પ્રયત્નો કર્યા કરીએ છીએ, પરંતુ એમ છતાં અંતમાં આપણામાંથી કોઈ પણ મૃત્યુને હાથતાળી નથી આપી શકતો. એવી જ રીતે ઇતિહાસકારો મુજબ પ્રાચીનકાળમાં બહેનો તેમના ભાઈઓને એટલા માટે રાખડી બાંધતી હતી કે જો ક્યારેય સામા પક્ષનો દુશ્મન તેમના સતીત્વ પર આક્રમણ કરે તો ભાઈ તેમની રક્ષા કરે, પરંતુ આપણે સૌ એ જાણીએ છીએ કે મનુષ્ય કંઈ સવર્સતમર્થ તો છે નહીં અને આપણે સૌ આ હકીકતને પણ જાણીએ છીએ કે કેટલીયે બહેનો-માતાઓની લાજ ભૂતકાળમાં લડાયેલાં અસંખ્ય યુદ્ધોમાં લૂંટાઈ હશે માટે જ આપણે એ જાણવું અને સમજવું પડશે કે દુક્ટોથી પોતાની લાજની રક્ષા વાસ્તવમાં એકમાત્ર સર્વશક્તિમાન પરમપિતા પરમાત્મા જ કરી શકે છે, ન કે કોઈ દેહધારી. માટે જ તો આ કથા ખૂબ જાણીતી છે કે કૌરવસભામાં જ્યારે દ્રૌપદીનું વjાહરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે દ્રૌપદીએ પરમાત્માને જ તો મદદ માટે પોકાર્યા હતા, કારણ કે એ ઘડીએ તેના સતીત્વનું  રક્ષણ કોઈ પણ મિત્ર કે સંબંધી કરી નહોતા શક્યા. એટલા માટે જ તો આવી આપત્તિના સમયે લોકો પરમાત્માને પોકારીને કહેતા હોય છે કે ‘હે પ્રભુ, મારી લાજ રાખો. અમારા ધર્મની રક્ષા કરો ભગવાન.’

