CIA ALERT

WE Archives - Page 55 of 63 - CIA Live

November 29, 2018
online_fraud-1280x720.jpg
1min12850

ઇન્ટરનેટ કે સોશ્યલ મિડીયા સાઇટ્સ, સોશ્યલ નેટવર્કિંગ સાઇટ વગેરે પર મૂકવામાં આવતી, પોસ્ટ કરવામાં આવતી બધી માહિતી, વિડીયો, ફોટા કે અન્ય મટિરિયલ્સ પર ભરોસો મૂકનારા મોટા ભાગે પસ્તાયા છે. ઇન્ટરનેટ પર મૂકાતી માહિતીને વેરાફાય થઇ શકે નહીં, અને ખુદ ભરોસો મૂકનારે વેરીફાય કર્યા પછી આગળ વધવું જોઇએ અન્યથા મુંબઇની એક યુવતિને આવો અનુભવ કેટલા રૂપિયામાં પડ્યો એ જાણીને તમે ક્યારેય ઇન્ટરનેટ પરની માહિતીને સાચી નહીં માની બેસો એ વાતની ગેરન્ટી છે.

મેટ્રીમોનિયલ સાઇટ પર યુવક સાથે થયેલો પરિચય 32 વર્ષની યુવતીને ભારે પડયો હતો. વિદેશમાં એરપોર્ટ પર મની લોન્ડરિંગની શંકા પરથી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ વિભાગે તાબામાં લીધો હોવાનું જુઠ્ઠાણું ચલાવી યુવતી પાસેથી રૂ. 26.49 લાખ પડાવવા બદલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે યુવકની ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-2ના અધિકારીઓએ ધરપકડ કરેલા યુવકની ઓળખ નિમેશ ચોટલિયા તરીકે થઇ હતી. ધરપકડ બાદ નિમેશને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવતાં તેને 4 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.

અમેરિકામાં વર્ક વિઝા પર નોકરી કરતી યુવતીએ મેટ્રીમોનિયલ વેબસાઇટ પર પોતાનો પ્રોફાઇલ અપલોડ કર્યો હતો. ત્યાર બાદ મેટ્રીમોનિયલ સાઇટ મારફત તેનો પરિચય નિમેશ સાથે થયો હતો. નિમેશે તેને કહ્યું હતું કે તેણે ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કર્યો છે અને મુંબઈની બીકેસી ખાતે આવેલી કંપનીમાં હાર્ડવેર નેટવર્કિંગ વિભાગનો હેડ છે. તેણે યુકેની અનેક કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે. દરમિયાન યુવતીએ નિમેશના માતા-પિતા સાથે લગ્ન વિશે વાતચીત કરવાનું નક્કી કર્યું હતું, પણ વરલીમાં ફ્લેટ લીધા બાદ વાતચીત કરવાનું નિમેશે તેને કહ્યું હતું.

દરમિયાન તેણે યુવતીને કહ્યું હતું કે તે લંડન જઇ રહ્યો છે અને ત્યાંથી તે ન્યૂ યોર્ક આવીને તેને મળશે. જોકે બાદમાં તેણે કહ્યું હતું કે તેને ન્યૂજર્સી ખાતે એરપોર્ટ પર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન વિભાગે મની લોન્ડરિંગની શંકા પરથી તાબામાં લીધો હતો અને તેમાં યુવતીનું નામ આવ્યું હોવાથી આમાંથી અમેરિકન ડોલર તેના મુંબઈના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાનું યુવતીને જણાવ્યું હતું. યુવતીએ વખતોવખત 37,122 અમેરિકન ડોલર (રૂ. 26.49 લાખ) નિમેશના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

દરમિયાન યુવતીને શંકા જતાં તેણે મેટ્રીમોનિયલ સાઇટ પર નિમેશે આપેલા સરનામે જઇને તેના પરિવારને મળવા માટે પોતાના પિતાને કહ્યું હતું. આથી યુવતીના માતા-પિતા નિમેશના પાર્લામાં આવેલા ઘરે ગયા હતા, જ્યાં નિમેશ પાંચ વર્ષમાં ક્યારે પણ વિદેશ ગયો ન હોવાનું તેમને જાણવા મળ્યું હતું. છેતરપિંડી થયાની જાણ થતાં યુવતીના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, એમ પોલીસે કહ્યું હતું.

