આજથી દેશભરમાં 15થી 18 વર્ષના બાળકોના વેક્સિનેશન માટે કોવિન પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. વેક્સીન માટે આજથી 15થી 18 વર્ષની વયના કિશોરો પણ એલિજિબલ ગણવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ વયજૂથના બાળકોને કોવાક્સીન વેક્સીન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સરકારની માર્ગદર્શિકા અનુસાર, આ વય જૂથના લોકો 1 જાન્યુઆરીથી તેમના ID કાર્ડનો ઉપયોગ કરીને CoWin એપ્લિકેશન પર સ્લોટ બુક કરી શકે છે. કોવિન પ્લેટફોર્મના વડા ડો. શર્માએ અગાઉ કહ્યું હતું કે આધાર અને અન્ય રાષ્ટ્રીય ઓળખ કાર્ડ સિવાય, બાળકો નોંધણી માટે તેમના ધોરણ 10ના આઈડી કાર્ડનો પણ ઉપયોગ કરી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બર 2021ના રોજ તેમના સંબોધન દ્વારા જાહેરાત કરી હતી કે 3 જાન્યુઆરી, 2022થી 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-19ની રસી આપવામાં આવશે.
મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના જોબા ગામ ખાતે એક મહિલા આઈએએસ (IAS) ઓફિસર અને આઈએફએસ (IFS) અધિકારીના લગ્ન થયા તે ખૂબ જ ચર્ચામાં છે. આઈએએસ તપસ્યા પરિહારે યુપીએસસીની પરીક્ષામાં 23મી રેન્ક મેળવી હતી. તેમણે આઈએફએસ અધિકારી ગર્વિત ગંગવાર સાથે લગ્ન કર્યા હતા. તપસ્યાના લગ્ન એટલા માટે ચર્ચામાં છે કારણ કે, તેમણે કન્યાદાન કરાવવાની ના પાડી દીધી હતી. તપસ્યાએ પોતાના પિતાને કહ્યું હતું કે, હું દાનની વસ્તુ નથી, તમારી દીકરી છું. તેમણે લગ્નમાં કન્યાદાનના રિવાજનું પાલન નહોતું કર્યું. ગુરૂવારે જોબા ગામ ખાતે રિસેપ્શન યોજાયું હતું જેમાં બંને પક્ષના સંબંધીઓ અને પરિચિતો સામેલ થયા હતા.
હિંદુ સંસ્કૃતિમાં કન્યાદાનનું વિશેષ મહત્વ છે પરંતુ નરસિંહપુર જિલ્લા ખાતે જન્મેલી તપસ્યા પરિહારે તમામ બંધનો તોડીને પોતાના લગ્નમાં કન્યાદાનની વિધિ ન થવા દીધી. આઈએએસ અધિકારી તપસ્યાના કહેવા પ્રમાણે બાળપણથી જ તેમના મનમાં સમાજની આ વિચારધારાને લઈ લાગતું હતું કે, કોઈ કઈ રીતે મારૂ કન્યાદાન કરી શકે, તે પણ મારી ઈચ્છા વગર. ધીમે ધીમે મેં મારા પરિવારજનો સાથે આ વાતની ચર્ચા કરી અને મારા પરિવારજનો પણ માની ગયા. ત્યાર બાદ વર પક્ષને પણ આ માટે રાજી કરવામાં આવ્યો અને કન્યાદાન વગર જ લગ્ન થઈ ગયા.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા ગુરૂવાર, તા. ૧૬ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ડાયટ ટુ ફાઇટ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયટિશન અમાનત કાગઝી દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને રોજિંદા જીવનશૈલીને તેમજ આરોગ્યને યોગ્ય રીતે જાળવી રાખવા માટે કયા પ્રકારનો આહાર લેવો જોઇએ ? તે દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
ખાણીપીણીની કુટેવોને કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે અને તેને કારણે જે વિવિધ સમસ્યાઓ ઉભી થાય છે તે બધી સમસ્યાનું નિરાકરણ રસોડું જ છે : ડાયટિશન અમાનત કાગઝી
ડાયટિશન અમાનત કાગઝીએ જણાવ્યું હતું કે, હાલના વ્યસ્ત જીવનમાં ખાણીપીણીની જુદી–જુદી કુટેવોને કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે અને તેને કારણે જે વિવિધ સમસ્યાઓ ઉભી થાય છે તે બધી સમસ્યાનું નિરાકરણ રસોડું જ છે. લોકો બહારનું ખાવાનું ટાળે અને માત્ર ઘરના રસોડામાં બનેલી આરોગ્યપ્રદ ચીજવસ્તુઓ આરોગે તો મોટાભાગના લોકોને આરોગ્યની વિવિધ સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય તેમ છે. બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુઓના સેવનથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, પેટની બિમારી, કેન્સર અને હૃદયની બિમારીઓનો સામનો કરવો પડે છે. આથી કિચનમાં પણ સંતુલિત આહાર બનાવવામાં ગૃહિણીઓએ કઇ – કઇ કાળજી રાખવી જોઇએ તેના વિશે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.