આ એક જાણીતી હકીકત છે કે જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. અર્થાત મનુષ્ય કાલને આધીન છે. એ સમજવા માટે સિકંદરનું ઉદાહરણ સવર્શ્રેતષ્ઠ છે. આપણે સૌ જાણીએ જ છીએ કે તેણે અનેક સૈનિકોને માર્યા હતા, પરંતુ તે પોતાની જાતને કાળથી બચાવી નહોતો શક્યો. માટે એક વાત તો નિશ્ચિત છે કે કાળના પંજામાંથી જો કોઈ આપણને બચાવી શકે તો એ એકમાત્ર પરમાત્મા જ છે જેમને કાલોં કા કાલ મહાકાલ, અમરનાથ, મહાકાલેશ્વર અથવા તો પ્રાણનાથ પણ કહેવામાં આવે છે. એટલા માટે તો મનુષ્યો મહામૃત્યુંજયનો પાઠ કરે છે. અર્થાત પરમાત્માના શરણમાં જવાની કામના કરે છે. એવી જ રીતે માયાનાં વિઘ્નો તેમ જ સાંસારિક આપત્તિઓથી પણ એક પરમાત્મા જ આપણને છોડાવે છે, ત્યારે જ તો તેમને સંકટમોચન, દુખભંજન અને સુખદાતા કહેવામાં આવે છે. હવે જો પરમાત્મા જ બધાની પાંચ પ્રકારે રક્ષા કરે છે તો પછી બહેનો ભાઈઓને રાખડી શા માટે બાંધે છે? અથવા બ્રાહ્મણ પણ રક્ષાસૂત્ર શા માટે બાંધે છે? આને સમજવા માટે આપણે એ જાણવું જરૂરી છે કે આ તહેવારને વિષ તોડક પર્વ અથવા પુણ્ય પ્રદાયક પર્વ પણ કહેવામાં આવે છે. આ નામો થકી એ સિદ્ધ થાય છે કે આ બંધન વિષય-વિકારને છોડીને પુણ્ય આત્મા બનવા માટેનું બંધન છે. અત: રક્ષાબંધન પવિત્રતા અથવા ધર્મની રક્ષા કરવા માટેનું બંધન છે. આ તો આપણે સૌ જાણીએ જ છીએ કે બહેન અને ભાઈનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે. બહેનો દ્વારા ભાઈઓને બંધન બાંધવાનો અર્થ પણ એ જ હોય છે કે ભાઈઓ પ્રતિજ્ઞા કરે કે તે પવિત્રતાને ધારણ કરશે અને પોતાની દૃષ્ટિ, વૃત્તિ અને કૃતિને પવિત્ર બનાવશે. બ્રાહ્મણો દ્વારા બાંધવામાં આવતા રક્ષાસૂત્ર પાછળનો હેતુ પણ એ જ છે કે પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનમાં પવિત્રતાની પ્રતિજ્ઞા કરે. પરંતુ યુગપરિવર્તનની સાથે આપણી માન્યતાઓ અને પરંપરાઓ પણ બદલાઈ છે જેના પરિણામસ્વરૂપે આજે ન તો બહેન એ માનસ સાથે રાખડી બાંધે છે અને ન બ્રાહ્મણ. કમનસીબે આજે મનુષ્ય આ અધ્યાત્મિક રહસ્યોને ભૂલી ગયો છે અને માટે તે આ મહાન પવર્ને  એક રીતિરિવાજ તરીકે માને છે અને ઔપચારિકતા ખાતર એને ઊજવે છે અને માટે જ આજે આ પર્વ વિષ તોડક પર્વ અથવા પુણ્ય પ્રદાયક પર્વ નથી રહ્યો અને વ્યક્તિ તેમ જ સમાજને પણ આની ઉજવણી દ્વારા જે પ્રાપ્તિ થવી જોઈએ એ પણ નથી થઈ રહી. વાચકમિત્રો, વર્તમાન સમયની માગ એ જ છે કે આપણે સૌ રક્ષાબંધનના આ મહાપવર્નેણ મૂલ્યઆધારિત બનાવીને એને નવું ગૌરવ પ્રદાન કરીએ જેથી આપણા ભવિષ્યની પેઢીઓ આ તહેવાર દ્વારા કંઈક નવું શીખે અને પોતાના જીવનને મૂલ્યવાન બનાવે.

August 5, 2018
st.jpg
1min23600
સ્ટીવ જોબ્સની પુત્રીએ પુસ્તકમાં ખોલ્યા પિતા સાથેના સંબંધોના રહસ્યો

વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંથી એક એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સના પુત્રી સાથેના સંબધો ખૂબ જ ખરાબ રહ્યા હતા. ઘણા વર્ષો સુધી સ્ટીવે લીઝાને પોતાની પુત્રી તરીકે સ્વીકારી જ નહોતી. હવે સ્ટીવ જોબ્સની પુત્રીએ પિતા સાથેના સંબંધો પર પુસ્તક લખ્યું છે, જેમાં તેણે જણાવ્યું કે કેવી રીતે જીવનના અંતિમ દિવસોમાં સ્ટીવ જોબ્સે તેને કહ્યું હતું કે તેનામાંથી ટોઈલેટ જેવી દુર્ગંધ આવે છે.

લીઝા બ્રેનન-જોબ્સે પોતાના પુસ્તક ‘સ્મોલ ફ્રાય’ માં પિતા સાથેના સંબધો વિશે લખ્યું છે. લીઝા સ્ટીવની પ્રથમ પુત્રી છે. આ પુસ્તકનો એક ભાગ ‘વૈનિટી ફેરે’ છાપ્યો છે જેમાં લીઝાએ જણાવ્યું કે જ્યારે સ્ટીવ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા અને પથારીવશ હાલતમાં લીઝા તેમને મળવા ગઇ હતી, પોતે રોઝ સેંન્ટ છાંટીને ગઈ હતી પરંતુ સ્ટીવે કહ્યું હતું કે તેનામાંથી ટોઈલેટ જેવી દુર્ગંધ આવે છે. બ્રેનન માને છે કે તેમના જન્મ પર દુ:ખની લાગણી જ પિતા સાથેના ખરાબ સંબધોનું કારણ છે.

