CIA ALERT

WE Archives - Page 57 of 63 - CIA Live

October 18, 2018
ravan.jpg
1min7550
  • રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 25 ટકા સુધી વધારો
  • ફટાકડાના ભાવમાં તોતિંગ વધારો
  • મટિરિયલ પર જીએસટીની ચૂકવણી

દશેરા પર્વે મનોરંજન માટે ખાસ કરીને બાળકોના મનોરંજન માટે રાવણદહનનો કાર્યક્રમો યોજાય છે. પણ આ વખતે રાવણને પણ જીએસટી અને મોંઘવારી એવા નડ્યા કે વિરાટ કદના રાવણને વામન કદના કરી દેવા પડ્યા છે. બજારમાં દશેરાએ રાવણ દહન માટેના રાવણો તૈયાર કરી આપનારાઓએ રાવણોના ભાવમાં 35 ટકા જેટલો જંગી વધારો કર્યો હોવાથી આ વખતે ગુજરાતના અનેક શહેરોમાં રાવણોના કદ પાછલા વર્ષોની તુલનામાં નાના થઇ ગયા છે.

રાવણોને પણ ગુજરાતમાં આ વર્ષે મોંઘવારી અસર કરી રહી છે. ગુજરાતમાં દશેરાના દિવસે રાવણદહન માટે તૈયાર કરી આપવામાં આવતા રાવણનાં પૂતળાં મોંઘવારીને કારણે ઓછાં વેચાયાં છે તો જ્યાં રાવણદહન થાય છે ત્યાં રાવણનાં નાના કદના પૂતળાંના ઓર્ડર અપાયા હોવાનું જાણવા મળે છે.
દક્ષિણ ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં વાપી, અમદાવાદ અને મુંબઇથી દર વર્ષે રાવણ તૈયાર કરીને મોકલવામાં આવે છે અને એ માટે ખાસ ઉત્તર પ્રદેશથી કારીગરો એક મહિના પહેલાંથી રાવણ દહન સ્થળે ડેરા તંબુ તાણીને રાવણનાં પૂતળાં બનાવે છે.

સુરતમાં રહીને રાવણદહન માટે રાવણ તૈયાર કરી આપતા અબ્બાસ અલી કહે છે કે 25થી 50 ફૂટ જેટલાં ઊંચાં રાવણનાં પૂતળાંનો અૉર્ડર  અત્યાર સુધી મળતા હતા. આ વર્ષે ભાવતાલની વાતચીતમાં જ ઓર્ડર પર 30 ટકા કાપ આવી ગયો છે. જીએસટી અને રાવણ માટે ઉપયોગી મટીરીયલ અને ફટાકડાના ભાવ વધારાને કારણે રાવણના ભાવ 35 ટકા જેટલા વધાર્યા છે. આમ આ વર્ષે રાવણ દહન કરનારાઓએ પોતાનું બજેટ વધાર્યું નથી એટલે આ વર્ષે દશેરામાં મોંઘવારીને કારણે રાવણની માગણી ઓછી થઈ ગઈ છે.

રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 28 ટકા વધારો થયો છે રાવણ દહન કરાવનારા આયોજકોએ ભાવ વધારાને પગલે ઓછા ફટાકડા નાખવાનું કહેવા ઉપરાંત નાના કદના તૈયાર કરાવ્યા છે.

 

