CIA ALERT

WE Archives - Page 41 of 63 - CIA Live

July 28, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12070

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઢંગધડા વગરનું હાયર એજ્યુકેશન આપવા માટે બદનામ સુરતની ભગવાન મહાવીર કોલેજો કે જેની કાર્યપ્રણાલીને વાલીઓ વિદ્યાર્થીઓ પણ ઓળખી ચૂક્યા છે એ સુરતની ભગવાન મહાવીર કોલેજો ચલાવતી સંસ્થાને ગુજરાત સરકાર લાગવગશાહીના જોરે પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો આપી દીધો છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં એક સાથે 9 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બનાવવાની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. જેમાં સુરતના ભગવાન મહાવીર ગ્રુપને પણ પ્રાઇવેટ યુનિવર્સિટી માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

સુરતમાં ભગવાન મહાવીર ગ્રુપની કોલેજો એટલા માટ બદનામ છે કેમકે અભ્યાસ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરી કે અન્ય સુવિધાઓ તો ઠીક પણ પૂરતી સંખ્યામાં પ્રોફેસરો પણ નહીં રાખતી ભગવાન મહાવીર કોલેજના સંચાલકો સામે અધ્યાપકોનું શોષણ કરવાની પણ સંગીન ફરીયાદો થઇ ચૂકી છે. આ ભગવાન મહાવીર ગ્રુપના ધંધાદારી સંચાલકો હવે યુનિવર્સિટીના નામે રીતસર શિક્ષણનો વેપલો કરવાનું લાઇસન્સ લઇ બેઠા છે.

ત્રણ ત્રણ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોનું લાઇસન્સ લઇને રોકડી કરી લેવાના અનિલ જૈન એન્ડ કંપનીના મનસુબા પાર પડ્યા નથી. આ વખતે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશાર્થીઓએ આ સુરતના ભગવાન મહાવીર ગ્રુપની ત્રણેય કોલેજોને જાકારો આપ્યો છે. માંડ દસેક ટકા બેઠકો ભરાવા પામી છે. આમ જ્યાં પ્રવેશ લેવા માટે કોઇ તૈયાર નથી અને ના છૂટકે પ્રવેશ લેતા હોય છે એવી સંસ્થાને હવે યુનિવર્સિટી તરીકેનું નામ વટાવી ખાવાનું લાઇસન્સ મળ્યું છે.

જે રીતે સરકાર શિક્ષણ ખાસ કરીને હાયર એજ્યુકેશનમાં પ્રાઇવેટાઇઝેશન કરી રહી છે એ જોતા એવું જણાય આવે છે કે ક્વોલિટી એજ્યુકેશન કરતા ક્વોન્ટીટી એજ્યુકેશનની નીતિનું અમલીકરણ થઇ રહ્યું છે. સુરતમાં ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન કે જેની એન્જિનિયરિંગ કોલેજોમાં સાવ હલકી કક્ષાના શિક્ષણને લીધે 2019માં 85 ટકા બેઠકો ખાલી પડી રહી છે, આ કોલેજમાં કોઇ પ્રવેશ માટે લેવાલ નથી, એક સમયે મેનેજમેન્ટ ક્વોટામાં લાખો રૂપિયા ઉસેટીને જૈન બંધુઓએ શિક્ષણની હાટડી માંડી દીધી હતી ત્યાં એન્જિનિયરિંગ હોય કે મેનેજમેન્ટ કે પછી અન્ય અભ્યાસક્રમો કોઇ વિદ્યાર્થી પ્રવેશ લેવા તૈયાર નથી. એવા સુરતના ભગવાન મહાવીર ગ્રુપને પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો આપવાની દરખાસ્ત પર ગુજરાત સરકારે તો મંજૂરીની મહોર મારી દીધી છે.

ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસનું સત્ર ૧૭ કલાક અને ૪૦ મિનિટ ચાલતાં સૌથી લાંબા સમય માટે ચાલવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સત્રના છેલ્લા દિવસે કુલ ૯ બિલો પર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

વિધાનસભાના છેલ્લા દિવસે ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ ૨૦૧૯ ગૃહમાં પસાર થયા હતા. આ સુધારા સાથે વહીવટી પ્રક્રિયા સાથે ભાઈકાકા યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી, એલ.જે.કે. યુનિવર્સિટી, શ્રેયાર્થ યુનિવર્સિટી, જે.જી યુનિવર્સિટી, કેલોરેક્સ ટીચર્સ યુનિવર્સિટી, આઈટીએમ બરોડા યુનિવર્સિટી, ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી મળીને કુલ ૯ નવી ખાનગી યુનિવર્સિટીઓ ગુજરાતમાં કાર્યરત થવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. સરકારનો હેતુ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે રાજ્યનાં જરૂરિયાતવાળા વિસ્તારોમાં ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપના થાય અને ઉચ્ચ શિક્ષણ મળે તેવો છે.

9 નવી યુનિવર્સિટી માટેની દરખાસ્તોમાં સુરતમાં ઢંગધડા વગરનું હાયર એજ્યુકેશન આપવા માટે બદનામ બી.એમ.ઇ.એફ. (ભગવાન મહાવીર એજ્યુકેશ ફાઉન્ડેશન)ની પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

July 26, 2019
dhoni.jpg
1min760

૨૦૧૧ની સાલમાં ભારતીય લશ્કરમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ્ પદવી મેળવનાર ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની આ મહિનાના અંતમાં જમ્મુ અને કાશ્મીરની બટાલિયનમાં જોડાશે અને સંરક્ષક દળો સાથે 

મળીને ફરજ બજાવશે, એમ સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું. ધોની ૩૧ 

જુલાઈથી ૧૫ ઑગસ્ટ સુધી ૧૦૬-ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પૅરા) સાથે રહેશે અને આ અર્ધલશ્કરી દળો ભેગા રહેવાની સાથે પેટ્રોલિંગ (દેખરેખ)ની તેમ જ રક્ષણની અને ચોકીપહેરાની ફરજ સંભાળશે.

ધોનીએ ટેસ્ટ-ક્રિકેટમાં રમવાનું છોડી દીધું છે, પરંતુ વન-ડે અને ટી-ટ્વેન્ટી કરિયરને હજી ગુડબાય નથી કરી. તે બે મહિનાનો બ્રેક લઈને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે નથી જવાનો. તેણે આ નિર્ણય લઈને ભારતીય લશ્કરને જણાવી દીધું છે કે તે પોતાને મળનારી બટાલિયન સાથે કામ કરવા ઉત્સુક છે. તેના આ સંદેશાને ધ્યાનમાં રાખીને તેનું પોસ્ટિંગ કાશ્મીર ખીણમાં કરવામાં આવ્યું છે. તેનું યુનિટ કાશ્મીર ખીણપ્રદેશમાં વિક્ટર ફોર્સના ભાગરૂપે છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ધોનીએ ફરજ બજાવવા કરેલી વિનંતીને લશ્કરના વડામથકે મંજૂર કરી છે અને તે દળો સાથે મળીને વિવિધ પ્રકારની ફરજ પર રહેશે.’

July 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7290

જયેશ બ્રહ્મભટ્ટ

ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયાના ત્રણ મહિના બાદ જેમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એ ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોના નિયમોમાં ખાસ કરીને સીટ એલોટમેન્ટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

ગુજરાત બોર્ડમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે 84 ટકા સીટ, ગુજરાત રાજ્યની સેન્ટ્રલ બોર્ડ, આઇસીએસઇ બોર્ડ, આઇ.બી.બોર્ડ કે એન.આઇ.ઓ.એસ.માંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ફક્ત 6 ટકા સીટ અને ગુજરાત રાજ્ય બહારની સ્કુલના વિદ્યાર્થીઓ માટે 10 ટકા સીટનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે.

બી.આર્ક. અભ્યાસક્રમમાં સીટ ડિસ્ટ્રીબ્યુશન

આ વખતની સીટ ડિસ્ટ્રીબ્યુશનને જોતા એવું જણાય આવે છે કે ગુજરાત રાજ્યમાં આવેલી સેન્ટ્રલ બોર્ડ, આઇ.સી.એસ.ઇ. બોર્ડ, આઇ.બી. બોર્ડ કે એન.આઇ.ઓ.એસ. બોર્ડની સ્કુલમાંથી ધો.12 સાયન્સ પીસીએમ પાસ કરનારા વિદ્યાર્થીઓને ઓછી સીટ મળશે. આ વિદ્યાર્થીઓને ઉંચા ટકાએ પણ પ્રવેશ નહીં મળી શકે જ્યારે ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે પહેલી વખત 10 ટકા સીટ ફાળવવામાં આવી છે.

