આગામી તા.21મી ફેબ્રુઆરીએ યોજાનારી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર હાલ સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. દરેક રાજકીય પક્ષો અને ઉમેદવારો પોતપોતાની રીતે મતદારો સુધી આગવી શૈલીમાં પોતાની વાત પહોંચાડી રહ્યા છે. અમે અહીં વાત કરી રહ્યા છે એક નાનકડા સ્ટાર પ્રચારકની. આ સ્ટાર પ્રચારકની ઉંમર ફક્ત 12 વર્ષની છે. પરંતુ સુરતના વોર્ડ નં.12, સોનિફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદ વોર્ડમાં 12 વર્ષિય વિવાન એક સ્ટાર પ્રચારક જેવું આકર્ષણ જમાવી રહ્યો છે. એક બાર વર્ષિય નાનકડો બાળક વોર્ડ નં.21ના ઉમેદવારો અશોકભાઇ રાંદેરીયા, વ્રજેશભાઇ ઉનડકટ, ડિમ્પલબેન કાપડીયા અને સુમનબેન ગડીયા માટે આગવી વાક્શૈલીમાં કેન્વાસિંગ કરી રહ્યો છે.
સી.આઇ.એ. લાઇવની ટીમ જ્યારે વોર્ડ નં.21ના રાઉન્ડ પર હતી ત્યારે આ વોર્ડના ઉમેદવાર વ્રજેશ ઉનડકટના નિવાસસ્થાને એક ગ્રુપ મિટીંગનું આયોજન થયું હતું. આ ગ્રુપ મિટીંગમાં સૌના આશ્ચર્ય વચ્ચે વિવાના નામનો 12 વર્ષિય બાળક આગળ આવ્યો અને તેણે છટાદાર વાક્ છટા સાથે હિન્દી ભાષામાં ભાષણ શરૂ કર્યું. જોત જોતામાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી લઇને સુરતના વિકાસની વાતો કરવા માંડી. ગ્રુપ મિટીંગમાં હાજર સૌ દંગ રહી ગયા કે 12 વર્ષિય વિવાન ભારતની રાજનીતિથી લઇને સુરતના કરન્ટ સિનારિયોનું નોલેજ ધરાવે છે અને તેને શાબ્દિક રીતે પ્રેઝન્ટ પણ કરી રહ્યો છે.
એ જ વિવાને રવિવારે સિટીલાઇટ ખાતે પદમકૃતિ એપાર્ટમેન્ટમાં ભાજપના ઉમેદવારો સાથે યોજાયેલી ગ્રુપ મિટીંગમાં ફરીથી જોરદાર ભાષણ કરીને સૌને દંગ કરી દીધા.
સી.આઇ.એ. લાઇવની ટીમે જ્યારે છટાદાર શૈલીમાં ભાષણ કરતા વિવાન અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે એ વોર્ડ નં.21ના ભાજપાના ઉમેદવાર વ્રજેશભાઇ ઉનડકટનો દિકરો છે અને તેના ડેડીને બીગ માર્જિન વિક્ટરી મળે તે માટે કેન્વાસિંગ કરી રહ્યો છે. વિવાન માટે કહેવાય છે કે તેના ડેડીના કેન્વાસિંગમાં એ સ્પીચ આપવાની તક મળે તેની સતત રાહ જોતો હોય છે અને જેવી તક મળે એ પોતાનું ભાષણ હિન્દીમાં શરૂ કરી દે છે, જેને સાંભળીને મતદારોથી લઇને કાર્યકરો અચંબિત થઇ જાય છે અને એટલે જ એ સ્ટાર પ્રચારક જેવું આકર્ષણ વોર્ડ નં.21 સોનીફળિયા, નાનપુરા, અઠવાલાઇન્સ, પીપલોદ વિસ્તારની ગ્રુપ મિટીંગોમાં ધરાવી રહ્યો છે.