October 16, 2018
lil-1280x859.jpg
1min6270

લર્ન એન્ડ ગ્રો અને ઈથીઆકી દ્વારા  બે દિવસીય “લીલહુડ” કાર્નિવલનું આયોજન

નાનાથી માંડી મોટાઓ માટે મૌન મસ્તીની સાથે કંઈક નવું શીખવાનો મળ્યો અવસર

સુરત :રમતગમત અને મૌજ મસ્તી સૌ કોઈને પસંદ હોય છે અને જો રમતગમતની સાથે જ કંઈક નવું શીખવાનું મળે તો આનાથી શ્રેષ્ઠ શું હોઈ શકે. ત્યારે આવાજ ઉદ્દેશ સાથે લર્ન એન્ડ ગ્રો અને ઈથીઆકી દ્વારા સુરતના આંગણે બે દિવસીય ‘લીલહુડ’ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. સિટીપ્લસ ગ્રાઉન્ડ પર આયોજીત કાર્નિવલમાં વિવિધ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મિસ્ટ્રી રૂમ, સ્ટોરીટેલિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડ્રામા એન્ડ સ્પીચ, સેલ્ફ ડિફેન્સ, ટ્રેજર હંટ, ટ્રાવેલ ધ વર્લ્ડ, લાઈવ સાઈઝ ગેમ, પપેટ શો,માઈન્ડ્સ ગેમ, ક્રોસફિટ, લેક્ચર્સ, પેરેટિંગ ટીપ્સ, રોબોટિક્સ, વિવિધ કોમ્પીટીશન, એરોમૉડેલિંગ, સ્નેક એવરનેસ, મ્યુઝિક, ડાન્સ, પેઈન્ટીંગ વગેરે સામેલ હતા. આ એક્ટિવિટી એવી હતી કે નાના બાળકોથી માંડીને મોટાઓ પણ ભાગ લઇને મૌજ અને મસ્તીની સાથે કંઈક નવું શીખી હતી.

-x-x-x-x-

October 11, 2018
a_k_chauhn.jpg
1min8120

સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં સામાન્ય રીતે એવી પરંપરા છે કે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. તરીકે પુરુષ અધિકારીની જ નિમણૂંક થતી આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અસ્તિત્વમાં આવી ત્યારથી પુરુષ પી.આઇ.ની જ પરંપરા જળવાયેલી રહી છે. પરંતુ, હાલના પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ તા.10મી ઓક્ટોબર 2018ના રોજ પ્રથમ નોરતે જ સુરત ક્રાઇમ બ્રાન્ચ જેવી હાઇપ્રોફાઇલ પોસ્ટ પર એક બાહોશ મહિલા પોલીસ ઇન્સપેક્ટર  શ્રીમતી એ.કે. ચૌહાણની નિયુક્તિ કરી છે.

સુરત પોલીસ કમિશ્નર સતીષ કુમાર શર્માએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં  શ્રીમતી અંજનાબેન કુલદીપસિંહ ચૌહાણની પી.આઇ તરીકે  નિમણું કરી છે. કમિશ્નરે કહ્યું હતુ કે ક્રાઇમ બ્રાન્ચમાં કોઇ મહિલાની નિમણુંક થઇ હોય તેવી આ પહેલી ઘટના છે.

ક્રાઇમ બ્રાન્ચમાં એક મહિલાને  નિમણુંક આપવા પાછળનું કારણ એ માનવામાં આવે છે કે સોશિયલ મિડીયમાં મહિલાઓ સાથે પરેશાનીના બનાવો વધી રહ્યા છે ઉપરાતં મહિલાઓની સતામણી અને છેડતી જેવા બનાવો રોકવા એક મહિલા પોલીસની જરૂર હતી.

October 11, 2018
w1.jpg
1min7670

સુરત, ઓક્ટોબર, 2018 – વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સ્ટ્રીંગ પેઇન્ટિંગ દ્વારા સુંદર કલર્સના માધ્યમથી અદ્ભુત અને આકર્ષક પેટર્ન તૈયાર કરી હતી. આ નાના કલાકારોની સુંદર કલા અને કાળજીપૂર્વક તૈયાર કરાયેલી પેટર્નથી તેઓ ભવિષ્યમાં સુંદર ડિઝાઇન તૈયાર કરીને વિશ્વ સમક્ષ પોતાની વિશિષ્ટ ઓળખ પ્રાપ્ત કરશે તેવી અપેક્ષા છે.

સ્ટ્રીંગ પેઇન્ટિંગ વર્ષો જૂની કલા છે અને આ કલાના માધ્યમ તરીકે સ્ટ્રીંગ, થ્રેડ, વાયર અથવા ફાઇબરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટ્રીંગ પેઇન્ટિંગ કલાના માધ્યમથી વિદ્યાર્થીઓ પોતાની જટિલ કામગીરી સાથે રચનાત્મકતાને ખુબજ સારી રીતે પ્રદર્શિત કરી શકે છે અને તેમને નવીન કલા શીખવા માટે પ્રોત્સાહન પણ મળી રહે છે.