આમ, ગુજરાત રાજ્યમાં આવેલી સીબીએસઇ કે અધર બોર્ડની સ્કુલોના વિદ્યાર્થીઓનો ક્વોટા ઓછો રાખવાનું કોઇ તાર્કિક કારણ જણાતું નથી. એક્સપર્ટસ એવું કહી રહ્યા છે કે સીબીએસઇ કે આઇસીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓમાં જ બી.આર્ક. કોર્સ પ્રત્યે વધુ લગાવ જોવા મળે છે અને તેમના માટે જ સીટ ઓછી કરી દેવામાં આવી છે. અહીં એ કહેવાત ફીટ બેસે છે કે બી.આર્ક.માં આ વખતે ઘરના છોકરા (ગુજરાતના સીબીએસઇ કે અધર બોર્ડ) ઘંટી ચાટશે અને ઉપાધ્યાય (ગુજરાત બહારના)ને આટો.

નિષ્ણાંતો કહે છે કે ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે 10 ટકા સીટનો ક્વોટા વધુ પડતો છે. ફક્ત બી.આર્ક. કોર્સમાં જ ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે 10 ટકા સીટનો ક્વોટા રાખવામાં આવ્યો છે. આ સિવાય એન્જિનિયરિંગ, મેડીકલ, પેરામેડિકલ કે લોકલ યુનિવર્સિટીઓના કોઇ અભ્યાસક્રમમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે 10 ટકાનો ક્વોટા રાખવામાં આવતો નથી.

આમેય ગુજરાત બહારથી ગુજરાતમાં આવનારા વિદ્યાર્થીઓ મોટા ભાગે એન્જિનિયરિંગ કે મેડિકલમાં જ અભ્યાસ કરવા આવતા હોય છે. આર્કિટેક્ચરમાં બહારના રાજ્યોના વિદ્યાર્થીઓની ગુજરાતમાં કોઇ ડિમાન્ડ હજુ સુધી વર્તાઇ નથી.

July 25, 2019
priti_patel.jpg
1min7950
The United Kingdom’s new Prime Minister Boris Johnson on Wednesday appointed Brexit supporter Priti Patel home secretary, Reuters reported. 

ભારતીય નારીઓના ડંકા સમગ્ર વિશ્વભરમાં વાગી રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે અંગ્રેજોના હાથમાં ભારતની બાગડોર હતી, આજે 2019માં એવો દિવસ ઉગ્યો છે કે એક ભારતીય મૂળની નારીના હાથમાં અંગ્રેજોના દેશની કાનૂન વ્યવસ્થાની બાગડોર સોંપવામાં આવી છે.

ભારતીય મૂળની નારી ગણાતા પ્રીતિ પટેલને યુનાઇટેડ કિંગ્ડમમાં બોરીસની નવી સરકારમાં હોમ સેક્રેટરી એટલે કે ત્યાંના ગૃહ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન થેરેસા મેની બ્રેક્ઝિટ રણનીતિના મુખ્ય આલોચકોમાં સામેલ પ્રીતિ પટેલને નવા વડાપ્રધાન બોરિસ જોનસનની કેબિનેટમાં ગૃહમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેના કારણે પ્રીતિ બ્રિટનમા ભારતીય મૂળની પહેલી ગૃહમંત્રી બનવવામાં સફળ થઇ છે.

47 વર્ષીય પ્રીતિ સૌપ્રથમ વર્ષ 2010માં વિટહૈમથી સાંસદ બન્યા હતા. અને 2015 અને 2017મા પણ તેમણે આજ સીટ પરથી જીત મેળવી હતી. તે ડેવિડ કેમરૂનની સરકારમાં રોજગાર મંત્રીના પદ પર રહી ચુક્યા છે. તેના માતા-પિતા મૂળ ગુજરાતના હતા, જે યુગાંડામાં રહેતા હતા. અને તેઓ 60ના દશકમાં ઇંગલેન્ડ આવ્યા હતા.