તેમણે ફૂડ પ્લાનિંગ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દિવસ દરમ્યાન વ્યકિતની ભોજન પચાવવાની પાચનશકિત વધારે સક્રીય હોય છે, જે સાંજ બાદ ઘટતી જાય છે. આથી સવારે આઠ કલાકે પેટ ભરીને નાસ્તો લેવો જોઇએ. ત્યારબાદ સવારે સાડા દસ કલાકે ખાવાની ઇચ્છા થાય તો આરોગ્યપ્રદ વસ્તુઓ ખાઇ શકાય છે અને બપોરે એક કલાક સુધીમાં બપોરનું ભોજન લઇ લેવું જોઇએ. ત્યારબાદ સાંજે ચાર કલાકે નાસ્તો લઇ શકાય અને રાત્રે આઠ કલાકે હલકું ભોજન લેવું જોઇએ. રેડીમેડ ફૂડ પેકેટ્સ ખરીદતી વખતે પણ શું કાળજી રાખવી જોઇએ ? તેની વિસ્તૃત ચર્ચા તેમણે કરી હતી.
ઉપરોકત સેમિનારમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડીયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ડો. અમિ યાજ્ઞિકે સેમિનારનું સંચાલન કર્યુ હતું. જ્યારે વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતી શેઠવાલાએ વકતાનો પરિચય આપ્યો હતો. અંતે લેડીઝ વીંગના કો–ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યુ હતું.
સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ પહેલી વખત નેશનલ ડિફેન્સ એકેડમી દ્વારા એનડીએ પરીક્ષા માટે મહિલા ઉમેદવારોને પણ ફોર્મ ભરવા માટે મંજૂરી આપી હતી.
સેનામાં ભરતી માટેની એનડીએ પરીક્ષા માટે કુલ 5.75 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને તેમાં મહિલા કેન્ડિડેટ્સની સંખ્યા 1.77 લાખ છે.આમ ફોર્મ ભરનારા ઉમેદવારોમાં મહિલાઓની સંખ્યા 30 ટકા કરતા પણ વધારે છે.આ બાબતની જાણકારી સંસદમાં આપવામાં આવી છે.
સંરક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અજય ભટ્ટે એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, મહિલા કેન્ડીડેટસની સંખ્યા પર કોઈ પ્રકારના નિયંત્રણ મુકવામાં આવ્યા નહોતા.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સેનાએ 577 મહિલા ઓફિસરોને સ્થાયી કમિશન આપ્યુ છે અને એનડીએની પરીક્ષા પાસ કર્યા બાદ મહિલાઓ આર્મી, નેવી કે એરફોર્સમાં સીધી જોડાઈ શકશે.
હરનાઝ સંધુને ‘મિસ યુનિવર્સ 2021’નો તાજ પહેરાવાયો, સુષ્મિતા સેન અને લારા દત્તા પછી ત્રીજા ભારતીય
ભારતની હરનાઝ સંધુને મિસ યુનિવર્સ 2021નો તાજ પહેરાવવામાં આવ્યો છે. 2000માં લારા દત્તાએ ખિતાબ જીત્યાના 21 વર્ષ પછી ઇઝરાયેલના ઇલાતમાં આયોજિત 70મી મિસ યુનિવર્સ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરતી પંજાબની 21 વર્ષીય યુવતી મિસ યુનિવર્સનું તાજ ઘરે લઈ આવી છે. સંધુએ તાજ જીતવા માટે પેરાગ્વે અને દક્ષિણ આફ્રિકાના સ્પર્ધકોને હરાવ્યા હતા. સંધુને વૈશ્વિક સ્તરે લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવેલી ઇવેન્ટમાં મેક્સિકોની ભૂતપૂર્વ મિસ યુનિવર્સ 2020 એન્ડ્રીયા મેઝા દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો.
ભારતની હરનાઝ સંધુ 70મી મિસ યુનિવર્સ બની ગઈ છે. ઇઝરાયેલના ઇલાતમાં યોજાયેલા ફાઈનલ ઈવેન્ટમાં સંધુને આ ખિતાબથી નવાજવામાં આવી હતી. મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર તે ત્રીજી ભારતીય મહિલા છે. તેના પહેલા સુષ્મિતા સેન 1994માં અને લારા દત્તા 2000માં મિસ યુનિવર્સ તરીકે બની હતી.