જે બાળકો પેન્સિલ અને કલર્સનો ઉપયોગ કરીને ઇમેજ બનાવવા માટે સ્કેચિંગ, ડ્રોઇંગ અને પેઇન્ટિંગ કરી શકતાં ન હોય તેમની રચનાત્મકતાને બહાર લાવવામાં આ પ્રવૃત્તિ ખુબજ ઉપયોગી નિવડે છે. આ કલા ખુબજ સરળ છે અને તેમાં માત્ર થ્રેડ, પેપર અને વિવિધ પેઇન્ટ્સ દ્વારા અનોખી ડિઝાઇન અને પેટર્ન તૈયાર કરી શકાય છે. રચનાત્મકતાની સાથે તેનું વાણિજ્યિક મૂલ્ય પણ ખુબજ સારું છે.

-x-x-x-

October 10, 2018
workingwomen.jpg
1min6030

ઓટોમેશન અને નવી ટેક્નોલોજીનો એરુ વૈશ્વિક સ્તરે આભડી જતાં ૧૮ કરોડ મહિલાની રોજગારી સામે જોખમ ઊભું થયું છે, તા.9મી ઓક્ટોબર 2018ના રોજ આંતરરાષ્ટ્રીય નિધિ ભંડોળ (આઈએમએફ)એ એવી ચેતવણી ઉચ્ચારી છે.

વૈશ્વિક નાણાકીય સંસ્થાએ વિશ્વના નેતૃત્વને આવશ્યક કૌશલ્યથી સંપન્ન કરવી, સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદ મીટાવવા, ડિજિટલ ભેદરેખા મીટાવવી તેમ જ કર્મચારીઓ માટે નવી ચીજો સરળતાથી શીખાય તેવી જોગવાઈ કરી આપવાનું જણાવ્યું છે.

(Symbolic Photo)

બાલીમાં વિશ્ર્વ બેન્કની અને વાર્ષિક આઇએમએફની મીટિંગ દરમિયાન બહાર પાડેલી નોંધમાં આઇએમએફે કહ્યું હતું કે ૩૦ દેશના અંદાજને આધારે મહિલાઓ નોકરી ખોઈ બેસે એવી શક્યતાઓ છે. આ ૩૦ દેશમાં ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી) દેશો, સાયપ્રસ તેમ જ સિંગાપોરનો સમાવેશ થાય છે.

નવી ટેક્નોલોજીને લીધે મહિલાઓ દ્વારા સામાન્ય પણે કરાતી કામગીરીની માગ ઘટે તેમ જ શ્રમ બજારની સહભાગીતા ઘટે તેવી શક્યતા છે. મહિલા કાર્યકારી દળનો મોટો હિસ્સો નોકરી ખોવાનું જોખમ પુરુષો કરતાં વધારે ધરાવે છે. (૧૧ ટકા વિરુદ્ધ ૯ ટકા). ઉક્ત દેશોમાં ૨.૬ કરોડ મહિલાઓની નોકરી સામે ભારે જોખમ ઊભું થયું છે.

October 9, 2018
surat_police.jpg
1min22410

For Any news, events, reporting please contact on 98253 44944

તા.10મી ઓક્ટોબરથી તા.18મી ઓક્ટોબર સુધી ચાલનારા નવરાત્રિ પર્વને અનુલક્ષીને કોઇપણ નાગરિક ખાસ કરીને મહિલાઓ, યુવતિઓ સાથે કોઇ અનહોની ન સર્જાય, અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા એડવાઇઝરી (માર્ગદર્શક સૂચનાઓ) જારી કરવામાં આવી છે. સુરત પોલીસે પોતાના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર પણ આ એડવાઇઝરી પોસ્ટ કરીને નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ ખાસ કરીને મહિલાઓ અને યુવતિઓએ શું શું તકેદારી રાખવી અે અંગે જાગૃતિ ફેલાવતી પોસ્ટસ રજૂ કરી છે. સુરત પોલીસની આ ગાઇડલાઇન્સનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે તો અનેક નાની મોટી મુશ્કેલીથી સ્વયંને બચાવી શકાશે.

સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ સુરત પોલીસની આ અવેરનેસ અભિયાનને બિરદાવે છે અને જનહિતાર્થે પુનઃ આ અવેરનેસ અભિયાનને પ્રકાશિત કરવામાં આવે છે.

સુરત પોલીસના ફેસબુક, ટ્વીટર તેમજ અન્ય પેજીસ પર આ મુજબની એડવાઇઝરી અવેરનેસ માટે રજૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી સુરત પોલીસે ખેલૈયાઓ માટે ટીપ્સ પણ જાહેર કરી છે જે વન બાય વન અા મુજબ છે.