July 23, 2019
medical_logo.jpg
1min9540

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતમાં એક તરફ નીટ બેઝ અભ્યાસક્રમો જેવા કે મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આર્યુવેદીક અને નેચરોપેથી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ભારે પડાપડી થઇ રહી છે, ત્યારે બીજી તરફ ગુજરાત સરકારની એડમિશન કમિટીએ જાહેર કરેલા આંકડા મુજબ પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં કુલ 2507 પ્રવેશાર્થીઓ એવા મળી આવ્યા છે કે જેમને પહેલા રાઉન્ડમાં જ એમ.બી.બી.એસ., બી.ડી.એસ., બી.એ.એમ.એસ. અને બી.એચ.એમ.એસ. જેવા અભ્યાસક્રમોમાં કન્ફર્મ પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા.

આ વિદ્યાર્થીઓએ પોતાના પ્રવેશ કન્ફર્મ કરાવવાના હતા પરંતુ, નિર્ધારિત સમય મર્યાદા સુધીમાં 25-30 નહીં બલ્કે 2507 જેટલી મોટી સંખ્યામાં પ્રવેશાર્થીઓએ તેમને ફાળવેલો પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી.

કન્ફર્મ પ્રવેશને જતો કરનારા વિદ્યાર્થીઓાં બસ્સોથી વધુ તો એવા છે જેમણે એમ.બી.બી.એસ.માં જુદી જુદી કોલેજોમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. કેટલાક એવા પણ વિદ્યાર્થીઓ છે જેમને સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ મળ્યો છે. જોકે, સરકારી મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ.માં પ્રવેશ જતો કરનારા વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ક્વોટામાંથી પ્રવેશ લઇને ત્યાં પહોંચ્યા હોઇ શકે.

બાકીના પ્રવેશાર્થીઓએ ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી જેવા અભ્યાસક્રમોમાં તેમને મેરિટના આધારે ફાળવવામાં આવેલા પ્રવેશ ઠુકરાવી દીધા છે. પ્રવેશ કન્ફર્મ નહીં કરનારા વિદ્યાર્થીઓની આખી યાદી એડમિશન કમિટીએ પોતાની વેબસાઇટ પર મૂકી છે.

July 21, 2019
CIA_Live_Logo_New2.jpg
2min15410

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત સરકારે પાટીદાર આંદોલનને શાંત પાડવા માટે શરૂ કરેલા ગુજરાત અનરિઝર્વ એજ્યુકેશનલ એન્ડ ઇનોનોમિકલ ડેવલપમેન્ટ કમિશનના નેજા હેઠળ શરૂ કરવામાં આવેલી યોજનાઓ જેવી જ યોજનાઓ વર્ષોથી બક્ષીપંચ એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (સોશ્યલી એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ, એસ.ઇ.બી.સી.) માટે અમલમાં મૂકવામાં આવી છે.

પરંતુ, આ યોજનાઓના અમલીકરણમાં ગુજરાત સરકારના બેવડાં ધારાધોરણો હોવાનું અરજદારો કહી રહ્યા છે. બક્ષીપંચ અન્વયે વિદેશ અભ્યાસ માટે રૂ.15 લાખના લોનધિરાણ માટે અરજી કરનાર સુરતના યુવાન રાકેશ પંચાલએ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી એ પ્રોસેસ કરી રહ્યા છે પરંતુ, એટલા બધા ધક્કા ખવડાવીને દર વખતે નવા ડોક્યુમેન્ટસ માંગવામાં આવી રહ્યા છે. કોઇ મોટી બેંકમાંથી સરળતાથી ધિરાણ મળી જાય પરંતુ, ગુજરાત સરકારની આ પછાત વર્ગ માટે કહેવાતી કલ્યાણકારી યોજનામાંથી ખરેખર જરૂરીયાતમંદને ધિરાણ જ નહીં મળે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.

જેની બીજી તરફ ઓપન કેટેગરીના આર્થિક પછાત વર્ગ માટે અદ્દલ આ જ પ્રકારની સ્કીમ છે. ઉજળીયાત વર્ગ ખાસ કરીને પાટીદારોને રિઝવવા માટે સરકારે આ સ્કીમના અમલીકરણને એટલું સરળ બનાવી દીધું છે કે અરજદાર અરજી કરે એટલે તંત્ર તેની લોન મંજૂર કરાવવામાં કામે લાગી જાય જ્યારે બક્ષીપંચમાં તો સુરતની કચેરીમાં કામ કરતો કારકૂન જ અરજદારોને તતડાવી કાઢી મૂકતો હોવાની ફરીયાદો મળી છે.