આજના યુવાનો પર સૌથી મોટું દબાણ પોતાનામાં વિશ્વાસ રાખવાનું છે. તમે અનન્ય છો એ જાણવું એ તમને સુંદર બનાવે છે. તમારી જાતને અન્ય લોકો સાથે સરખાવવાનું બંધ કરો અને વિશ્વભરમાં થઈ રહેલી વધુ મહત્વપૂર્ણ બાબતો વિશે વાત કરીએ. મને લાગે છે કે તમારે આ સમજવાની જરૂર છે. બહાર નીકળો, તમારા મનની વાત કરો કારણ કે તમે તમારી જિંદગીના લિડર તમે છે. તમે ખુદ પોતાનો અવાજ છો. મને મારી જાત પર વિશ્વાસ હતો અને તેના કારણે આજે હું અહીં ઉભી છું.
ધ્યાનને બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. એક જ્ઞાનાત્મક ભાગ છે, જે મગજમાં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજો વર્તણૂકનો ભાગ છે, જે વધુ મૂર્ત ભાગ છે, જેમાં રોજબરોજની વસ્તુઓનો સમાવેશ થાય છે.
વધતી જતી ટેકનોલોજી અને સતત ધ્યાન ભટકાવનારા આ વિક્ષેપજનક યુગમાં, માતા-પિતા માટે બાળકોના ધ્યાનને કેન્દ્રિત રાખવાનું કામ ઘણું મુશ્કેલ છે. તેથી ‘ધ્યાન’નો સાચો અર્થ શું છે તે સમજવું એ તેમના બાળકોમાં યાદશક્તિ, ભાષા, વાંચન, લેખન અને સામાન્ય શિક્ષણ જેવા જટિલ કૌશલ્યો વિકસાવવામાં મદદ કરવા માટે નિર્ણાયક છે, જે તમામ ધ્યાન સાથે સંબંધિત છે.
ધ્યાનની પાઠ્યપુસ્તકમાં આપેલી વ્યાખ્યા એ છે કે, કામ પ્રત્યે યોગ્ય રસ ઊભો કરવાની અને ટકાવી રાખવાની ક્ષમતા. તે સામાન્ય રીતે આપણી પ્રેરણા, પ્રેક્ટિસ, સંવેદનાત્મક એકીકરણ અને ભાષાને પકડવાની ક્ષમતા જેવા ઘણા પરિબળો દ્વારા નિયંત્રિત થાય છે. જોકે, આપણે જમીન પર ઘસરકા કરીએ, તો ધ્યાન ‘ચોક્કસ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા’ની સરળ સમજણથી ઘણું આગળ નીકળી જાય છે. તેમાં સ્પર્ધાત્મક માહિતી, ઉત્તેજના અને સંવેદનાઓની વિશાળ માત્રાને અવગણવી અને ટ્યુનિંગ કરવાનો પણ સમાવેશ થાય છે, જે આ ક્ષણે સંબંધિત નથી.
તો ચાલો જોઈએ કે, ધ્યાનમાં કયા તત્વોનો સમાવેશ થાય છે અને આપણે કેવી રીતે આપણા બાળકોના ધ્યાનના સમયગાળાને વધારીને તેમની શીખવાની ક્ષમતાઓને વધારી શકીએ છીએ અને જીવનભરના શિક્ષણ અને વિકાસને ટેકો આપવા માટે પાયો પૂરો પાડી શકીએ છીએ.
ધ્યાનને સમજવું આ સંદર્ભમાં, ધ્યાનને બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. એક જ્ઞાનાત્મક ભાગ છે, જે મગજમાં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં વિવિધ પરિસ્થિતિઓમાં આપણી આસપાસની ઉત્તેજનાને દિશા આપવાની, નિયંત્રણની, ધ્યાન જાળવવાની અને ઊર્જાને લક્ષ્ય બનાવવાની અદ્રશ્ય માનસિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. બીજો વર્તણૂકનો ભાગ છે, જે વધુ મૂર્ત ભાગ છે, જેમાં રોજબરોજની વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમકે, બાળક પોતાનો વારો આવવાની રાહ જોતું હોય, તેમના વર્ગખંડની બહાર ભસતા શ્વાનને અવગણવું, જેથી તેઓ શિક્ષકની સૂચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, અથવા બાળક સતત સળવળાટ કરે છે અને મૂંઝવણ અનુભવે છે.
જ્ઞાનાત્મક બાજુ અને વર્તણૂકીય બાજુ વચ્ચેના ગાઢ આંતર-સંબંધનું ઉદાહરણ એ રીત છે જે રીતે બાળક વિડીયો ગેમ્સ રમવામાં કલાકો પસાર કરી શકે છે. આ રમતો સંગીત, ગ્રાફિક્સ અને સમસ્યાઓના ઉકેલનો ઉપોયગ કરીને મગજના ચોક્કસ ભાગોથી ધ્યાન કેન્દ્રિત કરવા અને જાળવી રાખવા માટે ડિઝાઈન કરવામાં આવી છે, જે જ્ઞાનાત્મક ભાગ છે. પરિણામે, બાળકો ગેમ કન્ટ્રોલરને પકડીને સોફા પર એક જગ્યાએ બસી રહેશે, જ્યારે કેટલીક વખત હતાશામાં આવીને જોરથી બૂમો પાડશે, જે વર્તણૂકનો ભાગ છે.
