CIA ALERT

WE Archives - Page 29 of 63 - CIA Live

May 4, 2020
CIA_Live_Logo_New2.jpg
2min8650

Fresh dates for JEE, NEET might be announced on May 5

દેશના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે રવિવાર તા.3 મે ના રોજ આપેલી માહિતી મુજબ દેશના શિક્ષણ મંત્રી શ્રી રમેશચંદ્ર પોખરીયાલ તા.5મી મે 2020ના રોજ બપોરે 12 વાગ્યે વિદ્યાર્થીઓ સાથે નિશંક પ્રોગ્રામ અન્વયે લાઇવ સન્મુખ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કોવીડ-19ના કારણે મુલતવી રાખવામાં આવેલી મેડીકલ પ્રવેશ પરીક્ષા નીટ તેમજ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઇઇ મેઇન્સ વગેરેની નવી તારીખોની ઘોષણા પણ આવતીકાલ તા.5મી મે ને મંગળવારે નિશંક લાઇવ પ્રોગ્રામમાં થઇ શકશે.

આ લાઇવ પ્રોગ્રામમાં દેશમાંથી કોઇપણ વિદ્યાર્થીઓ પોતાને મૂંઝવતા પ્રશ્નો પણ દેશના શિક્ષણ મંત્રીને પૂછીને તેમની સમસ્યાનું નિરાકરણ શોધી શકશે.

Attention Engineering and medical aspirants,

The HRD ministry on Sunday said fresh dates for competitive exams –JEE and NEET– will be announced on May 5.

The exams were postponed due to nationwide lockdown announced to contain the Covid-19 spread.

“The fresh dates will be announced by HRD Minsiter Ramesh Pokhriyal ‘Nishank’ on May 5. This will put an end to uncertainty for the aspirants. The minister will also interact with students online the same day,” a senior ministry official said.

While Joint Entrance Exam-Mains (JEE-MAINS) is conducted for admission to engineering colleges across the country, the National Eligibility cum Entrance Test (NEET) is conducted for medical colleges.

May 1, 2020
Kundanika_Kapadia_July_2018-1280x1707.jpg
1min5720

જાણીતાં ગુજરાતી લેખિકા કુન્દનિકા કાપડિયાનું ગુરુવારે અવસાન થયું હતું. તેઓ ૯૩ વર્ષનાં હતાં. ખાસ કરીને ‘સાત પગલાં આકાશમાં’ નવલકથા માટે જાણીતાં કુન્દનિકાબેને વલસાડ જિલ્લામાં નંદીગ્રામ આશ્રમ ખાતેના નિવાસસ્થાને ગુરુવારે સવારે અંતિમ શ્ર્વાસ લીધા હતા.૨૦૧૮માં તેમણે આંતરડાના કૅન્સરની સારવાર કરાવી હતી અને ત્યાર બાદ સ્વસ્થતાપૂર્વક રાબેતા મુજબનું જીવન જીવી રહ્યાં હતાં. જોકે, છેલ્લાં થોડા દિવસોથી તેમની તબિયત બગડી ગઈ હતી, એમ તેમના આશ્રમ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું.કુન્દનિકાબેન અને જાણીતા કવિ મકરંદ દવેએ સમાજના નબળા વર્ગોના લોકોની સહાય માટે તેમ જ આધ્યાત્મિક જીવન ગાળવાના આશયથી ૧૯૫૯માં નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરી હતી.

April 29, 2020
cbse_logo.jpeg
2min10040

બાકી રહેલી પરીક્ષા જ્યારે પણ લેવાશે તેના 10 દિવસ અગાઉ લાગતાવળગતા તમામને જાણ કરાશે

CBSE દ્વારા આજરોજ તા.29મી માર્ચે ફરીથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સીબીએસઇ બોર્ડ દ્વારા કોઇપણ પ્રકારની પરીક્ષા રદ કરવામાં આવી નથી. હાલના સંજોગોને કારણે પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. દેશભરમાં જ્યારે કોવીડ-19ની સ્થિતિ સુધરશે એ પછીના 10 દિવસમાં સીબીએસઇ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓથી લઇને પરીક્ષા સાથે સંકળાયેલા તમામ લોકો, ઓથોરિટી સમેત લાગતા વળગતા સૌને સીબીએસઇની પરીક્ષા લેવાના 10 દિવસ અગાઉથી જાણકારી આપવામાં આવશે.