ઓપન કેટેગરી આર્થિક પછાત વર્ગ પાસે ડોક્યુમેન્ટસ પણ ઓછા માગવામાં આવે છે જ્યારે બક્ષીપંચના અરજદારો નહીં પણ જામીનદારો પાસેથી પણ મિલકતો ગીરો લખાવી દેવામાં આવે છે. બક્ષીપંચની લોન મંજૂર કરાવવા માટે ગાંધીનગર સુધીના રૂપિયા ખવડાવવા પડે, ગીફ્ટો આપવી પડે ત્યારે માંડ લોન મંજૂર થાય છે જ્યારે ઓપન કેટેગરીમાં ગણતરીના દિવસોમાં લોન મંજૂર કરી આપવામાં આવી રહી છે.

બક્ષીપંચની વિદેશ અભ્યાસ લોન માટે એટલે જડ નિયમો મૂકવામાં આવ્યા છે કે 100 અરજદારોમાંથી માંડ એકાદ બેની લોન પાસ થતી હશે. એક નિયમ એવો છે કે ગ્રેજ્યુએશન પછી વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ પાસે પોસ્ટ ગ્રેજ્યુએશનના બે વર્ષના કોર્સ માટે જ ધિરાણ આપવામાં આવે છે. વિદેશમાં લોંગ ટર્મ કરતા શોર્ટ ટર્મ કોર્સનું મૂલ્ય એટલે કે રોજગારીની તકો વધુ હોય છે, ત્યારે બે વર્ષમાં એક કોર્સની જગ્યાએ બે વર્ષમાં ત્રણ-ચાર સર્ટિફિકેટ કોર્સ કરવામાં આવે તો ઉમેદવારને ફોરેનમાં જ વધુ મળતરની સારી રોજગારીની તક વધી જતી હોય છે. પણ બક્ષીપંચના ઉમેદવારો માટે આ પ્રકારનું ધિરાણ આપવાની જોગવાઇ જ કરવામાં આવી નથી.

ઓપન કેટેગરીમાં વિદેશ અભ્યાસ માટે લોનધિરાણ મેળવનારાઓ પાસેથી ક્લાસ-1 અધિકારીના સહી સિક્કાવાળું બાહેંધરીપત્રક માંગવાની કોઇ જોગવાઇ નથી જ્યારે બક્ષીપંચ માટેની યોજનામાં તો અરજદારને એવું કહેવામાં આવે છે કે કોઇપણ ક્લાસ વન અધિકારી જે તે અરજદાર લોન ભરપાઇ કરશે અને નહીં કરે તો તેની જવાબદારી મારી (ક્લાસવન અધિકારીની) રહેશે એવા સહી સિક્કાવાળું બાંહેધરીપત્રક માગવામાં આવે છે. આજના જમાનામાં કયો ક્લાસવન અધિકારીઓ અજાણ્યા અરજદાર માટે આવું લખાણ આપશે અને અપવાદ રૂપ કોઇ આપવા તૈયાર થાય તો પણ ક્લાસવન અધિકારી પાસેથી આવું પ્રમાણપત્ર માંગવા પાછળનો કોઇ તર્ક ખરો, હજાર અરજીમાં એકાદ બે કેસમાં ક્લાસ વન અધિકારી ઓળખીતા હોય અને સહી સિક્કા સાથે બાંહેંધરી લેતા હોય ત્યારે ઓપન કેટેગરીમાં આ જોગવાઇ નથી તો બક્ષીપંચ માટે શા માટે આવી જોગવાઇ રાખવામાં આવી છે.