ધ્યાન તેમના ભાવનાત્કમ સ્વાસ્થ્ય, તેમની આસપાસ બનેલી કે બનતી ઘટનાઓ, જેવિકે પરિબળો જેવા કે ભૂખ્યા હોવું, ઊંઘમાં હોવું અથવા થાકેલા હોવું, ઉંમર, વિષયમાં વ્યક્તિગત રસ, શીખવાની અક્ષમતા, મૂડ અને જ્ઞાનાત્મક ક્ષમતાઓ જેવા અન્ય પરિબળો દ્વારા પણ સંચાલિત થાય છે. બાળકના ધ્યાનના સમયગાળાને અસર કરતા ઘણાબધા પરિબળો હોવાથી બાળકને સતત મુશ્કેલીઓ આવી રહી હોય , જે તેમના શિક્ષણ અને વિકાસને અસર કરી શકે છે, ત્યારે તેને ઓળખવી મુશ્કેલ બની શકે છે. ત્યારે બાળક શીખતું હોય અને લાંબો સમય કામ કરતું હોય તે દરમિયાન માતા-પિતાનું સક્રિય અવલોકન અને બાળક સાથે તેમની સહભાગિતા મહત્વપૂર્ણ બની જાય છે. ઉપરાંત, જાણીતી ઓસ્ટ્રેલિયન ડિજિટલ હેલ્થ કંપનીની Tali Detect એપ જેવીનવી ટેકનોલોજીનો ઉપયોગ, માતા-પિતાને એ સમજવામાં મદદ કરી શકે છે કે તેમનું બાળક ધ્યાન કૌશલ્યના વિકાસ સાથે કેવી રીતે આગળ વધી રહ્યું છે.
અલગ-અલગ બાળકોમાં ધ્યાન કઈ રીતે કામ કરે છે આપણે બધા જાણીએ છીએ કે, બાળકનું ધ્યાન પુખ્ત વયના લોકો કરતાં ઘણું ઓછું હોય છે, પરંતુ ધ્યાન પણ દરેક બાળકમાં બદલાય છે. TALiના ક્લિનિકલ લીડ, ડો. સિમોન ગિન્ડિડિસે સમજાવ્યું કે, ધ્યાન સમજવાની સરળ રીત એ છે કે, ફ્લોર પર બેઠેલા બાળકોના વર્ગખંડની કલ્પના કરવી અને રૂમની આગળના ભાગમાં તેમના શિક્ષક સૂચનો આપે છે. વર્ગખંડમાં ઝાંખો પ્રકાશ છે અને ઓરડામાં મોટાભાગના બાળકોના માથા પર સ્પોટલાઈટ હોય છે. દરેક સ્પોટલાઈટ અલગ-અલગ કદની હોય છે, પરંતુ ચોરસ રીતે રૂમની આગળની તરફ લક્ષિત હોય છે. સ્પોટલાઈટ બાળકો બાકીના રૂમને ફિલ્ટર કરવામાં સક્ષમ છે (કારણ કે ત્યાં તદ્દન અંધારું છે) અને જ્યાં તે હોવું જરૂરી છે, ત્યાં પ્રકાશ ફેંકે છે. ધ્યાનમાં નબળા બાળક માટે, તેમના પ્રકાશનો સ્ત્રોત વાસ્તવમાં સ્પોટલાઈટને બદલે મીણબત્તી છે. તેથી, જ્યારે તે બાળક તેના પ્રકાશને શિક્ષક તરફ દિશામાન કરે છે, ત્યારે આખો ઓરડો પણ પ્રકાશિત થાય છે. આખો ઓરડો ઝળહળતો હોવાથી, બાળક જોઈ શકે છે કે બીજી હરોળમાં રહેલો નાનો જોની તેના બૂટની દોરી સાથે રમી રહ્યો છે, અને ડેસ્ક પર એક રમકડું પડ્યું છે, જેની સાથે તેઓ રમવાનું પસંદ કરે છે, અને તેમને એ પણ ખ્યાલ આવે છે કે તેમને ભૂલ લાગી છે અને દિવાલ પરની ઘડિયાળ જોરથી અવાજ કરી રહી છે.