સીબીએસઇ દ્વારા સત્તાવાર રીતે એવું કહેવામાં આવ્યું કે ગઇ તા.1લી એપ્રિલ 2020ના રોજ જે માર્ગદર્શનક સૂચનાઓ જારી કરવામાં આવી છે એ સૂચનાઓ અનુસાર હાલનું પણ સ્ટેટસ માનવું. કોઇપણ પ્રકારની ગેરસમજ કે અફવાઓથી દોરાવું નહીં.

CBSE એ ટ્વીટ કરીને માહિતી આપી

તા.1લી એપ્રિલ 2020ના રોજ જાહેર કરેલી માર્ગદર્શક સૂચનાઓ ડાઉનલોડ કરવા નીચેની લિંક ક્લીક કરો

http://cbse.nic.in/newsite/attach/PRESS%20RELEASE%2001.04.20.pdf

April 28, 2020
gseb-1280x720.jpg
2min10190

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવામાં આવેલી ધો.12 સાયન્સની મુખ્ય વિષયની ઓબ્જેક્ટીવ ટાઇપ પરીક્ષાની પ્રોવીઝનલ આન્સર કી વેબસાઇટ પર રિલીઝ કરી છે. નીચે મુજબના વિષયોની આન્સર કી રીલીઝ કરવામાં આવી છે.

  • Maths-050 Provisional Key (GHE – all Medium)
  • Chemistry-052 Provisional Key (GHE – all Medium)
  • Physics-054 Provisional Key (GHE – all Medium)
  • Biology-056 Provisional Key (Gujarati Medium)

How to check GSEB HSC Science Answer Key 2020

Candidates can follow the steps given below to check and download the answer key.
1. Go to the official website of GSEB —gsebeservice.com
2. On the homepage click on the link which reads “HSC Science Examination March 2020 Provisional Answer key”
3. It will direct to a new page of the GSEB website
4. Your GSEB HSC Science Answer Key 2020 will be displayed on the screen
5. Download and take a print out of GSEB HSC Science Answer Key 2020 for future reference

વધુ સૂચનાઓ માટે નીચેની લિંક ક્લીક કરો

https://www.gsebeservice.com/assets/news/science%20key.pdf

April 3, 2020
dipikasarojini.jpg
1min9420

હાલમાં લૉકડાઉનને લીધે દુરદર્શન રામાયણ સિરિયલ બતાવી રહ્યું છે, જેમાં ત્રીસેક વર્ષ પહેલાની દિપીકા ચિખલીયા સીતાના પાત્રમાં જોવા મળી રહી છે. આ દિપીકાએ ૨૫ વર્ષ બાદ ગુજરાતી ફિલ્મ નટસમ્રાટથી ફિલ્મજગતમાં પુનરાગમન કર્યું હતું અને હવે તે ભારતની બુલબુલ તરીકે ઓળખાતી સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુના પાત્રને ભજવવાની છે.

એક ઈન્ટરવ્યુમા તેમણે જણાવ્યું હતું કે તેમને સરોજિની નાયડુની બાયોપિક ઑફર કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ ગાલિબ અને દિનદયાલ એક યુગપુરુષ ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે. જોકે હજુ તેમણે ફિલ્મ સત્તાવાર રીતે સાઈન કરી નથી, પરંતુ ફિલ્મના લેખક અને ડિરેક્ટર ધીરજ મિશ્રાએ આ અંગે તેમની સાથે વાત કરી છે અને તેઓ કથાનક પર કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ ભૂમિકા કરવા માટે હું ખૂબ ઉત્સુક છું, કારણ કે ઐતિહાસિક પાત્રો મેં કરેલા છે.

પોતાની બે ફિલ્મો ગાલિબ અને યુગપુરુષ વિશે તેમણેજણાવ્યું હતું કે ગાલિબમાં મેં અફઝલ ગુરુની પત્નીનો રોલ કર્યો છે. કોઈ આતંકવાદીનું મૃત્યુ તેના પરિવારને કઈ રીતે અસર કરે છે, તે અંગેની ફિલ્મ છે. યુગપુરષમાં મેં અખબારના તંત્રીનો રોલ કર્યો છે. આમાં મારો રોલ નકારાત્મક છે, તેમ તેમણે ઉમેર્યું હતું. એક સમયે ટીવીના પડદા પર રામાયણની સીતાની લોકોએ પૂજા કરી હતી અને દિપીકાને જાહેરમાં લોર્કોંએ વંદન કર્યા હોય કે તેમના ચરણસ્પર્શ કર્યા હોય તેવી ઘટનાઓ પણ બનતી હતી.