November 26, 2018
School-kids-with-heavy-bags.jpg
1min21380

વર્ષોથી નહીં દાયકાઓથી ભારતમાં ભાર વિનાનું ભણતર કરવાની વાત ચાલે છે પણ હજુ સુધી તેનો અમલ થયો નથી, બલ્કે બાળકોના, ભૂલકાઓના દફતરનું ભારણ એટલું વધી ગયું છે કે ધો.1થી 3ના બાળકોને તો નાનપણમાં જ કમરના દુખાવાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પણ હવે સંભવ છે કે ભાર વિનાના ભણતરની અપેક્ષા સાકાર થાય તેમ છે. www.cialive.in સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પછી કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે દફતરનું ભારણ પ્રાથમિકના ધોરણ વાર કેટલું હોવું જોઇએ તેનું માપ દર્શાવતો પરિપત્ર દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ ખાતા જોગ જારી કર્યો છે www.cialive.in અને તેનો કડકાઇથી અમલ કરાવવાની સૂચના આપી છે.

માનવ સંસાધન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને આ ગાઇડલાઈન જાહેર કરી છે. તે હેઠળ ધોરણ પ્રમાણે સ્કૂલબેગના વજનને પણ નક્કી કરવામાં આવ્યું છે. પત્રમાં સૂચના આપવામાં આવી છે કે આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવવો જોઇએ.

  • પરિપત્રમાં જણાવાયું છે કે

  • ધો.1-2માં દફતરનું વજન દોઢ કિલોગ્રામથી www.cialive.in વધે નહીં
  • ધો.3-5માં દફતરનું વજન 2 કિલો 300 ગ્રામથી વધવું જોઇએ www.cialive.in નહીં.
  • ધો.6-7માં દફતરનું www.cialive.in વજન 4 કિલોગ્રામથી વધવું જોઇએ નહીં.
  • ધો.8-9માં દફતરનું વજન 4.6 કિલોગ્રામથી વધવું જોઇએ નહીં
  • ધો.10માં દફતરનું www.cialive.in વજન 5 કિલોગ્રામથી વધવું જોઇએ નહીં.
  • બીજી કઇ કઇ સૂચનાઓ છે સરક્યુલરમાં

  • ધો.1-2ના વિદ્યાર્થીઓને શાળાઓએ હોમવર્ક આપવું જ નહીં
  • પાંચમાં ધોરણ સુધી ભાષા અને ગણિત સિવાય www.cialive.in અન્ય વિષયો શાળાઓ દ્વારા આપવાના રહેશે નહીં.
  • શાળાઓએ એક્સટ્રા વર્ક માટેની બુક્સ, નોટબુક્સ કે અન્ય સાહિત્ય મંગાવવાનો આગ્રહ રાખવાનો નથી

કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયે 5 ઓક્ટોબર, 2018ના રોજ આ આદેશ જાહેર કર્યો હતો. રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને આ આદેશને તાત્કાલિક અસરથી લાગુ કરવાનું કહેવામાં આવ્યું છે. www.cialive.in હવે આ સંબંધે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો તરફથી શિક્ષણ વિભાગ અને સ્કૂલોને સર્ક્યુલર જાહેર કરવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી ગુજરાતમાં આ અંગે સહેજ પણ ચળવળ દેખાતી નથી. અમને જે સરક્યુલર મળ્યો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશના નામનો છે. પણ આવો જ પરિપત્ર ગુજરાતમાં પણ આપવામાં આવ્યો છે પણ ગુજરાત સરકાર તેને પ્રાયોરિટીમાં લેતી ન હોવાનું હાલ તુરત જણાય રહ્યું છે.

November 24, 2018
mary-kom-1543060481.jpg
1min9500

દિલ્હીના આંગણે રમાઇ રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ અન્વયે આજે તા.24મી નવેમ્બર 2018ના રોજ રમાયેલી મહિલા ઇવેન્ટની ફાઇનલ મેચમાં ભારતમાં સુપરમોમના નામથી પ્રચલિત મેરીકોમએ પોતાનાથી 13 વર્ષ નાની અને હોટ ફેવરિટ ચેમ્પિયન ગણાતી યુક્રેનની હંટરના હુલામણા નામથી પ્રચલિત બોક્સરને હરાવીને વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. આ સાથે જ મેરી કોમ આયરલેન્ડની કેટી ટેલરને પછાડીને સૌથી વધુ વખત (6) વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીતનાર પ્રથમ મહિલા બોક્સર બની ગઈ છે. આ અગાઉ મેરી કોમ અને ટેલર 5-5 ટાઈટલ સાથે બરોબરી પર હતા.