ડો. સિમોન આ કલ્પનામાં જે મુખ્ય બાબત પર પ્રકાશ પાડે છે, તે એ છે કે, બાળકોના મગજ અલગ-અલગ હોય છે, અને કેટલાકમાં પ્રકાશનો સ્ત્રોત બાકીના કરતા અલગ હોય છે. આપણે આ બાળકોને તેમના વિશ્વને સમજવા માટે વ્યુહરચનાઓ અને સાધનોને એક્સેસ કરવામાં જેટલી વહેલી મદદ કરી શકીએ, તેટલી જ તેઓ તેમના જીવનમાં અન્ય પડકારોને દિશા આપવામાં સક્ષમ થવાની શક્યતા વધારે રહે છે.
બાળકોમાં રહેલી ધ્યાનની નબળાઈઓમાં શરૂઆતથી હસ્તક્ષેપ શા માટે મહત્વપૂર્ણ છે સંખ્યાબંધ અભ્યાસો સૂચવે છે કે, ધ્યાનની મુશ્કેલીઓ ધરાવતા લોકો તેમના સમગ્ર શાળાકીય વર્ષો દરમિયાન સંઘર્ષ કરે તેવી શક્યતા વધુ હોય છે અને તેઓ યુવાન પુખ્ત વયના અને તેના કરતા મોટ થાય ત્યારે તેઓ માનસિક સમસ્યાઓ અને ઓછા આત્મસન્માનનો અનુભવ કરે છે. વધતા પુરાવા દર્શાવે છે કે, બાળકોમાં શક્ય તેટલું વહેલી તકે ધ્યાનના મુદ્દાઓને ઓળખવા અને તેના પર કામ કરવું એ તેમની ભાવિ સફળતા માટે ઘણું મહત્વપૂર્ણ છે, અને તેનાથી માત્ર તેમને જ નહીં, પરંતુ તેમના પરિવાર, શિક્ષકો અને વ્યાપક સમુદાયને પણ લાંબા ગાળાના લાભ થાય છે.
એટલે જ, માતા-પિતા બાળકોને તેમના નાનપણથી જ ધ્યાન આપવાની કુશળતા વિકસાવવામાં અને ઓળખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ તેમના બાળકને જે રીતે ટેકો આપી શકે છે, તેમાં સૂચનાઓને તોડીને ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો સમાવેશ થાય છે, જેથી કરીને બાળકો હાથમાં રહેલા કાર્યોમાં સફળ થઈ શકે અને જ્યારે તેઓ સફળ થાય ત્યાર તેમને સકારાત્મક પ્રતિસાદ આપી શકે. ક્લિનિકલ મનોવૈજ્ઞાનિકો પણ માતાપિતાને ભલામણ કરે છે કે, બાળકો સામાન્ય રીતે જે વિક્ષેપો અનુભવે છે તેમાં ઘટાડો કરે. અતિશય ઉત્તેજના બાળકના ધ્યાનના સમયગાળા સામે પણ કામ કરી શકે છે અને આ અનુભવને ઉત્તેજિત કરતી પ્રવૃત્તિઓમાં બાળકોના એક્સેસને મર્યાદિત કરવી શ્રેષ્ઠ બાબત છે.
આ બધા ઉપરાંત, એ યાદ રાખવું જરૂરી છે કે, દરેક બાળકનું મગજ અલગ હોય છે અને જેટલી વહેલી તકે આપણે તેમને તેમની દુનિયાને સમજવામાં મદદ કરવા માટે વ્યુહરચનાઓ અને સાધનોને એક્સેસ કરવામાં મદદ કરી શકીએ, તેમના જીવનમાં અન્ય પડકારોને નેવિગેટ કરવામાં તેઓ સફળ થવાની શક્યતા વધી જાય છે.
તમારું બાળક ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવે છે કે કેમ તે જાણવું ધ્યાન મગજના ઘણા અનન્ય ક્ષેત્રોને સમાવે છે અને ધ્યાનની મુશ્કેલી ઘણીવખત બીજા પડકારોની સાથે ઊભી થાય છે. તેથી તે હંમેશા સ્પષ્ટ નથી હોતું કે ધ્યાનની મુશ્કેલીઓ અન્ય નબળાઈઓને ઢાંકી રહી છે કે તેનાથી ઉલટું છે. આથી જ ક્લિનિકલ સ્તરે, ત્યાં ઘણી મુખ્ય વર્તણૂકો છે, જે માપવામાં આવે છે, તે સૂચવે છે કે, શું બાળક ધ્યાનની મુશ્કેલીઓ અનુભવી રહ્યું છે. માતા-પિતા તેમના બાળકો પર વધારે ધ્યાન આપીને આ પ્રક્રિયામાં મદદ કરી શકે છે અને તેમનું બાળક કઈ રીતે પ્રગતિ કરી રહ્યું છે, તે વિશે દેખાતા હોય તેવા કોઈપણ સંકેતોને ક્યારેય અવગણવા જોઈએ નહીં.