March 30, 2020
minal-dakhave.jpg
2min9160

ગર્ભાવસ્થાના અંતિમ દિવસ સુધી કોરોનાની ઇન્ડીયન ટેસ્ટીંગ કીટ વિકસાવવા કામ કર્યું : કીટને મંજૂરી મળીને બીજા દિવસે પુત્રીને જન્મ આપ્યો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

પૂણા ખાતે સ્થિત ભારતની સૌથી મહત્વની લેબોરેટરીમાં ફરજ બજાવતા મિનલ દાખવે ભોંસલે નામની મહિલાએ પોતે ગર્ભાવસ્થામાં હોવા છતાં કોરોના વાયરસની તપાસ માટેની એવી કિટ તૈયાર કરી છે જે વિદેશી કિટની સરખામણીમાં ખૂબ જ સસ્તી છે.

देश का पहला कोरोना टेस्टिंग किट बनाने वाली महिला जिन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में भी किया काम

ખાસ વાત એ છે કે મીનલ દાખવે ભોંસલે નામની મહિલાએ તેની પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાઓ જઇ રહ્યા હોવા છતાં દેશ માટે આ કિટ પર કામ કર્યું અને એનું પરીણામ લાવીને રહ્યા.

દેશની આ પહેલી કોરોના વાયરસ ટેસ્ટિંગ કિટ છે જે કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવશે.

વાયરોલોજિસ્ટ મીનલે પૂનાની એક ડાયગ્નોસ્ટિક ફર્મ માઈલેબ ડિસ્કવરી સોલ્યુશન્સના પ્રોજેક્ટ પર ફેબ્રુઆરીમાં કામ શરૂ કર્યું હતું. તેઓ પ્રેગ્નેન્ટ હતા અને ગત અઠવાડિયે જ બાળકીને જન્મ આપ્યો છે. મીનલે જણાવ્યું કે આ જરૂરી હતું, મેં એક પડકારના ભાગરૂપે આ કિટ તૈયાર કરી છે.

મિનલ દાખવે તેમની ટીમના તમામ 10 સભ્યોએ કઠિન પરિશ્રમ કરીને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. તેમણે તૈયાર કરેલી ટેસ્ટિંગ કિટને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ને તારીખ 18 માર્ચના દિવસે સોંપવામાં આવી હતી. અને તેના એક દિવસ પછી મીનલ દાખવેએ બાળકીને જન્મ આપ્યો હતો.

દેશી ટેસ્ટિંગ કીટ કેમ વિદેશી કીટથી બહેતર છે વાંચો અહીં

મિનલ દાખવે અને તેમની ટીમે તૈયાર કરેલી કોવીડ-19 ટેસ્ટીંગ કીટ ફક્ત અઢી કલાકમાં ટેસ્ટિંગનું રિઝલ્ટ આપે છે જ્યારે વિદેશી કિટમાં ટેસ્ટિંગ માટે 6થી 7 કલાકનો સમય લાગે છે. દરેક માઈલેબ કિટથી 100 સેમ્પલનું ટેસ્ટિંગ કરી શકાય છે અને તપાસ માટેનો ખર્ચ 1200 રૂપિયા થાય છે. જ્યારે વિદેશી કિટમાં ટેસ્ટિંગનો ખર્ચો 4500 રૂપિયા થાય છે. માઈલેબ ડિસ્કવરી સૉલ્યુશન્સની પાસે દરરોજ 15 હજાર ટેસ્ટિંગ કિટ તૈયાર કરવાની ક્ષમતા છે.

