WE Archives - Page 42 of 63 - CIA Live

July 5, 2019
GPSC.jpg
1min12070

સર્વોચ્ચ અદાલતે ગુરુવારે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે પબ્લિક સર્વિસ કમિશનની પસંદગી પ્રક્રિયામાં ઉંમર (વયમર્યાદા)ને લગતી બાંધછોડનો લાભ મેળવનારો અનામત વર્ગનો ઉમેદવાર બાદમાં સામાન્ય વર્ગની જગ્યા (હોદ્દા)માં પોતાના સમાવેશની માગણી કરી ન શકે.

ન્યાયાધીશ એસ. અબ્દુલ નાઝીર અને ન્યાયાધીશ ઇંદિરા બેનરજીની બનેલી બૅન્ચે આ સંબંધમાં ગુજરાત વડી અદાલતે આપેલા ચુકાદાને બહાલી આપી હતી.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પસંદગી પ્રક્રિયાને યોગ્ય ઠેરવતા ગુજરાતની વડી અદાલતના હુકમને નીરવકુમાર દિલીપભાઇ મકવાણા નામના એક ઉમેદવારે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો.

સર્વોચ્ચ અદાલતની બૅન્ચે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પણ સ્પષ્ટતા કરી હતી કે લેખિત પરીક્ષા અને હોદ્દા માટેની પસંદગીના અન્ય કિસ્સામાં વયમર્યાદા, અનુભવ, (શૈક્ષણિક) લાયકાત જેવી બાબતમાં રાહત કે છૂટછાટનો લાભ મેળવનારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમ જ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના સભ્ય તરીકે અરજી કરનારા ઉમેદવારો બાદમાં સામાન્ય વર્ગ માટેના હોદ્દા માટે દાવો કરી ન શકે.

બૅન્ચે ગુજરાત સરકારના 2000ની 21મી જાન્યુઆરી અને 2004ની 23મી જુલાઇના ગુજરાત સરકારના પરિપત્રોનો ઉલ્લેખ કર્યો હતો કે જેમાં જણાવાયું હતું કે અમે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત જાતિને અનામતનો લાભ આપવા યોગ્ય નીતિ ઘડી છે.

July 3, 2019
medical.jpg
1min4950

મેડિકલ પ્રવેશ સમિતિએ આજે નીટ આધારિત કોર્સમાં પ્રવેશ માટેનું મેરિટલિસ્ટ જાહેર કરી દીધું છે. પ્રોવિઝનલ મેરિટલિસ્ટમાં કુલ ૨૧૨૧૭ વિદ્યાર્થીઓને સામેલ કરાયા છે. જેમાં આર્થિક રીતે પછાત એટલે કે EWS કેટેગરીમાં ૫૩૯૭, એસઇબીસી કેટેગરીમાં ૭૩૩૪, એસ.સી. કેટેગરીમાં ૧૯૭૧ અને એસ.ટી. કેટેગરીમાં ૧૬૨૫ વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે. ચાલુ વર્ષે ડોમિસાઇલના નિયમમાં સામાન્ય ફેરફાર કરવામાં આવતાં નવા નિયમમાં આવનારા વિદ્યાર્થીઓનો પણ મેરિટમાં સ્થાન આપવામાં આવ્યું છે. મેડિકલમાં ગઇકાલે ૧૨ કોલેજોને ૨૦-૨૦ લેખે ૨૪૦ બેઠકોની મંજુરી આપવામાં આવતાં EWS કેટેગરીમાં કુલ ૩૪૦ બેઠકોનો સમાવેશ કરી દેવાયો છે. હાલમાં મેડિકલની કુલ ૫૧૪૦ બેઠકો માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડેન્ટલની ૧૧૫૫ બેઠકો હાલ ઉપલબ્ધ છે. હજુ સુધી આયુર્વેદ અને હોમિયોપથીમાં કેટલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા થશે તેની પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પ્રોવિઝનલ મેરિટલિસ્ટ જાહેર કર્યા બાદ કોઇ વિદ્યાર્થીઓને મેરિટલિસ્ટમાં મુશ્કેલી હોય અથવા તો સુધારા વધારા કરાવવા હોય તો આગામી તા.૪ જુલાઇ સુધી ગાંધીનગર ખાતેની મેડિકલ પ્રવેશ સમિતિનો સંપર્ક કરવાનો રહેશે.