લીઝા બ્રેનના પુસ્તકનો એક ભાગ વેનિટી ફેરે છાપ્યો છે
લીઝા બ્રેનના પુસ્તકનો એક ભાગ વેનિટી ફેરે છાપ્યો છે

બ્રેનને જણાવ્યું કે તેમના પિતા પાસેથી તેમની જૂની પોર્શ કાર માંગતા સ્ટીવે કહ્યું હતું કે તને કંઇ જ નહી મળે. સમજી લે જે, કંઇ જ નહી મળે.

1978માં જન્મેલી લીઝા બ્રેનન-જોબ્સ, સ્ટીવ અને ક્રિસન બ્રેનનની પુત્રી છે. 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ ક્રિસન ગર્ભવતી થતા સ્ટીવે બાળકી પોતાની હોવાનો ઈન્કાર કરી અલગ થયા હતા, પરંતુ કોર્ટે પીતૃત્વ પરીક્ષણ કરાવ્યું જેમાં સાબિત થયું કે આ બાળકીના પિતા સ્ટીવ જોબ્સ જ છે.

સ્ટીવ જોબ્સ 2011માં મૃત્યું પામ્યા હતા અને પુત્રી 9 વર્ષની થઇ ત્યાં સુધી સ્ટીવ પોતાની વાત પર રહ્યા કે તેઓ ઈન્ફર્ટાઈલ હોવાથી પિતા નહી બની શકે. જો કે ત્યાર બાદ સ્ટીવ તેમની પત્ની લોરેન પોવેલ થકી ત્રણ સંતાનોના જન્મ્યા હતા.

નાનપણમણમાં લીઝા પિતા સ્ટીવ જોબ્સ સાથે
નાનપણમણમાં લીઝા પિતા સ્ટીવ જોબ્સ સાથે

બ્રેનને પુસ્તકમાં લખ્યું છે કે પાછળથી સ્ટીવે માફી માંગી હતી પરંતુ તેમના સંબધો હમેશાં તણાવપૂર્ણ રહ્યાં. તે કયારેક ક્યારેક પિતાના ઘરે જતી પરંતુ તેમની વાતચીતમાં સ્ટીવ લાંબા સમય મૌન રહેતા હતા. પિતા સ્ટીવ માટે બ્રેનન હમેશાં તેમની સફળતા પર એક ડાઘ સમાન હતી. કારણ કે તેની જીંદગી એ મહાનતા અને ગુણો સાથે બંધબેસતી નહોતી જે સ્ટીવ પોતાના માટે ઈચ્છતા હતા. મારા માટે આનાથી વિરૂધ્ધ હતું, હું જેટલી એમની નજીક જતી એટલી ઓછી શરમ અનુભવતી હતી.

August 4, 2018
c8.jpg
2min8140

સરકારના ઓરી રૂબેલા વિરોધી અભિયાનમાં એક વાલી તરીકે હું મારા બાળકોને રસી મૂકાવી સહભાગી બન્યો છું: જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ

બાળકોના આરોગ્યને સુરક્ષા કવચ પૂરૂ પાડતાં ઓરી રૂબેલાનું રસીકરણ કરાવવા કલેક્ટરની વાલીઓને અપીલ

બંને પુત્રોને ગોદમાં બેસાડીને રસીકરણ કરાવી શહેરના નાગરિકો માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડતાં કલેકટરશ્રી

સુરત શહેરમાં ૬.૭૨ લાખ અને જિલ્લામાં ૩.૧૩ લાખ બાળકોને ઓરી-રૂબેલાનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું
——————

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચાલી રહેલા ઓરી અને રૂબેલા વિરોધી રસીકરણ અભિયાન અંતર્ગત આજે જિલ્લા કલેક્ટરશ્રી ડો. ધવલ પટેલે અડાજણની વી.ડી.દેસાઈ વાડીવાલા સ્કુલમાં પહોંચી પોતાના બંને પુત્રોને ઓરી-રૂબેલા રસીકરણ કરાવીને શહેરના નાગરિકોને રસીકરણ અંગે જાગૃત્ત કરી અનોખો સંદેશ આપ્યો હતો.