Tip No.1

Tip No.2

Tip No.3

Tip No.4

 

Tip No.5

Tip No.6

 

September 26, 2018
womenpilot.jpg
1min11630

Jayesh Brahmbhatt 98253 44944

ભારતમાં સિવિલ ઉડ્ડનય ક્ષેત્રમાં છેલ્લા 4 વર્ષમાં મહિલા પાઇલોટની સંખ્યા ડબલ થઇ ગઇ છે, આ સમાચાર સાંભળીને વિશ્વમાં સૌથી મોટું સિવિલ એવીએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના લોકોના દાંત ખાટા થઇ ગયા છે. 2014માં ભારતમાં કુલ 5050 પાઇલોટ હતા જેઓ વિમાન ઉડાતતા હતા, તેમાં 11.6 ટકા પાઇલોટ એટલે કે કુલ 586 પાઇલટ મહિલાઓ હતી. ભારતમાં મહિલા પાઇલોટની સંખ્યા ચાલુ વર્ષ 2018માં વધીને 1092 થઇ જવા પામી છે. ચાર જ વર્ષમાં મહિલા પાઇલોટની 586ની સંખ્યા વધીને ડબલ 1092 થઇ જવા પામી છે.

  • ભારતમાં કુલ પાઇલોટ્સની સંખ્યા 8797
  • ભારતમાં કુલ મહિલા પાઇલોટ્સની સંખ્યા 1092 (12.4 ટકા)
  • વિશ્વમાં કુલ મહિલા પાઇલોટ્સની સંખ્યા 7409
  • અમેરિકા-ઓસ્ટ્રેલિયામાં મહિલા પાઇલોટ્સનું પ્રમાણ 5 ટકાથી નીચે
  • ભારતમાં મહિલા પાઇલોટ્સનું પ્રમાણ 12.4 ટકા

ભારતની મહિલાઓને પછાત અને અબળા ગણાવતા વિકસિત દેશો માટે આ આંકડો કપાળની કરચલીઓ વધારનારો બની રહ્યો છે. કેમકે સમગ્ર વિશ્વમાં હાલમાં કુલ મહિલા પાઇલોટની સંખ્યા 7409 છે, વિશ્વમાં મહિલાઓ પાઇલોટનું ટકાવારી પ્રમાણ ફક્ત 5.2 ટકા છે. વિશ્વભરમાં 7,409 મહિલા પાઇલોટ્સમાં 1092 તો ભારતીય મહિલાઓ છે.

એથી વિશેષ નાગરીક ઉડ્ડયન ક્ષેત્રમાં સૌથી વધુ માળખાગત સુવિધા ધરાવતા ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં પણ મહિલા પાઇલોટનું પ્રમાણ ફક્ત 5 ટકા છે, જ્યારે ભારત વિશ્વમાં તેમજ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશોના મહિલા પાઇલોટના પ્રમાણ કરતા ડબલ 12.4 ટકા મહિલા પાઇલોટ ધરાવે છે.

ભારતની મહિલા પાઇલોટ એવું નથી કે ફક્ત ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં જ વિમાનો ઉડાડે છે. એરઇન્ડિયાએ તો અમેરીકા જતી અને અમેરીકાથી આવતી ફ્લાઇટ્સમાં પણ મુખ્ય પાઇલોટ તરીકે મહિલા પાઇલોટને ડેપ્યુટ કરી છે. ભારતમાંથી લગભગ દરેક દેશોમાં જતી ફ્લાઇટ્સમાં હવે મહિલા પાઇલોટ્સને મુખ્ય પાઇલોટ અગર તો કો પાઇલોટ તરીકે ડ્યૂટી આપવામાં આવી રહી છે.

 

September 26, 2018
missing-kids.jpg
1min8180

દિલ્હીમાંથી ગુમ થતાં દરેક 10 બાળકોમાંથી છની ભાળ મળતી ન હોવાની વાત બે સ્વયંસેવી સંસ્થાએ જાહેર કરેલા રિપોર્ટમાં જણાવાઇ હતી. અલાયન્સ ફોર પીપલ્સ રાઇટ (એપીઆર) અને ચાઇલ્ડ રાઇટ્સ ઍન્ડ યુ (ક્રાઇ) નામના એનજીઓએ એનસીઆરબી ડેટા અને પોલીસે આપેલા આરટીઆઇ અરજીઓના જવાબને આધારે બનાવેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાંથી ગુમ થયેલાં 63 ટકા બાળકો શોધાયાં નહોતાં અને આ સામે આખા દેશની શોધાયા ન હોય એવા બાળકોની ટકાવારી 30 ટકા છે.