ઓપન કેટેગરીમાં વિદેશ અભ્યાસ ધિરાણ માટે જામીનદાર પાસે ફક્ત જામીનખત માંગવામાં આવી છે જ્યારે બક્ષીપંચ માટેની યોજનામાં જામીનદારોની મિલકતો ઉપરાંત તેનું વેલ્યુશન કરાવવામાં આવે છે અને વેલ્યુઅરને મોટી રકમની ફી ચૂકવ્યા પછી વેલ્યુશન સર્ટિફિકેટ મળે છે. બક્ષીપંચના ઉમેદવારોની ફાઇલ મંજૂર થાય જ નહીં એવા આંકરા નિયમો બનાવાયા છે જ્યારે પાટીદારોને રિઝવવા માટે થઇને સરકારે ખાસ બિનઅનામત આર્થિક પછાત વર્ગના ઉમેદવારોની અરજીઓ ફાસ્ટ ટ્રેકમાં મંજૂર કરવાની સૂચનાઓ જારી કરી છે.

ટૂંકમાં કહીએ તો હજુ માંડ દોઢેક વર્ષ પહેલા અસ્તિત્વમાં આવેલ ગુજરાત અનરિઝર્વ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કમિશન માટેની યોજનાઓનું સાવ સરળીકરણ કરીને તેનો અમલ ફાસ્ટ ટ્રેકમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે બક્ષીપંચ માટેની યોજનાઓનો અમલ થાય છે કે નહીં તેનું પણ મોનિટરીંગ કે ફોલોઅપ લેવાતું હશે કે કેમ એ સવાલ છે.

બન્ને વર્ગ માટેની સ્કીમ્સ ગુજરાત સરકાર દ્વારા જ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં જેની સરકાર છે એ ભાજપામાં આખો બક્ષીપંચ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે પરંતુ, આ બક્ષીપંચ સેલ ફક્ત હોદ્દાઓ માટે ઉભો કરવામાં આવ્યો હોવાનું જણાય આવે છે. બિનઅનામત વર્ગ અને અનામત વર્ગ માટેની કલ્યાણકારી યોજનાઓના સરળીકરણનો મુદ્દો બક્ષીપંચના નેતાઓ તેમની જ સરકાર સામે ઉછાળતા ગભરાય રહ્યા છે.

ભાજપામાં બક્ષીપંચ સેલના હોદ્દે બિરાજમાન નેતાઓને કદાચ એ પણ ખબર નહીં હશે કે બક્ષીપંચના યુવાનો માટે કેવી અને કેટલી સ્કીમ્સ છે અને એ સ્કીમ્સનું અમલીકરણ કેવી રીતે થઇ રહ્યું છે.

અહીં આર્થિક પછાત ઓપન વર્ગ અને બક્ષીપંચ વર્ગ માટેની એક યોજનાના ખરડા મૂક્યા છે, પ્રાથમિક દ્રષ્ટીએ વાંચ્યા પછી જ ખબર પડી જાય છે કે ઓપન કેટગરી માટે યોજનાનું સરળીકરણ કરી દેવાયું છે જ્યારે બક્ષીપંચના ઉમેદવારોને ડોક્યુમેન્ટસ ભેગા કરતા જ બે-ત્રણ વર્ષ નીકળી જાય

ઓપન કેટગરી માટેની યોજના

યોજનાનું નામ : વિદેશ અભ્યાસ લોન

યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો:
  • ધોરણ-૧૨ પછી ફક્ત M.B.B.S, સ્નાતક (ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલ હોય તો પણ માન્ય) થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રુ. ૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન નિગમ તરફથી આપવામા આવશે.

લાયકાતના ધોરણો : ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.

વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કેતેથી ઓછી.

લોન માટેનાં જામીન / દસ્તાવેજ:
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીન ખત રજૂ કરવાનું રહેશે.
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચબ્લેન્ક(BLANK)ચેક આપવાના રહેશે.
લોનની પરત ચુકવણી:
  • રૂા.૫.૦૦ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • રૂા.૫.૦૦ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે.
  • લોન લેનાર નિશ્રિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.

July 17, 2019
posts.jpg
1min5220

ટપાલીઓની ભરતી માટે 14 જુલાઈએ યોજાયેલી પરીક્ષા રદ કરવામાં આવી છે અને સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા હવે પછી રાખવામાં આવશે તેવું કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું હતું. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે “તમિળ સહિતની સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા રાખવામાં આવશે. અન્નાડીએમકેની આગેવાનીમાં તમિળ પક્ષોએ કરેલી માગનો સરકારે સ્વીકાર કર્યો હતો.