ફાઈનલ મેચમાં બન્ને બોક્સરો ભારતની મેરીકોમ અને યુક્રેનની બોક્રસની ઉંમર વચ્ચે 13 વર્ષનો તફાવત હતો. યુક્રેનની હન્ના ઓકોતા હજુ 22 વર્ષની છે. જો કે તેની ખુંખાર રમતને પગલે તે ‘હંટર’ નામથી ઓળખાય છે. હન્નાએ યુરોપિયન યુથ ચેમ્પિયનશિપમાં બ્રોન્ડ મેડલ મેળવ્યો હતો.

દિલ્હીના કે ડી જાધવ સ્ટેડિયમમાં રમાયેલી 48 કિલોગ્રામ કેટેગરીની ફાઈનલ ફાઈટમાં મેરી કોમે યુક્રેનની હન્ના ઓકોતાને હરાવીને વર્લ્ડે રેકોર્ડ રચ્યો હતો. મેરી કોમ છઠ્ઠી વખત બોક્સિંગમાં ગોલ્ડ જીતનાર ભારતીય મહિલા બોક્સર બની ગઈ છે.

અગાઉ 2006માં ઘરઆંગણે મેરી કોમે વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઈટલ પોતાના નામે કર્યું એ વખતે લાઈટ ફ્લાઈવેટમાં રોમાનિયાની સ્ટેલુટા દુતાને હરાવીને મેરી કોમે 5માં વર્લ્ડ ટાઈટલ પોતાના નામે કર્યું હતું. જ્યારે આજરોજ તા.24મી નવેમ્બર 2018ના રોજ નવી દિલ્હી ખાતે યુક્રેનની હન્ના ઓકોતાને હરાવીને ટાઇટલ જીત્યું છે.

 

November 22, 2018
maharashtra_map.jpg
1min14160

વર્ષ 2013થી અત્યાર સુધીમાં મહારાટ્રમાંથી 2264 છોકરી અને મહિલા ગુમ થઈ હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લેખિત પ્રશ્ર્નના ઉત્તરમાં જણાવ્યું હતું. 2013થી 2017 વચ્ચે કુલ 26,708 મહિલા ગુમ થઈ હતી, જેમાંથી 24,444 મળી ગઈ હતી. 2,264ની શોધ ચાલી રહી હોવાનું ગૃહ ખાતું પણ સંભાળતા ફડણવીસે જણાવ્યું હતું. આ ગુમ થયેલી મહિલાઓમાં 298 સગીરા પણ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ફડણવીસે જણાવ્યું હતું કે મહિલાઓની ગુમ થવાની સંખ્યા વધી ગયેલી દેખાઈ રહી છે, કારણ કે સુપ્રીમ કોર્ટે સગીરના અપહરણના કેસ નોંધવાનું ફરજિયાત બનાવ્યું છે. 2013થી 18 વર્ષની વય નીચેની 5056 મહિલા ગુમ થઈ હોવાનું બહાર આવ્યું હતું જેમાંથી 4758 મહિલા મળી આવી હતી. 18 વર્ષ ઉપરની 21,652 મહિલા ગુમ થઈ હતી, જેમાંથી 19,686 મહિલા શોધી લેવામાં આવી હતી. દસ દેહવ્યાપારના કેસ નોંધવામાં આવ્યા છે જેમાં 53 પીડિતાને બચાવવામાં આવી હતી. આ સાથે કુલ 8518 કેસ બાળકોની સતામણીના નોંધવામાં આવ્યા હતા, જેમાં 8908 પીડિત બાળકને રક્ષણ આપવામાં આવ્યું હતું. મહિલાના ગુમ થયાના કેસમાં દેશભરમાં મહારાષ્ટ્ર બારમા સ્થાને છે.