ભારતીય-અમેરિકન ભવ્યા લાલને સોમવારે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) દ્વારા કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભવ્યા લાલ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા નાસામાં ફેરફાર સંબંધી સમીક્ષા દળની સભ્ય પણ છે અને બાઈડેન તંત્રમાં એજન્સીમાં પરિવર્તન સંલગ્ન કામગીરી પર દેખરેખ રાખે છે.
અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભવ્યા પાસે એન્જીનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો બહોળો અનુભવ છે. તે સ્પેસ ટેક્નોલોજી અને પોલીસી સોસાયટીની સક્રિય સભ્ય પણ છે. નાસાએ એક નિવેદનમાં કહ્યું કે, નાસાએ વરિષ્ઠ એજન્સી હોદ્દાઓ માટે નિમણૂક અંગે કેટલાક નામો આપ્યા છે. ભવ્યા લાલ એજન્સીમાં કાર્યકારી પ્રમુખ તરીકે જોડાયા છે. ફિલિપ થોમ્પસન વ્હાઈટ હાઉસના સંપર્ક તરીકે કામ કરશે. એલિસિયા બ્રાઉન વિધાનસભા તેમજ આંતર સરકારી મામલાઓના કાર્યાલયના સાહાયક સંચાલક તરીકે કામ કરશે અને માર્ક એટાઈકની એજન્સીના સંચાર કાર્યાલયના સહાયક સંચાલક તરીકેની જવાબદારી રહેશે.
ભવ્યા લાલ પાસે 2005થી 2020 સુધી ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ એનાલિસિસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી ઈન્સ્ટિટ્યૂટમાં સંશોધન સ્ટાફના સભ્ય તરીકે કામ કરવા ઉપરાંત એન્જીનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો વ્યાપક અનુભવ ધરાવે છે.
ગુજરાતમાં ધોરણ 10 અને 12ની જેમ હવે ધોરણ 9-11ની શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી કે, 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નાં વર્ગો શરૂ કરવામાં આવશે. આ સાથે જ ધોરણ 9થી 12 સુધી ટયુશન કલાસ પણ શરૂ કરાશે. શાળા અને ટ્યૂશન ક્લાસીમાં તમામ SOPનું પાલન કરવાનું રહેશે.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે રાજ્યમાં ધોરણ 9 અને 11ની શાળાઓ પહેલી ફેબ્રુઆરીથી શરુ કરાશે. તે ઉપરાંત કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ધોરણ 9-12 ટ્યુશન ક્લાસીસ શરુ કરવાની મંજુરી પણ આપવામાં આવી છે. ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે 8 જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી SOPનું પાલન કરવાનું રહેશે.
જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રમા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને મળેલી રજુઆતોને ધ્યાને લેતાં કોરોનાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવા માટેની આ છેલ્લી તક આપવામાં આવે છે.
રાજ્યમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે, ટ્યૂશન ક્લાસીસને પણ મળી મંજૂરી, તમામ SOPનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે
કોરોનાને કારણે 2020ના વર્ષ માટેના IITsમાં પ્રવેશ માટેના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ફેરફાર 2021ના વર્ષે પણ કન્ટીન્યુ કરવામાં આવ્યા છે. સૌથી મોટો ફેરફાર એ છે કે IITsમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત (ઓછામાં ઓછા માર્ક) ધો.12માં 75 ટકા હતી. આ નિયમને 2021ના વર્ષ માટે પણ હટાવી દેવામાં આવ્યો છે. કેન્દ્રના શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે 2020 બાદ 2021ના વર્ષ માટે (ફક્ત આ વર્ષ પૂરતું) જ ધો.12માં ઓછામાં ઓછા 75 ટકા હોય તો જ IITsમાં પ્રવેશ મળી શકે તેવો નિયમ હટાવવામાં આવ્યો છે.
વધુમાં જેઇઇ મેઇન્સ પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે એમ 4 વખત લેવાની જાહેરાત બાદ મહત્વની જાહેરાત એ પણ કરવામાં આવી છે કે IITsમાં પ્રવેશ માટે જેનું મેરીટ ગણવામાં આવે છે એ IITs એડવાન્સ્ડ પરીક્ષા તા.3 જુલાઇ 2021ના રોજ ઓનલાઇન લેવામાં આવશે. આ પરીક્ષા ઓફલાઇન લેવાની કોઇ જોગવાઇ નથઈ. IITs ખડગપુર દ્વારા લેવાનારી જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા ઇંગ્લિશ ઉપરાંત હિન્દીમાં પણ લેવાશે.
