ચંડીગઢથી ભાજપના સાંસદ અને બોલીવુડની અભિનેત્રી કિરણ ખેર બ્લડ કેન્સરથી પીડિત હોવાની વાત ખુદ તેમના પતિ અભિનેતા અનુપમ ખેરે જાહેર કરી છે. અનુપમ ખેરે ટ્વિટ કરીને પત્નીને કેન્સર હોવાની વાતની પુષ્ટિ કરી છે. સાથે જ હેલ્થ અપડેટ આપી છે.
અનુપમ ખેરે ગુરુવારે ટ્વિટ પર એક લાંબી નોટ શેર કરી છે. જેમાં લખ્યું છે, “આ એટલા માટે જણાવી રહ્યો છું જેથી અફવાઓ વધુ ના ફેલાય. સિકંદર અને હું જણાવવા માગીએ છીએ કે કિરણને મલ્ટીપલ માયલોમા (multiple myloma)નું નિદાન થયું છે. જે બ્લડ કેન્સરનો એક પ્રકાર છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને અમને ખાતરી છે કે તે આમાંથી વધુ મજબૂત બનીને બહાર આવશે. અમે નસીબદાર છીએ કે, કિરણની સારવાર ખૂબ શ્રેષ્ઠ ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ થઈ રહી છે. તે હંમેશાથી ફાઈટર રહી છે અને લડત આપતી રહી છે. કિરણ જે કંઈ કરે છે તે દિલથી કરે છે માટે જ લોકો તેને ચાહે છે. તમારો પ્રેમ તેને મોકલતા રહો અને તેને તમારી પ્રાર્થનામાં રાખજો. તેની રિકવરી સારી રીતે થઈ રહી છે અને તમારા સૌના પ્રેમ અને સહકાર માટે આભાર.”
દેશભરમાં પથરાયેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધોરણ ૧ માં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ઓનલાઇન નામાંકન (રજિસ્ટ્રેશન) પ્રક્રિયા આજરોજ તા.૧લી એપ્રિલ ૨૦૨૧થી શરૂ કરવામાં આવી છે. આગામી શૈક્ષણિક વર્ષ માટે ધો.૧માં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા.૧૯મી એપ્રિલ સુધી ચાલશે.
કેન્દ્રીય વિદ્યાલયો સેન્ટ્રલ બોર્ડ સાથે સંલગ્ન હોય છે અને તમામ કેન્દ્રીય વિદ્યાલયોની ફી અન્ય ખાનગી સ્કુલોની ફી કરતા ઓછી હોય છે. મોટા ભાગે સરકારી નોકરી કરતા લોકોના બાળકોને અહીં પ્રવેશ આપવામાં આવે છે અને કેન્દ્રીય વિદ્યાલયો સંપૂર્ણ પણે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી કાર્યરત રહેતા હોય છે.
તા.૨૩મી એપ્રિલ ૨૦૨૧ના રોજ પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ જારી કરવામાં આવશે.
દેશભરમાં આવેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં ધો.૧માં પ્રવેશ નોંધણી માટે નીચેની લિંક પર ક્લીક કરો
Self Declaration distance between school and residence
Service Certificate Central Govt
Service Certificate State Govt
Affidavit for single girl child
Died in harness certificate
Transfer certificate
Date of Birth
Kendriya Vidyalaya Sangathan (KVS) admission process for Class 1 pupils would begin from April 01, 2021, 10.00 AM onwards. The KVS Admission 2021 window will remain open for over 19 days. The last date to submit online application form for KVS Admission 2021 is April 19.
Once the registration process ends, KVS will release a provisional selection and waitlist of the registered candidates. As per the admission schedule released by the KVS, the first provisional admission list will be out on April 23, followed by the second list on April 30. If at all there are seats left after the second list, then a third list will be issued on May 5. In case an insufficient number of applications are received online, a second notification will be issued for registrations on May 10.
રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે ત્યારે સરકારે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલો 10/4/2021 સુધી બંધ રાખવા માટે આદેશ આપ્યો છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢ) 10 એપ્રિલ સુધી તમામ સ્કૂલો 19 માર્ચથી 10 એપ્રિલ સુધી બંધ રહેશે, અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવાશે. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ઓફલાઈન શિક્ષણ આ તમામ આઠ મહાનગરપાલિકાઓમાં બંધ રહેશે. રાજ્યમાં થોડા સમય પહેલા જ તબક્કાવાર સ્કૂલના ધોરણ 6થી 12ના વર્ગો શરુ કરવામાં આવ્યા હતા, અને તે જ રીતે કોલેજો પણ શરુ કરવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહોતી અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શિક્ષણકાર્ય અંગે મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં કોલેજ અને યુનિ.માં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓફલાઈન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે છે. રાજ્યની યુનિ.ઓ દ્વારા હવે નવેસરથી ટાઈમટેબલ જાહેર કરાશે. 10 એપ્રિલ સુધી તમામ શિક્ષણકાર્ય ઓનલાઈન ચાલશે. યુનિ.ની હોસ્ટેલો ચાલુ રહેશે. પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. આ નિર્ણય તમામ યુનિ.ઓને લાગુ પડશે.