देश का पहला कोरोना टेस्टिंग किट बनाने वाली महिला जिन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में भी किया काम

  • देश का पहला कोरोना टेस्टिंग किट मार्केट में आ चुका है
  • पुणे की वायरॉलजिस्ट मीनल दाखवे भोंसले ने कमाल कर दिखाया
  • उन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में प्रॉजेक्ट पर काम किया और डेडलाइन मीट की
  • अब हर दिन 15 हजार किट तैयार हो रहे हैं जो विदेशी किट के मुकाबले किफायती हैं

कुछ करने का जज्बा हो तो मुश्किलें हल हो जाती हैं। मिनल दाखवे भोंसले ने जो कर दिखाया है, उसे जानकर तो यह फिर से साबित हो रहा है। उन्होंने कोरोना वायरस की जांच के लिए ऐसा किट तैयार किया जो विदेशी किट के मुकाबले बेहद सस्ता है। खास बात यह है कि मीनल ने अपनी प्रेग्नेंसी के आखिरी महीनों में इस किट पर काम किया। देश का यह पहला टेस्टिंग किट कोरोना के खिलाफ लड़ाई में बड़ी भूमिका अदा कर सकता है।

वायरॉलजिस्ट मीनल ने पुणे के एक डायग्नोस्टिक फर्म माइलेब डिस्कवरी सोल्युशन्स के प्रॉजेक्ट पर फरवरी में काम शुरू किया था। वह प्रेग्नेंट थीं। पिछले हफ्ते ही उन्हें बच्ची हुई। उन्होंने कहा, ‘यह जरूरी था, इसलिए मैंने इसे चुनौती के रूप में लिया। मुझे अपने देश की सेवा करनी है।’ उन्होंने बताया कि उनकी टीम के सभी 10 सदस्यों ने कठिन परिश्रम किया है। प्रॉजेक्ट पूरा होने पर टेस्टिंग किट नैशनल इंस्टिट्यूट ऑफ वायरॉलजी (NIV) को 18 मार्च को सौंप दिया गया और अगले दिन ही मीनल को बेटी हुई।

March 26, 2020
neet.jpg
3min12620

NEET UGની હાલની 3જી મે ની તારીખ બદલાય તેવી શક્યતા

નેશનલ ટેસ્ટિંગ એજન્સીના આધારભૂત સૂત્રોએ આપેલી માહિતી મુજબ આગામી તા.3જી મે 2020ના રોજ લેવામાં આવનારી મેડીકલ અને ડેન્ટલ અન્ડર ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટેની એક માત્ર સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજી 2020ના એડમિટ કાર્ડ તા.27મી માર્ચે જાહેર કરવાનું સમયપત્રક છે. પરંતુ, દેશમાં પ્રવર્તમાન કોરોના આઉટબ્રેક તેમજ લૉકડાઉનની સ્થિતિને જોતા નીટ યુજી 2020 પરીક્ષાના એડમિટ કાર્ડ તા.27મી માર્ચે ઓનલાઇન રિલિઝ નહીં થાય.

નીટ યુજી 2020 અંગે મહત્વની મિટીંગ નેશનલ ટેસ્ટિંગ એજન્સી તેમજ કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે તા.14મી એપ્રિલે યોજાનારી છે. નીટ યુજી જે હાલમાં 3જી મે 2020ના રોજ લેવાની છે, એને મુલતવી રાખીને નવી તારીખ લૉકડાઉન પિરિયડમાં એટલે કે નજીકના ભવિષ્યમાં જાહેર કરવામાં આવશે. નીટ અંગેની મહત્વની ઘોષણા તા.26 થી 28 દરમિયાન કરવામાં આવે તેવી શક્યતા છે.

NTA Clarification

As a Precaution against COVID – 19, our helpdesk is operating with limited resources. For exam related queries text us on the given numbers. For all other queries, please check the website regularly.

HELPLINE (OPERATIONAL DURING 09:30 AM TO 05:30 PM)

All helpline numbers are of Delhi.

Jee Mains 2 મુલતવી રાખી દેવામાં આવી છે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જેઇઇ મેઇન્સ 2 પરીક્ષા જે એપ્રિલ 2020માં લેવાનું આયોજન હતું એ 21 દિવસના લૉકડાઉનની જાહેરાત પહેલા જ મુલતવી રાખી દેવામાં આવી છે.

News in English

The examination date for the National Eligibility cum Entrance Test-Under Graduate (NEET UG) 2020 is likely to be postponed. The National Testing Agency (NTA) will not be issuing the admit cards from Friday as scheduled.

