દેશભરમાં આવેલી મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટે જરૂરી નીટ ૨૦૨૧ પ્રવેશ પરીક્ષા આગામી તા.૧લી ઓગસ્ટ ૨૦૨૧ના રોજ લેવાની જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી છે.
ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ ઉપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ માટે પણ નીટનો સ્કોર જરૂરી છે.
એમ.બી.બી.એસ. અને ડેન્ટલમાં પ્રવેશ માટે નીટની લઘુત્તમ લાયકાત ૫૦ પર્સન્ટાઇલ છે જ્યારે મેરીટની ગણતરીમાં સંપૂર્ણપણે નીટના માર્કસ (પર્સન્ટાઇલ સ્કોર) ધ્યાનમાં લેવામાં આવે છે.
નીટ પરીક્ષા હિન્દી, અંગ્રેજી સમેત કુલ ૧૧ પ્રાદેશિક ભાષામાં લેવામાં આવે છે.
નીટ પરીક્ષા ઓફલાઇન, પેન એન્ડ પેપર મોડથી રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજનામાં પંચાવન ટકા ખાતાં મહિલાઓનાં છે. મોદી સરકાર મહિલાઓને એમનાં સપનાં પૂરા કરવા અને પગભર થવા માટે પર્યાપ્ત તક આપી રહી છે.
સીતારામને આ પ્રસંગે મહિલાઓના ઉત્થાન માટેની કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે જનધન યોજનાનાં ૪૧.૯૩ કરોડ ખાતામાંથી ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં ૨૩.૨૧ કરોડ ખાતાં મહિલાઓનાં હતા. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆતથી ૨૬મી ફેબ્રુઆરી સુધીમાં ૬૮ ટકા અથવા ૧૯.૦૪ કરોડ ખાતા માટે મહિલાઓને ઉદ્યોગધંધા માટે કુલ રૂ. ૬.૩૬ લાખ કરોડની રકમ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ નાના કે લઘુ ઉદ્યોગો માટે રૂ. ૧૦ લાખ સુધીનું ઋણ આપવામાં આવે છે.
સ્ટૅન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ ૮૧ ટકાથી વધુ અથવા ૯૧,૧૦૯ ખાતાધારક મહિલાઓને રૂ. ૨૦,૭૪૯ કરોડનું ઋણ આપવામાં આવ્યું હતું.
આઈપીએલ ૨૦૨૧, ૯ એપ્રિલથી ૩૦ મે દરમિયાન રમાશે અને કોઈપણ ટીમને તેના હૉમ ગ્રાઉન્ડ પર રમવા નહિ મળે એવી જાહેરાત આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે રવિવાર તા.7મી માર્ચ 2021ના રોજ કરી હતી.
મુંબઇ, અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતા ખાતે મેચો રમાશે
કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં યજમાન શહેરોની યાદીમાં મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રારંભિક તબક્કામાં ટુર્નામેન્ટની મૅચ બંધબારણે એટલે કે પ્રેક્ષકો વિના રમાશે.પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવો કે નહીં એ અંગેનો નિર્ણય ટુર્નામેન્ટના પછીના તબક્કામાં લેવામાં આવશે.
આઈપીએલના અન્ય યજમાન શહેરોમાં મુંબઇ, અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતાનો સમાવેશ થાય છે.
૩૦ મેએ અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઈનલ યોજાશે. પ્લૅ ઑફ પણ ન.મો. સ્ટેડિયમ ખાતે જ યોજાશે. રવિવારે બીસીસીઆઈએ ૬, મે સુધીનું ચાર અઠવાડિયાનું સમયપત્રક બહાર પાડ્યું હતું. આ સમયગાળા દરમિયાન આઈપીએલની ૩૩ મૅચ રમાશે. જોકે, આ જ સમયગાળા દરમિયાન બંગાળ વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં યોજાવાની હોવાને કારણે કોલકાતાને એકપણ મૅચ ફાળવવામાં નથી આવી.
લીગ તબક્કામાં દરેક ટીમ ચાર સ્થળે રમશે.
૫૬ લીગ મૅચમાંથી ચેન્નઈ, મુંબઈ, કોલકાતા અને બેંગલૂરુ પ્રત્યેકમાં ૧૦ મૅચ તો દિલ્હી અને અમદાવાદ પ્રત્યેકમાં આઠ મૅચ રમાશે.
આ આઈપીએલની વિશેષ વાત એ છે કે તમામ મૅચ તટસ્થ સ્થળે રમાશે. કોઈપણ ટીમ હૉમ ગ્રાઉન્ડ પર નહિ રમે. લીગ તબક્કામાં તમામ ટીમ છ સ્થળમાંથી ચાર સ્થળે રમશે, એમ આઈપીએલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
આઈપીએલની બપોરની મૅચ ૩:૩૦ વાગે અને સાંજની મૅચ ૭:૩૦ વાગે શરૂ થશે.