દેશભરમાં આવેલી મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટે જરૂરી નીટ ૨૦૨૧ પ્રવેશ પરીક્ષા આગામી તા.૧લી ઓગસ્ટ ૨૦૨૧ના રોજ લેવાની જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી છે.
ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ ઉપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ માટે પણ નીટનો સ્કોર જરૂરી છે.
એમ.બી.બી.એસ. અને ડેન્ટલમાં પ્રવેશ માટે નીટની લઘુત્તમ લાયકાત ૫૦ પર્સન્ટાઇલ છે જ્યારે મેરીટની ગણતરીમાં સંપૂર્ણપણે નીટના માર્કસ (પર્સન્ટાઇલ સ્કોર) ધ્યાનમાં લેવામાં આવે છે.
નીટ પરીક્ષા હિન્દી, અંગ્રેજી સમેત કુલ ૧૧ પ્રાદેશિક ભાષામાં લેવામાં આવે છે.
નીટ પરીક્ષા ઓફલાઇન, પેન એન્ડ પેપર મોડથી રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજનામાં પંચાવન ટકા ખાતાં મહિલાઓનાં છે. મોદી સરકાર મહિલાઓને એમનાં સપનાં પૂરા કરવા અને પગભર થવા માટે પર્યાપ્ત તક આપી રહી છે.
સીતારામને આ પ્રસંગે મહિલાઓના ઉત્થાન માટેની કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે જનધન યોજનાનાં ૪૧.૯૩ કરોડ ખાતામાંથી ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં ૨૩.૨૧ કરોડ ખાતાં મહિલાઓનાં હતા. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆતથી ૨૬મી ફેબ્રુઆરી સુધીમાં ૬૮ ટકા અથવા ૧૯.૦૪ કરોડ ખાતા માટે મહિલાઓને ઉદ્યોગધંધા માટે કુલ રૂ. ૬.૩૬ લાખ કરોડની રકમ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ નાના કે લઘુ ઉદ્યોગો માટે રૂ. ૧૦ લાખ સુધીનું ઋણ આપવામાં આવે છે.
સ્ટૅન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ ૮૧ ટકાથી વધુ અથવા ૯૧,૧૦૯ ખાતાધારક મહિલાઓને રૂ. ૨૦,૭૪૯ કરોડનું ઋણ આપવામાં આવ્યું હતું.
આઈપીએલ ૨૦૨૧, ૯ એપ્રિલથી ૩૦ મે દરમિયાન રમાશે અને કોઈપણ ટીમને તેના હૉમ ગ્રાઉન્ડ પર રમવા નહિ મળે એવી જાહેરાત આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે રવિવાર તા.7મી માર્ચ 2021ના રોજ કરી હતી.
મુંબઇ, અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતા ખાતે મેચો રમાશે
કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં યજમાન શહેરોની યાદીમાં મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રારંભિક તબક્કામાં ટુર્નામેન્ટની મૅચ બંધબારણે એટલે કે પ્રેક્ષકો વિના રમાશે.પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવો કે નહીં એ અંગેનો નિર્ણય ટુર્નામેન્ટના પછીના તબક્કામાં લેવામાં આવશે.
આઈપીએલના અન્ય યજમાન શહેરોમાં મુંબઇ, અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતાનો સમાવેશ થાય છે.
૩૦ મેએ અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઈનલ યોજાશે. પ્લૅ ઑફ પણ ન.મો. સ્ટેડિયમ ખાતે જ યોજાશે. રવિવારે બીસીસીઆઈએ ૬, મે સુધીનું ચાર અઠવાડિયાનું સમયપત્રક બહાર પાડ્યું હતું. આ સમયગાળા દરમિયાન આઈપીએલની ૩૩ મૅચ રમાશે. જોકે, આ જ સમયગાળા દરમિયાન બંગાળ વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં યોજાવાની હોવાને કારણે કોલકાતાને એકપણ મૅચ ફાળવવામાં નથી આવી.