વર્ષ ૨૦૧૮માં પ્રથમ ક્રમે આવનારા વિદ્યાર્થીને ૬૭૫ માર્કસ હતા. જયારે ૧૦૦માં ક્રમે આવનારા વિદ્યાર્થીને ૫૮૭ માર્કસ હતા. જેની સામે વર્ષ ૨૦૧૯ એટલે ચાલુ વર્ષે પ્રથમ ક્રમે આવનારા વિદ્યાર્થીને ૬૯૦ અને ૧૦૦માં ક્રમે આવેલા વિદ્યાર્થીને ૬૩૫ માર્કસ છે. આમ, પ્રથમ ૧૦૦માં જ અંદાજે ૩૦ માર્કસનો તફાવત પડે છે. આજ રીતે ચાલુવર્ષે ૯૦૧માં નંબરે આવનારા વિદ્યાર્થીને ૫૨૩ અને ૧૦૦૦માં ક્રમે અવાનારા વિદ્યાર્થીને ૫૩૦ માર્કસ છે. જેની સામે ગતવર્ષે ૯૦૧માં ક્રમે આવેલા વિદ્યાર્થીને ૪૬૧ અને ૧૦૦૦માં ક્રમે આવેલા વિદ્યાર્થીને ૪૬૮ માર્કસ હતા. આમ, ૫૫ માર્કસનો તફાવત ઊભો થાય તેમ છે. એટલે કે ચાલુ વર્ષે મેરિટ ઊચું જાય તેવી શકયતા છે.

મેડિકલમાં સરકારી EWSમાં ૧૧૫૦ બેઠકો વધશે તેવી જાહેરાત કર્યા બાદ હાલમાં ૩૪૦ બેઠકો મળી છે. આજ રીતે ડેન્ટલમાં EWS કેટેગરીમાં કેટલી બેઠકો મળશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરાઈ નથી. જયારે હોમિયોપથી અને આયુર્વેદમાં કેટલી બેઠકો માટે કાર્યવાહી થશે તે પણ નક્કી નથી ત્યારે EWS લાગુ થશે કે નહીં તેની અનિશ્ચિતતા ઊભી થઇ છે. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે હજુ સુધી આ મુદ્દે સરકાર દ્વારા કોઇ સૂચના અપાઈ નથી. ઉપરથી સૂચના અપાશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે.

June 28, 2019
bribe.jpg
1min6620

નશો કરીને પરણવા આવેલા શરાબી વરરાજાને માંડવેથી પાછો વાળનાર આદિવાસી મહિલાનું એણે દાખવેલી બહાદુર બદલ સંબલપુર જિલ્લા પ્રશાસને બહુમાન કર્યું હતું. મે 2019માં આ ઘટના નોંધાઇ હતી.

sambalpur brave groom માટે છબી પરિણામ

મમતા ભોઇ નામની 20 વર્ષની યુવતીએ નશો કરીને પરણવા આવેલા શરાબી વરરાજાને પરણવાનો નનૈયો ભણ્યા બાદ વરરાજા અને એના કુટુંબીઓને ખાલી હાથે પાછા ફરવું પડયું હતું. ગોવર્ધન બદામી ગામની રહેવાસી મમતાએ આ પ્રસંગે ભેગાં થયેલા લોકોને જણાવ્યું હતું કે પરણવાની ના પાડયા બાદ પોતે અનેક યુવતીઓ માટે પ્રોત્સાહનનું કારણ બનશે એવી તો એને કલ્પના પણ નહોતી.