‘દિલ્હીમાંથી 2018માં ગુમ થયેલાં બાળકો’ના મથાળા હેઠળ તા.26મી સપ્ટેમ્બર 2018ના રોજ જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે પાછલા પાંચ વર્ષ દરમિયાન દિલ્હીમાંથી 26,761 જેટલાં બાળકો ગુમ થયાં હતાં અને એમાંથી ફક્ત 9,727 બાળકો જ શોધી કઢાયાં હતાં. જોકે, દિલ્હી પોલીસના ડેટા પ્રમાણે 2015માં રોજ 22 બાળકો ગુમ થતાં હતાં, પણ 2017માં એ ઘટીને રોજ ગુમ થનાર બાળકોની સંખ્યા 18 થઇ છે.

આરટીઆઇ અરજીના જવાબમાં રાજ્યકક્ષાના મહિલા અને બાળ વિકાસ પ્રધાન ક્રિશ્ર્ના રાજે જણાવ્યું હતું કે 1લી જાન્યુઆરી, 2012થી 20 માર્ચ, 2017 વચ્ચે 2,42,938 બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરાઇ હતી અને એમાંથી 1,70,173 બાળકો જ શોધી શકાયાં હતાં.

રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાં ગુમ થતાં બાળકોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પણ એમને શોધવાની બાબતમાં દિલ્હી સાવ ઊણું ઊતર્યું છે અને પ્રશાસને આ બાબતની ગંભીરતાથી નોંધ લેવી જોઇએ.

બાળકો ગુમ થતા અટકાવવા માટે એપીઆર અને ક્રાઇએ કમ્યુનિટી વિજિલન્સની પ્રણાલી શરૂ કરી હતી. એમાં જણાવાયું હતું કે કઇ રીતે દરેક સમાજના લોકોને એમના વિસ્તારમાં બાળકો પર નજર રાખવાનું તથા બાળકો માટે શક્યત: ઊભા થનાર ખતરા પર ધ્યાન રાખવાનું કામ સોંપાવું જોઇએ.

ક્રાઇના રિજનલ ડિરેક્ટર સોહા મિત્રાએ જણાવ્યું હતું કે ગુમ થયેલાં બાળકોને શોધવાનું કામ મુખ્ય રીતે પોલીસનું જ છે, પણ સંયુક્ત બાળ સુરક્ષા યોજના એવું સૂચન કરે છે કે સામાજિક સ્તરે જ બાળકોને ગુમ થતા રોકવા માટે પ્રયત્ન થવા જોઇએ.

આ યોજના પ્રમાણે પ્રશાસન અને સમાજે સાથે મળીને બાળકો ગુમ થતા રોકવા માટે પ્રયત્ન કરવા જોઇએ. બાળકોની આસપાસ સુરક્ષાચક્ર રચવાની જવાબદારી સરકાર અને સમાજ બંનેની છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે સૌથી વધુ ગુમ થનાર બાળકો 12-18 વર્ષની વયના હોય છે અને એમાંય છોકરા કરતાં છોકરીઓની સંખ્યા વધુ હોય છે. આ પાછળ બાળમજૂરી, દેહવિક્રય, બળજબરીથી લગ્ન કરાવવા, ઘરકામ કરાવવું અને ભીખ મગાવવી જેવી બાબતો માટે એમનો ઉપયોગ થતો હોય છે.

પોલીસ વિભાગનું વલણ આ મામલે એકદમ નિરસ રહ્યું છે. દિલ્હીમાં ગુમ થઇ રહેલા બાળકોને શોધવા માટે પોલીસ વિભાગે કોઇ યોજના નથી બનાવી કે એમની પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો કોઇ ઉત્તર પણ નથી.