The JEE Advanced 2021 will be conducted in computer-based test mode on July 3 by IIT-Kharagpur
The JEE Advanced 2021 will be conducted in computer-based test mode on July 3 by IIT-Kharagpur in English and Hindi languages, Union Education Minister Ramesh Pokhriyal Nishank said.
In the wake of the coronavirus epidemic, 75 per cent eligibility criterion for admissions to Indian Institutes of Technology (IITs) will be waived this year, he added.
The criteria for admissions to any programme in the IITs includes performance in Class XII or equivalent board examinations, with physics, chemistry, mathematics, one language and any other subject other than the above four.
The CBSE examinations for Class X and XII will be held from May 4 to June 10 and the results announced by July 15. The Joint Entrance Examination Advanced will be taken up thereafter.
The JEE Advanced 2022 will be conducted by IIT-Bombay and JEE Advanced 2023 by IIT- Guwahati.
“The special eligibility criterion for JEE 2021 is for those eligible candidates who registered for JEE Advanced 2020 but could not sit in the exams,” said Nishank.
These students will however have to register again for the 2021 exams and pay the required fees.
The students can use an app developed by the National Testing Agency to take mock tests for practice in the run-up to the JEE exams.
Earlier, the Minister had announced that JEE Mains would be held in February, March, April, and May every year. The JEE Main is slated to be held between February 23 and 26 this year.
મહિલાઓએ ગુડ્ઝ ટ્રેન ચલાવી અને સંપૂર્ણપણે સંચાલન પણ સુપેરે કર્યું : ભારતમાં આવું પહેલીવાર બન્યું
CiA Live આ ન્યુઝને ઘનિષ્ઠતાથી પ્રમોટ કરી રહ્યા છીએ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
મહિલાઓ અમુક કાર્યો કરી શકે જ નહીં એવી ગેરમાન્યતાના વાામાંથી આપણે બહાર આવી રહ્યા છે એની પ્રતીતિ કરાવતી ઘટના શેર કરતા આનંદ અનુભવું છું. મહિલા કશું પણ કરી શકે છે, કરીયર કાઉન્સિલર હોવાના નાતે અનેક દિકરીઓને મેં મિકેનિકલ એન્જિનિયરિંગ વિષયમાં અભ્યાસ કરવા પ્રેરી હતી અને તેઓ આજે જબરદસ્ત કામ કરી રહી છે. બાકી એ દિકરીઓને એવું જ કહેવાયું હતું કે મિકેનિકલ એન્જિનિયરિંગ મહિલાઓ માટે છે જ નહીં.
મહિલાઓને પ્લેન ઉડાડતા તમે સાંભળ્યું, જોયું હશે પણ મહિલાઓ ટ્રેન ચલાવે છે એવું તમને પહેલીવાર અમે CiA Live જણાવી રહ્યા છે
આખી ગુડ્ઝ ટ્રેન ચલાવી, સંચાલન કર્યું અને એ પણ જોરદાર રીતે
મહિલાઓએ મહારાષ્ટ્રના વસઇથી ગુજરાતના વડોદરા સુધી ગુડ્ઝ ટ્રેનનું સંચાલન સુપેરે કર્યું. રેલવે મિનિસ્ટર પિયુષ ગોયેલના જણાવ્યા અનુસાર તો વસઇથી વડોદરા સુધીની ગુડઝ ટ્રેનને હંકારવાથી લઇને ગાર્ડ સહિતના તમામ પદો પર મહિલાઓ હતી અને તેમણે ક્યાંય પણ કોઇની હેલ્પ લીધા વગર પોતાની ફરજ જોરદાર રીતે અને પ્રેરણાદાયી રીતે અદા કરી છે.