લગ્નની ઘટના યાદ કરતા મમતાએ જણાવ્યું હતું કે જ્યારે મેં મંડપમાં વરરાજાને નશાની હાલતમાં જોયો ત્યારે તરત જ મેં એને ન પરણવાનો નિર્ણય લીધો હતો. એણે એટલો તો નશો લીધો હતો કે એ ઊભો પણ રહી શકતો નહોતો. મેં વિચાયું કે હું આવી વ્યક્તિની સાથે જીવન પસાર ન કરી શકું. મને નથી લાગતું કે મેં કશું ખોટું કર્યું છે.

મમતાની માસીએ જણાવ્યું હતું કે મમતાના નિર્ણયથી એના ગરીબ કુટુંબને આશ્ર્ચર્ય થયું હતું, પણ એમણે એને સાથ આપ્યો હતો. હવે મમતાના લગ્ન વ્રજરાજનગરની વ્યક્તિ સાથે નક્કી કરાયા છે.

સંબલપુરના એસપી સંજીવ અરોરાએ જણાવ્યું હતું કે દારૂડિયાને ન પરણવાનો નિર્ણય લઇને મમતાએ બધી ક્ધયાઓને એવો સંદેશ આપ્યો હતો કે એમણે પોતાના જીવનસાથીને પસંદ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જોઇએ. દારૂડિયા વ્યક્તિને પરણ્યા બાદ એમનું જીવન ઝેર બની જશે.

સંબલપુરના કલેક્ટર શુભમ સક્સેનાની હાજરીમાં મમતાનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મમતાને શાલ, પ્રશંસાપત્ર અને રૂ. 10,000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.

June 27, 2019
CIA_Live_Logo_New2.jpg
2min15170
સુરત અને દક્ષિણ ગુજરાતની કોલેજોમાં કેટલી બેઠકો પર સરકાર પ્રવેશ આપી રહી છે, તેમાંથી કેટલી બેઠકો પર પ્રવેશ અપાયા અને કેટલી બેઠકો ખાલી રહી તેની વિગતો અહીં દર્શાવવામાં આવી છે.

સુરતની કોલેજો

દક્ષિણ ગુજરાતની કોલેજો

જયેશ બ્રહ્મભટ્ટ 98253  44944

 

ઉપરોક્ત માહિતી એડમિશન કમિટી દ્વારા 2019-20ના શૈક્ષણિક વર્ષ માટે આપવામાં આવેલા પહેલા રાઉન્ડના પ્રવેશ અંગેની છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ માહિતી એટલા માટે ઉપયોગી છે કેમકે સરકારી કોલેજોના બાદ કરતા મોટા ભાગની કોલેજોમાં બેઠકો ખાલી પડી રહી છે. બ્રાન્ચવાઇઝ જો આપને કોલેજ પસંદ હોય તો મેનેજમેન્ટ ક્વોટા કે એનઆરઆઇ ક્વોટામાં પ્રવેશ લેવાની કોઇ જ જરૂરીયાત રહેતી નથી. કેમકે સ્ટેટ ક્વોટામાં મેરીટથી આપવામાં આવતી બેઠકો જ જ્યારે ખાલી પડી રહેતી હોય ત્યારે રૂપિયા ખર્ચીને મેનેજમેન્ટ ક્વોટા કે એનઆરઆઇ ક્વોટામાં પ્રવેશ લેવો એ મૂર્ખામી કહેવાય.

આખા રાજ્યની શું સ્થિતિ, વાંચો અહીં

એક સમયે એન્જિનયિરંગ કોલેજોની ઓછી સંખ્યા અને ડીમાન્ડ વધારે હોવાથી 5-5 લાખ રૂપિયાનું ડોનેશન મળતું હોવાની મલાઇ પારખીને 50થી 100 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરીને ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજનો ધંધો શરૂ કરનારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના અનેક સંચાલકોએ હવે ધંધો બંધ કરવો પડે અથવા તો ધંધો બદલવો (બીજો કોઇક રનિંગ કોર્સ શરૂ કરવો) પડે એવી નોબત આવીને ઉભી છે.

ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઇન પ્રવેશ કાર્યવાહીના પહેલા રાઉન્ડના એલોટમેન્ટ સાથે સુરતના ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન જેવી ધંધાદારીઓની કોલેજોમાં કાગડા ઉડે તેવી સ્થિતિ સર્જાઇ છે. બે, પાંચ, દસ, પંદર જેવા વિદ્યાર્થીઓ માટે કોલેજ ચલાવવી પડે, અધ્યાપકોને પગાર આપવો પડશે, મેઇન્ટેનન્સ વગેરે આવા સંચાલકોને ધંધો બદલવા માટે મજબૂર કરશે.

ગુજરાત સરકારે રચેલી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિઝ એ સ્ટેટ ક્વોટાની 65,212 માટે પ્રવેશ કાર્યવાહી શરૂ કરી હતી. પહેલા રાઉન્ડમાં કુલ 35,460 બેઠકો ખાલી રહી જવા પામી છે, જેમાં 90 ટકા બેઠકો પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એટલે કે ધંધાદારીઓની કોલેજોની છે.

એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓમાં કમ્પ્યૂટર પસંદગીમાં ટોચના સ્થાને રહ્યું. ત્યારબાદ ઈન્ફર્મેશન ટેક્નોલોજી અને ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી વિદ્યાર્થીઓમાં મનપસંદ રહ્યા. સતત ત્રીજા વર્ષે કમ્પ્યૂટર ટેક્નોલોજી વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી બન્યું છે. અગાઉ એડમિશન માટે વિદ્યાર્થીઓની પહેલી ચોઈસ રહેતી મિકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચ આ વખતે ચોથા સ્થાને રહી.

ત્રણ કોલેજો એવી છે જેને એકપણ વિદ્યાર્થી ના મળ્યો
34 કોલેજો માત્ર 10% બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મળ્યો પણ હજુ કન્ફર્મ કેટલા કરશે એ નક્કી નથી
19 કોલેજોમાં માત્ર 10%-25% બેઠકો ભરાઈ
35 કોલેજોની કુલ બેઠકો પૈકી 26%-50% સીટ પર પ્રવેશ અપાયા.
ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે કુલ 33,271 વિદ્યાર્થીઓના નામ મેરિટ લિસ્ટમાં હતા. તેમાંથી 31,436એ ચોઈસ ફિલિંગ કર્યું. 29,753 વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સના પહેલા વર્ષમાં એડમિશન મળ્યું. 1683 વિદ્યાર્થીઓના માર્ક્સ તેમની પહેલી પસંદગીની કોલેજ સાથે અનુરૂપ ના થતાં એડમિશન ન મળ્યું.
આર્થિક પછાત વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓ માટે બેઠકો અનામત રાખી છે. કુલ 6,164 સીટમાંથી 1,818 બેઠકો વિદ્યાર્થીઓને ફાળવાઈ છે, જ્યારે બાકીની ખાલી રહી.
June 24, 2019
gseb.png
1min7220

ધો-10માં 249 વિદ્યાર્થીઓના માર્ક સુધર્યા

જયેશ બ્રહ્મભટ્ટ

બોર્ડના પરીણામો સામે અસંતોષ વધી રહ્યો છે, એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી કે બોર્ડના પરીણામો ભરોસાપાત્ર રહ્યા નથી. આ બાબતની પ્રતીતિ કરાવતી અનેક ઘટનાઓ બની છે, જેમકે બોર્ડની ઉત્તરવહીઓ તપાસતા પરીક્ષકોએ લગભગ 45 હજારથી વધુ ભૂલો કરી હતી, પરીક્ષકોની આ ભૂલો વિદ્યાર્થીઓની કારકિર્દી અને કેટલાક કિસ્સામાં તો જીવન-મરણના પ્રશ્નો ઉભા કરી દેતી હોય છે. એવા પણ રિપોર્ટ મળ્યા છે કે બોર્ડની ઉત્તરવહીઓના રિચેકિંગમાં કુલ 106 વિદ્યાર્થીઓનું ઓવરઓલ પરીણામ પાસ જાહેર થયું છે, જેમને અગાઉના પરીણામમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા. આ 106 વિદ્યાર્થીઓની જીંદગીનું એક મહામૂલું વર્ષ બગડતા બચી ગયું છે. આવી બાબતો સૂચક છે કે હવે બોર્ડના પરીણામો પર વિદ્યાર્થીઓ અને વાલીઓ શંકા કરે છે એ સેંકડો કેસોમાં વ્યાજબી અને સાચી પણ ઠરે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે માર્ચ 2019ની પરીક્ષાના પરીણામો જાહેર કરવા સાથે એવી પણ જાહેરાત કરી હતી કે જે વિદ્યાર્થીઓને પોતાના પરીણામો પ્રત્યે અસંતોષ હોય તેઓ તેમની સપ્લીમેન્ટરીનું રિચેકિંગ કરાવી શકે છે.