November 20, 2018
worldwomen.jpg
1min5530

રેફરીઓના વિવાદિત ચુકાદાને કારણે વિવાદ થયો હોવા છતાં દિલ્હીમાં ચાલતી વિમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ભારતની આઠ બૉક્સર ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી છે.

તા.19મી નવેમ્બર 2018ના રોજ સોનિયા ચહલ (૫૭ કિલોગ્રામ), પિન્કી રાની (૫૧ કિલોગ્રામ) અને સિમરનજિત કૌર (૬૪ કિલોગ્રામ) પોતપોતાની કૅટેગરીમાં પ્રિ-ક્વૉર્ટર ફાઇનલ મુકાબલો જીતી હતી. ગઈ કાલે કે. ડી. જાધવ સ્ટેડિયમમાં સ્વીટી બુરા (૭૫ કિલોગ્રામ) એકમાત્ર ભારતીય બૉક્સર પોતાની મૅચ હારી હતી.

મૅરી કૉમ (૪૮ કિલોગ્રામ), મનીષા મૌન (૫૪ કિલોગ્રામ), લોવલિના બોરગોહેઇન (૬૯ કિલોગ્રામ) અને કચરી ભાગ્યબતી (૮૧ કિલોગ્રામ) ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે. સીમા પુનિયા સીધી જ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી છે.

November 20, 2018
alpesh-kathiriya-1280x720.jpg
1min8600
  • રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયાને હાઇકોર્ટે જામીન આપ્યા
  • જામીનના એક દિવસ પૂર્વે જ સુરત પોલીસે અલ્પેશ કથિરીયાને અેરેસ્ટ કર્યા હતા
  • રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયાને જામીન મળ્યા હોવા છતાં હજુ તેઓ સુરત પોલીસની કસ્ટડીમાં રહેશે

સુરતના યુવા આગેવાન અને પાસના નેતા અલ્પેશ કથિરીયાને આખરે રાજદ્રોહના કેસમાં આજરોજ તા.20મી નવેમ્બર 2018ના રોજ ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા હોવાની વિગતો જાણવા મળી છે. જોકે, તા.19મી નવેમ્બર 2018ના રોજ અમદાવાદ જેલમાંથી સુરત પોલીસે અલ્પેશ કથિરીયાને બીજા કેસમાં એરેસ્ટ કર્યા હતા, એટલે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હોવા છતાં સુરતના કેસમાં અલ્પેશ કથિરીયાએ હજુ કસ્ટડીમાં રહેવું પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.

ગુજરાત હાઇકોર્ટે રાજદ્રોહના કેસમાં પાસના મોટા નેતા સુરતના અલ્પેશ કથિરીયાને જામીન આપ્યા હોવાની વિગતો આજે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ભારે વાઇરલ થઇ હતી. પાસના વ્હોટ્સ એપ ગ્રુપમાં અલ્પેશ કથિરીયાના ચાહકોએ અલ્પેશ ગબ્બરની મુક્તિના સમાચારોને વાઇરલ કરી મૂક્યા હતા. પાસના નેતાઓએ અલ્પેશ કથિરીયાને અન્ય કેસોમાં પણ જામીન મળી જશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અલ્પેશ કથિરીયા 19મી ઓગસ્ટ 2018ના રોજ પોલીસે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ મહિનાનો સમય અલ્પેશ કથિરીયા અમદાવાદની સાબરમતી જેલમાં બંધ રહ્યા હતા.

November 19, 2018
bmef_ravishankar.jpg
1min8590

આર્ટ ઓફ લિવિંગ અને સુરતના ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના ઉપક્રમે આાગામી તા. 3 ડિસેમ્બર 2018ના રોજ વેસુ રોડ સ્થિત ભગવાન મહાવીર સંકુલ ખાતે યુવા રંગ નામે એક ગ્રાન્ડ યુથ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા રંગ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના વિશ્વગુરુ શ્રી શ્રી રવિશંકર સંબોધન કરશે. યુવાઓ માટે આ યુથ ઇવેન્ટમાં એન્ટ્રી બિલકુલ ફ્રી છે પણ અગાઉથી તેમણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