ભારતના રેલવે મંત્રીએ ખુદ મહિલાઓના આ કાર્યને બિરદાવતા કહ્યું કે સ્ત્રી સશક્તિકરણનું આ એક અદભૂત ઉદાહરણ છે.
महाराष्ट्र के वसई रोड से गुजरात के वडोदरा तक मालगाड़ी का कुशलता से संचालन कर हमारी महिला कर्मचारियों ने सशक्तिकरण का एक अद्भुत उदाहरण सामने रखा है।
इस ट्रेन में लोको पायलट से लेकर गार्ड तक की जिम्मेदारी महिला कर्मचारियों द्वारा संभाली गयी। pic.twitter.com/mEubyshNAe
માત્ર સિનિયર હોય તેવા અથવા તો લાગવગીયા હોય તેવા અથવા તો મોટા નેતાના મળતીયાઓને જ પોલિટીક્સમાં ખાસ કરીને સત્તામાં હોદ્દા મળતા હોય છે. પરંતુ, કેરળમાં આ ચેઇન તૂટી છે. પોલિટીક્સમાં ખાસ કરીને સત્તાની ભાગબટાઇમાં પરંપરાગત ટ્રેન્ડથી વિપરીત 21 વર્ષિય યુવતિ આર્યા રાજેન્દ્રને મેયર બનાવવાનો નિર્ણય લેવાયો છે. બિનઅનુભવી હોય તો શું થઇ ગયું પરંતુ, એ યુવતિ પોતાની અલગ વિચારધારાથી કેરળના થિરુવનંતપૂરમ શહેરનું નેતૃત્વ તો કરશે જ પરંતુ સાથોસાથ એ પોતાનો અભ્યાસ પણ શરૂ રાખશે. અત્યાર સુધી વિદેશમાંથી આવા સમાચારો મળી રહ્યા હતા. ભારતમાંથી આ સમાચાર મળવા એ ન્યુ ઇન્ડિયાના નિર્માણના સંકેત મળી રહ્યા છે.
ભારતીય પોલિટીક્સમાં યંગસ્ટર્સની સક્રિયતા ખૂબ જરૂરી
તાજેતરમાં કેરળ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી યોજાઇ હતી. જેમાં કેરળના મહત્વપૂર્ણ શહેર ગણાતા થિરુવનંતપૂરમ્ ખાતે ક્રાંતિકારી નિર્ણય લઇને સૌથી યંગેસ્ટ કાઉન્સિલર એક યુવતિ નામે આર્યા પર મેયર પદનો કળશ ઢોળવામાં આવ્યો છે.
આર્યા રાજેન્દ્ર CPI(M) પાર્ટીની સીટ પરથી થિરુવનંતપૂરમ્ ના ચાલા વિસ્તારના એક્ટીવ મેમ્બર હતા અને તેથી તેને થિરુવનંતપૂરમ્ ના મુદ્રાંનમંગલ વિસ્તારની બેઠક પર પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમણે કાઉન્સિલરની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. આર્યા રાજેન્દ્ર બી.એસસી. મેથેમેટિક્સનો અભ્યાસ સફળતાપૂર્વક પાસ કરી ચૂક્યા છે.
આર્યા દેશના સૌથી યુવાન મેયર બન્યા છે, અને આ સાથે પાર્ટી વઘારે ભણેલી ગણેલી મહિલાઓ આગળ આવે અને લીડર બને તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ છે.