ગુજરાત બોર્ડની ગુણચકાસણી માટે અરજીઓની ચકાસણી બાદ ધો-10માં અગાઉ નાપાસ જાહેર કરાયેલા 49 વિદ્યાર્થી અને ધો-12માં અગાઉ નાપાસ જાહેર થયેલા 57 વિદ્યાર્થીને પાસ જાહેર કરાયા છે.

બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ગુણ ચકાસણીના પરિણામમાં ધો-10માં 12205 જેટલા વિદ્યાર્થીઓના પરિણામમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. જ્યારે 49 વિદ્યાર્થી એવા છે કે જેઓ અગાઉ નાપાસ જાહેર કરાયા હતા પરંતુ ગુણ ચકાસણી બાદ તેઓ પાસ જાહેર થયા છે. ઉપરાંત 8 વિદ્યાર્થી એવા છે કે તેઓ બે કરતા વધુ વિષયમાં નાપાસ હતા પરંતુ ગુણ ચકાસણી બાદ એક અથવા બે વિષયમાં નાપાસ થયા હોઈ તેઓ જૂલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષા આપી શકશે. જ્યારે 249 વિદ્યાર્થી એવા છે કે જેમના ગુણ સુધર્યા છે પરંતુ તેનાથી પરિણામ પર કોઈ અસર થતી નથી.

જ્યારે 3 વિદ્યાર્થી અગાઉ બે વિષયમાં નાપાસ હતા તેના બદલે પરિણામ બાદ એક વિષયમાં નાપાસ થયા છે. જ્યારે 8 વિદ્યાર્થીઓ અમુક વિષયમાં પાસ થયા છે પરંતુ તેઓ પૂરક પરીક્ષા માટે લાયક બન્યા નથી.  ઉપરાંત ધો-12 સામાન્ય પ્રવાહમાં 57 વિદ્યાર્થી નાપાસ હતા પરંતુ ગુણ ચકાસણી બાદ પાસ જાહેર કરાયા છે. ધો-12 સામાન્ય પ્રવાહમાં 148 વિદ્યાર્થીના પરિણામમાં સુધારો થયો છે પરંતુ 57 પાસ થયા છે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓના માર્ક સુધર્યા છે પરંતુ તેનાથી પરિણામ પર કોઈ અસર થતી નથી.

 

June 21, 2019
qs.jpg
1min13220

ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રૅન્કિંગની તાજેતરમાં જાહેર કરાયેલી યાદીમાં વૈશ્ર્વિક 200 ટોચની ઈન્સ્ટિટ્યૂટમાં આઇઆઇટી-બૉમ્બે સહિત આઇઆઇટી-દિલ્હી અને આઇઆઇએસસી-બૅંગલુરુનો સમાવેશ થાય છે. આ સિવાય આ યાદીમાં આઇઆઇટી-બૉમ્બેએ દસ સ્થાન આગળ વધી 152 રૅન્ક મેળવી છે. આ રીતે ગ્લોબલ રૅન્કિંગમાં આઇઆઇટી-બૉમ્બેએ દેશની સૌથી ટોચની ઈન્સ્ટિટ્યૂટ તરીકે સ્થાન મેળવ્યું છે. ઘણા વર્ષોથી ફેક્લ્ટી-સ્ટુડન્ટ રૅશિયો અને પ્રતિ ફેકલ્ટીએ સાઇટેશનમાં સંસ્થાએ સારો સ્કોર કર્યો છે. સંસ્થાની પ્રતિ ફેકલ્ટી સાઇટેશન વૈશ્ર્વિક સરેરાશ કરતા વધુ છે અને તેના દ્વારા કરાયેલા સંશોધનો ઉચ્ચ સ્તરે વિચારણા હેઠળ લાવવામાં આવે છે.