લીગ તબક્કામાં દરેક ટીમ ચાર સ્થળે રમશે.
૫૬ લીગ મૅચમાંથી ચેન્નઈ, મુંબઈ, કોલકાતા અને બેંગલૂરુ પ્રત્યેકમાં ૧૦ મૅચ તો દિલ્હી અને અમદાવાદ પ્રત્યેકમાં આઠ મૅચ રમાશે.
આ આઈપીએલની વિશેષ વાત એ છે કે તમામ મૅચ તટસ્થ સ્થળે રમાશે. કોઈપણ ટીમ હૉમ ગ્રાઉન્ડ પર નહિ રમે. લીગ તબક્કામાં તમામ ટીમ છ સ્થળમાંથી ચાર સ્થળે રમશે, એમ આઈપીએલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
આઈપીએલની બપોરની મૅચ ૩:૩૦ વાગે અને સાંજની મૅચ ૭:૩૦ વાગે શરૂ થશે.
કોરોનાની મહામારીને કારણે ગયા વર્ષની આઈપીએલ યુએઈમાં રમાઈ હતી, પરંતુ ત્યાર બાદ ભારતમાં કોરોનાની સ્થિતિમાં અસાધારણ સુધારો થયેલો જોવા મળ્યો હતો.
Minister of State Ports, Shipping and Waterways Mansukh Mandaviya on Saturday flagged off the first “All Women Officers’ Sailing” on MT Swarna Krishna from Jawaharlal Nehru Port.
“This is the first time in the world maritime history that a ship is being sailed by all women officers,
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આગામી માર્ચ 2021માં લેવામાં આવનારી જેઇઇ મેઇન રાષ્ટ્રવ્યાપી ઓનલાઇન ઇજનેરી એન્ટ્રન્સ એકઝામ માટે ઓનલાઇન એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ જો આ પરીક્ષા આપવા માગતા હોય તો તેમણે સત્વરે પોતાની એપ્લિકેશન સબમિટ કરી દેવી જોઇએ.
જેઇઇ મેઇન્સ 2021ના વર્ષથી વર્ષમાં 4 વખત લેવામાં આવશે. ફેબ્રુઆરી 2021ની પરીક્ષા પૂર્ણ થઇ ચૂકી છે. હવે માર્ચમાં તા.15, 16, 17 અને 18 માર્ચ 2021ના રોજ મેઇન્સ -2 લેવામાં આવશે. એ પછી એપ્રિલ અને મે એમ વધુ બે ચાન્સ વિદ્યાર્થીઓ પાસે બાકી રહેશે. વિદ્યાર્થીઓ ચારમાંથી ગમે તેટલી પરીક્ષા આપી શકશે અને જે બેસ્ટ સ્કોર હશે તેના આધારે વિદ્યાર્થીઓનું મેરીટ ગણવામાં આવશે.
The National Testing Agency (NTA) on Tuesday commenced the online application process for the JEE Main March session. The interested candidates can visit the official website of JEE Main — jeemain.nta.nic.in — to submit their application form.
JEE Main March 21 ઓનલાઇન એપ્લિકેશન માટે નીચેની લિંક ક્લીક કરો
NTA will conduct the JEE Main 2021 second session on March 15, 16, 17, and 18. The exams will be held in two shifts — the first shift from 9.00 am to 12.00 pm and the second shift from 3.00 pm to 6.00 pm.
How to apply online for JEE Main 2021 March session
Candidates can follow the steps given below to apply online for JEE Main 2021 March session.
Step 1: Apply for online registration using your email ID and mobile number. Step 2: Fill in the online application form and note down the system-generated application number. Step 3: Upload scanned images of the following:
Recent photograph (file size 10Kb – 200Kb) should be either in colour or black & white with 80% face (without mask) visible including ears against white background
Candidate’s signature (file size: 4kb – 30kb)
Duly verified result awaited attestation form (file size: 50kb to 500kb)
Category certificate (SC/ST/OBC/EWS etc.) (file size: 50kb to 300KB)
PwD certificate (file size: 50kb to 300kb) in jpg/jpeg format.
Step 4: Pay the JEE main application fee using SBI/Canara Bank/HDFC Bank/ICICI Bank/Paytm Payment Gateway through Debit Card/Credit Card / Net Banking/UPI and keep proof of fee paid.
Candidates are advised to download, save and print a copy of the confirmation page of the application form (which would be downloadable only after successful remittance of fee) for future reference.