માતા-પિતા ઘણીવાર તેમના બાળકની જ્ઞાનાત્મક શૈક્ષણિક અને વર્તણૂકીય શક્તિઓ અને નબળાઈઓને સમજનારા સૌ પ્રથમ લોકો હોય છે. જો તેમને લાગતું હોય કે કંઈક સારી રીતે કામ કરી રહ્યું નથી, તો યોગ્ય હેલ્થકેર પ્રેક્ટિશનરને મળવું યોગ્ય છે, જે ધ્યાન અને શીખવાની સમસ્યાઓ માટે તેમના બાળકનું યોગ્ય મૂલ્યાંકન કરી શકે. સારા સમાચાર એ છે કે, માતા-પિતા પાસે હવે TALi DETECT દ્વારા તેમના બાળકના ધ્યાનનું મૂલ્યાંકન કરવાની વધારાની રીત છે. Tali ઓસ્ટ્રેલિયાની ટોચની યુનિવર્સિટીઓમાંથી એકમાં અગ્રણી બાળપણ સંશોધનો દ્વારા વિકસિત ધ્યાન મૂલ્યાંક એપ્લિકેશન પ્રદાન કરે છે. સતત વ્યસ્ત રાખતી ગેમ આધારિત પ્રવૃત્તિઓની શ્રેણી દ્વારા માતા-પિતા તેમના બાળકનું ધ્યાન તપાસી શકે છે અને તેમની ઉંમરના અન્ય બાળકો સાથે તુલના કરી શકે છે. Taliનું બિનહાનિકારક, ડિજિટલ ધ્યાન મૂલ્યાંક સાધન મફત ઉપયોગ કરી શકાય છે અને તે એન્ડ્રોઈડ અને એપલ બંને ટેબ્લેટ્સ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. એકવખત માતા-પિતા સમજી લે કે કઈ રીતે તેમનું બાળક સરખામણી કરે છે, ત્યારે તેમની પાસે ક્લિનિકલી સાબિત 5 અઠવાડિયાના તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરવાનો વિકલ્પ હોય છે, જે તેમન બાળકના ધ્યાન કૌશલ્યને મજબૂત કરવા માટે ઈન્ટરેક્ટિવ ગેમ આધારત કસરતોનો ઉપયગો કરે છે અને તે ગૂગલ પ્લે અને એપ સ્ટોર બંને પરથી ડાઉનલોડ કરવા અને ખરીદવા માટે પણ ઉપલબ્ધ છે.
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસનો આંકડો ભારતમાં 20ને પાર થઈ ગયો છે. આવામાં એક તરફ સ્કૂલો ખોલવામાં આવી છે ત્યારે કર્ણાટકમાં એક જ સ્કૂલમાં વિદ્યાર્થી અને સ્ટાફ મળીને 94 કોરોના પોઝિટિવ કેસ આવતા હડકંપ મચી ગયો છે. કર્ણાટકાના નરસિમ્હારાપુરામાં આવેલા સ્કૂલમાંથી આ કિસ્સો સામે આવ્યો છે. હવે સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફના પણ રિપોર્ટ્સ કરવામાં આવી રહ્યા છે જેથી આ ચેઈનને તોડી શકાય.
મળતી વિગતો પ્રમાણે સ્કૂલમાં વધુ 35 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા નરસિમ્હારાજપુરાની કેન્દ્રીય સ્કૂલમાં કોરોનાના કુલ કેસનો આંકડો 94 પર પહોંચ્યો છે. સ્કૂલના કેમ્પસમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 100ની નજીક પહોંચી જતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલનો સ્ટાફ ચિંતામાં મૂકાયો છે. એક તરફ ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે ત્યારે એક સાથે આટલા બધા કેસ એક જ સ્કૂલના કેમ્પસમાં આવતા કેસમાં થતો વધારો અટકાવવા માટેના જરુરી પગલા પણ ભરવામાં આવી રહ્યા છે.
એક સામટા આટલા કેસ એક જ સ્કૂલમાંથી આવતા હવે વધુ 418 લોકોના ટેસ્ટ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફનો સમાવેશ થાય છે. સ્કૂલનો કોરોનાના કેસનો આંકડો સદીની નજીક પહોંચી જતા કર્ણાટકની આ સ્કૂલને વહીવટી તંત્ર દ્વારા હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે નરસિમ્હારાજપુરાની સ્કૂલમાં ભણતા 59 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જે બાદ સોમવારે વધુ 35 વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા છે. આમાં સ્કૂલના શિક્ષકો અને અન્ય સ્ટાફ મળીને 13 લોકો થાય છે કે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે 81 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ડૉક્ટરોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. આ તમામ જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓ એસિમ્પ્ટોમેટિક છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 8,306 કેસ નોંધાયા છે, જેની સામે 8,834 દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 98,416 થઈ ગયો છે. આમ એક્ટિવ કેસનો આંકડો 552 દિવસના તળિયે પહોંચી ગયો છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT) એ તેની સત્તાવાર વેબસાઇટ પર આગામી 2022ના વર્ષ માટે બેચલર ઓફ ડિઝાઇન તેમજ બેચલર ઓફ ફેશન ટેક્નોલોજી પ્રોગ્રામ્સ (B.Des & B.FTech) માં પ્રવેશ માટેની સૂચના બહાર પાડી છે.