કોરોનાની મહામારીને કારણે ગયા વર્ષની આઈપીએલ યુએઈમાં રમાઈ હતી, પરંતુ ત્યાર બાદ ભારતમાં કોરોનાની સ્થિતિમાં અસાધારણ સુધારો થયેલો જોવા મળ્યો હતો.
Minister of State Ports, Shipping and Waterways Mansukh Mandaviya on Saturday flagged off the first “All Women Officers’ Sailing” on MT Swarna Krishna from Jawaharlal Nehru Port.
“This is the first time in the world maritime history that a ship is being sailed by all women officers,
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આગામી માર્ચ 2021માં લેવામાં આવનારી જેઇઇ મેઇન રાષ્ટ્રવ્યાપી ઓનલાઇન ઇજનેરી એન્ટ્રન્સ એકઝામ માટે ઓનલાઇન એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ જો આ પરીક્ષા આપવા માગતા હોય તો તેમણે સત્વરે પોતાની એપ્લિકેશન સબમિટ કરી દેવી જોઇએ.
જેઇઇ મેઇન્સ 2021ના વર્ષથી વર્ષમાં 4 વખત લેવામાં આવશે. ફેબ્રુઆરી 2021ની પરીક્ષા પૂર્ણ થઇ ચૂકી છે. હવે માર્ચમાં તા.15, 16, 17 અને 18 માર્ચ 2021ના રોજ મેઇન્સ -2 લેવામાં આવશે. એ પછી એપ્રિલ અને મે એમ વધુ બે ચાન્સ વિદ્યાર્થીઓ પાસે બાકી રહેશે. વિદ્યાર્થીઓ ચારમાંથી ગમે તેટલી પરીક્ષા આપી શકશે અને જે બેસ્ટ સ્કોર હશે તેના આધારે વિદ્યાર્થીઓનું મેરીટ ગણવામાં આવશે.
The National Testing Agency (NTA) on Tuesday commenced the online application process for the JEE Main March session. The interested candidates can visit the official website of JEE Main — jeemain.nta.nic.in — to submit their application form.
JEE Main March 21 ઓનલાઇન એપ્લિકેશન માટે નીચેની લિંક ક્લીક કરો
NTA will conduct the JEE Main 2021 second session on March 15, 16, 17, and 18. The exams will be held in two shifts — the first shift from 9.00 am to 12.00 pm and the second shift from 3.00 pm to 6.00 pm.
How to apply online for JEE Main 2021 March session
Candidates can follow the steps given below to apply online for JEE Main 2021 March session.
Step 1: Apply for online registration using your email ID and mobile number. Step 2: Fill in the online application form and note down the system-generated application number. Step 3: Upload scanned images of the following:
Recent photograph (file size 10Kb – 200Kb) should be either in colour or black & white with 80% face (without mask) visible including ears against white background
Candidate’s signature (file size: 4kb – 30kb)
Duly verified result awaited attestation form (file size: 50kb to 500kb)
Category certificate (SC/ST/OBC/EWS etc.) (file size: 50kb to 300KB)
PwD certificate (file size: 50kb to 300kb) in jpg/jpeg format.
Step 4: Pay the JEE main application fee using SBI/Canara Bank/HDFC Bank/ICICI Bank/Paytm Payment Gateway through Debit Card/Credit Card / Net Banking/UPI and keep proof of fee paid.
Candidates are advised to download, save and print a copy of the confirmation page of the application form (which would be downloadable only after successful remittance of fee) for future reference.
ધો.12 સાયન્સ મેથેમેટિક્સ ગ્રુપ પછી IIT/NIT/IIIT માં પ્રવેશ માટેની રાષ્ટ્રવ્યાપી પરીક્ષા જેઇઇ મેઇન્સ 1 આજરોજ તા.24મી ફેબ્રુઆરીથી શરૂ થઇ છે. આ પરીક્ષા 26મી ફેબ્રુઆરી સુધી દેશભરમાં ઓનલાઇન લેવામાં આવશે. આ વર્ષથી JEE Main પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે એમ ચાર વખત લેવામાં આવશે અને વિદ્યાર્થીઓ ગમે તેટલી વખત આ પરીક્ષા આપી શકશે. જે પરીક્ષાને બેસ્ટ સ્કોર હશે તે ગણતરીમાં લેવામાં આવશે.
The JEE Main B.Tech examination for admission to engineering colleges has commenced from today.