સુરતના આંગણે યોજાઇ રહેલી આ યુથ ઇવેન્ટને ગુજરાત રાજ્યની ગ્રાન્ડ યુથ ઇવેન્ટ તરીકે માનવામાં આવી રહી છે. હજારોની સંખ્યામાં ગુજરાતભરમાંથી યુવાઓ આ ઇવેન્ટમાં જોડાય એમ માનવામાં આવે છે. યુથ ફોર ગુજરાત સંસ્થાનું સંચાલન કરી રહેલા શ્રી જિજ્ઞેશ પાટીલ અને તેમની ટીમે આ ઇવેન્ટને સપોર્ટ જાહેર કર્યો છે. યુથ ફોર ગુજરાતના હજારો મેમ્બર્સ આ ઇવેન્ટસમાં ઉપસ્થિત તો રહેશે જ સાથોસાથ શ્રમદાન પણ કરશે.

પંડિત શ્રી શ્રી રવિશંકરના સાનિધ્યમાં તા.3જી ડિસેમ્બર 2018ના રોજ યોજાનારા કાર્યક્રમની આમંત્રણ પત્રિકા સાર્વજનિક કરી રહેલા જિજ્ઞેશ પાટીલ, ભગવાન મહાવીર સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલ જૈન તેમજ અન્ય સહાયકો દ્રશ્યમાન છે.

તા.3જી ડિસેમ્બર 2018ના રોજ સવારે 9થી 11 દરમિયાન સુરત ખાતે યોજાનારા યુવા રંગ કાર્યક્રમમાં શ્રી શ્રી રવિશંકર યુવાનોમાં રહેલી અસલામતીની લાગણી દુર કરવા , તેમનામાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જળવાઇ રહે તે માટે પ્રેરક પ્રવચન આપશે. સુરતનો કાર્યક્મ વિશ્વભરમાં 155+ દેશોમાં આર્ટ ઓફ લિવિંગના સત્તાવાર સોશિયલ  મીડિયા હેન્ડલ્સ પર લાઇવ થશે.

વધુ માહિતી માટે www.yuvarang.com પર લોગઇન કરવા માટે જણાવાયું છે.

November 18, 2018
trupti_desai.jpg
1min5790
  • કોચી ઍરપોર્ટ પર ભારે વિરોધને કારણે મુંબઈ પરત પહોંચેલા મહિલા સામાજિક ચળવળકાર તૃપ્તિ દેસાઈ સામે ભારે દેખાવો થયા
  • પોલીસે ગુપચુપ બીજા દરવાજેથી કાઢીને પુણે મોકલાવી દીધી
  • પૂણે ખાતે પણ તેમના ઘર સામે થયું આંદોલન
  • ભાજપ અને RSS ભાડેથી માણસોને લાવીને વિરોધ કરાવી રહ્યાં હોવાનો તેનો ગંભીર આરોપ
  • જાનનું જોખમ હોવાથી પોલીસ-પ્રોટેક્શનની માગણી કરશે

trupti desai

સુપ્રીમ ર્કોટે કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરથી પ્રતિબંધ હટાવી લીધો હોવા છતાં મહિલાઓને દર્શન માટે પ્રવેશ મળતો ન હોવાથી મહિલાઓના અધિકાર માટે સતત લડતી અને ભૂમાતા બ્રિગેડની અધ્યક્ષ તૃપ્તિ દેસાઈ સબરીમાલામાં દર્શન માટે સાતેક મહિલાઓ સાથે મહારાષ્ટ્રથી કેરળ ગયા હતા. જોકે કોચી ઍરપોર્ટ પર જ નહીં મુંબઈ ઍરપોર્ટ અને પુણે ખાતે આવેલા તેના ઘર સામે પણ સખત વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં.

ભૂમાતા બ્રિગેડની અધ્યક્ષ પર ક્યારે પણ હુમલો કે પછી જીવ લઈ લેવામાં આવશે એવી શક્યતા હોવાનું લાગતાં તે પોલીસ-પ્રોટેકશનની માગણી કરવામાં આવશે છે. જોકે આટલા સખત વિરોધ બાદ પણ ગુપચુપ રીતે ફરી સબરીમાલા દર્શન માટે ભૂમાતા બ્રિગેડની ટીમ જશે એવો પણ મક્કમ નિર્ણય તૃપ્તિ દેસાઇએ કર્યો છે.