ભારતના કોઈપણ રાજ્યમાંથી લાયકાત ધરાવતા ઉમેદવાર જે સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નિર્ધારિત વય અને શૈક્ષણિક લાયકાતના માપદંડોને પૂર્ણ કરે છે તે અધિકૃત વેબસાઇટ – http://niftadmissions.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
ઉમેદવારની સાહજિક ક્ષમતા, કન્સેપ્ટ ડેવલપમેન્ટમાં અવલોકનની શક્તિ અને ડિઝાઇન ક્ષમતા નક્કી કરવા માટે એન્ટ્રન્સ એકઝામ અન્ડર ગ્રેજ્યુએટ UG અને PG પોસ્ટ ગ્રેજ્યુએટ ડિઝાઇન પ્રોગ્રામ બંને માટે લેવામાં આવે છે. કસોટીનું મહત્વનું પાસું એ છે કે રંગ અને ચિત્રણ કૌશલ્યોનો સર્જનાત્મક અને નવીન ઉપયોગ.
લેખિત પ્રવેશ પરીક્ષામાંથી B.Des માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ સિચ્યુએશન ટેસ્ટ લેવાની જરૂર છે જે સામગ્રીના આપેલ સેટ સાથે આપેલ પરિસ્થિતિમાં સામગ્રીના સંચાલન માટે ઉમેદવારની કુશળતા અને નવીન ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે હાથ પરની કસોટી છે.
ઉમેદવારોએ તેમના દ્વારા પસંદ કરેલ NIFT કેમ્પસમાં સ્ટુડિયો ટેસ્ટ, વ્યક્તિગત ઇન્ટરવ્યુ અને દસ્તાવેજોની ચકાસણી માટે હાજર રહેવું પડશે. સ્ટુડિયો ટેસ્ટ પસંદ કરેલ પ્રોગ્રામ માટે ઉમેદવારના જ્ઞાન અને કૌશલ્યની યોગ્યતા ચકાસવા માટે રચાયેલ છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માત્ર એડમિટ કાર્ડ સાથે જ આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ અને અન્ય ઈન્ફોટેક ગેજેટ્સને મંજૂરી નથી. મોબાઇલ અથવા અન્ય ઇન્ફોટેક ગેજેટ્સ સાથે મળી આવેલા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર છોડવા માટે કહેવામાં આવશે અને ગેરલાયક ઠેરવવામાં આવશે. ઉમેદવારોએ પરીક્ષા શરૂ થવાના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું જોઈએ. સ્ટુડિયો ટેસ્ટ NIFT કેમ્પસમાં યોજાશે.
NIFT Admission 2022: Important dates
Event
Dates
Last date to apply online
January 17, 2022
Registration with late fee of Rs. 5000
January 18 to 22, 2022
NIFT Admit Card release date
January 29, 2022
NIFT Entrance Exam 2022 date
February 6, 2022
Result of Written Entrance Examination
March 2022
Situation Test/ Group Discussion/ Interview
April 2022
Last date for online registration for foreign nationals/SAARC/NRIs/OCI
April 30, 2022
Declaration of Final Result (Online)
May 2022
Counselling
May-June2022 onwards
NIFT Admission 2022: How to apply online
1) Register yourself for the online application process at http://niftadmissions.in/. 2) Activate your online Application with the Activation Code received on your Email ID during the registration process.
3) The applicant is required to fill his/her “Personal Information” after registration only. The application form will appear on the screen. The applicant is required to fill up the details in the application form
4) In the next step, the applicant is required to upload scanned image file of his/her Photograph and Signature one by one.
5) In the next step, the applicant may be required to fill the Educational Information (as per requirement).
6) Once all the details are filled in, the candidate is required to Review the details entered and Confirm. No editing will be allowed once the application is confirmed by the candidates.
7) Your form will be completed only after paying the application fees, after confirmation using any of the available online modes of payment.
NIFT Admission 2022: Scheme of examination
Candidates will have to appear for a studio test, personal interview and verification of documents at the NIFT Campus opted by them. The studio test is designed to test the knowledge and skill aptitude of the candidate for the programme opted. Entry to the Examination Centre will be allowed with Admit Card only. Mobiles and other infotech gadgets are not allowed inside the Examination Centre. Candidates found with mobile or other infotech gadgets will be asked to leave the examination centre and shall be disqualified. Candidates should reach the Examination Centre at least 30 minutes before the commencement of the examination. The studio test will be held at NIFT Campuses.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી દ્વારા પ્લેસમેન્ટના તમામ રેકોર્ડ તુટી ગયા છે.