આર્યા રાજેન્દ્રને મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, “આ પાર્ટીનો નિર્ણય છે અને મારે તેનું પાલન કરવાનું છે. ચૂંટણી દરમિયાન લોકોએ મારા પર પસંદગી ઉતારી છે, હું એક વિદ્યાર્થિની છું ત્યારે લોકોએ મારા ભણતરને પણ ધ્યાનમાં રાખ્યું છે, અને તેમનો નેતા ભણેલો હોય તે વિચારીને મારી પસંદગી કરી છે. હું મારું ભણતર ચાલુ રાખીશ અને તેની સાથે મેયર તરીકે મારી ફરજ પણ નિભાવીશ”
ગુજરાતની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અંદાજે બે લાખ જેટલા શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે ધોરણ-૧ થી ૫ના શિક્ષકોને વધતા કિસ્સામાં ધોરણ-૬ થી ૮માં સમાવવામાં આવશે નહીં. બંનેની સિનિયોરિટી અલગ-અલગ જ ગણવામાં આવશે, જેને કારણે હવે પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ધોરણ-૧ થી ૮ને સળંગ એકમ ગણવામાં આવતો હોવાથી સિનિયોરિટીના લાભથી અનેક શિક્ષકો વંચિત રહેતા હોવાથી તેમની બદલીઓમાં વિલંબ થતો હતો. શિક્ષણ વિભાગે ટેમ્પરરી એવી જોગવાઈ કરી હતી કે ધોરણ ૧થી ૫માં જે શિક્ષકો વધુ હોય તેમને ધોરણ.૬થી ૮માં સમાવવાના રહેશે. આમ, વધારાના શિક્ષકો ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થવાના કારણે બદલીના સંજોગોમાં ધોરણ.૧થી ૮નો સળંગ એકમ ધ્યાનમાં લેવામાં આવતો હતો. જોકે હવે અન્ય કેટેગરીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સરકારની સચિવાલય સેવાઓ, ગુજરાત જાહેર સેવા આયોગ તથા ગુજરાત હાઈકોર્ટની વિવિધ જગ્યાઓમાં નિમણૂક થયેલા કર્મચારી કે અધિકારીઓના નોકરીનાં ત્રણ વર્ષ પૂર્ણ થયાં બાદ તેમનાં શિક્ષક પત્ની કે પતિને બદલીનો લાભ આપવામાં આવશે. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં ખાલી જગ્યાના આધારે નિમણૂક આપી શકાશે.
મહિલા અને બાળકો પર અત્યાચારના કેસ વધતા જતા હોવાથી સરકારે આંધ્રપ્રદેશના દિશા કાયદાની જેમ જ ‘શક્તિ’ કાયદો બનાવ્યો છે, જેને બુધવારે 9/12/2020 પ્રધાનમંડળની બેઠકમાં મજૂરી આપવામાં આવી હતી.
આ કાયદામાં શિક્ષાનું પ્રમાણ વધારવામાં આવ્યું છે તેમ જ નવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ મુખ્ય પ્રધાન કાર્યાલયે માહિતી આપી હતી. બુધવારે પ્રધાનમંડળમાં મહાારષ્ટ્ર શક્તિ ક્રિમિનલ લૉ (મહારાષ્ટ્ર અમેડમેન્ટ) એક્ટ ૨૦૨૦ એન્ડ સ્પેશિયલ ર્કોર્ટ એન્ડ મશિનરી ફોર ઈમ્પ્લિમેન્ટેન્શન ઑફ મહારાષ્ટ્ર શક્તિ ક્રિમિનિલ લૉ ૨૦૨૦ એમ બે કાયદાને મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આંધ્રપ્રદેશની મુલાકાત લઈ ત્યાંના કાયદાનો વિશેષ અભ્યાસ કર્યો હતો. રાજ્યમાં વધતી ગુનાખોરી સામે મહિલાઓને રક્ષણ આપવા સરકારે આ કાયદા બનાવ્યા છે. હવે આ કાયદો મહારાષ્ટ્ર સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી આપ્યો છે.
ફોજદારી પ્રક્રિયામાં ફેરફાર
૧. તપાસનો કાર્યકાળ બે મહિનાને બદલે ૧૫ કામના દિવસો કરવામાં આવ્યો
૨. કેર્ટમાં કેસ ચલાવવાની મર્યાદા બે મહિનાને બદલ ૩૦ કામના દિવસો કરવામાં આવ્યો
૩. અપીલનો કાર્યકાળ છ મહિનાને બદલે ૪૫ દિવસ
૪. દરેક સ્પેશિયલ કોર્ટ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યટર નિમવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે
૫. દરેક ઘટક માટે મહિલા અને બાળક પર થયેલા ગુનાની તપાસ કરવા માટે ખાસ પોલીસ ટીમ અને તેમાં કમ સે કમ એક મહિલા અધિકારી પ્રસ્તાવિત કરવામાં આવી છે.