અડાજણ સ્થિત ભૂલકા ભવન ટ્રસ્ટ સંચાલિત વી.ડી.દેસાઈ વાડીવાલા શાળામાં કલેક્ટરશ્રી ડો. ધવલ પટેલનો ૮ વર્ષીય પુત્ર ધૃષત ધો.૦૨ માં અને ૫ વર્ષીય પુત્ર સુગત સિનીયર કે.જી.માં અભ્યાસ કરે છે. શાળામાં પ્રારંભ થયેલા ઓરી રૂબેલા રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવા જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ આજે સવારે વાડીવાલા સ્કુલમાં પહોંચ્યા હતા, અને બંને બાળકોને ગોદમાં બેસાડીને રસીકરણ કરાવ્યું હતું. તેમણે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરી આરોગ્ય વિભાગની ટીમના સભ્યોની રસીકરણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

 

કલેક્ટર ડો. ધવલ પટેલે સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં ૬,૭૨,૫૬૫ અને અને જિલ્લામાં ૩,૧૩,૨૪૩ બાળકોને સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું હોવાનું જણાવી કહ્યું કે, સુરત જિલ્લો રાજ્યમાં એમ.આર.રસીકરણ ઝુંબેશમાં મોખરે છે. આપણા સંતાનોને ભવિષ્યના સંભવિત રોગો સામે આરોગ્યકવચ પૂરું પાડતી વિવિધ પ્રકારની રસીઓ મૂકાવવી ખૂબ જ જરૂરી છે, રાજ્ય સરકારે ઓરી રૂબેલાને પોલિયોની માફક હટાવવાનું આ અભિયાન ઉપાડ્યું છે, તેમાં હું પણ એક વાલી તરીકે મારા બંને બાળકોને આજે રસી મૂકાવી સહભાગી બન્યો છું.

ડો.પટેલે કહ્યું કે, દેશભરમાં વર્ષ-૨૦૨૦ સુધીમાં ઓરી નિવારણ માટે ઓરી-રૂબેલા (એમ.આર.) અભિયાન હાથ ધરાયું છે. ત્યારે આજ સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ ૯,૮૫,૮૦૯ બાળકોને સફળતાપૂર્વક રસી મૂકવામાં આવી છે. જેમાં એક પણ બાળકને કોઈ પણ પ્રકારની આડ અસર થઈ નથી. સોશિયલ મીડિયા પર ફેલાતી ઓરી રૂબેલા રસીકરણની અફવાઓ પર ધ્યાન ન આપવાનો અનુરોધ કરી ઉમેર્યું કે, ઓરીના રોગ સામે તમામ બાળકોને રસી આપી દેશમાથી આ વાઇરસનો પગપેસારો અટકાવવો જરૂરી છે. આપણા દેશમાં પણ ખાનગી ડૉકટર્સ દ્વારા આ રસી ઘણા સમયથી અપાઇ રહી છે, એ જ રસી રાજ્ય સરકાર દ્વારા શાળાના બાળકોને આપવામાં આવે છે, જેથી આ રસી ખૂબ જ સુરક્ષિત છે તેમાં કોઈ શંકા નથી. તમામ વાલીઓએ પોતાના બાળકોના આરોગ્યમય અને સુરક્ષિત ભવિષ્ય માટે એમ.આર. રસી મૂકાવવી જ જોઈએ એવી અપીલ પણ તેમણે આ વેળાએ કરી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ બદલ કલેકટરશ્રીના બંને પુત્રોનું અંગુઠા પર માર્કિંગ કરી, તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. બાળકોએ શાળામાં ઓરી રૂબેલા વિષય પર વિવિધ આકર્ષક રંગોળીઓ, પોસ્ટરો અને બેનરો બનાવી તેનું પ્રદર્શન ગોઠવ્યું હતું. રસીકરણ બાદ બાળકોને ૩૦ મિનિટ માટે ઓબ્ઝર્વેશન રૂમમાં રાખી તેમને પ્રોજેક્ટર પર કાર્ટૂન ફિલ્મો દેખાડવામાં આવી હતી.