ધો.12 સાયન્સ મેથેમેટિક્સ ગ્રુપ પછી IIT/NIT/IIIT માં પ્રવેશ માટેની રાષ્ટ્રવ્યાપી પરીક્ષા જેઇઇ મેઇન્સ 1 આજરોજ તા.24મી ફેબ્રુઆરીથી શરૂ થઇ છે. આ પરીક્ષા 26મી ફેબ્રુઆરી સુધી દેશભરમાં ઓનલાઇન લેવામાં આવશે. આ વર્ષથી JEE Main પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે એમ ચાર વખત લેવામાં આવશે અને વિદ્યાર્થીઓ ગમે તેટલી વખત આ પરીક્ષા આપી શકશે. જે પરીક્ષાને બેસ્ટ સ્કોર હશે તે ગણતરીમાં લેવામાં આવશે.
The JEE Main B.Tech examination for admission to engineering colleges has commenced from today.
The JEE Main February 2021 session started yesterday with B.Arch and B.Planning papers. Students who appeared for the JEE Main BArch paper on Tuesday said the exam was of moderate difficulty.
The National Testing Agency (NTA) will conduct the JEE Main exams in 13 Indian languages, including – Telugu, Tamil, Punjabi, Urdu, Odia, Marathi, Malayalam, Kannada, Bengali, Assamese and Gujarati languages, besides English and Hindi. For the first time, students have got an opportunity to appear for exams in 13 Indian languages. These examinations are being conducted only in computer-based test CBDT mode.
This year, NTA has set up 852 examination centres across the country to maintain social distancing in view of Covid-19 pandemic. During the examination held in September 2020, 660 examination centres had been set up. 6,61,761 lakh candidates are appearing for this coveted computer-based entrance exam.
Online examination for BE and B.Tech will be conducted in two shifts from February 24th to 26th.
According to the National Testing Agency, the examination centre is also being fully sanitised between the two shifts. In the examination centres, face masks and sanitiser have been provided for students. The body temperature of students will also be checked with thermal guns before going to the examination centre.
Students need to reach to the examination centres two hours before the exam. The distance between two computers and between students will be maintained during the examination.
50 ટકા મહિલા અનામત ધરાવતી સુરત મહાનગરપાલિકામાં મતદાન માટે મહિલાઓ ઉદાશીન
Jayesh Brahmbhatt 9825344944
50 ટકા મહિલા અનામત ધરાવતી સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે રવિવારે પૂર્ણ થયેલા મતદાનના આંકડાનું વિશ્લેષણ કરતા એવી હકીકત સપાટી પર આવી છે કે મહિલાઓમાં મતદાન બાબતે ભારે ઉદાશીન વલણ જોવા મળ્યું છે. 30 વોર્ડ પૈકીના 10 ટકા એટલે ફક્ત 3 વોર્ડમાં જ મહિલાઓનું મતદાન પુરુષોના મતદાનથી વધુ નોંધાયું છે. બાકીના 27 વોર્ડમાં મહિલાઓનું મતદાન પુરુષોના મતદાનથી 5થી 20 ટકા જેટલું નીચું નોંધાયું છે.
જે સુરતના જે ત્રણ વોર્ડમાં મહિલાઓનું મતદાન પુરુષોથી વધુ નોંધાયું છે એ તમામ શ્રમજીવી અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે.
અલથાણ, બમરોલી અને વડોદ મ્યુનિસિપલ વોર્ડ નં. 29માં 41.40 ટકાના પુરુષ મતદાનની સામે મહિલાઓનું મતદાન 43.20 ટકા નોંધાયું છે.
પાંડેસરા-ભેસ્તાન મ્યુનિસિપલ વોર્ડ નં.28માં પણ પુરુષોના 46.43 ટકા મતદાનની સામે મહિલાઓનું ટકાવારી મતદાન 47.18 ટકા નોંધાયું છે.
ઉધના દક્ષિણ મ્યુનિસિપલ વોર્ડ નં.24માં પુરુષોનું ટકાવારી મતદાન 47.35 ટકાની સામે મહિલાઓ મતદારોનું ટકાવારી મતદાન 47.76 ટકા નોંધાયું છે.
આ ત્રણેય વોર્ડની મહિલાઓએ શહેરના અન્ય 27 વોર્ડની મહિલાઓ માટે પ્રેરણાદાયી અને પ્રશંસનીય કાર્ય કર્યું છે. અન્ય વોર્ડની તુલનામાં આ ત્રણ વોર્ડની મહિલાઓએ મતદાનને પોતાની પવિત્ર ફરજ સમજીને એ લોકશાહીના હિતમાં અદા પણ કરી બતાવી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.