૬. પીડિતાને મદદ કરવા માટે સામાજિક સંસ્થાને નિમવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.
——————————
કેવી હશે સજા
૧.બળાત્કાર, એસિડ હુમલા અને બાળક પર અત્યાચાર કરવા બદલ મૃત્યુદંડ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે
૨. સજાની મર્યાદા વધારવામા આવી છે
૩. એસિડ હુમલા પ્રકરણમાં દંડની જોગવાઈ કરી છે. આ રકમ પીડિતાના ઉપચાર અને પ્લાસ્ટિક સર્જરીમાં ઉપયોગમાં લેવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે
——————————–
કાયદામાં સમાવવામાં આવેલા નવા ગુના
૧. સોશિયલ મીડિયા મારફતે મહિલાને ધમકાવવી કે તેની બદનામી કરવી.
૨. બળાત્કાર, વિનયભંગ અને એસિડ હુમલા મામલે ખોટી ફરિયાદ કરવી.
૩. સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા પૂરી પાડતી કંપની દ્વારા તપાસમાં સહકાર ન આપવો.
૪. કોઈ લોકસેવકનો તપાસમાં સહકાર ન કરવો.
૫. બળાત્કારની જેમ એસિડ અને વિનયભંગની ભોગ બનેલી પીડિતાનું નામ છાપવાનું બંધનકારક.
ઇન્ડિયન એરફોર્સમાં અપટુ ડેટ કારકિર્દી બની શકે એ માટે ઇન્ડિયન એરફોર્સે 2021ના વર્ષ માટેની AFCAT (AIR FORCE COMMON ADMISSION TEST)નું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. ઇન્ડિયન એરફોર્સની વેબસાઇટ પર જઇને એન્જિનિયરિંગ, સાયન્સ, કોમર્સ, બીબીએ થયેલા ગ્રેજ્યુએટ ઉમેદવારો આ પરીક્ષા આપીને જુદી જુદી પોસ્ટ પર ભરતી માટેની પ્રક્રિયામાં જોડાઇ શકે છે.
AFCAT (AIR FORCE COMMON ADMISSION TEST)ની પરીક્ષા તા.20 અને 21મી ફેબ્રુઆરી 2021ના રોજ ઓનલાઇન લેવામાં આવશે. આ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનારા ઉમેદવારોનું સિલેકશન થશે અને તેમને ટ્રેનિંગ આપીને ઇન્ડિયન એરફોર્સની જુદી જુદી બ્રાન્ચમાં લાઇફટાઇમ જોબ આપવામાં આવશે.
એન્જિનિયરિંગ, કોમર્સ, મેનેજમેન્ટ અને સાયન્સ ગ્રેજ્યુએટ ઉમેદવારો AFCAT (AIR FORCE COMMON ADMISSION TEST) આપી શકે છે
Educational Qualifications.
(i) Flying Branch. Candidates should have mandatorily passed with a minimum of 50% marks each in Maths and Physics at 10+2 level and
(a) Graduation with minimum three years degree course in any discipline from a recognized University with a minimum of 60% marks or equivalent.
OR
(b) BE/B Tech degree (Four years course) from a recognised University with a minimum of 60% marks or equivalent.
OR
(c) Candidates who have cleared Section A & B examination of Associate Membership of Institution of Engineers (India) or Aeronautical Society of India from a recognised University with a minimum of 60% marks or equivalent.
(ii) Ground Duty (Technical) Branch.
(aa) Aeronautical Engineer (Electronics) {AE (L)}. Candidates with a minimum of 50% marks each in Physics and Mathematics at 10+2 level and a minimum of four years degree graduation/integrated post-graduation qualification in Engineering/ Technology from recognized University OR cleared Sections A and B examination of Associate Membership of Institution of Engineers (India) or Aeronautical Society of India or Graduate membership examination of the Institution of Electronics and Telecommunication Engineers by actual studies with a minimum of 60% marks or equivalent in the following disciplines:- (aaa) Communication Engineering.