આઈઆઈટી ખડગપુરના 1100 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ઓફર કરાયુ છે.બીજી તરફ દિલ્હીના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટની 400 ઓફરો મળી છે.આ વખતે કંપનીઓએ જંગી સેલેરી પેકેજનો પણ વરસાદ કર્યો છે.
આ વખતે સેલેરી પેકેજના મામલે આઈઆઈટીના તમામ રેકોર્ડ તુટી ગયા છે અને ખડગપુરના વિદ્યાર્થીને અત્યાર સુધીનુ સૌથી વધારે 2.40 કરોડ રુપિયાનુ પેકેજ આપવામાં આવ્યુ છે.ઉપરાંત ખડગપુરના 1100 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યુ છે તે પણ રેકોર્ડ છે.
આ વખતે પણ આઈઆઈટીમાં ઓનલાઈન પ્લેસમેન્ટ ચાલી રહ્યા છે. પ્રી પ્લેસમેન્ટ ઓફર ડિસેમ્બરમાં પૂરી થશે.બાકીના વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરીમાં પ્લેસમેન્ટનો વધુ એક રાઉન્ડ યોજાશે.
આઈઆઈટી દિલ્હીના 400 વિદ્યાર્થીઓને નોકરીઓ મળી છે અને સૌથી વધારે પેકેજ એક કરોડ રુપિયાનુ રહ્યુ છે.આઈઆઈટી રુરકીમાં સૌથી હાઈએસ્ટ પેકેજ 2.15 કરોડ રુપિયાનુ રહ્યુ છે.
આઈઆઈટી ગૌહાટીના 200 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ અપાયુ છે જ્યારે આઈઆઈટી મદ્રાસના પ્લેસમેન્ટમાં 43 ટકાનો વધારો થયો છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથને પ્રમોશન અપાયુ છે અને તે હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર બની ગયા છે.સંગઠનમાં આ બીજા નંબરનુ પદ છે.
ભારતીય મૂળની કોઈ વ્યક્તિ આ પદ પર પહેલી વકત પહોંચી છે.ગીતા ગોપીનાથ તો ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ છોડવા માંગતા હતા.તેમનો વિચાર આગામી વર્ષથી ફરી હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવવાનો હતો પણ હવે તેઓ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે જ જોડાયેલા રહેશે.
ગીતા ગોપીનાથ અમેરિકાના સિટિઝન છે.જોકે તેમનો જન્મ ભારતમાં થયો હતો.નાનપણમાં તેઓ તેજસ્વી સ્ટુડન્ટ નહોતા.એક ઈન્ટરવ્યૂમાં તે્મણે કહ્યુ હતુ કે, ધો.7માં મારા 45 ટકા આવ્યા હતા પણ તે પછી મેં ભણવામાં વધારે ધ્યાન આપવાનુ શરુ કર્યુ હતુ.બાદમાં તેમણે મૈસૂરની કોલેજ જોઈન કરીને સાયન્સનો અભ્યાસ કર્યો હતો.જોકે એ પછી તેમણે ઈકોનોમિક્સ વિષય સાથે બીએની ડિગ્રી મેળવી હતી.
દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાં તેમણે ઈકોનોમિક્સમાં ઓનર્સની ડિગ્રી પણ મેળવી હતી.એ પછી દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઈકોનોમિક્સની માસ્ટર ડિગ્રી મેળવી હતી.1994માં તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટી જોઈન કરી હતી.1996 થી 2001 સુધી તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સમાં પીએચડી કરી હતી.
આ દરમિયાન તેમની મુલાકાત ઈકબાલ સાથે થઈ હતી.બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.તેમને 18 વર્ષનો એક પુત્ર છે.જેનુ નામ રાહિલ છે.2001 થી 2005 સુધી તેઓ શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપક હતા અને બાદમાં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસરની નોકરી સ્વીકારી હતી.ગીતા ગોપીનાથે ઈકોનોમિક્સ અને નાણાકીય બાબતો પર 40 રિસર્ચ પેપર પણ લખ્યા છે.
ગયા વર્ષે એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ હતુ કે, ગ્લોબલ ગ્રોથનુ જે અનુમાન છે તેમાં 80 ટકા ઘટાડો થયો છે અને તે માટે ભારત જવાબદાર છે.તેમણે મોદી સરકારના નોટબંધીના નિર્ણયને પણ નકારાત્મક ગણાવ્યો હતો.જોકે મોદી સરકારના કૃષિ કાયદાના તેમણે વખાણ કર્યા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.