August 4, 2018
gita-mittal-970-1280x720.jpg
1min5620

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શાહ પટણા હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ 

જસ્ટિસ ગીતા મિત્તલની જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટિસપદે નિમણૂક કરાઇ છે. તેઓ કોર્ટની આગેવાની સંભાળનાર પ્રથમ મહિલા જજ બન્યાં છે. તેઓ અત્યાર સુધી દિલ્હી હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કામગીરી રહ્યા હતા.

કાયદા મંત્રાલયના વિવિધ જાહેનામા મુજબ, પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનનને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. રાજસ્થાન હાઇકોર્ટના જસ્ટિસ કલ્પેશ સત્યેન્દ્ર ઝવેરીની ઓરિસ્સા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નતિ કરાઇ છે. તેઓ હાલમાં સુપ્રીમ કોર્ટમાં નિમણૂક પામેલા જસ્ટિસ વિનીત સરનના અનુગામી બનશે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એમ કે શાહને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. તેમના પુરોગામી જસ્ટિસ મેનન દિલ્હી હાઇકોર્ટના વડા બનશે. કેરળ હાઇકોર્ટના જસ્ટિસ હૃષિકેશની આ જ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નતિ કરાઇ છે.

સિંધુ શર્મા જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના સૌ પ્રથમ મહિલા જજ તરીકે નિમણૂક પામ્યાં છે. જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના ઈતિહાસમાં ૯૦ વર્ષમાં પહેલી વાર એવી ઘટના બની છે જેમાં બે મહિલા જજ એક સાથે કામગીરી કરશે.

કલકત્તા હાઇકોર્ટના જજ જસ્ટિસ અનિરૂદ્ધ બોઝને ઝારખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પ્રમોશન અપાયું છે. અગાઉ જસ્ટિસ બોઝને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ સરકારે નકારી દીધી હતી. બોમ્બે હાઇકોર્ટના જજ વિજય કે ટહિલરમાણીને મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે પહોંચી ગયેલા જસ્ટિસ ઇન્દિરા બેનરજીના અનુગામી બનશે.

August 4, 2018
pani-puri1.jpg
1min5750

ગોલગપ્પાને નૅશનલ લેડીઝ ફૂડ જાહેર કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત

panipuri1

ગુજરાતમાં એક તરફ પાણીપૂરીની લારીઓ પર તંત્ર દ્વારા રેઇડ પાડવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ 2 ઓગસ્ટના રોજ અમદાવાદમાં પાણીપૂરી ખાવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ ઊમટી પડી હતી. બારમા ધોરણની વિદ્યાર્થિની આરઝીન ખંભાતા એક મિનિટમાં ૨૪ પાણીપૂરી ઝાપટીને સ્પર્ધાની વિજેતા બની હતી.

મહિલાઓ દ્વારા ઊભી કરાયેલી ગોલગપ્પા ક્લબ દ્વારા અમદાવાદમાં ગોલગપ્પા ઈટિંગ કૉમ્પિટિશન યોજવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેવા ૪૦૦થી વધુ મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ આવી હતી. જૈન મહિલા માટે અલગ પાણીપૂરી રખાઈ હતી. આયોજકો દ્વારા તમામ સ્પર્ધકોને ફ્રીમાં પાણીપૂરી આપવામાં આવી હતી. દરેક સ્પર્ધકને એક મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. પાણીપૂરીની સ્પર્ધામાં ભાગ લેવા માટે રીતસરનો ધસારો થયો હતો અને એક તબક્કે હૉલના દરવાજા બંધ કરવા પડ્યા હતા. બધા સ્પર્ધકોએ મનભરીને પાણીપૂરી ખાધી હતી. એમાં આરઝીન ખંભાતા એક મિનિટમાં ૨૪ પાણીપૂરી ખાઈ ગઈ હતી.