રવિવારે યોજાયેલી પરીક્ષાના પ્રશ્ર્નપત્ર ફક્ત અંગ્રેજી અથવા હિંદીમાં હોવાથી તમિળ પક્ષોએ મંગળવારે રાજ્યસભામાં ધાંધલધમાલ કરી હતી. લન્ચ અગાઉના સમયગાળામાં ત્રણ વાર અને બપોરના બે વાગે પછી ગૃહ જ્યારે ફરી શરૂ થયું હતું ત્યારે ફરી અડધો કલાક માટે એમ ચાર વાર કાર્યવાહી ખોરવાઈ હતી. કાર્યવાહી જ્યારે શરૂ થઈ ત્યારે લૉ જસ્ટિસ, કમ્યુનિકેશન્સ, ઈલેક્ટ્રોનિક્સ, આઈટીના કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે “તમિળનાડુના મારા મિત્રો સહિત સભ્યોએ ગૃહમાં કેટલાક મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. મેં આ બાબતની આજે જ ચકાસણી કરી છે અને 14-07-2019 તારીખે યોજાયેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે.

July 16, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7900

એક વખતનું મોદીનું ગુજરાત એવું હતું કે જ્યાં કન્યાઓને મુક્ત વાતાવરણમાં કેળવણીને પ્રોત્સાહન મળે અને ટેકનોલોજીથી સજ્જ આધુનિક શિક્ષણ વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પરંતુ, હવે રૂપાણી સરકારમાં કન્યાઓ પર અવળચંડા પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત 12 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજે તો એવો ફતવો જારી કર્યો છે કે સમાજની કુંવારી યુવતિઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં, તેમના મોબાઇલ ફોનના વપરાશ પર તા.14મી જુલાઇથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સમાજે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આમ છતાંં, સમાજની કોઇ કુંવારી યુવતિ મોબાઇલ ફોનનો વપરાશ કરતા ઝડપાશે તો તેના પિતા પાસેથી સમાજ રૂ.દોઢ લાખનો જંગી દંડ વસૂલ કરશે.

BK

ઉત્તર ગુજરાતના 12 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજે કુંવારી યુવતીઓને મોબાઈલ ફોન રાખવા પર પ્રતિબંધ 14 જુલાઈથી લાગુ કરી દેવામાં આવ્યો છે, જેનો ચૂસ્તપણે અમલ કરવા તાકિદ કરાઈ છે.

ઉત્તર ગુજરાત 12 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજનો આ ફતવો હાલ ગુજરાતમાં ભારે વાઇરલ થયો છે અને કુંવારી યુવતિઓ પર મૂકવામાં આવેલા મોબાઇલ વપરાશ પ્રતિબંધની ચોમેરથી ટીકા કરવામાં આવી રહી છે. કેટલીક મુક્ત વિચારશરણી ધરાવતી સંસ્થાઓએ ગુજરાત સરકાર તેમજ હ્યુમન રાઇટ્સ, મહિલા અધિકાર આયોગ સુધી આ બાબતની ફરીયાદો કરવાની શરૂ કરી છે.

બુદ્ધિજીવીઓનું કહેવું છે કે કુંવારી યુવતિઓ પર મોબાઇલ પ્રતિબંધ મૂકવા પાછળ નો તર્ક બેહૂદા છે. મોબાઇલથી દુષણો ફેલાય રહ્યા છે માની શકાય એવી વાત છે પણ મોબાઇલ આધુનિક ટેકનોલોજીનું સૌથી મહત્વનું પરીબળ છે, શિક્ષણમાં મોબાઇલ ફોનની આવશ્યકતા પ્રવેશથી લઇને પરીક્ષા, પરીણામ સુધીની છે.

July 10, 2019
womenfifa-1280x640.jpg
1min14110

fifa womens lesbians માટે છબી પરિણામ

રનર-અપ નેધરલૅન્ડ્સની ટીમમાં પાંચ, આખા વર્લ્ડ કપમાં કુલ ૪૦ લેસ્બિયન ખેલાડીઓ રમી

ત્રણ દિવસ પહેલાં સતત બીજી વાર ફિફા મહિલા ફૂટબૉલ વર્લ્ડ કપનો તાજ જીતનારી અમેરિકાની ટીમની પાંચ ખેલાડીઓ અને કોચ સજાતીય સંબંધો ધરાવે છે એટલે એ સમુદાયના લોકો વિશ્ર્વ કપના આ વિજેતાપદને ‘ગે ક્યૂનિટી’ના મોટા વિજય તરીકે ઓળખાવી રહ્યા છે.