પત્રકારો સાથે વાત કરતા ભૂમાતા બ્રિગેડની અધ્યક્ષ તૃપ્તિ દેસાઈએ જણાવ્યું હતું કે ‘અમે સબરીમાલા દર્શને જઈ રહ્યાં હોવાનું જાહેર થતાં બધે વિરોધ-પ્રદર્શન કરવાનું શરૂ થઈ ગયું હતું. એથી અમે મુંબઈથી કોચી ઍરપોર્ટ શુક્રવારે પહોંચ્યાં ત્યારે કોચી ઍરપોર્ટની બહાર મોટી સંખ્યામાં વિરોધ-પ્રદર્શન કરનારાઓ પહોંચી ગયા હતા. સુરક્ષાનો કડક બંદોબસ્ત પોલીસે ક્ર્યો હતો, પરંતુ પોલીસે અમને સમજાવ્યું કે અમે તમને સુરક્ષા આપીને લઈ પણ જઈશું તો અહીં હિંસાનું વાતાવરણ ઊભું થઈ શકે છે અને તમારા પર હુમલો થઈ શકે એમ છે. અમે ૨-૩ ટૅક્સી બુક કરાવી હતી, પણ વિરોધ કરનારાઓએ તેમને ડરાવીને ધમકાવ્યા હતા કે આ લોકો અંદર બેસશે તો તેમની ટૅક્સી પર હુમલો કરીને તોડી નાખવામાં આવશે અને અંદર બેસેલી મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવશે એટલું જ નહીં, અમે હોટેલમાં રોકાવા માટે હોટેલવાળાઓને ફોન કરતાં તેમણે પણ અમને કહ્યું કે વિરોધ કરનારાઓએ અમને ચીમકી આપી છે કે અહીં તમને રોકાવા આપીશું તો હોટેલમાં તોડફોડ કરવામાં આવશે. અમે ઍરપોર્ટની બહાર નીકળવાની કોશિશ કરી તો લોકોએ હંગામો શરૂ કરી દીધો હતો. ભાજપ અને RSSએ મોકલેલા ભાડાના લોકો ઝંડા લઈને એમાં દેખાઈ રહ્યા હતા. કેરળમાં ગ્થ્ભ્ને સત્તા જોઈતી હોવાથી આ વિરોધ કરાવીને એને વોટબૅન્કમાં રૂપાંતર કરવામાં આવી રહ્યું છે.’

ટૂંકમાં તૃપ્તિ દેસાઇએ કહ્યું અમે ગુપચુપ રીતે સબરીમાલા દર્શન કરવા પહોંચી જવાનાં છીએ, પણ આ વખતે અમે ક્યારે અને કેવી રીતે જઈશું એ જાહેર કરવાનાં નથી.

November 11, 2018
ap.jpg
1min6980

આંધ્ર પ્રદેશના એક ગામમાં દિવસે નાઇટી પહેરનાર મહિલાને રૂ.2000નો દંડ કરાતો હોવાની વાત જાણવા મળી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશના પશ્ર્ચિમ ગોદાવરી જિલ્લાના ટોકાપલ્લી ગામના નવ વડીલોની કમિટીએ એવો ફતવો કાઢયો છે કે જે મહિલા સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા વચ્ચે નાઇટી પહેરીને ફરતી દેખાશે એને રૂ. 2000નો દંડ ફટકારવામાં આવશે. આટલું ઓછું હોય એમ, જે કોઇ મહિલા દિવસે નાઇટી પહેરીને ફરતી મહિલાની માહિતી આપે એને રૂ. 1000નું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

આ ફતવો આમ તો નવ મહિના પહેલા કાઢવામાં આવ્યો હતો, પણ કોઇ કામે એ ગામમાં ગયેલા જકાત અધિકારીઓને ગત ગુરુવારે જ જાણવા મળી હતી. આ વાત બહાર ગઇ તો વાત કરનાર ગામની મહિલાનો જાહેર બહિષ્કાર કરવાની ધમકી આપવામાં આવી હતી. આ સિવાય આ વાત ગુપ્ત રાખવાની અને સરકારી અધિકારીઓને ન જણાવવાની ચેતવણી ગામના અન્ય લોકોને અપાઇ હતી.