પોલીસ પેટ્રોલિંગ વધારવી, જાહેર સ્થળોએ ગુમ થયેલ બાળકોની માહિતીની જાહેરાત, એમના વિશે નોટિસ ફરતી કરવી, હોર્ડિંગ અને બેનર લગાડવા, સીસીટીવી કૅમેરા લગાવવા અને એવા અનેક ઉપાયોનો ઉપયોગ હજુ અનેક સ્થળે નથી કરવામાં આવતો.

દિલ્હીમાં 11 જિલ્લા બાળ સુરક્ષા યુનિટ બનાવાઇ છે, પણ સંયુક્ત બાળ સુરક્ષા યોજના પ્રમાણે આ યુનિટોએ બાળકો માટે સુરક્ષાચક્ર બનાવવા સમાજ સાથે સંપર્ક નથી જોડયો.

આ સિવાય ગુમ થયેલાં બાળકોને શોધવા માટે પોલીસ વિભાગ પાસે માણસોની પણ અછત છે. પોલીસો પર કામનું એટલું બધું દબાણ છે અને તેઓ અન્ય ફરજમાં એવા પરોવાયેલા છે કે બાળકો ગુમ થવાને મામલે તેઓ ખાસ સંવેદનશીલતાથી ધ્યાન નથી આપી શકતા.

September 19, 2018
talaq-talaq.jpg
1min14690

તા.19મી સપ્ટેમ્બર 2018ના દિવસે કેન્દ્ર સરકારની કેબિનેટએ ટ્રિપલ તલાકનાં વટહુકમ પર મંજૂરીની મહોર મારી દીધી છે. પહેલેથી જ નરેન્દ્ર મોદીની સરકાર ત્રિપલ તલાકને ગુનો ગણવાના મૂડમાં હતી અને આખરે તે થઇને રહ્યું. અગાઉ મોદી સરકારે રજૂ કરેલા ત્રિપલ તલાકના મૂળ મુસદ્દા સામે કોંગ્રેસ સહિતનાં અન્ય વિપક્ષી દળોની માંગણીઓને પગલે મૂળ મુસદ્દામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. સંશોધન બાદ પણ વટહુકમ રાજ્યસભામાં પાસ નહતું થઈ શક્યું. જો કે, લોકસભામાં આ બિલ પહેલેથી જ પાસ થઈ ગયું હતું. ટ્રિપલ તલાક વટહુકમ આ પહેલા બજેટ સત્ર અને ચોમાસા સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યસભામાં પાસ ન થઈ શક્યું.

આ મુદ્દાઓ મુખ્ય રહ્યા

– ટ્રાયલ પહેલા પીડિતાની વાત સાંભળીને મેજિસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે.

– પીડિતા, પરિવાર અને લોહીનાં સંબધી જ એફઆઈઆર દાખલ કરાવી શકે છે.

– મેજિસ્ટ્રેટને પતિ-પત્ની વચ્ચે સમજૂતિ કરાવીને લગ્નજીવન ટકાવી રાખવાનો અધિકાર હશે.

અગાઉ સંસદમાં ચોમાસા સત્ર દરમિયાન રાજ્યસભામાં થયેલ હોબાળા અને રાજનૈતિક સંમતિ નહીં મળવાનાં કારણે ટ્રિપલ તલાકનું બિલ છ મહિના સુધી પાસ નહતું થઈ શક્યું. મોદી કેબિનેટે આ બિલમાં ત્રણ સંશોધન કર્યા છે. જેમાં જામીન આપવાનો અધિકાર મેજિસ્ટ્રેટ પાસે હશે અને કોર્ટની સંમતિથી સમજૂતીની જોગવાઈ પણ કરવામાં આવશે. હવે આ વટહુકમને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવાયું છે.