સ્પર્ધાના આયોજકોનું કહેવું હતું કે મહિલાઓ માટે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું હતું અને આ કાર્યક્રમનું આયોજન કર્યું. અમે ઇચ્છીએ છીએ કે ગોલગપ્પાને નૅશનલ લેડીઝ ફૂડ તરીકે જાહેર કરવું જોઈએ. આ માટે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરીશું.

panipuri

૧ ઑગસ્ટ હવેથી ગોલગપ્પા દિવસ

અમદાવાદની પાણીપૂરી સ્પર્ધાનું ઉદ્ઘાટન પણ બધા મહેમાનોએ પાણીપૂરી ખાઈને કર્યું હતું. એટલું જ નહીં, આ સ્પર્ધામાં હાજર રહેલાં અમદાવાદનાં મહિલા મેયર બિજલ પટેલે ૧ ઑગસ્ટને ગોલગપ્પા દિવસ જાહેર કર્યો હતો. સ્પર્ધકો સિવાયની મહિલાઓને પણ ફ્રીમાં પાણીપૂરી અને કૅન્ડી આપવામાં આવી હતી.

August 4, 2018
id3-1280x720.jpg
1min5660

@  Jayesh Brahmbhatt 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આયોજિત કરેલ યાર્ન એક્સ્પોના ઉદ્ઘાટન માટે સુરત પધારેલ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીને સાંભળવા શહેરની પ્રસિદ્ધ ફેશન સંસ્થાઆઈ.ડી.ટી.ની  વિદ્યાર્થીનીઓ ઉમટી પડી હતી .કાર્યક્રમ ની સમાપ્તિની વેળાએ આઈ.ડી.ટી.ની  આ ૧૨૫ જેટલી   વિદ્યાર્થીનીઓએ પોતાની લાગણીના પ્રતીક રૂપે, તેમણે જાતે બનાવેલ ફ્રેન્ડશીપ બેલ્ટઅર્પણ કર્યો હતો  અને તે સ્વીકારવા બદલ તેમનો આભાર માન્યો હતો .

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી આઈ.ડી.ટી ના ડિરેક્ટર અનુપમ ગોયલને આ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ મળયું મળ્યું હતું તે સમયે શ્રી ગોયલેવિદ્યાર્થીનીઓની મંત્રીશ્રીને  મળીને તેમને ફ્રેન્ડશીપ બેલ્ટ અર્પણ કરવાની તેમની ઈચ્છા ચેમ્બરના પદાધિકારીઓને જણાવી હતી અને તેને માટે અનુકૂળ પ્રતિસાદ મળતા. વિદ્યાર્થીનીઓનો ઉત્સાહબેવડાયો હતો અને આખરે મંત્રીશ્રીએ આ અંગે ખુશી વ્યક્ત કરીને તેમની સ્મૃતિ ભેટ – ફ્રેન્ડશીપ બેલ્ટ સ્વીકારી લેતા તેમણે ખુશી વ્યક્ત કરીને મંત્રીશ્રીનો આભાર માન્યો હતો અને તેમની સાથે સમૂહ માં તસ્વીર પડાવી હતી .

 

August 4, 2018
au8.jpg
2min5930

@ Jayesh Brahmbhatt 98253 44944

 

સુરતની અવંતિકા અને સાહિલ બન્યા ફેસ ઓફ ગુજરાત

સુરત : ઓરા એકેડેમી દ્વારા સતત બીજા વર્ષે યોજાયેલ “ફેસ ઑફ ગુજરાત”ની ગ્રાંડ ફિનાલેનું આયોજન સરસાણાના પ્લેટીનમ હોલ ખાતેકરવામાં આવ્યૂ હતું.

ગ્રાન્ડ ફિનાલેના અંતે ગર્લ્સમાં સુરતની અવંતિકા શરદ પ્રથમ જ્યારે દેવયાની સિંહ દ્વિતીય અને બીના સોની તૃતીય સ્થાને વિજેતા રહી હતી. તેમજ બોયઝમાં પણ સુરતના સાહિલ અરોરાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને સતીશ તિવારી દ્વિતીય તેમજ આર્યન કુકડિયા તૃતીય સ્થાને રહ્યા હતા.