વર્લ્ડ ચૅમ્પિયન અમેરિકાની મહિલા ટીમની મુખ્ય ખેલાડી મેગન રૅપિનો અને ઍશ્લીન હૅરિસ તથા ઍલી ક્રિગર સહિત કુલ પાંચ પ્લેયરો તેમ જ કોચ જિલ એલિસ લેસ્બિયન છે. એમાંથી ઍશ્લીન અને ઍલીએ એકમેક સાથે સગાઈ કરી લીધી છે અને થોડા જ દિવસમાં લગ્ન કરી લેવાની છે.

અમેરિકાની મહિલા ફૂટબૉલ ટીમે રવિવારે ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં નેધરલૅન્ડ્સને ૨-૦થી પરાજિત કરી હતી. અમેરિકાની મુખ્ય પ્લેયર મેગને એ વિજય મળતાં જ ‘ગો ગેય્ઝ’ એવું મોટા અવાજે બોલીને જીત સેલિબ્રેટ કરી હતી. મેગનને ‘ગોલ્ડન બૂટ’ તથા ‘ગોલ્ડન બૉલ’ અવૉર્ડ આપવામાં આવ્યા હતા. ફાઇનલમાં બેમાંથી એક ગોલ મેગને કર્યો હતો.

મેગને ચૅમ્પિયનપદ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘ટીમમાં ગે ખેલાડીઓ વગર કોઈ પણ ચૅમ્પિયનશિપ જીતી જ ન શકાય. અગાઉ પણ ક્યારેય ગે પ્લેયરો વિના ચૅમ્પિયનશિપ નહીં જીતી શકાઈ હોય. એ જ વિજ્ઞાન છે.’ વર્લ્ડ કપની રનર-અપ મહિલા ટીમ નેધરલૅન્ડ્સની ટીમમાં પણ પાંચ પ્લેયરો પણ લેસ્બિયન હતી.

એક જાણીતા સામયિકના અહેવાલ મુજબ આ વર્લ્ડ કપમાં રમનારી તમામ ખેલાડીઓમાં ૪૦ પ્લેયરો લેસ્બિયન હતી. તેઓ લેસ્બિયન, ગે, બાયસેક્સ્યૂઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીયર (એલજીબીટીક્યૂ) સમુદાયની મેમ્બર છે.

પુરુષ ફૂટબૉલ ખેલાડીઓમાં પણ કેટલાક ગે (હોમોસેક્સ્યૂઅલ) છે અને ગયા વર્ષે ફિફા વર્લ્ડ કપમાં એમાંના કેટલાક પ્લેયરો રમ્યા હતા, પરંતુ તેમણે લેસ્બિયન ફૂટબૉલરોની જેમ જાહેરમાં એનો સ્વીકાર નહોતો કર્યો.

July 10, 2019
brasil_copa.jpg
1min6910

બ્રાઝિલે શનિવારે કોપા અમેરિકા ફૂટબૉલ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પેરુને ૩-૧થી હરાવીને નવમી વખત આ સ્પર્ધાની ટ્રોફી જીતી લીધી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે બ્રાઝિલે મુખ્ય ખેલાડી નેયમાર વિના આ સિદ્ધિ મેળવી છે અને ટીમને માત્ર તેના પર સૌથી મદાર હતો એ મહેણું હવે ભાંગ્યું છે.

ઘૂંટણની ઈજા તથા ‘બળાત્કાર’ના આક્ષેપથી ઘેરાયેલા કૅપ્ટન નેયમારને ૨૦૧૪માં ઘરઆંગણે વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલમાં ઈજા થઈ હતી અને જર્મની સામેની સેમી ફાઇનલ તેણે ગુમાવી હતી. જર્મનીએ ત્યારે બ્રાઝિલને ૭-૧થી હરાવીને યજમાન ટીમનો માનભંગ કર્યો હતો.

બ્રાઝિલે ૧૨મા વર્ષે મોટી ટ્રોફી જીતી છે. નેયમાર છેલ્લા બે વર્ષથી કોઈને કોઈ વિવાદમાં રહ્યો છે.