According to a senior NTA official, “We will not be issuing the admit cards on March 27, 2020 as scheduled. The new date for downloading of admit cards will be issued later following a review on April 14, 2020”

The ministry of human resource development and the ministry of health and family welfare are reviewing the matter on postponement of the exams scheduled for May 3, 2020. With all the remaining CBSE, NIOS and CISCE Board exams postponed after March 20, the competitive exams to be conducted thereafter are also going to be affected. After announcement of the 21-day lockdown across the country on March 24 the JEE (main) exam too stands postponed.

According to a senior HRD official, “The new dates will be announced only after the lock down period is over. The ministry is in talks with the health ministry over the matter and new dates will be announce by NTA post the lockdown period.”

March 25, 2020
Promotion.jpg
1min6640

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે પ્રવર્તેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સરકારે રાજ્યમાં ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં બઢતી (માસ પ્રમોશન) આપવાનો મોટો અને અપેક્ષિત નિર્ણય કર્યો છે. આ નિર્ણય અમલમાં આવતાં આ વર્ષે અત્યારથી જ શાળાઓમાં ઉનાળું વેકેશન લાગુ પડી જશે. મહત્ત્વનું છે કે રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ સમાપ્ત થઇ ગઇ છે અને શાળાકીય પરીક્ષાઓ લેવાની બાકી હતી પરંતુ વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિમાં શાળાકિય પરીક્ષાઓ રદ કરવાનો મોટો નિર્ણય લેવાતાં હવે તમામ વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં બઢતી આપવામાં આવશે.

રાજ્યમાં મુખ્યપ્રધાન દ્વારા કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર કરવામાં આવેલી કોર કમિટીના સદસ્ય અને રાજ્યના માહિતી ખાતાના સચિવ અશ્વિનીકુમારે આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની તમામ શાળાઓ બંધ રાખવામાં આવશે અને ધોરણ 1થી 9 અને 11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે. રાજ્ય સરકારના નિર્ણય બાદ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોને પણ રજા આપવામાં આવશે.

અશ્વિનીકુમારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના શિક્ષકોને પણ વેકેશન અને રજા જાહેર કરવામાં આવી છે. હવે શિક્ષકો પણ શાળાએ નહીં જાય અર્થાત શિક્ષકોએ શાળાએ જવું ફરજિયાત નહીં રહે. સાથે જ નવું શૈક્ષણિક સત્ર પણ અગાઉ મુજબ જૂન મહિનાથી જ ચાલુ થશે. આમ તો ગઇકાલે જ આ માસ પ્રમોશનના અહેવાલ આવ્યા હતાં પણ મોડેથી સરકારે કહ્યું હતું કે, હજી સ્પષ્ટ થયું નથી.

નોંધનીય છે કે હાલ 31મી માર્ચ સુધી ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યું હતું અને જો હજુ કેસ વધશે તો આ લોકડાઉન લાંબું ખેંચાઈ શકે છે એટલે જ ગુજરાતમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં પેપર ચેકિંગની કાર્યવાહી પણ બંધ કરવામાં આવી છે.

March 13, 2020
SS_Logo_Red-1280x986.png
3min11680

આ વખતે ફાર્મસી (B.Pharm) કોલેજમાં પ્રવેશ માટે ધસારો થાય તેવી દેખીતી સ્થિતિ

Jayesh Brahmbhatt 98253 44944

આગામી તા.31મી માર્ચ 2020ના રોજ ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી ધોરણે લેવામાં આવતી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ કહો કે ગુજસેટ) લેવામાં આવશે. આ પરીક્ષા મોટા ભાગે એન્જિનિયરિંગ, ફાર્મસી તેમજ એગ્રિકલ્ચર કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે મેરીટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે ધો.12માં એ ગ્રુપ (મેથ્સ) ગ્રુપના વિદ્યાર્થીઓ વધુ હોય છે પરંતુ, આ વખતે ગુજકેટના રજિસ્ટ્રેશનમાં બાયોલોજી ગ્રુપના વિદ્યાર્થીઓએ વધુ રજિસ્ટ્રેશ કરાવ્યું છે. જેનો સીધો મતલબ એ થયો કે બી.ફાર્મ. કોલેજોમાં પ્રવેશ માટે આ વખતે ધસારો જોવા મળશે. કેમકે બાયોલોજીના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવી શકે નહીં. ગુજકેટ આપનારા બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે વિકલ્પ બચે છે ફાર્મસીનો.