તાજેતરની રૅન્કિંગમાં ઈન્સ્ટિટ્યૂટે રેટિંગ ફોર એકેડેમિકમાં 54.5 પોઇન્ટ અને ઍમ્પ્લોયર્સ રૅપ્યુટેશનમાં 71.2 પોઇન્ટ મેળવ્યા હતા.

સંસ્થાના ડિરેક્ટર સુભાશિષ ચૌધરીએ જણાવ્યું હતું કે ક્વૉલિટી રિસર્ચ પર વધુ ધ્યાન આપવાને કારણે સંસ્થા રૅન્કિંગમાં સતત આગળ વધી રહી છે. તેમ છતાં અમે વધુ સારું કરવા ઇચ્છીએ છીએ.

આઇઆઇએસસીને પાછળ છોડી દેતા આઇઆઇટી-દિલ્હી દેશની બીજી ક્રમાંકની શ્રેષ્ઠ સંસ્થા બની ગઇ છે. તેમ છતાં ઑવરઓલ રૅન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓનું ફેકલ્ટી/સ્ટુડન્ટ રૅશિયો અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ રૅશિયો ઘટતો જોવા મળ્યો હતો.

ક્યુએસ દ્વારા યુનિવર્સિટીઓ અને ઈન્સ્ટિટ્યૂશન્સની પ્રતિષ્ઠા તેના એડેકેમિક અને એમ્પ્લોયર રૅપ્યુટેશન, ફેકલ્ટી સ્ટુડન્ટ રૅશિયો, પ્રતિ ફેકલ્ટીએ સાઇટેશન અને આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સના આધારે આંકવામાં આવે છે.

June 15, 2019
medical.jpg
1min15650

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે જરૂરી પીન નંબર અને બુકલેટનું વિતરણ આગામી તા.17મી જુન ને સોમવારથી રાજ્યભરમાં આવેલી એક્સિસ બેંકમાંથી કરવામાં આવશે.

એમબીબીએસ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક, નેચરોપેથી કે જ્યાં નીટના સ્કોરના આધારે પ્રવેશ મળશે. જ્યારે ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, નર્સિંગ, ઓર્થેટિક્સ વગેરે કોર્સમાં નીટ સિવાય એડમિશન મળશે. આ તમામ અભ્યાસક્રમોમના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ધો.12 પીસીબી સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની સઘળી વિગતો નીચે મુજબની અખબારી યાદીમાં સામેલ કરવામાં આવી છે.

In English

 

એક્સીસ બેંકની આ બ્રાન્ચ પરથી મળશે મેડીકલ એડમિશનના પીન અને બુકલેટ

June 14, 2019
jeeadv.png
1min7900

જયેશ બ્રહ્મભટ્ટ

ભારતમાં એન્જિનિયરિંગની સૌથી સર્વોચ્ચ સંસ્થા ગણાતી આઇ.આઇ.ટી. તેમજ એન.આઇ.ટી. જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEE એડવાન્સ પરીક્ષાના આજે જાહેર થયેલા પરીણામની ગણતરીની મિનિટોમાં જ આ સંસ્થાની ત્રણક જેટલી વેબસાઇટ ખોટકાય જવા પામી હતી.

પરીક્ષા સત્તાધીશોએ આજે તા.14મી જુનની સવારે એવી જાહેરાત કરી હતી કે JEE એડવાન્સ 2019નું પરીણામ જાહેર થઈ ચૂક્યું છે. હજુ વિદ્યાર્થીઓ પરીણામ જુએ એટલી વારમાં તો રિઝલ્ટની સત્તાવાર વેબસાઇટ ક્રેશ થઇ જવા પામી હતી. વેબસાઇટ ખૂલતી ન હોવાની ફરીયાદો દેશવ્યાપી ધોરણે ઉપસ્થિત થતાં જેઇઇ એડવાન્સ સત્તાધીશોએ અન્ય વૈકલ્પિક વેબસાઇટ પર પરીણામ જોવાની જાહેરાત કરી હતી. એ વેબસાઇટ પર પણ પરીણામ આજે સાંજે 4 વાગ્યા સુધી જોઇ શકાતા ન હતા.