The JEE Main February 2021 session started yesterday with B.Arch and B.Planning papers. Students who appeared for the JEE Main BArch paper on Tuesday said the exam was of moderate difficulty.
The National Testing Agency (NTA) will conduct the JEE Main exams in 13 Indian languages, including – Telugu, Tamil, Punjabi, Urdu, Odia, Marathi, Malayalam, Kannada, Bengali, Assamese and Gujarati languages, besides English and Hindi. For the first time, students have got an opportunity to appear for exams in 13 Indian languages. These examinations are being conducted only in computer-based test CBDT mode.
This year, NTA has set up 852 examination centres across the country to maintain social distancing in view of Covid-19 pandemic. During the examination held in September 2020, 660 examination centres had been set up. 6,61,761 lakh candidates are appearing for this coveted computer-based entrance exam.
Online examination for BE and B.Tech will be conducted in two shifts from February 24th to 26th.
According to the National Testing Agency, the examination centre is also being fully sanitised between the two shifts. In the examination centres, face masks and sanitiser have been provided for students. The body temperature of students will also be checked with thermal guns before going to the examination centre.
Students need to reach to the examination centres two hours before the exam. The distance between two computers and between students will be maintained during the examination.
50 ટકા મહિલા અનામત ધરાવતી સુરત મહાનગરપાલિકામાં મતદાન માટે મહિલાઓ ઉદાશીન
Jayesh Brahmbhatt 9825344944
50 ટકા મહિલા અનામત ધરાવતી સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે રવિવારે પૂર્ણ થયેલા મતદાનના આંકડાનું વિશ્લેષણ કરતા એવી હકીકત સપાટી પર આવી છે કે મહિલાઓમાં મતદાન બાબતે ભારે ઉદાશીન વલણ જોવા મળ્યું છે. 30 વોર્ડ પૈકીના 10 ટકા એટલે ફક્ત 3 વોર્ડમાં જ મહિલાઓનું મતદાન પુરુષોના મતદાનથી વધુ નોંધાયું છે. બાકીના 27 વોર્ડમાં મહિલાઓનું મતદાન પુરુષોના મતદાનથી 5થી 20 ટકા જેટલું નીચું નોંધાયું છે.
જે સુરતના જે ત્રણ વોર્ડમાં મહિલાઓનું મતદાન પુરુષોથી વધુ નોંધાયું છે એ તમામ શ્રમજીવી અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે.
અલથાણ, બમરોલી અને વડોદ મ્યુનિસિપલ વોર્ડ નં. 29માં 41.40 ટકાના પુરુષ મતદાનની સામે મહિલાઓનું મતદાન 43.20 ટકા નોંધાયું છે.
પાંડેસરા-ભેસ્તાન મ્યુનિસિપલ વોર્ડ નં.28માં પણ પુરુષોના 46.43 ટકા મતદાનની સામે મહિલાઓનું ટકાવારી મતદાન 47.18 ટકા નોંધાયું છે.
ઉધના દક્ષિણ મ્યુનિસિપલ વોર્ડ નં.24માં પુરુષોનું ટકાવારી મતદાન 47.35 ટકાની સામે મહિલાઓ મતદારોનું ટકાવારી મતદાન 47.76 ટકા નોંધાયું છે.
આ ત્રણેય વોર્ડની મહિલાઓએ શહેરના અન્ય 27 વોર્ડની મહિલાઓ માટે પ્રેરણાદાયી અને પ્રશંસનીય કાર્ય કર્યું છે. અન્ય વોર્ડની તુલનામાં આ ત્રણ વોર્ડની મહિલાઓએ મતદાનને પોતાની પવિત્ર ફરજ સમજીને એ લોકશાહીના હિતમાં અદા પણ કરી બતાવી છે.
આગામી તા.21મી ફેબ્રુઆરીએ યોજાનારી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર હાલ સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. દરેક રાજકીય પક્ષો અને ઉમેદવારો પોતપોતાની રીતે મતદારો સુધી આગવી શૈલીમાં પોતાની વાત પહોંચાડી રહ્યા છે. અમે અહીં વાત કરી રહ્યા છે એક નાનકડા સ્ટાર પ્રચારકની. આ સ્ટાર પ્રચારકની ઉંમર ફક્ત 12 વર્ષની છે. પરંતુ સુરતના વોર્ડ નં.12, સોનિફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદ વોર્ડમાં 12 વર્ષિય વિવાન એક સ્ટાર પ્રચારક જેવું આકર્ષણ જમાવી રહ્યો છે. એક બાર વર્ષિય નાનકડો બાળક વોર્ડ નં.21ના ઉમેદવારો અશોકભાઇ રાંદેરીયા, વ્રજેશભાઇ ઉનડકટ, ડિમ્પલબેન કાપડીયા અને સુમનબેન ગડીયા માટે આગવી વાક્શૈલીમાં કેન્વાસિંગ કરી રહ્યો છે.