ગુજકેટમાં કયા ગ્રુપના કેટલા વિદ્યાર્થીઓ

  • ગુજકેટ 2020 માટે કુલ 1 લાખ 25 હજાર 781 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે
  • ગુજકેટ 2020 માટે એ ગ્રુપ મેથ્સ ગ્રુપના કુલ 49,888 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન
  • ગુજકેટ 2020 માટે બી ગ્રુપ બાયોલોજીના કુલ 75,519 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન
  • ગુજકેટ 2020 માટે એ અને બી બન્ને ગ્રુપ ધરાવતા કુલ 374 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન

31 માર્ચ 2020ના રોજ સવારે 10થી સાંજે 4 સુધી લેવાશી ગુજકેટ 2020

Nearly 1.26 lakh students from across the state are expected to participate in the Gujarat Common Entrance Test (GujCET) to be held on March 31.

Gujarat Secondary and Higher Secondary Education Board (GSHSEB), which conducts GujCET, stated 12,5781 Class XII (science) students have registered for the exam. This consists of 49,888 students from Group A, 75,519 from Group B and 374 from Group AB.

ધો.12 ત્રણ વિષયના કુલ માર્કસના 60 ટકા અને ગુજકેટના કુલ માર્કસના 40 ટકા મળીને મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે.

The state level exam is held annually for science students seeking admissions in degree engineering and pharmacy courses in the government, grant-in-aid and self-financed engineering institutions in Gujarat.

The entrance exam will be held between 10am to 4pm on March 31. Physics and chemistry exams will be held from 10am to 12 noon which will be followed by an hourlong break. Students will take biology exam from 1pm to 2pm followed by the maths from 3pm to 4pm.

ગુજકેટનો સ્કોર ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજો, ફાર્મસી કોલેજો અને એગ્રિકલ્ચર કોલેજોના પહેલા વર્ષનું મેરીટ બનાવવામાં ઉપયોગી

The result of GujCET will be announced along with the Class XII (science) board results. Exam hall tickets will soon be issued to the students by GSHSEB. It will also be posted online.

A merit list will be drawn up by giving 40% weightage to percentiles obtained by the candidates in GUJCET 2020 and 60% weightage to percentiles obtained in Class XII (science) board exams.

March 13, 2020
nita_ambani-1280x720.jpg
1min5130

મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમની માલિકણ નીતા અંબાણીને સ્પૉર્ટ્સમાંની ૨૦૨૦ની સૌથી વધુ દસ વગદાર મહિલાઓમાં સ્થાન મળ્યું છે.

યાદીમાં ટેનિસ સુપરસ્ટાર સેરેના વિલિયમ્સ અને જિમ્નેસ્ટ સાયમન બિલ્સનો પણ સમાવેશ થયો છે. સાયમન બિલ્સને વિશ્ર્વની મહાન ઍથ્લેટ્સમાંની એક ગણવામાં આવે છે.

સ્પૉર્ટ્સ બિઝનેસ નેટવર્ક ‘આઇસ્પૉર્ટ્સકનેક્ટ’ દ્વારા બહાર પાડવામાં આવેલી ‘સ્પૉર્ટ્સમાંની સૌથી વધુ દસ વગદાર મહિલાઓ’માં જણાવાયું હતું કે નિષ્ણાતોની સમિતિના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને વગદાર મહિલાઓની આ યાદી તૈયાર કરાઇ છે. નિષ્ણાતોની સમિતિમાં ટેલ્સટ્રાના ગ્લૉબલ સેલ્સ હૅડ એન્ના લૉકવુડ, વાય સ્પૉર્ટના મેનેજિંગ પાર્ટનર સેલી હેનકોક, આઇસીસીનાં મીડિયા રાઇટ્સનાં ભૂતપૂર્વ વડાં આરતી દબાસ અને આઇસ્પૉર્ટકનેક્ટના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર શ્રી વર્માનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મુંબઈ ઇન્ડિયન્સની ટીમનાં માલિકણ નીતા અંબાણી દેશમાં વિવિધ સ્પૉર્ટ્સ પ્રૉજેક્ટ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.