ટોકલપલ્લીના સરપંચ ફેન્ટાસીયા મહાલક્ષ્મીએ જણાવ્યું હતું કે નાઇટી પહેરીને જાહેરમાં કપડાં ધોવા, કરિયાણાની દુકાને જવું અને મીટિંગમાં હાજરી આપવી યોગ્ય વાત ન ગણાય.

જોકે, એમણે મહિલાઓને સામાજિક બહિષ્કારની ધમકી આપી હોવાની અને આવો કોઇ ફતવો કાઢયો હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.

November 10, 2018
dadi.jpg
1min8210

જે ઉંમરે લોકો આરામ કરવાનું પસંદ કરે છે, તે ઉંમરે એક મહિલા રોજ 35 કિલોમીટર સાઈકલ ચલાવે છે. આમ તો વાત વિશ્વાસ ન થાય તેવી છે પરંતુ 85 વર્ષના વિજયલક્ષ્મી અરોરા છેલ્લા 50 વર્ષથી આ કામ કરતા આવે છે. એટલું જ નહીં તેમની દિનચર્યામાં ચાલવાનું પણ સામેલ છે.

છત્તીસગઢના બસ્તર સંભાગના હાટકચોરા વિસ્તારમાં રહેતા વિજયાલક્ષ્મીના લગ્ન 1952માં આયુર્વેદિક ડોક્ટર સુદર્શનપાલ અરોરા સાથે થયા હતા. સુદર્શન બૈલાડીલામાં પ્રેક્ટિસ કરતા હતા. 1968માં જ્યારે વિજયલક્ષ્મી બીમાર પડ્યા તો સુદર્શન તેમને ગોરખપુર સ્થિત આરોગ્યધામમાં લઈ ગયા. અહીં ડોક્ટર કે કે મોદીએ તેમને નિયમિત કસરત કરવાની સલાહ આપી.  બસ તે દિવસ અને આજની ઘડી સાઈકલને જ તેમણે સલેહી બનાવી લીધી. ત્યારથી શરૂ થયેલી સાઈકલ યાત્રા આજે 85 વર્ષની ઉંમરે પણ ચાલુ છે.

સાઈકવાલી દાદી વિજયલક્ષ્મી સવારે 4 વાગે ઉઠે છે. સવારે 5થી 7નો સમય તેમણે ચાલવા માટે રાખ્યો છે. પછી નાસ્તો અને એક કલાકનો આરામ. પછી ફરી નીકળી પડે છે સાઈકલ લઈ. બપોરે ઘરે આવીને ભોજન કરે છે. સાંજ સુધી આરામ અને ફરી ચાલવાનું શરૂ.  આ રીત સવાર સાંજ વૉકિંગ અને 35 કિલોમીટરની સાઈકલ જ તેમની તંદુર્સીતનો મંત્ર છે.

35 વર્ષની ઉંમરે એક વખત બીમાર શું પડ્યા, કે તંદુરસ્તીની કિંમત સમજાઈ ગઈ. અને વિજયલક્ષ્મી અરોરા એ દિવસ પછી ક્યારેય બીમાર નથી પડ્યા. આ ઉંમરે પણ તમામ દાંત સલામત છે. શરૂઆતમાં તો તેમને આ ઉંમરે સાઈકલ ચલાવતા પૌત્ર-પૌત્રી, પાડોશી, વહુ તમામ લોકોએ ના પાડી. તેમની હાંસી કરી, પરંતુ વિજયાલક્ષ્મી ન માન્યા. આજે તે આખા ગામના રોલ મોડેલ છે. બાળકો તેમને સાઈકલવાળી દાદીના નામથી ઓળખે છે.

વિજયલક્ષ્મીના પત્ની તો સ્વર્ગવાસી થઈ ચૂક્યા હતા. તેમના 65 વર્ષના પુત્રનું પણ એકાદ વર્ષ પહેલા નિધન થયું હતું. શરૂઆતમાં તેમની પુત્રવધુ અને બાળકો સાઈકલ ચલાવવાની ના પાડી આરામ કરવાનું કહેતા હતા. પરંતુ વિજયલક્ષ્મીની જીદ સામે કોઈ ન ટક્યા. આજે તે પોતાના પરિવારની સાથે આખા વિસ્તારના રોલમોડેલ બની ચૂક્યા છે.