સી.આઇ.એ. લાઇવની ટીમ જ્યારે વોર્ડ નં.21ના રાઉન્ડ પર હતી ત્યારે આ વોર્ડના ઉમેદવાર વ્રજેશ ઉનડકટના નિવાસસ્થાને એક ગ્રુપ મિટીંગનું આયોજન થયું હતું. આ ગ્રુપ મિટીંગમાં સૌના આશ્ચર્ય વચ્ચે વિવાના નામનો 12 વર્ષિય બાળક આગળ આવ્યો અને તેણે છટાદાર વાક્ છટા સાથે હિન્દી ભાષામાં ભાષણ શરૂ કર્યું. જોત જોતામાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી લઇને સુરતના વિકાસની વાતો કરવા માંડી. ગ્રુપ મિટીંગમાં હાજર સૌ દંગ રહી ગયા કે 12 વર્ષિય વિવાન ભારતની રાજનીતિથી લઇને સુરતના કરન્ટ સિનારિયોનું નોલેજ ધરાવે છે અને તેને શાબ્દિક રીતે પ્રેઝન્ટ પણ કરી રહ્યો છે.
એ જ વિવાને રવિવારે સિટીલાઇટ ખાતે પદમકૃતિ એપાર્ટમેન્ટમાં ભાજપના ઉમેદવારો સાથે યોજાયેલી ગ્રુપ મિટીંગમાં ફરીથી જોરદાર ભાષણ કરીને સૌને દંગ કરી દીધા.
સી.આઇ.એ. લાઇવની ટીમે જ્યારે છટાદાર શૈલીમાં ભાષણ કરતા વિવાન અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે એ વોર્ડ નં.21ના ભાજપાના ઉમેદવાર વ્રજેશભાઇ ઉનડકટનો દિકરો છે અને તેના ડેડીને બીગ માર્જિન વિક્ટરી મળે તે માટે કેન્વાસિંગ કરી રહ્યો છે. વિવાન માટે કહેવાય છે કે તેના ડેડીના કેન્વાસિંગમાં એ સ્પીચ આપવાની તક મળે તેની સતત રાહ જોતો હોય છે અને જેવી તક મળે એ પોતાનું ભાષણ હિન્દીમાં શરૂ કરી દે છે, જેને સાંભળીને મતદારોથી લઇને કાર્યકરો અચંબિત થઇ જાય છે અને એટલે જ એ સ્ટાર પ્રચારક જેવું આકર્ષણ વોર્ડ નં.21 સોનીફળિયા, નાનપુરા, અઠવાલાઇન્સ, પીપલોદ વિસ્તારની ગ્રુપ મિટીંગોમાં ધરાવી રહ્યો છે.
ભારતીય-અમેરિકન ભવ્યા લાલને સોમવારે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) દ્વારા કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભવ્યા લાલ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા નાસામાં ફેરફાર સંબંધી સમીક્ષા દળની સભ્ય પણ છે અને બાઈડેન તંત્રમાં એજન્સીમાં પરિવર્તન સંલગ્ન કામગીરી પર દેખરેખ રાખે છે.
અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભવ્યા પાસે એન્જીનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો બહોળો અનુભવ છે. તે સ્પેસ ટેક્નોલોજી અને પોલીસી સોસાયટીની સક્રિય સભ્ય પણ છે. નાસાએ એક નિવેદનમાં કહ્યું કે, નાસાએ વરિષ્ઠ એજન્સી હોદ્દાઓ માટે નિમણૂક અંગે કેટલાક નામો આપ્યા છે. ભવ્યા લાલ એજન્સીમાં કાર્યકારી પ્રમુખ તરીકે જોડાયા છે. ફિલિપ થોમ્પસન વ્હાઈટ હાઉસના સંપર્ક તરીકે કામ કરશે. એલિસિયા બ્રાઉન વિધાનસભા તેમજ આંતર સરકારી મામલાઓના કાર્યાલયના સાહાયક સંચાલક તરીકે કામ કરશે અને માર્ક એટાઈકની એજન્સીના સંચાર કાર્યાલયના સહાયક સંચાલક તરીકેની જવાબદારી રહેશે.
ભવ્યા લાલ પાસે 2005થી 2020 સુધી ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ એનાલિસિસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી ઈન્સ્ટિટ્યૂટમાં સંશોધન સ્ટાફના સભ્ય તરીકે કામ કરવા ઉપરાંત એન્જીનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો વ્યાપક અનુભવ ધરાવે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.