આઇ.આઇ.ટી. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) જેવી ભારતની સર્વોચ્ચ સંસ્થાની વેબસાઇટમાં આવા ધાંધીયા થાય એ સમગ્ર દેશ માટે નીચા જોણું છે. ભારતીયો તો આ બાબત જાણે છે પરંતુ, વિશ્વભરમાં આજે ભારતની ફજેતી થવા પામી હતી.

JEE એડવાન્સની પરીણામની વિગતો આ મુજબ છે.

 

June 9, 2019
tution.jpg
1min14840

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગે રાજ્યમાં ચાલતી ટ્યૂશન પ્રથાને ડામી દેવા આકરાં પગલાં ભરવાની જાહેરાત કરતા અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઇઓએ દરેક સ્કૂલોને સૂચના આપી છે કે, સ્કૂલે વાલીઓ વાંચી શકે તે રીતે બોર્ડ લગાવવાનું રહેશે કે અમારી સ્કૂલોના શિક્ષકો ટ્યૂશન કરતા નથી, શિક્ષકોએ અમને બાંયધરી આપી છે. તેમ છતાં શિક્ષકો ટ્યૂશન કરતા હોવાની ફરિયાદોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. જેથી હવે સ્કૂલોના પ્રિન્સિપાલ અને સંચાલકોએ એફિડેવિટ કરી આપવાની રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકે ખાનગી ટયૂશન કે કલાસિસમાં વિદ્યાર્થીને ટયૂશન કરાવી શકશે નહીં તેવા અગાઉના સરકારના પરિપત્રનો અમલ ન થઇ રહ્યો નથી.

આવી સ્થિતિમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વધુ એક ફતવો બહાર પાડ્યો છે. જેમાં જણાવાયું છે કે રાજ્યની દરેક સ્કૂલના પ્રિસિપાલને તેમની શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પાસેથી એફિડેવિટ લેવું પડશે અને તેમાં તે ક્યાય ખાનગી ટયૂશન કલાસિસી અને પ્રાઈવેટ ટયૂશન કરવતા નથી તેમ જ પોતાની શાળાની બહાર એક બોર્ડ લગાવવું પડશે કે તેમની શાળાના શિક્ષકો ટયૂશન કરાવતા નથી.

જો કોઈ શિક્ષક આવી પ્રવૃત્તિ કરતા પકડાઈ જાય તો તેની સામે વાલીએ શાળાના આચાર્યને ફરિયાદ કરી શકશે અને તેની વિરુદ્ધ પગલાં પણ ભરવામાં આવશે. આ અંગે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ આર. આર. વ્યાસે જણાવ્યું હતું કે, જો કોઇ વાલીના ધ્યાનમાં ટ્યૂશન કરતા શિક્ષકો આવે છે અને તેમની પાસે પૂરતા પુરાવા છે તો તેઓ શહેર – ગ્રામ્ય ડીઇઓની ઓફિસે ફરિયાદ કરી શકે છે. અમે શાળાના મંડળને છૂટા કરવા સુધીની ભલામણ કરીશું.

June 8, 2019
fifa_women.jpg
1min15390

7 June 2019 ના રોજ ફ્રાન્સના પેરીસ ખાતે મહિલાઓનો ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ શરૂ થયો હતો.

સમયપત્રક મુજબ પ્રથમ મૅચ યજમાન ફ્રાન્સ અને સાઉથ કોરિયા વચ્ચે રમાવાની હતી.

૨૪ દેશોની ટીમો આ સ્પર્ધામાં રમવા ઊતરી છે. ૯ સ્થળે મૅચો રમાશે અને ૭મી જુલાઈએ ફાઇનલ મુકાબલો યોજાશે.