(aab) Computer Engineering/Technology.
(aac) Computer Engineering & Application.
(aad) Computer Science and Engineering/Technology.
(aae) Electrical and Computer Engineering. (aaf) Electrical and Electronics Engineering.
(aaq) Electronics Communication and Instrumentation Engineering.
(aar) Electronics Instrument & Control.
(aas) Electronics Instrument & Control Engineering.
(aat) Instrumentation & Control Engineering.
(aau) Instrument & Control Engineering.
(aav) Information Technology.
(aaw) Spacecraft Technology.
(aax) Engineering Physics.
(aay) Electric Power and Machinery Engineering.
(aaz) Infotech Engineering.
(aba) Cyber Security.
(ab) Aeronautical Engineer (Mechanical) {AE (M)}.
Candidates with a minimum of 50% marks each in Physics and Mathematics at 10+2 level and a minimum of four years degree graduation/integrated post-graduation qualification in Engineering/Technology from recognised University OR cleared Sections A & B examination of Associate Membership of Institution of Engineers (India) or Aeronautical Society of India by actual studies with a minimum of 60% marks or equivalent in the following disciplines:-
(aaa) Aerospace Engineering.
(aab) Aeronautical Engineering.
(aac) Aircraft Maintenance Engineering.
(aad) Mechanical Engineering.
(aae) Mechanical Engineering and Automation.
(aaf) Mechanical Engineering (Production).
(aag) Mechanical Engineering (Repair and Maintenance).
(aah) Mechatronics.
(aaj) Industrial Engineering.
(aak) Manufacturing Engineering.
(aal) Production and Industrial Engineering.
(aam) Materials Science and Engineering.
(aan) Metallurgical and Materials Engineering.
(aao) Aerospace and Applied Mechanics.
(aap) Automotive Engineering.
(aaq) Robotics
(aar) Nanotechnology
(aas) Rubber Technology and Rubber Engineering.
(iii) Ground Duty (Non-Technical) Branches.
(aa) Administration& Logistics.
Passed 10+2 and Graduate Degree (Minimum three years degree course) in any discipline from a recognised university with a minimum of 60% marks or equivalent or cleared section A & B examination of Associate Membership of Institution of Engineers (India) or Aeronautical Society of India from a recognised university with a minimum of 60% marks or equivalent.
B.Sc., B.Com., BBA passouts
(ab) Accounts Branch. Passed 10+2 and done graduation in any of the following streams with 60 % marks or equivalent from a recognized university:-
(aaa) B. Com Degree (Min three years course).
(aab) Bachelor of Business Administration (with specialization in Finance)/ Bachelor of Management Studies (with specialization in Finance)/ Bachelor of Business Studies (with specialization in Finance)
(aac) Qualified CA/ CMA/ CS/ CFA.
(aad) B.Sc. with specialization in Finance.
www.afcat.cdac.in
Indian Air Force (IAF) on Tuesday commenced the online application process for Air Force Common Admission Test (AFCAT) 01/2021 for flying branch and ground duty (Technical and Non-Technical) on its official website.
Candidates can apply for AFCAT 2021 through the official website of AFCAT — afcat.cdac.in — from today i.e., December 1, 2020. The last date to submit online applications for AFCAT is December 30.
AFCAT notification reads “Indian Air Force invites Indian citizens (Men and Women) to be part of this elite force as Group A Gazetted Officers in Flying and Ground Duty (Technical and Non-Technical) branches.
Online AFCAT examination will be conducted on 20 Feb 21 and 21 Feb 21.”
Candidates applying for the examination should ensure that they fulfill all the eligibility conditions for admission to the examination. Their admission at all the stages of examination viz.
Written examination and SSB test will be purely provisional, subject to their satisfying the prescribed eligibility conditions. If on verification at any time before or after the written examination or AFSB Testing, it is found that they do not fulfil any of the eligibility conditions, their candidature will be cancelled by the IAF.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.