September 14, 2018
adarsh.jpg
1min12830

Jayesh Brahmbhatt   98253 44944

આપણા સામાજિક ઢાંચાનું એટલું અધઃપતન થઇ રહ્યું છે કે હવે આદિકાળથી ચાલી આવતી આપણી સામાજિક ભૂમિકાઓનું પણ જ્ઞાન શૈક્ષણિક સંસ્થાઓ આપવા માંડી છે. મા-બાપ તરીકે બાળ ઉછેર કેવી રીતે કરવો, દાદા-દાદી તરીકે ઘરમાં કેવી રીતે વર્તવું જેવા મુદ્દાઓ પર અઢળક સાહિત્યો માથે પડ્યા છે ત્યાં હવે ભોપાલની જાણીતી બરકતુલ્લાહ યુનિવર્સિટી આદર્શ વહુ કેવી રીતે બની શકાય તે માટે લગ્નની ઉંમરલાયક યુવતિઓ માટે એક અભ્યાસક્રમ શરૂ કરી રહી છે. આદર્શ વહુ અભ્યાસક્રમમાં યુવતિઓને લગ્ન પછી સાસરીમાં કેવી રીતે રહેવાનું, ચાલ-ચલન, વર્તણૂંક, વાણી, પહેરવેશ, આદરભાવથી લઇને રસોઇ અંગેની ટીપ્સ આપીને નવ વધુઓને લગ્ન પહેલા તૈયાર કરશે.

ભારતમાં કોઇ યુનિવર્સિટી દ્વારા નવ વધુઓ માટે જ ખાસ કોર્સ શરૂ કરાયો હોય તેવો આ પહેલો વહેલો પ્રસંગ છે. ભોપાલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. ડી.સી. ગુપ્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે આદર્શ વહુ અભ્યાસક્રમ 3 મહિનાનો છે અને દિવાળી પછી શરૂ થતી નવી ટર્મથી આ કોર્સ લગ્નની ઉંમર ધરાવતી એજ્યુકેટેડ યુવતિઓ માટે શરૂ કરવામાં આવશે.

ડો.ગુપ્તાએ કહ્યું કે એક યુનિવર્સિટી તરીકે અમારું પણ સામાજિક ઉત્તરદાયિત્વ છે અને હાલમાં આપણી લગ્ન પ્રથા અને લગ્ન બાદ નવયુગલ વચ્ચે થઇ રહેલી સમસ્યાઓ ઓછી થાય એના પ્રયાસ રૂપે અમે આદર્શ વહુ કોર્સ શરૂ કરી રહ્યા છે. ભોપાલ સ્થિત બરકતુલ્લાહ યુનિવર્સિટીના ડિપાટમેન્ટ ઓફ સોશ્યોલોજી, સાઇકોલોજી અને વુમન્સ સ્ટડીઝમાં આ કોર્સ શરૂ થશે. પહેલા બેચમાં 30 યુવતિઓને પ્રવેશ આપવામાં આવશે અને તેમની ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઇએ એ નિયમ ઘડાય રહ્યો છે.

જોકે, શિક્ષણશાસ્ત્રીઓમાં આદર્શ વહુ અંગેના સૂચિત કોર્સ અંગે તીવ્ર મતભેદો જોવા મળી રહ્યા છે.

વહુ એ દરેક પરિવારની જુદી જુદી વ્યાખ્યામાં આવતી હોય છે ત્યારે ભોપાલની આ યુનિવર્સિટીના કોર્સની વ્યાખ્યા સમગ્ર દેશમાં સમાન જ હશે એ હરગીઝ માની શકાય નહીં. ગ્રામીણ વિસ્તારમાં આજે પણ વહુઓને માથે ઓઢવાનું કહેવામાં આવે છે, વેસ્ટર્ન કપડા તો દૂર પેન્ટ-ટીશર્ટ પણ વહુઓ પહેરી શકતી નથી, શહેરોમાં સાડી કે ડ્રેસને વહુઓ અડકવાનું નામ લેતી નથી. આ પ્રકારનો તફાવત હોય ત્યારે ભોપાલની યુનિવર્સિટી આદર્શ વહુને શું શીખવાડીને આદર્શ બનાવશે એ જોવું રહ્યું.

મોટા ભાગના શિક્ષણશાસ્ત્રીઓએ અનેક સવાલો ઉપસ્થિત કર્યા છે. ફક્ત યુવતિઓ માટે જ કેમ આદર્શ વહુ કોર્સ શરૂ કરાઇ રહ્યો છે, શું યુવકો પહેલેથી જ આદર્શ પતિ હોય છે, યુનિવર્સિટીઓ જેના માટે બની છે એ ઉચ્ચ શિક્ષણ, સંશોધન વગેરે બાબત તો દૂર પણ પરીક્ષા પદ્ધતિ, અભ્યાસક્રમ જેવી પોતાની આંતરિક બાબતો તો સુધારી શકતી નથી એવી સ્થિતિમાં આદર્શ વહુનો કોર્સ સમય બગાડનારો બની રહે તેમ છે.

 

 

You can Find Us at Google Play Store too