દિપક અગ્રવાલે જણાવ્યું હતું કે આ વખતે ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં ઓડિશન રાખવામાં આવ્યા હતા. જેમાંથી 32ફાઇનલિસ્ટોનું ચયન કરવામાં આવ્યું હતું જેમાં 16પુરુષ અને 16મહિલાઓનું ગ્રુપ હતું.

-x-x-x-x-

July 28, 2018
wom3.jpg
1min4550

ટુરિઝમ મંત્રાલયે વિદેશમાં ભારતના મિશન્સ, ટ્રેડ અને હોસ્પિટાલિટી એસોસિએશન્સ તેમજ ભારતીય ટુરિઝમની વિદેશી ઓફિસના વડાને પત્ર લખીને કેન્દ્ર સરકારે દેશમાં મહિલા સુરક્ષા માટે લીધેલાં શ્રેણીબદ્ધ પગલાંની માહિતી આપી છે. મંત્રાલય દ્વારા આ પગલાંની જાણ લોકોને કરવા જણાવાયું છે. જેથી વિદેશી પર્યટકોના મનમાં ભારત માટે રહેલી ગેરસમજ દૂર કરી શકાય.

ટુરિઝમ સેક્રેટરીનો 6 જુલાઈનો પત્ર થોમસન રોઇટર્સ ફાઉન્ડેશન દ્વારા જૂનમાં કરાયેલા સરવેના જવાબમાં લખવામાં આવ્યો છે. સરવેમાં ભારતને મહિલાઓ માટે સૌથી જોખમી દેશ ગણાવાયો હતો. અફઘાનિસ્તાન અને સિરિયા આ યાદીમાં બીજા ક્રમે તેમજ સોમાલિયા અને સાઉદી અરેબિયા ત્રીજા ક્રમે હતા.

ET પાસે ટુરિઝમ મંત્રાલયના પત્રની નકલ છે. પત્રમાં જણાવ્યા અનુસાર “સરવેનું તારણા કોઈ આંકડા પરથી લેવાયું નથી. તેનો આધાર રોઇટર્સ દ્વારા લેવાયેલા 548 વ્યક્તિનો અભિપ્રાય છે. આ એવી વ્યક્તિઓ છે જેને રોઇટર્સે મહિલાઓની સમસ્યા બાબતે નિષ્ણાત ગણી છે.” જોકે, આ વ્યક્તિઓની લાયકાત અને કોઈ ચોક્કસ દેશ અંગેની નિપુણતા અંગેની માહિતી ઉપલબ્ધ નથી.

પત્રમાં જણાવ્યા અનુસાર “સરવેમાં હેલ્થકેર, ભેદભાવ, સાંસ્કૃતિક પરંપરા, જાતીય હિંસા, હ્યુમન ટ્રાફિકિંગ સહિતના મુદ્દે અભિપ્રાય લેવાયો હતો. ભારતે આ બાબતોમાં અગાઉના વર્ષોની તુલનામાં નોંધપાત્ર સુધારો કર્યો છે. એટલે ભારતનું રેન્કિંગ બિલકુલ ખોટું જણાય છે.” પત્રમાં જણાવાયું છે કે, “વન સ્ટોપ સેન્ટર્સ જેવી ઘણી સંસ્થાકીય સપોર્ટ મિકેનિઝમ અને 31 રાજ્યોમાં મહિલા હેલ્પલાઇન નંબરની સુવિધા છે.

2012ના નિર્ભયા કાંડ પછી તાજેતરના કાયદામાં મહિલાઓ પર એસિડ હુમલા સહિતના ગુનાની સજા વધુ આકરી બનાવવામાં આવી છે. ટુરિઝમ મંત્રાલયે 12 ભાષામાં ટુરિસ્ટ હેલ્પલાઇન લોન્ચ કરી છે. ઉપરાંત, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સુરક્ષા અંગેની માર્ગરેખા ઇશ્યૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ‘અતિથિદેવો ભવ’ના મીડિયા કેમ્પેનની મદદથી પર્યટકો સાથે સારી વર્તણૂકનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે.”